30 સપ્ટે, 2021

પ્રેરક પ્રસંગો





વાજિશ્રવા પોતાના પુત્ર નચિકેતા માટે વિશ્વજિત યજ્ઞનું આયોજન કર્યું હતું . આ યજ્ઞમાં વાજિશ્રવાએ પોતાના બધા ધનનું દાન કરી દીધું . છેલ્લે દક્ષિણા માટે વાજિશ્રવા એ ગાયો મંગાવી ત્યારે નચિકેતાએ જોયું કે તે બધી ઘરડી અને દૂધ ન આપે એવી હતી . આથી તેણે પિતાને કહ્યું કે આવું નિરર્થક દાન આપનારને કદાપિ પુણ્ય તથા સ્વર્ગ મળતું નથી . આવું સાંભળીને વાજિશ્રવા ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાના પુત્ર નચિકેતાને જ યમાચાર્યને દાનમાં આપી દીધો . નચિકેતા જ્યારે યમરાજા પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે બેટા ! હું તને સૌંદર્ય , યૌવન , અક્ષય ધન અને બીજા અનેક ભોગો આપું છું , પરંતુ નચિકેતાએ કહ્યું કે જે સુખ ક્ષણિક અને શરીરનો નાશ કરનારું હોય તે લઈને હું શું કરું ? તમે મને આત્મદર્શન કરાવો . જ્યાં સુધી હું પોતાને ન જાણી લઉં ત્યાં સુધી વૈભવવિલાસ વ્યર્થ છે . સાધના માટે જરૂર પ્રબળ જિજ્ઞાસા , સત્યનિષ્ઠા સંકલ્પશક્તિ અને તપશ્ચર્યાનો ભાવ જોઈને યમે નચિકેતાને પંચાગ્નિ વિદ્યા શિખવાડી . એનાથી નચિકેતાએ આત્મસાક્ષાત્કાર કરીને બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો