17 જુલાઈ, 2021

ટૂંક નોધ લખો :રવિશંકર મહારાજ , પ્રશ્નોનાં ઉતર લખો.

*ટૂંક નોધ લખો:  

*રવિશંકર વ્યાસ*

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં  બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. 

     તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

       નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું . ઉપરાંત  બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

                     *************



પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
.



(1) રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?

જ. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એ બાળપણથી જ પામ્યાં હતા દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું બાળપણથી જ મળ્યું હતું. આ સંસ્કારે તેમના પર અસર કરી હતી.



(2) મૂકસેવક મહારાજે લોકસેવકના કયા-કયા કાર્યો કર્યા ?

જ. મૂક સેવક મહારાજે ગામડે-ગામડે જય ગંદકી દૂર કરી ગરીબાઈ દૂર કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યો. લોકોને બચાવ્યો તેમજ પડતાં મકાનને ટેકો દીધો. વળી ચોરોને સમજાવ્યા સારા રસ્તે વાળ્યા બહારવટિયાઓને સમજાવી દેશના હિત માટે લગાડ્યા. જે જગ્યાએ રોગ ફાટી નીકળ્યા હતા ત્યાં પહોંચી મહારાજે ડોક્ટરોની વ્યવસ્થા કરી લોકોને રોગમાંથી બચાવ્યા દુષ્કાળમાં કૂવાને બોરિંગ કરાવ્યા ને લોકોને પીવાનું અપાવ્યું. અને હુલ્લડમાં લોકોને સમજાવ્યા તોફાન ન કરવા સલાહ આપી તેમજ મરેલાના અગ્નિ સંસ્કાર પણ તેમણે જ કર્યા. આમ મૂક સેવક મહારાજ સાચા અર્થમાં લોક સેવક હતાં.



(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?

જ. રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને ખૂબ મોટો લાભ થયો. સમાજના લોકોમાં ગરીબાઈ દૂર થઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી. વળી ચોર-લુટારા સારા ને સત્યને માર્ગે વળ્યા. લોકોમાં અજ્ઞાન દૂર થયો. તેમજ સારું જીવન જીવવાની પ્રેરણા મળી લોકોને પીવાનું પાણી મળવા લાગ્યું. લોકો ભેદભાવ વગર શાંતિથી જીવન જીવવા લાગ્યા. આમ રવિશંકર મહારાજનાં કામોથી લોકોને ખૂબ સારો ફાયદો થયો.



(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?

જ. ઈ.સ 1941 અને ઈ.સ. 1946 માં અમદાવાદમાં હુલ્લડ થયા કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ કર્યા વગર સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામ્યાં તેમના શબને મહારાજ જાતે જ અગ્નિસંસ્કાર કરતાં આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે.



(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?

જ. સાદાં વસ્ત્રો પહેરવા સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો .

(6) મહારાજ શબ્દના જુદા-જુદા અર્થ લખો ?

જ. 1. મહારાજ એટલે – યજમાનવૃતી કરનાર ગોર મહારાજ.
2. મહારાજ એટલે – મોટા રાજા
3. મહારાજ એટલે – સંત સાધુ
4. મહારાજ એટલે – રસોઇયો



(7) દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ – આ શબ્દો સાથે-સાથે કેમ લખાય છે ?

જ. જે શબ્દ સામાસિક હોય તે ભેગા લખાય માટે દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ આ સામાસિક શબ્દ છે આથી ભેગા લખાય છે.

                      **********

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો