શબ્દ - સમજૂતી
પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું
નિશ્ચય નિર્ણય
અસહ્ય સહી ન શકાય તેવું
ખેવના કાળજી
ભીડ ગિરદી
પોસાવું પરવડવું
સલૂન ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો
પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે
પેસેન્જર મુસાફર
અમૂલ્ય કીંમતી
***************
સ્વાઘ્યાય
*પ્ર. ગાંધીજી વિષે દસ વાક્ય લખો.
*
A. મહાત્મા ગાંધીનો જન્મ ઇ.સ . 1869 ના ઓક્ટોમ્બર ની 2 તારીખે પોરબંદરમાં થયો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેરિસ્ટર થવા ઈગ્લેંડ ગયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફિકા ગયા ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિસંક લડત આપી તેમાં તેઓ સફળ થયા અહિસા એ સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઇ.સ. 1947 માં ભારતને આઝાદી અપાવી.
*પ્ર. બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો ? અને પ્રેમને ‘આધળો’ ને બદલે ‘લૂલો’ કહીએ તો ?
*
A. ‘લીલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દ છે ‘લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વગરનો જે બચાવ માં કોઈ જ આધાર પુરાવો ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહીં. ‘આંધળો પ્રેમ’ એ પણ રૂઢ થયેલો શબ્દ છે પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શક્તિ નથી તેવો પ્રેમ આમ લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’ના વિશેષણો બદલવાની અર્થ ચોખ્ખો બનતો નથી.
[પ્ર.]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?
A. ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ કરતાં વધારે વાપરવું તેને હિંસા સમજતા હતા. આથી ગાંધીજી મનુબહેન ને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાણું તેમણે પાછું સોપે છે આ પ્રસંગ માંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વઘારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.
[Q - 2]. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્ય પ્રયોગ કરો.
(1) ખેવના –
A. કાળજી સારસંભાળ
વાક્ય – ગાંધીજી ભારતીય લોકોની બહુજ ખેવના રાખતા હતા.
(2) હુન્નર –
A. કસબ કારીગરી
વાક્ય – હુન્નર શિખનાર ક્યારેય ભૂખે મારતો નથી.
(3) ભીડ –
A. ગિરદી
વાક્ય – અત્યારે રેલવેમાં ખૂબ ભીડ હોય છે.
(4) સલૂન –
A. ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય – મહારાજા અને અંગ્રેજ અમલદારો સલૂન માં જ મુસાફરી કરતાં.
(5) પ્રાયશ્રિત –
A. પાપ નિવારણ માટેનું તપ
વાક્ય – કાઈ ખોટું કામ થઈ જાયતો આપણે તેનું પ્રાયશ્રિત કરવું જોઈએ.
[Q - 3]. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જ્ગ્યા પૂરો :
(4) મહાદેવ ગાયને હાંકવાં રોકાયો ________એણે પરીક્ષામાં મોડુ થયું.
A. એટલે
(1) એકમાં સામાન રખાવ્યો ________બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું.
A. અને
(2) ઈન્સ્પેકટર જોયું ________મહાદેવની આંખમાં આંસુ હતા.
A. તો
(3) ડોક્ટરે કહયું ________ એણે કસરત કરવી જોઈએ.
A. કે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો