[Q - 1]. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો :
(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?
A. ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાની આવી છે. કારણ કે કુરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ-પાન વિનાની વેરાન ધરતી આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે.
(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
A. શેઠ કોઈના માટે ઘસાય એવા ન હોતા એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચે ઉતારી ડેટા. આજે કહળસંગના ગાડામાં શેઠ ક્પાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા પણ કહળસંગને શેઠની વાણીયાવિધા ગમતી નહોતી. આથી કહળસંગ બાચકું લેવાની ના પાડે છે.
(3) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?
A. ગામ આખું અભણ હતું અંગૂઠા છાપ હતું માત્ર હરખચંદ ભણેલા હતા એટલે હરખચંદનો ભાવ પૂછતો હરખચંદ શેઠ ગામના લોકોના કોઈના દસ્તાવેજ લખવાનું ખાતા પાડવાનું સારા-નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપના.
(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?
A. અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડુ સૌ કોઈનું આવવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપની માણસાઈ છે. હરખચંદ શેઠ ! એ પછી સંઘાયે કહળસંગને ઠપકો આપ્યો.
****************
[Q - 2]. નીચેનાં વિરામચિહૂનોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
(3) અવતરણચિહૂન
A. “એ .......ઈ...... કહળસંગ ભાઈ !
(1) અર્ધવિરામ
A. આલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે : સમજ્યા ? વાક્ય જ નથી.
(2) ગુરુવિરામ
A. એમનાથી લબડી જવાયું : “માહળા રજપૂતે કરી છે ને કાઈ ?
**************
[Q - 3]. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) પાઘડીના જેવો વિસ્તાર
A. પાઘડિપ
(2) મૃત્યુ સમયે લખાતો પત્ર
A. કાળોત્રી
(3) મરણ પછી બારમા દિવસે થતો વિધિ
A. કારજ
(4) માટીની ભીંતનું નાનું ઘર
A. ખોરડું
***************
[Q - 4]. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
(1) તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
A. (1) બારમો ચંદ્ર હોવો
(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(3) નાચન જાણે આંગન ટેઢા
(4) ઉતાવળે આંબા ન પાકે
(5) ઘરના ભુવાને ઘરના જાગરીયા
(6) ડુંગરા દુરથી રળિયામણા
(7) મુંડી કરતાં વ્યાજ વહાલું.
*****************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો