30 સપ્ટે, 2021
પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
પ્રેરક પ્રસંગો
હજરત મહંમદ પયગંબર એક દિવસ ફાતિમાને મળવા તેને ઘેર ગયા . ત્યાં જઈને જોયું કે તેમની પુત્રીએ હાથમાં ચાંદીનાં કડાં પહેર્યા છે અને બારી દરવાજામાં રેશમી પડદા લગાવ્યા છે . એ જોઈને મહંમદ પયગંબર તરત જ પાછા વળી ગયા અને મસ્જિદમાં જઈને રડવા લાગ્યા . પિતા એકાએક પાછા વળી ગયા , તેથી ફાતિમાને નવાઈ લાગી . તેણે પોતાના પુત્રને પાછળ દોડાવ્યો અને કહ્યું કે જા , તપાસ કરી આવ કે તારા નાના ( દાદા ) એકદમ કેમ પાછા જતા રહ્યા . છોકરાએ મસ્જિદમાં જઈને જોયું તો તેઓ બેઠા બેઠા રડી રહ્યા હતા . તેણે એકદમ પાછા વળી જવાનું અને રડવાનું કારણ પૂછ્યું . મહંમદ પયગંબરે કહ્યું કે અહીં ગરીબ અને ભૂખ્યા લોકો વ્યાકુળ થઈને મસ્જિદની સામે બેસીને રડી રહ્યા છે અને બીજી બાજુ મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરીને રેશમી પડદાઓ વચ્ચે મોજ કરી રહી છે . આ જોઈને મને ખૂબ શરમ આવી તથા દુખ થયું એટલે જ હું તરત પાછો વળી ગયો . છોકરાએ ઘેર જઈને પોતાની માતાને આ વાત કહી . આથી ફાતિમાએ તરત જ રેશમી પડદાઓમાં ચાંદીનાં કડાં મૂકીને તેના પિતાને મોકલાવી દીધાં . મહંમદ પયગંબરે તે વેચીને જે પૈસા આવ્યા તેમાંથી ગરીબોને ખાવાનું વહેચ્યું . પછી તેઓ ફાતિમાને ઘેર ગયા અને કહ્યું કે હવે તું મારી સાચી પુત્રી છે .
26 સપ્ટે, 2021
માનવ શરીર વિશે જાણો
*પિંડે સો બ્રહ્માંડે*
.
*માનવ શરીર વિશે જાણો*
૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.
૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.
૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.
૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.
૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.
૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.
૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.
૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.
૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.
૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.
૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે.
૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.
૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.
૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.
૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.
૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.
૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.
૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.
૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે.
૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.
૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.
૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.
૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.
૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :
૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.
૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.
૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.
૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.
૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.
૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.
૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.
૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.
૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.
૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.
૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.
૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.
૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.
૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.
૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.
૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.
૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.
૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.
૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.
૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.
૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.
૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.
૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.
૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.
૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.
૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.
૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.
૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.
૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.
૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.
૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.
૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.
૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.
૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.
૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.
૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.
૩૭. માણસની આંખો
૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.
૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.
૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.
૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.
૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.
૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.
૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.
૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.
૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.
૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.
૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.
૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.
૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.
૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.
૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.
૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.
૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.
૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે.
૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.
૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.
૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.
૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.
૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.
૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.
*પિંડે સો બ્રહ્માંડે*
20 સપ્ટે, 2021
જીવનમાં અતી ઉપયોગી માહીતી
*જીવનમાં અતી ઉપયોગી માહીતી*
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
*મેડીકલ ફીટનેસ :*
*High BP :*
120/80 — Normal
130/85 — Normal (Control)
140/90 — High
150/95 — V.High
*Low BP :*
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
90/65 — V.Low
*Haemoglobin :*
Male — 13 ~ 17
Female — 11 ~ 15
RBC Count — 4.50 ~ 5.50 (million)
*Pulse(ધબકારા)*
72 per minute (standard)
60 ~ 80 p.m. (Normal)
40 ~ 180 p.m.(abnormal)
*Temperature :*
98.4 F (Normal)
99.0 F Above (Fever)
*"હાર્ટએટેક અને પાણી”*
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ક્યારેય આ જાણકારી ન હતી, માહિતી રસપ્રદ છે.
બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?
*હૃદયરોગનાં Dr એ આપેલ જવાબ :*
ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
*પાણી પીવા માટેનો યોગ્ય સમય :*
એક હૃદયરોગનાં Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે :
(1) સવારે ઉઠ્યા પછી
૨ ગ્લાસ પાણી પીવાથી
આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા
૧ ગ્લાસ પાણી પીવાથી
પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા
૧ ગ્લાસ પાણી
બ્લડ પ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા
૧ ગ્લાસ પાણી પીવાથી
સ્ટ્રોક અને હાર્ટએટેકનું
જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી
પગના સ્નાયુઓ જકડાઈ જતા
નથી (સાદી રીતે કહીએ તો
નસ ચઢી જવી) સ્નાયુઓને
પાણીની જરૂરત હોય છે, અને
પાણી ના મળે તો તે જકડાઈ
જાય અને તમે ચીસ પાડીને
બેઠા થાવ.
૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે
સવારના ૬ થી બપોર સુધીમાં
વધારે આવે છે જો રાત્રીના
સમયે હાર્ટએટેક આવે તો તે
વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય
બનાવ બન્યો હોય એમ પણ
સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી
કોઈ દવા લેતા હોવ તો
એ દવા રાતના સમયે લેવી
જોઈએ. કારણકે એસ્પિરીનની
અસર ૨૪ કલાક માટે રહેતી હોય
છે એટલે સવારના સમયે તેની
તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના
ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે
છે અને જયારે તે જૂની થાય છે
ત્યારે એમાંથી (સરકો)વિનેગર
જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને
મદદરૂપ થશે –
BAYER કંપની ક્રિસ્ટલ જેવી
એસ્પીરીન બનાવે છે જે જીભ
ઉપર મુકતાજ ઓગળી જાય છે.
તે સામાન્ય ગોળી કરતા ઝડપથી
કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ
તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય
લક્ષણો ડાબા હાથ અને છાતીમાં
દુખાવા ઉપરાંત પણ કેટલાક
લક્ષણો છે જેની માહિતી પણ
જરૂરી છે જેમ
કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો,
ખુબજ પરસેવો થવો. પણ આ
લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક
છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%)
લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જાગ્યા ન હોતા.
પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી
તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી
જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો –
તાત્કાલિક
૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને
થોડાક પાણી સાથે તેને ગળી
જાવ, પછી ૧૦૮ ને ફોન કરો,
તમારા પડોશી કે સગા જેઓ
નજીક રહેતા હોય તેમનેે ફોન કરો
અને કહો *“હાર્ટએટેક”* અને
એ પણ જણાવો કે તમે
૨ એસ્પીરીન લીધી છે.
પછી મુખ્ય દરવાજાની સામે
સોફા કે ખુરશીમાં બેસો અને
તેમના આવવાની રાહ જુઓ –
સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબ નું કહેવું છે કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.👆👍🏽👌👌💐
6 સપ્ટે, 2021
एक प्रेरणादायक कहानी
एक प्रेरणादायक कहानी....
______________________________________
एक अमीर आदमी था। उसने समुद्र मे अकेले घूमने के लिए एक नाव बनवाई।
छुट्टी के दिन वह नाव लेकर समुद्र की सेर करने निकला। आधे समुद्र तक पहुंचा ही था कि अचानक एक जोरदार तुफान आया। उसकी नाव पुरी तरह से तहस-नहस हो गई लेकिन वह लाईफ जैकेट की मदद से समुद्र मे कूद गया। जब तूफान शांत हुआ तब वह तैरता तैरता एक टापू पर पहुंचा लेकिन वहाँ भी कोई नही था। टापू के चारो और समुद्र के अलावा कुछ भी नजर नही आ रहा था। उस आदमी ने सोचा कि जब मैंने पूरी जिदंगी मे किसी का कभी भी बुरा नही किया तो मेरे साथ ऐसा क्यूँ हुआ..?
उस आदमी को लगा कि भगवान ने मौत से बचाया तो आगे का रास्ता भी भगवान ही बताएगा। धीरे धीरे वह वहाँ पर उगे झाड-पत्ते खाकर दिन बिताने लगा।
अब धीरे-धीरे उसकी श्रध्दा टूटने लगी, भगवान पर से उसका विश्वास उठ गया। उसको लगा कि इस दुनिया मे भगवान है ही नही। फिर उसने सोचा कि अब पूरी जिंदगी यही इस टापू पर ही बितानी है तो क्यूँ ना एक झोपडी बना लूँ ......?
फिर उसने झाड की डालियो और पत्तो से एक छोटी सी झोपडी बनाई। उसने मन ही मन कहा कि आज से झोपडी मे सोने को मिलेगा आज से बाहर नही सोना पडेगा। रात हुई ही थी कि अचानक मौसम बदला बिजलियाँ जोर जोर से कड़कने लगी.! तभी अचानक एक बिजली उस झोपडी पर आ गिरी और झोपडी धधकते हुए जलने लगी।
यह देखकर वह आदमी टूट गया आसमान की तरफ देखकर बोला तू भगवान नही, राक्षस है। तुझमे दया जैसा कुछ है ही नही तू बहुत क्रूर है। वह व्यक्ति हताश होकर सर पर हाथ रखकर रो रहा था। कि अचानक एक नाव टापू के पास आई। नाव से उतरकर दो आदमी बाहर आये और बोले कि हम तुमे बचाने आये हैं। दूर से इस वीरान टापू मे जलता हुआ झोपडा देखा तो लगा कि कोई उस टापू पर मुसीबत मे है।
अगर तुम अपनी झोपडी नही जलाते तो हमे पता नही चलता कि टापू पर कोई है। उस आदमी की आँखो से आँसू गिरने लगे।
उसने ईश्वर से माफी माँगी और बोला कि मुझे क्या पता कि आपने मुझे बचाने के लिए मेरी झोपडी जलाई थी.
सीख- दिन चाहे सुख के हों या दुख के, भगवान अपने भक्तों के साथ हमेशा रहते है !!
24 ઑગસ્ટ, 2021
ધોરણ 6( ગુજરાતી) લેખણ ઝાલી નો રહી
[Q - 1]. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો :
(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?
A. ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાની આવી છે. કારણ કે કુરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ-પાન વિનાની વેરાન ધરતી આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે.
(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
A. શેઠ કોઈના માટે ઘસાય એવા ન હોતા એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચે ઉતારી ડેટા. આજે કહળસંગના ગાડામાં શેઠ ક્પાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા પણ કહળસંગને શેઠની વાણીયાવિધા ગમતી નહોતી. આથી કહળસંગ બાચકું લેવાની ના પાડે છે.
(3) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?
A. ગામ આખું અભણ હતું અંગૂઠા છાપ હતું માત્ર હરખચંદ ભણેલા હતા એટલે હરખચંદનો ભાવ પૂછતો હરખચંદ શેઠ ગામના લોકોના કોઈના દસ્તાવેજ લખવાનું ખાતા પાડવાનું સારા-નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપના.
(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?
A. અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડુ સૌ કોઈનું આવવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપની માણસાઈ છે. હરખચંદ શેઠ ! એ પછી સંઘાયે કહળસંગને ઠપકો આપ્યો.
****************
[Q - 2]. નીચેનાં વિરામચિહૂનોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
(3) અવતરણચિહૂન
A. “એ .......ઈ...... કહળસંગ ભાઈ !
(1) અર્ધવિરામ
A. આલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે : સમજ્યા ? વાક્ય જ નથી.
(2) ગુરુવિરામ
A. એમનાથી લબડી જવાયું : “માહળા રજપૂતે કરી છે ને કાઈ ?
**************
[Q - 3]. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) પાઘડીના જેવો વિસ્તાર
A. પાઘડિપ
(2) મૃત્યુ સમયે લખાતો પત્ર
A. કાળોત્રી
(3) મરણ પછી બારમા દિવસે થતો વિધિ
A. કારજ
(4) માટીની ભીંતનું નાનું ઘર
A. ખોરડું
***************
[Q - 4]. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
(1) તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
A. (1) બારમો ચંદ્ર હોવો
(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(3) નાચન જાણે આંગન ટેઢા
(4) ઉતાવળે આંબા ન પાકે
(5) ઘરના ભુવાને ઘરના જાગરીયા
(6) ડુંગરા દુરથી રળિયામણા
(7) મુંડી કરતાં વ્યાજ વહાલું.
*****************
22 ઑગસ્ટ, 2021
ખંભાતના વાણિયાની વાર્તા
ખંભાતના વાણિયાની આ વાત છે.
એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’
દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.
હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.
એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.
તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’
ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’
આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.
આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.
એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’
મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.
તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’
ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.
ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.
ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.
ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.
સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’
ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’
સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’
આટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’
ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’
‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’
ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’
સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’
ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’
બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–
એની નવાઈનો પાર ન રહ્યો.
એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !
એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !
વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’
ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’
સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’
ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’
સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’
*બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે...*
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી
*✍🏻 બાળકના મન ને* *જાણનારી "માઁ"*
*અને......
ભવિષ્ય જાણનારો "પિતા"*
*આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે*
*બસ એમનો "આદર" કરશો તો*
*"ભગવાન " પાસે તમારે કાંઇ માંગવુ ના પડે*.
🍂🍂🍂🍃🍃🍃🍂🍂🍂
19 ઑગસ્ટ, 2021
જનોઇ બદલવા વિષે
તા.૨૧.૮.૨૧ ના રોજ વ્રતની પૂનમ તેમજ નાળિયેરી પૂનમ અને શ્રવણ નક્ષત્ર હોવાથી જનોઇ શનિવારે બદલવી તેમજ રક્ષાબંધન ૨૨.૮.૨૧ ને રવિવાર ના રોજ છે.આખો દિવસ રાજયોગ હોવાથી આખો દિવસ શુભ છે.
તારીખ : 21-08-2021ને શ્રાવણ સુદ-14 ના દીવસે શ્રવણ નક્ષત્ર સૂર્યોદય થી લઈને સાંજે 8-22 સુધી છે.અને પૂનમ સાંજે 7-02 વાગ્યાથી શરૂ થાય છે.... તો ભૂદેવો ને જનોઈ બદલવા માટે તારીખ 21-08-2021 ને શનિવાર, શ્રવણ નક્ષત્ર નો દિવસ લેવો દરેક રીતે યોગ્ય છે. આ દિવસે સવારે 7-56 થી 9-32 અને બપોરે 12-44 થી 2-20 દરમ્યાન બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ કરવી -
*🔅જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ 🔅*
સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો
[ ૧ ]
સંકલ્પ : જમણા હાથમાં જળ રાખવું અને પંચાંગ અનુસાર... યોગ્ય...સંકલ્પ કરીને .....જળ નીચે તરભાણામાં મૂકો....
[ ૨ ]
ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો
ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥
[ ૩]
ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો
[ ૪ ]
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા
- - આવહયામી સ્થાપયામી --
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ
ૐ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવહયામી સ્થાપયામી
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ આવહયામી સ્થાપયામી
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ આવહયામી સ્થાપયામી
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતૃન આવહયામી સ્થાપયામી
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવહયામી સ્થાપયામી
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ યમામ આવહયામી સ્થાપયામી
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી
[ ૫ ]
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો
આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ ....
[ ૬ ]
ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો
અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળા ની જેમ જનોઈ પહેરો
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો
ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત ।
આયુષ્યમગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥
[ ૭ ]
નવી જનોઈ ધારણ થઈ જાય પછી
સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા - ૐ સૂર્યાય નમઃ ૐ રવિયે નમઃ ૐ ભાસ્કરાય નમઃ
[ ૮ ]
ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો
એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥
જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી
[ ૯ ]
ત્યારબાદ જળની ચમચી ભરી રાખો
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો
નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે
( નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી )
આ વિધિ સંક્ષિપ્ત પૂજા ની છે... બધીજ ખાત્રી કરવા છતાં ગુજરાતી ટાઈપિંગ માં કોઈ મંત્ર કે શબ્દ માં ભૂલ હોય તો.... ક્ષમા યાચના.... જાતે સુધારીને કાર્ય કરી લેવું...
*"મહાદેવ"હર*
17 ઑગસ્ટ, 2021
ખાવામાં કયું તેલ વાપરવું?
-દિખાવે પે મત જાવ..
🤫અપની અક્કલ લગાવ...
એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું?
તેમનો જવાબ ખુબ માર્મિક હતો..
"જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...
શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ? 😟 *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં... ☹️
*ચોખા* ના વળી તેલ નીકળે? 🤫
આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..
ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..
*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ?
😪એક વાર ઘાણી માં જઈને જોજો.. ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...
😨 *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે..
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..
રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !
દક્ષિણ ભારત માં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..
🥓 તો હવે સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે..
પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો ...
કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ...
*અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે*...
દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...
મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નુ અને *મગફળીનુ સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો...
જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા આને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )
ઘણા પાછા એકદમ એડવાન્સ થાય અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાઝુ જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તયાર થાય અને ભુર વા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..
*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?
*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો ... એકલી મજા જ આવશે*...
બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..
અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.. 🙏
5.મહેનતનું મોસમ ( ધોરણ 6) ગુજરાતી
પ્રશ્ન નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે ? શા માટે સાદ કરે ?
જ. ‘સીમ સાદ કરે’ એટલે સીમ ખેડૂતોને બોલાવે છે. વરસાદ વરસ્થા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને બોલાવી રહી છે.
(2) લીંપી- ગુંપી ને ખળા શા માટે કરવા પડે ?
જ. ખેતરમાં લણવાની ક્રિયા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠા કરે છે પાકના દાણા છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખળામાં દાણા સાફ કરે છે. તેથી લીપી-ગુંપીને ખળા તૈયાર કરવા કહે છે.
(3) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?
જ. લણવાની ઋતુ આવી છે પાક તૈયાર થઈ ગયો છે કવિ દાતરડા ને પછેડી લઈ ખેડૂતોને મહેનત કરવા બોલાવે છે. સૌ સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ કહે છે.
પ્રશ્ન. ઊજળું દૂધ જેવુ, લીલું કંચન જેવુ- આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દો શબ્દપ્રયોગો આપો.
1. સફેદ ____જેવું
2. કાળું ____જેવું
3. રાતું ____જેવું
4. મીઠું ____જેવું
5. કડવું ____જેવું
6. કુણું ____જેવું
જવાબ. 1. દૂધ
2. કોલસા
3. રતાશ
4. મધ
5. ઝેર
[પ્ર.]. નીચેના શબ્દોના વાક્યપ્રયોગ કરો :
(1) સીમ
જ. સીમમાં પાક તૈયાર થયેલો જોવા મળે છે.
(2) નદી
જ. અમારા ગામ પાસે એક નદી છે.
(3) આભ
જ. આભમાં સૂર્ય દેખાય છે.
(4) મોલ
જ. મોલ જોઈ ખેડૂત હરખાય છે.
(5) મલક
જ. આપણો મલક મોટો છે.
(6) રળનારો
જ. દરેક ઘરમાં રળનારો માનવ હોય છે ને દેનારો ભગવાન છે.
[પ્ર.]. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ લખો.
(1) સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મ્હેર રે .........
જ. આ વરસે વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવી થઈ ગઈ છે.
(2) રંગેસંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ..........
જ. સૌ સાથે મળીને આનંદની મહેનત કરીએ તો આપણો પ્રદેશ આબાદ થાય છે.
6 ઑગસ્ટ, 2021
ધોરણ 8 (ગુજરાતી) એક મુલાકાત
*અઘરા શબ્દો લખો
વિધાનસભા ગૃહ
પ્રવૃત્તિઓ
પ્રસન્નતા
અલ્પાહાર
કેન્ટીન
અધ્યક્ષશ્રી
સ્મૃતિ
રાષ્ટ્રપિતા
સુવ્યવસ્થિત
ગ્રીન સીટી
પ્રકૃતિ
વ્યવસાયિક
સાંસ્કૃતિક
********************
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?
A. કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.
(2) જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃતિઓ કરશો ?
A. જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારાં વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ-બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.
(3) એક નાગરિક તરીકે તમને રાજયની કઈ બાબતો સારી લાગે છે ?
A. એક નાગરિક તરીકે મને રાજયના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.
(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?
A. 1. જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્યે ઘર પાસે કુંડા મુકવા. 3. ગ્રામપંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા-કોલેજના પટાંગણમાં વિધાર્થીઓએ વૃક્ષોરોપણ કરવું. 5. ગામમાં બાગ-બગીચા કરવા જયા ઝરણા હોય તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.
(5) તમે લીધેલા કોઈએક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.
A. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયાં હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુશિખરથી કુદરતી દર્શયો જોવાનો લહાવો લીધો પછી અદ્ધરદેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી જયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતાં મળેલા ઘનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા કુભારણનના મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.
(6)તમારા વિસ્તારમાં આવેલ જોવા લાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.
A. ઘૂઘવતાં દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે. ભારતના બાર જયોતિલિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંદર-વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી તે મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મુર્તિ છે ત્યાના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્યશાંતિનો અનુભવ થયો.
****************
[Q - 2]. નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો.
(1) રાજયના કાયદા ઘડનારી સભા
A. વિધાનસભા, ધારાસભ્ય
(2) રાજય કે દેશનું વડું મથક
A. પાટનગર , રાજધાની
*******************
[Q - 3]. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) (અ) અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃતિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ
A. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃતિ, પ્રવેશ , વ્યવસ્થા, સ્વચ્છ
(1) (બ) પાઠમાં ‘ઈક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિ’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો.
A. 1. સમાજ + ઈક = સામાજિક
2. અર્થ + ઈક = આર્થિક
3. વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક
4. ભૂગોલ + ઈક = ભૌગોલિક
5. સ્વભાવ + ઈક = સ્વાભાવિક
,. ***************
*
***************
*
4.બે ખાનાનો પરિગ્રહ ( ગુજરાતી)ધોરણ 7
શબ્દ - સમજૂતી
પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું
નિશ્ચય નિર્ણય
અસહ્ય સહી ન શકાય તેવું
ખેવના કાળજી
ભીડ ગિરદી
પોસાવું પરવડવું
સલૂન ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો
પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે
પેસેન્જર મુસાફર
અમૂલ્ય કીંમતી
***************
સ્વાઘ્યાય
*પ્ર. ગાંધીજી વિષે દસ વાક્ય લખો.
*
A. મહાત્મા ગાંધીનો જન્મ ઇ.સ . 1869 ના ઓક્ટોમ્બર ની 2 તારીખે પોરબંદરમાં થયો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેરિસ્ટર થવા ઈગ્લેંડ ગયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફિકા ગયા ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિસંક લડત આપી તેમાં તેઓ સફળ થયા અહિસા એ સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઇ.સ. 1947 માં ભારતને આઝાદી અપાવી.
*પ્ર. બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો ? અને પ્રેમને ‘આધળો’ ને બદલે ‘લૂલો’ કહીએ તો ?
*
A. ‘લીલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દ છે ‘લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વગરનો જે બચાવ માં કોઈ જ આધાર પુરાવો ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહીં. ‘આંધળો પ્રેમ’ એ પણ રૂઢ થયેલો શબ્દ છે પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શક્તિ નથી તેવો પ્રેમ આમ લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’ના વિશેષણો બદલવાની અર્થ ચોખ્ખો બનતો નથી.
[પ્ર.]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?
A. ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ કરતાં વધારે વાપરવું તેને હિંસા સમજતા હતા. આથી ગાંધીજી મનુબહેન ને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાણું તેમણે પાછું સોપે છે આ પ્રસંગ માંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વઘારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.
[Q - 2]. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્ય પ્રયોગ કરો.
(1) ખેવના –
A. કાળજી સારસંભાળ
વાક્ય – ગાંધીજી ભારતીય લોકોની બહુજ ખેવના રાખતા હતા.
(2) હુન્નર –
A. કસબ કારીગરી
વાક્ય – હુન્નર શિખનાર ક્યારેય ભૂખે મારતો નથી.
(3) ભીડ –
A. ગિરદી
વાક્ય – અત્યારે રેલવેમાં ખૂબ ભીડ હોય છે.
(4) સલૂન –
A. ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય – મહારાજા અને અંગ્રેજ અમલદારો સલૂન માં જ મુસાફરી કરતાં.
(5) પ્રાયશ્રિત –
A. પાપ નિવારણ માટેનું તપ
વાક્ય – કાઈ ખોટું કામ થઈ જાયતો આપણે તેનું પ્રાયશ્રિત કરવું જોઈએ.
[Q - 3]. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જ્ગ્યા પૂરો :
(4) મહાદેવ ગાયને હાંકવાં રોકાયો ________એણે પરીક્ષામાં મોડુ થયું.
A. એટલે
(1) એકમાં સામાન રખાવ્યો ________બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું.
A. અને
(2) ઈન્સ્પેકટર જોયું ________મહાદેવની આંખમાં આંસુ હતા.
A. તો
(3) ડોક્ટરે કહયું ________ એણે કસરત કરવી જોઈએ.
A. કે
3 ઑગસ્ટ, 2021
बच्चों की असाधारण परिस्थिति
अभी उन लोगों के लिए जो बिना बोर्ड परीक्षा के 10वीं या 12वीं कक्षा पूरी करने वाले 2021 बैच के बच्चों को ट्रोल कर रहे हैं और उनका मज़ाक उड़ा रहे हैं, बस आपको बताना चाहते हैं; ये बच्चे असाधारण परिस्थितियों में जीवित रहे हैं। उनमें से अधिकांश पूरे साल स्कूल नहीं गए, सीखने के एक नए रूप के अनुकूल हो गए। अपने परिवार के सदस्यों को बुरी तरह से बीमार पड़ते या मरते हुए देखा। स्कूलों में अपने आखिरी दिनों की अनमोल यादों को याद किया। एक ऐसे युग में सख्त क्वारंटाइन से निपटा जब हम सभी हर समय अपने दोस्तों के साथ रहना चाहते हैं। हर साल जब बोर्ड के नतीजे आते हैं, तो हम चिल्लाते रहते हैं कि 'अंक मायने नहीं रखते और हम सभी जानते हैं कि आधुनिक दुनिया में इन अंकों से वास्तव में बहुत फर्क नहीं पड़ता है। तो आप पहले से ही तनावग्रस्त बच्चों को क्यों परेशान कर रहे हैं? उन्हें रहने दो। सिर्फ इसलिए कि वे केवल अपने प्री-बोर्ड के आधार पर उत्तीर्ण हुए हैं, उनके उज्ज्वल कैरियर की संभावनाओं को कम नहीं करता है। अपनी क्षमता को परखने का जीवन का अपना तरीका होता है। आइए इन बच्चों को अपना उचित मौका दें।
27 જુલાઈ, 2021
ધોરણ 8 ગુજરાતી કાવ્ય 5 તને ઓળખું છું ,મા (સ્વાધ્યાય)
* સમાનાર્થી શબ્દો
( 1 ) મારગ = પથ , રસ્તો
(2 ) અભાગી = કમનસીબ , દુર્ભાગી
( 3 ) સદા = હંમેશ , સર્વદા
( 4 ) સ્મરણ = સ્મૃતિ , યાદ
( 5 ) લ્હેરખી = લહેર , તરંગ
( 6 ) તીરથ = તીર્થ , ધામ
( 7 ) સમુદ્ર = સાગર , દરિયો
( 8 ) આકાશ = ગંગન , નભ
( 9) શશી = ચંદ્ર , મયંક
( 10 ) રાત્રિ = રજની , નિશા
(11) તરણા=તૃણ, તણખલું
********************
* વિરુદ્ધાર્થી શબ્દ લખો :
( 1 ) અભાગી x સુભાગી , સદ્ ભાગી
( 2 ) સ્મરણ x વિસ્મરણ
************
*શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:
1.)ઉનાળાની ગરમ હવા : લૂ
2)' કુશળ રહો 'એવો ભાવ સૂચવનારો ઉદગાર : ખમ્મા
3) આંગળીના છેડાનો ભાગ :ટેરવું
4) પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે: પરકમ્મા ,પરિક્રમા
************
*રૂઢિપ્રયોગ નો અર્થ લખો:
1) છૂ થવું : ગાયબ થવુ, દૂર થવુંં
***************
***********
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?
જ. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .
(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.
જ. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.
(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?
જ. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.
(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?
જ. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.
***********
નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ?
જ : માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી " શબ્દ વાપરે છે .
( 2 ) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?
જ: કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ આવે છે અને એની વેદના તે- સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે
( 3 ) ‘ એકલવાયું વરસે છે ચોમાસું ' , એવું કવિ ક્યા સંદર્ભે ક્યું છે ?
જ : સંતાનો દૂર હોય ત્યારે એક્લવાયું જીવન વ્યતીત કરતી માની માંગને . આંસુ નહિ , પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે . એ સંદર્ભમાં એકલરણ વરસે છે ચોમાસું ” એમ કવિ કહે છે .
( 4 ) કવિ માતાની પરકમ્મા ક્વી રીતે કરે છે ?
જ : માતાનું પ્રત્યેક અરણ એ તીર્થ છે , એમ માનીને કવિ માતા મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે .
( 5 ) કવિની પીડા કેવી રીતે દૂર થાય છે ?
જ : જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે , કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે .
**********
[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .
A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.
(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........
A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
************
‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :
જ.
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થી
થયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
-મણિલાલ દેસાઈ
************
21 જુલાઈ, 2021
કાયવરોહણ શકિપીઠ
દરેક હિંદુ એ એક્વાર તો કાશી ની મુલાકાત લેવી જ જોઈએ તેવું મનાય છે. પરંતુ કાશી તો ઠેઠ ઉત્તર પ્રદેશ માં આવેલું છે. બહુ ઓછા ને ખબર હશે કે કાશી ના જેવું માહાત્મ્ય ધરાવતું બીજું કાશી ગુજરાત માં આવેલું છે. આ સ્થળનું નામ "કાયવરોહણ"છે. વડોદરા જિલ્લામાં આવેલા વડોદરા થી ભરૂચ જતાં હાઇવે પર પોર નામ નું ગામ છે. ત્યાંથી કાયવરોહણ માત્ર 9 કિમિ દૂર છે. વડોદરા થી તે 32 કિમિ છે.
મહાતીર્થ:
સત્યયુગમાં આ સ્થળ ઇચ્છાપૂરી ત્રેતાયુગ માં માયાપુરી,દ્વાપરમાં મેધાવતી અને કલિયુગ માં કાયવરોહણ તરીકે ઓળખાય છે. ભારત ના68 મહત્વના તીર્થં સ્થાનોમાં કાયવરોહણ ની ગણના થાય છે. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ યાત્રાસ્થળને કાશી માં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભગવાન ની ઈચ્છા ન હોવાથી તેમ કરવામાં તેમને પુરી સફળતા મળી નહોતી.આમ છતાં તેનું મહત્વ કાશી જેવું રહ્યું.મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રનું અનુસાર
18 જુલાઈ, 2021
ધોરણ 7. પાઠ 3 પરીક્ષા
1. નીચેના શબ્દોની જોડણી સુધારો : (સાચી જોડણી)
( 1 ) વીંજણો
( 2 ) રૂપેરી
( 3 ) શિષ્યવૃત્તિ
( 4 ) વિદ્યાધિકારી
( 5 ) દીવો
( 6 ) મૂંઝવણ / મુઝવણ
( 7 ) પરીક્ષા
( 8 ) વિદ્યાર્થી
( 9 ) ઇન્સ્પેક્ટર
2. નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
( 1 ) સૂર્ય = રવિ , ભાનું
( 2 ) ધરતી = જમીન , પૃથ્વી
( 3 ) ઉંબી = કણસલું , ડૂડું
( 4 ) ગાય = ધેનુ , સુરભિ
( 5 ) હાથ = કર , બાહુ
( 6 ) પક્ષી = પંખી , વિહગ
( 7 ) શાળા = વિદ્યાલય , નિશાળ
( 8 ) વાયરો = પવન , સમીર
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) ગરીબ x શ્રીમંત
( 2 ) પહેલો x છેલ્લો
( 3 ) પોતીકા X પારકા
( 4 ) મંજૂર x નામંજૂર
( 5 ) દૂર x નજીક
( 6 ) જાણે x અજાણે
( 7 ) આનંદ x શોક
( 8 ) ડાહ્યું x ગાંડું
( 9 ) શક્તિ x અશક્તિ
4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી , તેનો વાક્યપ્રયોગ કરોઃ
( 1 ) પગ ઉપાડવા – ઝડપથી ચાલવું
વાક્ય : નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા .
( 2 ) ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો .
વાક્યઃ મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી .
( 3 ) પાટી મેલાવવી – દોટ મુકાવવી
વાક્ય : દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેલાવી .
( 4 ) હાથમાં હોવું – કબજામાં હોવું , પોતાના આધીન હોવું વાક્ય : દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી .
( 5 ) તાનમાં હોવું - આનંદમાં હોવું
વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો .
( 6 ) નાક રહેવું – આબરૂ જળવાવી
વાક્યઃ સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું .
( 7 ) કાપલો કાઢી નાખવો – બધું જ ખાઈ જવું , સફાયો કરવો .
વાક્યઃ ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે .
( 8 ) માઝા મૂક્વી – મર્યાદા બહાર જવું
વાક્ય : દરિયો ક્યારેય પણ પોતાની માઝા મૂકતો નથી .
( 9 ) મૂઠીઓ વાળવી – ઘેટ મૂકવી
વાક્ય : કૂતરું પાછળ પડતાં છોકરાએ મૂઠીઓ વાળી .
5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક - એક શબ્દ લખો:
( 1 ) ગાયોનું ટોળું – ધણ
( 2 ) ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન - શેઢો
( 3 ) પગથી ચાલવાનો સાંકડો રસ્તો - પગદંડી , કેડી
( 4 ) તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય - શિષ્યવૃત્તિ
( 5 ) સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો – ઢેફુ
***********
પ્ર - 1. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) તમે પરીક્ષા આપવા જય રહયા છો અને રસ્તામાં ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યકિતને જુઓ તો તમે શું કરશો?
જ. હું પરીક્ષા આપવા જતો હોઉ ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ વ્યકિતને જોઉ તો બીજાને મદદ માટે બોલાવી 108 એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરું તે વ્યક્તિના પરિવારજનો ને જાણ કરું.
(2) ઈન્સ્પેકટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઈન્સ્પેકટરે આ બાબત નાં સમજીને તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોટ તો શું થાત ? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે ? શા માટે ?
જ. મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા માટે ઈન્સ્પેકટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો જો ઈન્સ્પેકટરે માનવતા ન રાખી હોત તો તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોત તો પણ મહાદેવને સંતોષ થાત કે તેને પાક થી ઊભરાતા ખેતરને બચાવ્યા તેનો ગાયને હાંકી કાઢવાનો નિર્ણય સાચો મને લાગે છે કારણ કે મહાદેવમાં પરોપકારનું ગુણ છે ને તેના આવા સારા ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો.
(3) પાઠમાં ઉતર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગ હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી-કાઢો અને લખો.
જ. અમારા ઝાલાવાડી બોલીના શબ્દો
‘અટાણે – અત્યારે , કેદુના – ક્યારના , નકરું – માત્ર , માંથે – પહેલા , ઓરો –પાસે ,
વયો ગિયો – જતો રહયો , કઈરું – કયું , ભેળો – સાથે , વીવા – વિવાહ , કળશો – લોટો
ગગા –દીકરા
(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો કરીથી લખો.
પ્રશ્ન – પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી હાંકી લાવી મેલી મેલીને ખુશાલમાના ખેતર માં જ મેલવી? ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.
જ. પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ ઓનો બીકણ જીવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી ? ને પરોપકારી મહાદેવ રડતો ગયો માથા ઉપર આવતા આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.
આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠ માં વપરાયેલા શબ્દોવાળો ? શા માટે ? સરખામણી કરો.
આમ કરવાથી ભાષાની સુંદરતા ઓવી થઈ જાય છે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી લખેલો ફકરો મને નથી ગમતો કારણ કે પાઠ માં વપરાયેલા શબ્દો ભાવ ને સરળ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.
(5) નીચેના ફકરો વાંચો વિરામ ચિહનો વિના તમને એ તે અધૂરો લાગે છે ? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામ ચિહનો મૂકો અને ફરી વાંચો.
ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું બૂમ પાડી કહવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાકશે એટલમાં તો કાપલો કાઢી નાખશે ને.
મહાદેવ શંકા સામે દફતર ઘર્યુ લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને
જ. ગામ તરફ તેને નજર દોડવી. દૂર કોઈ માણસ ને જોયું. બૂમ પાડી ને કહેવા લાગ્યો: ‘એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય –‘ ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખાશને?
મહાદેવે શંકા સામે દફતર ઘર્યુ, ‘લે શંકા ગાયને હું હાંકતો આવું.’
શંકાએ દફતર લીધું યાદ આપ્યું. તારે લ્યાં પરીક્ષા છે ને-‘
(6) પાઠમા મહાદેવ ગાઈને બીજા કોઈના ખેતરમાં ના મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું ? શા માટે ?
જ. મહાદેવ ગાયને ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવ ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી ગોટ તો તે ફરી થી કોઈના ખેતરમાં પાકને નુકશાન કરત મહાદેવ માનવતાનું કામ કર્યું તેથી મને ગમ્યું.
(7) ઈન્સ્પેકટર સાહેબનો ક્યો ગુણ તમને ગમ્યો ? શા માટે ?
જ. ઈન્સ્પેકટર સાહેબે પરીક્ષાના સમય કરતાં મહાદેવની માનવતા ને વધારે ગમ્યો. જો આવા સાહેબો સારા હોયતો જ ભારત દેશ આગળ વધી શકે.
(8) નીચેના વાક્યોને બદલે પાઠમા વપરાયેલા વાક્યો લખો.
જ. 1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ના થાય.
ઉતર- પાઠમા – આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !
2. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી.
ઉતર- જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.
3. ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.
ઉતર- ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !
4. ગામની આબરૂ સચવાશે.
ઉતર- આપના ગામનું નાક રહશે.
***************
નીચેના પ્રશ્નો ના ઉત્તર એક લીટીમાં આપો :
( ૧ ) નટુના ‘ બાપા શું હતા ?
ઉ. નટુ ના બાપા હેડ માસ્ટર હતા
( ૨ ) કોના મામા મામલતદાર હતા ?
ઉ. બચુડાના મામા મામલતદાર હતા •
( ૩ ) વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા ?
ઉ. વિદ્યાધિકારીના હેડક્લાર્ક ધનશંકર ના માસા હતા.
( ૫) મહાદેવે મિત્રોની કઇ વાત મંજૂર રાખી ?
ઉ. મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજુર રાખી .
( ૬ ) મહાદેવ ' ખાઈ જવાની ’ એવું કોને જોઈને બોલી ઊઠે છે ?
ઉ: મહાદેવ ' ખાઈ જવાની ’ એવું ગાયને જોઈને બોલી ઊઠે છે .
( ૭ ) મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા ?
ઉ : ગાય ખેતરનો પાક ખાઈ જશે , એવું લાગતાં મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા .
**************
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
( 1 ) ‘ પરીક્ષા ' પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે ?
A. શરદ B. વસંત C. પાનખર D. વર્ષા
( 2 ) મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું ?
A. વસંતનો પવન B. શરદનો પવન C. પાનખરનો પવન D. સોની
( 3 ) મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ ?
A. મોલ જોઈને B. ઝાડનાં ઝુંડ જોઈને C. ઉંબીઓ જોઈને D. મોલ ખાતી ગાયને જોઈને
( 4 ) મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું ?
A. શંકરને B. નારજીકાકાને C. ખુશાલમાને D. માસીને
( 5 ) ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું ?
A. મહાદેવે B. ખુશાલમાએ .. કાકાએ D. નારજીકાકાએ
( 6 ) ‘ અહીં છીંડામાં મરને ' – એવું મહાદેવ કોને કહે છે ? A. ગાયને B. શંકરને C. બકરીને D , બળદને
( 7 ) મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ?
A. ઇન્સ્પેક્ટરે B , માસીએ C. શંકરે D. નારજીકાકાએ
( 8 ) મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો ?
A. માનવતાવાદી B. ખારીલો C. ક્રૂર D. દયાળુુ
( 9 ) મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો ?
A , ધૂળથી B , આસુથી C. કીચડથી D , પાપથી
( 10 ) ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ
કર્યો ?
A. આચાર્યને B , પટાવાળાને C. શિક્ષકને D. સુપરવાઇઝરને
( 11 ) શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા
હતા ?
A , આઠ B. દસ C. બાર D. છ
***************
17 જુલાઈ, 2021
ટૂંક નોધ લખો :રવિશંકર મહારાજ , પ્રશ્નોનાં ઉતર લખો.
*ટૂંક નોધ લખો:
*રવિશંકર વ્યાસ*
રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા.
તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.
નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું . ઉપરાંત બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.
રવિશંકર વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા.
*************
પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
.
(1) રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?
જ. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એ બાળપણથી જ પામ્યાં હતા દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું બાળપણથી જ મળ્યું હતું. આ સંસ્કારે તેમના પર અસર કરી હતી.
(2) મૂકસેવક મહારાજે લોકસેવકના કયા-કયા કાર્યો કર્યા ?
જ. મૂક સેવક મહારાજે ગામડે-ગામડે જય ગંદકી દૂર કરી ગરીબાઈ દૂર કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યો. લોકોને બચાવ્યો તેમજ પડતાં મકાનને ટેકો દીધો. વળી ચોરોને સમજાવ્યા સારા રસ્તે વાળ્યા બહારવટિયાઓને સમજાવી દેશના હિત માટે લગાડ્યા. જે જગ્યાએ રોગ ફાટી નીકળ્યા હતા ત્યાં પહોંચી મહારાજે ડોક્ટરોની વ્યવસ્થા કરી લોકોને રોગમાંથી બચાવ્યા દુષ્કાળમાં કૂવાને બોરિંગ કરાવ્યા ને લોકોને પીવાનું અપાવ્યું. અને હુલ્લડમાં લોકોને સમજાવ્યા તોફાન ન કરવા સલાહ આપી તેમજ મરેલાના અગ્નિ સંસ્કાર પણ તેમણે જ કર્યા. આમ મૂક સેવક મહારાજ સાચા અર્થમાં લોક સેવક હતાં.
(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?
જ. રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને ખૂબ મોટો લાભ થયો. સમાજના લોકોમાં ગરીબાઈ દૂર થઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી. વળી ચોર-લુટારા સારા ને સત્યને માર્ગે વળ્યા. લોકોમાં અજ્ઞાન દૂર થયો. તેમજ સારું જીવન જીવવાની પ્રેરણા મળી લોકોને પીવાનું પાણી મળવા લાગ્યું. લોકો ભેદભાવ વગર શાંતિથી જીવન જીવવા લાગ્યા. આમ રવિશંકર મહારાજનાં કામોથી લોકોને ખૂબ સારો ફાયદો થયો.
(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?
જ. ઈ.સ 1941 અને ઈ.સ. 1946 માં અમદાવાદમાં હુલ્લડ થયા કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ કર્યા વગર સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામ્યાં તેમના શબને મહારાજ જાતે જ અગ્નિસંસ્કાર કરતાં આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે.
(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?
જ. સાદાં વસ્ત્રો પહેરવા સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો .
(6) મહારાજ શબ્દના જુદા-જુદા અર્થ લખો ?
જ. 1. મહારાજ એટલે – યજમાનવૃતી કરનાર ગોર મહારાજ.
2. મહારાજ એટલે – મોટા રાજા
3. મહારાજ એટલે – સંત સાધુ
4. મહારાજ એટલે – રસોઇયો
(7) દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ – આ શબ્દો સાથે-સાથે કેમ લખાય છે ?
જ. જે શબ્દ સામાસિક હોય તે ભેગા લખાય માટે દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ આ સામાસિક શબ્દ છે આથી ભેગા લખાય છે.
**********
12 જુલાઈ, 2021
ધોરણ.8 ગુજરાતી પાઠ.3 જુમો ભિસ્તી
*નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.
(1) શ્રીમંત
A. ધનવાન, અમીર
(2) દુર્ગંધ
A. બદબૂ, વાસ
(3) કર્કશ
A. કઠોર, તીણો
(4) આનંદ
A. ખુશી, હર્ષ
(5) ગદબ
A. રજકો
(6) હાંડલી
A. હાંલ્લી, માટલી
*************
પ્રશ્નો ના જવાબ લખો
પ્ર. જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા ?
જ. જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવુતી કરતાં હતા. જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણુ બંને પાછા વળતાં. જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો. વેણુ ગદબ ખાતો. પછી જુમો સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા.
પ્ર. જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?
જ. જુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પછી રસ્તા જતાં બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો. તેણે ફાટકવાળાને વિનંતી કરી. પણ અંદરથી ‘ઘેર કોઈ માણસ નથી.’ એવો જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો. આમ, વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.
પ્ર. વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો.
A. છેલ્લા વાક્યમાં જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ....! વેણુ....! વેણુ....!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.
[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને લખો.
(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
A. જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત.
(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
A. પેલા બે યુવાન મિત્રો એ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.
(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
A. મને ગમતું પ્રાણી ગાય છે તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું. રોજ સાંજે તેણે ફરવા લઈ જાઉં છું. હું ગાઈને ખૂબ વહાલ કરું છું.
(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેના કારણો આપો.
A. વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પટથી દૂર ફેકીને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તે ઉચિત ગણાય.
***************
* ટૂંક નોધ લખો:
1) જુમો ભિસ્તી
જુમો ભિસ્તી જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડ થી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસીને પરણવા નીકળેલો .તેની શ્રીમંતાઈ ના વખતમાં એને અનેક મિત્રો હતા પણ અચાનક એ ભિખારી થઈ ગયો. એ ઝૂપડામાં રહેવા લાગ્યો. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી હોકો ગગડાવતો .આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાડો વેણું જ જીવનભર એની સાથે રહ્યો.
જુમો પોતાની આ પરિસ્થિતિમાં પણ નિરાંત ખુશ રહેતો હતો. સવાર -સાંજ ફરવા જવું અને મશક લઇ કામ કરવું એ તેનો નિત્યક્રમ હતો.તેને કોઈ વાતનો અફસોસ નહોતો. પોતાના મિત્ર સાથે સુખેથી દિવસો પસાર કરતો હતો .અંતમાં મિત્ર માટે જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે .આમ , મૂકપશુ અને માનવ પ્રેમનું જુમો ભિસ્તી જાગતું ઉદાહરણ છે.
૨) વેણું :
વેણું એટલે પાડો. જુમા ભિસ્તીએ બાળપણમાં શોખ ખાતર પાડેલા પાડા નું નામ વેણુ હતું. પાડા નું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું. જુમો વેણુ નો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મસક મુકવા માટે કરતો. સાંજ પડ્યે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વેણુનો જ્યારે રેલવેના બે પાટા વચ્ચે પગ ફસાયો ત્યારે જુમો ઘણા બધાની મદદ માગે છે. પણ કોઈ મદદે ન આવ્યું. છેવટે ટ્રેન આવવાના સમયે તેને બાથ ભરી મોતને ભેટવા જુમો તૈયાર થયો. પરંતુ અબોલ જીવે મિત્રતા નિભાવતા જુમો ભિસ્તીને પોતાનું માથું મારીને પાટાથી દૂર ફેંકી દીધો. જુમો બચી ગયો પરંતુ વેણુ મોતને ભેટ્યો .
આમ ,જુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી. માલિક નું ઋણ મૂકપશુ તેમનો જીવ બચાવી ઉતારી દે છે .આ રીતે વેણુનુ પાત્ર મૂકપશુનુ હોવા છતાં વાચકના દિલમાં ઉડી છાપ છોડી દે છે.
11 જુલાઈ, 2021
વર્ષાનો વૈભવ/વર્ષાઋતુ
ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે . સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે . લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે . ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે . પશુ , પક્ષી , માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે . અચાનક વર્ષનું આગમન થાય છે અને ગ્રીષ્મઋતુ ધીરે ધીરે વિદાય લે છે .
વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે . વીજળીના ચમકારો , વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે . વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે . બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે . મોર કળા કરે છે , નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે . કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે . દેડકાં ' ડ્રાંઉ ’ .. ' ડ્રાઉ ' .. કરીને વર્ષાનું સ્વાગત કરે છે . ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે . વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે . પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘ કાગડો ’ થઈ જાય છે . વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે . ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે . જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે .
ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે . તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે . થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે . ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે .
વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ . રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશચતુર્થી , સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે . પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે . આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે .
વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે . નદીઓમાં ભયંકર પૂર આવે છે . ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે . જાનમાલનું ભારે નુકસાન થાય છે . વર્ષા નું આ રૌદ્ર સ્વરૂપ છે . વર્ષાઋતુ માં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી , ધાસચારો થતો નથી , પાણીની ભયંકર તંગી પડે છે . તેને ‘ દુષ્કાળ ' કહે છે .
વર્ષાઋતુ માં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે . માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે . તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે .
વર્ષાઋતુમાં અનાજ પાકે છે . ધાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે . તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે . એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે . કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે . કવિઓએ વર્ષાઋતુને ‘ ઋતુઓની રાણી ’ કહીને આવકારી છે .
**************
5 જુલાઈ, 2021
પાઠ 2 દ્વીદલ *સ્વાઘ્યાય*
*શબ્દાર્થ:
શિલ્પી- કારીગર
સ્તંભ-. થાંભલો
નિશબ્દ- શબ્દ વિનાની, શાંત
મંજૂરી -પરવાનગી
લોન- લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન ,હરિયાળી
આજીજી- વિનંતી
બિરદાવવું- ગુણગાન કે સ્તુતિ કરવી
*****************
પ્રશ્ન: સાચો વિકલ્પ લખો:
(1) શિલ્પી આરસપહાણના પથ્થર માંથી કોની મૂર્તિ ઘડી રહ્યો હતો?
( C) ભગવાન( 2 ) મૂર્તિમાં કઈ જગ્યાએ એક નાનો ઘસરકો થઈ ગયો હતો ?
( D ) નાકે પાસે
( 3 ) મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની હતી ?
( A ) સ્તંભ પર
( 4 ) યુવકે દુકાનદાર પાસે કયો ફોન વાપરવાની મંજૂરી માંગી ?
( D ) પબ્લિક ફોન
( 5 ) યુવક ફોન પર સ્ત્રી પાસે કયું કામ કરવાની પરવાનગી માગતો હતો .
( C ) લૉન કાપવાની
( 6 ) યુવક દુકાનમાંથી બહાર જવાની તૈયારી કરતો હતો તે વખતે તેને કોણે બોલાવ્યો ?
( B ) દુકાનદારે
( 7 ) દુકાનદાર યુવકની કઈ રીતને બિરદાવતો રહ્યો ?
( D ) સ્વમૂલ્યાંકનની
( 8 ) ‘ આજીજી ' શબ્દનો અર્થ શો થાય ?
( B ) વિનંતી
( 9 ) ‘ નુકસાન ’ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય ?
( D ) ફાયદો
( 10 ) શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી શું ઘડી રહ્યો હતો ?
( B ) મૂર્તિ
*****************
વિરુદ્ધાર્થી શબ્દો લખો
1. જાણ × અજાણ
2. જવાબ × સવાલ
3. નીરસ × રસવાળું
4. નુકસાન × ફાયદો
5. ધ્યાન × બેધ્યાન
6. પરદેશ × સ્વદેશ
7. સંતોષ × અસંતોષ
*************
નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) માણસે બીજી મુર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?
જ. માણસે પૂછ્યું કે આ મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે ત્યારે શિલ્પીએ ના પાડી અને એક મુર્તિ તૈયાર હતી ને શિલ્પી બીજી મુર્તિ બનાવી રહયો હતો એટલે માણસના આશ્ચર્યનો પાર ન રહયો કે એક મુર્તિની સ્થાપના કરવાની છે પણ બે મુર્તિ કેમ ?
(2) શિલ્પીએ પહેલી મુર્તિ પડતી કેમ મૂકી ?
જ. પહેલી મુર્તિ ઘડવામાં શિલ્પીથી એક ભૂલ થઈ મૂર્તિનાં નાક પાસે એક નાનકડો ઘસરકો થયો.આમ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરાય તેથી પહેલી મુર્તિ શિલ્પીએ પડતી મૂકી.
(3) સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?
જ. કારણ કે સ્ત્રી પાસે જે માણસ કામ કરતો હતો તેનાથી સ્ત્રીને સંતોષ હતો તેનું કામ સ્ત્રીને ગમતું હતું આથી સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાથી ના પાડી.
(4) સ્ત્રીનો જવાન સાંભળી યુવક કેમ ખુશ થયો ?
જ. સ્ત્રીને યુવકે અડધા પગારમાં કામ કરવાની અને વધારાનું કામ કરવા કહયું છતાં સ્ત્રીએ યુવકને નોકરી આપવાની ના પાડી આથી યુવકને પૂરી ખાતરી થઈ કે સ્ત્રી તેના કામથી પૂર્ણ સંતોષ પામી છે આમ સ્વ-મૂલ્યાંકન ની પરીક્ષામાં પોતે સફળ રહયો આથી યુવક ખુશ થયો.
(5) સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?
જ. સ્વ- પોતે મૂલ્યાંકન પરીક્ષા પોતે જ પોતાની પરીક્ષા કરવી એટલે સ્વ- મૂલ્યાંકન હા મે પણ મૂલ્યાંકન કરેલું છે હું પોતે જ લેખિત કસોટી લઈને સ્વ- મૂલ્યાંકન કરું છુ .
*********************
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)