( 1 ) મારગ = પથ , રસ્તો
(2 ) અભાગી = કમનસીબ , દુર્ભાગી
( 3 ) સદા = હંમેશ , સર્વદા
( 4 ) સ્મરણ = સ્મૃતિ , યાદ
( 5 ) લ્હેરખી = લહેર , તરંગ
( 6 ) તીરથ = તીર્થ , ધામ
( 7 ) સમુદ્ર = સાગર , દરિયો
( 8 ) આકાશ = ગંગન , નભ
( 9) શશી = ચંદ્ર , મયંક
( 10 ) રાત્રિ = રજની , નિશા
(11) તરણા=તૃણ, તણખલું
********************
* વિરુદ્ધાર્થી શબ્દ લખો :
( 1 ) અભાગી x સુભાગી , સદ્ ભાગી
( 2 ) સ્મરણ x વિસ્મરણ
************
*શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:
1.)ઉનાળાની ગરમ હવા : લૂ
2)' કુશળ રહો 'એવો ભાવ સૂચવનારો ઉદગાર : ખમ્મા
3) આંગળીના છેડાનો ભાગ :ટેરવું
4) પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે: પરકમ્મા ,પરિક્રમા
************
*રૂઢિપ્રયોગ નો અર્થ લખો:
1) છૂ થવું : ગાયબ થવુ, દૂર થવુંં
***************
***********
[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?
જ. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .
(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.
જ. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.
(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?
જ. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.
(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?
જ. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.
***********
નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ?
જ : માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી " શબ્દ વાપરે છે .
( 2 ) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ?
જ: કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ આવે છે અને એની વેદના તે- સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે
( 3 ) ‘ એકલવાયું વરસે છે ચોમાસું ' , એવું કવિ ક્યા સંદર્ભે ક્યું છે ?
જ : સંતાનો દૂર હોય ત્યારે એક્લવાયું જીવન વ્યતીત કરતી માની માંગને . આંસુ નહિ , પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે . એ સંદર્ભમાં એકલરણ વરસે છે ચોમાસું ” એમ કવિ કહે છે .
( 4 ) કવિ માતાની પરકમ્મા ક્વી રીતે કરે છે ?
જ : માતાનું પ્રત્યેક અરણ એ તીર્થ છે , એમ માનીને કવિ માતા મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે .
( 5 ) કવિની પીડા કેવી રીતે દૂર થાય છે ?
જ : જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે , કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે .
**********
[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .
A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.
(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........
A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
************
‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :
જ.
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થી
થયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
-મણિલાલ દેસાઈ
************