30 સપ્ટે, 2021

પ્રેરક પ્રસંગો

                 પ્રેરક પ્રસંગો

હજરત મહંમદ પયગંબર એક દિવસ ફાતિમાને મળવા તેને ઘેર ગયા . ત્યાં જઈને જોયું કે તેમની પુત્રીએ હાથમાં ચાંદીનાં કડાં પહેર્યા છે અને બારી દરવાજામાં રેશમી પડદા લગાવ્યા છે . એ જોઈને મહંમદ પયગંબર તરત જ પાછા વળી ગયા અને મસ્જિદમાં જઈને રડવા લાગ્યા . પિતા એકાએક પાછા વળી ગયા , તેથી ફાતિમાને નવાઈ લાગી . તેણે પોતાના પુત્રને પાછળ દોડાવ્યો અને કહ્યું કે જા , તપાસ કરી આવ કે તારા નાના ( દાદા ) એકદમ કેમ પાછા જતા રહ્યા . છોકરાએ મસ્જિદમાં જઈને જોયું તો તેઓ બેઠા બેઠા રડી રહ્યા હતા . તેણે એકદમ પાછા વળી જવાનું અને રડવાનું કારણ પૂછ્યું . મહંમદ પયગંબરે કહ્યું કે અહીં ગરીબ અને ભૂખ્યા લોકો વ્યાકુળ થઈને મસ્જિદની સામે બેસીને રડી રહ્યા છે અને બીજી બાજુ મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરીને રેશમી પડદાઓ વચ્ચે મોજ કરી રહી છે . આ જોઈને મને ખૂબ શરમ આવી તથા દુખ થયું એટલે જ હું તરત પાછો વળી ગયો . છોકરાએ ઘેર જઈને પોતાની માતાને આ વાત કહી . આથી ફાતિમાએ તરત જ રેશમી પડદાઓમાં ચાંદીનાં કડાં મૂકીને તેના પિતાને મોકલાવી દીધાં . મહંમદ પયગંબરે તે વેચીને જે પૈસા આવ્યા તેમાંથી ગરીબોને ખાવાનું વહેચ્યું . પછી તેઓ ફાતિમાને ઘેર ગયા અને કહ્યું કે હવે તું મારી સાચી પુત્રી છે . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો