7 માર્ચ, 2021

કંડલા બંદર અને દાદા મેકરણ ટૂંક નોંધ લખો

 કંડલા બંદર વિશે ટૂંક નોંધ લખો 

  કંડલા કચ્છના અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે . 1947 માં ભારતના ભાગલા પડ્યા અને કરાંચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું . તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે . કંડલા ડીસા સાથે મીટરગેજથી અને અમદાવાદ સાથે બ્રોડગેજથી જોડાયેલું છે . વિમાનમાર્ગે તે રાજકોટ - મુંબઈ સાથે જોડાયેલું છે . કંડલા બંદરેથી મુખ્યત્વે રશિયા , યુ.એસ.એ. , કેનેડા , ઑસ્ટ્રેલિયા મધ્ય પૂર્વના ( દેશો , જાપાન , યુ.કે. તેમજ એશિયાઈ અને આફ્રિકન દેશોમાં માલસામાનની આયાત - નિકાસ થાય છે . 


 દાદા મેકરણ વિશે ટૂંક નોંધ લખો . 

 દાદા મેકરણ કચ્છના સંત , કવિ અને મહાત્મા હતા . મેકરણદાદાના બે મૂંગા મિત્રો હતા - એક લાલિયો ગધેડો ને બીજો મોતિયો કૂતરો . દાદાનાં પરોપકારી કાર્યો આ બે પ્રાણીઓને આભારી હતાં . કચ્છ અને કાઠિયાવાડમાં ઠેરઠેર એમનાં ભજનો ને સાખીઓ ભાવપૂર્વક ગવાય છે . સંવત 1786 ના આસો વદ 14 ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સંતપુરુષોની મંડળી સાથે તેમણે જીવતાં સમાધિ લીધી હતી .
               ****************

27 ફેબ્રુ, 2021

સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..


સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..

હકીકત એ છે કે શિયાળને કોઇ શિંગડા નથી હોતા, તેના કપાળના હાડકાને શિંગડું ગણાય છે..


ઇન્ટરનેટ પર આવા સિયાર સિંઘ વેચાય છે, તેને વિધિ કરીને ઘરમાં રખાય તો પૈસાદાર થવાય છે એવો બકવાસ જોવા મળે છે..

સિયાર સિંઘી કરતા વધુ પાવરફુલ સિયાર સિંહ આવે છે તે શિયાળના પેનીસમાંથી બને છેઃ કોઇ નસીબ પલટાવી ના શકે...

ઇન્ટરનેટ પર હિન્દુ ધર્મના નામે કેવું ધૂપ્પેલ ચલાવવમાં આવે છે તે શોધવા મારી ટીમ છેલ્લા બે અઠવાડીયાથી તમામ ધાર્મિક સાઇટો ફંફોસી રહ્યા છે. ગઇ વખતે આપણે જોયું કે ચમત્કારીક હાથાજોડી હકીકતે તો મોનીટર પ્રકારની ગરોળીનું પેનીસ (લિંગ) હોવાનું જણાવાયું હતું. હાથ જોડી રાખવાથી પૈસો અને સમૃદ્ધિ એમ બંને આવે છે એમ દર્શાવી તે નેટ પર વેચાતું હતું. આવી તો ગેરમાર્ગે દોરતી કેટલીય ચીજો વેચાતી હોય છે.

સિયાર સિંઘી નામની ઔષધ હકીકતે તો શિયાળનું શિંગડું હોય છે. એટલેજ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ હેઠળ શિયાળનું રક્ષણ કરાય છે.

શિયાળને શિંગડું નથી હોતું છતાં સાઇટ પર તેને શિયાળના શિંગડા તરીકે વેચવામાં આવે છે. જ્યારે શિયાળ માથુ નીચુંં કરીને કીકીયારી પાડે છે ત્યારે તેના માથાના આગળના ભાગમાં એક હાડકું બહાર આવે છે તેને શિંગડા તરીકે ખપાવવામાં આવે છે. જ્યારે શિયાળને મારી નાખીને માથામાંનો શિંગડા આકારનો ભાગ વાળના ગુચ્છા સાથે કાઢી લેવામાં આવે છેે ત્યારે તેના પર ચોંટેલા વાળ ઉગ્યા કરે છે. જો તેને સિંદુરમાં રાખવામાં આવે તો વાળ પણ વિવિધ કલરના ઉગે છે.

જો તમે આ શિંગડું પાસે રાખો તો દુષ્ટ આત્મા દુર રહે છે. જો તમે આ શિંગડાનો રેગ્યુલર હવન કરેા તો તમને સ્વર્ગમાં બેઠેલા ગુરુઓના આશિર્વાદ મળી રહે છે. જો વધુ પૈસા ખર્ચો તો વધુ લાભ થાય છે. જો તમે વધુ પૈસા ના ખર્ચો તો ઓછો લાભ થાય છે. સિયાર સિંધી નામે ચાલતા બકવાસમાં માત્ર હિન્દુઓ નથી ફસાયા પણ મુસ્લિમો અને બૌદ્ધો પણ ફસાયા છે.

શ્રીલંકાના કેટલાક અજ્ઞાાનીઓ જુગારમાં જીતવા આ શિંગડાને સાથે રાખે છે. નેપાળ અને ભારતમાં થારુ જાતના આદિવાસીઓ એમ માને છે કે આ શિંગડાના કારણે અંધારામાં જોવાની શક્તિ મળેે છે અને સ્ત્રીને આકર્ષી શકાય છે. બંગાળમાં તેને હાથા જોડીની જેમ તિજોરીમાં રખાય છે જેથી સમૃધ્ધિ વધે એવી માન્યતા છે.

જો કે તેની વ્યવસ્થિત પૂજારી મારફતે પૂજા થાય તો જ તે કામ કરતું થાય છે. કેટલીક સાઇટો તો શિંગડું અસરકારક છે એમ બતાવવા બાઇબલને ટાંકીને કહે છે કે બાઇબલમાં લખ્યું છે કે શિયાળ એ રાક્ષસની માતા છે એટલે જો તેનું શિંગડુ રાખવામાં આવે તો રાક્ષસ તેની માતા પાસે નથી આવતો. 

ગોલ્ડન જેકેલની (ગોલ્ડન શિયાળ) ૧૩ જાતિઓ છે. તે હવે સાત પર આવી ગઇ છે. તે નાના કૂતરાં જેવું હોય છે. પેરન્ટ્સ અને બાળકો સાથે નાના જૂથમાં રહે છે. તે નાના સાપ, જીવાણુઓ અને ઉંદરડા ખાય છે. પંચતંત્રની વાતોમાં તેમને બુધ્ધિશાળી પ્રાણી તરીકે ગણ્યા છે.કહે છે કે જેકેલની લવારી (અવાજ કરવો) સાંભળવી એ શુકનીયાળ કહેવાય છે.

જેકેલનું જોડાણ મા કાલી અને મા ચામુંડા સાથે રહેલું છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક આદિવાસીઓ જેકેલને ખાય છે. તમિળનાડુના આદિવાસીઓની કેટલીક જાત ઉંદરડાથી માંડીને ખિસકોલી અને શહેરના બંગલાઓમાંથી ચોરી લાવેલા પાળેલા કૂતરા પણ ખાય છે. 

પરંતુ શિયાળના માથાના હાડકાના ભાગને શિંગડુ ગણીને તેનાથી લક કેવી રીતે આવે તે ખબર નથી પડતી. હવે તોે સાઇટો પર શિંગડા વેચનારાની ટૂંકમાં ધરપકડ થવાની છે પરંતુ તેમણે ગ્રાહકોને એવી રજુઆત કરી હતી કે જો પૂજા કરીને તેને એક્ટીવેટ કરવામાં આવે તો તે સાંધાના દુખાવા, માનસિક રોગો સહિતના અનેક રોગો મટાડી શકે છે.

દરેક ધર્મ માટે અલગ મંત્ર હોય છે. જેમકે 

મમ કર્યા કુરુ નમઃ

ઓમ પદ્દમ શ્રીમ્મ

ઓમ હરિરામ પૂર્વા

પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ

અધિક તરલ પદાર્થ સભી જન્ય

અગ્યા કરી કુરુ નમઃ

ગીદાર સિંગી અમુક મધર

વશ્યાન કુરુ કુરુ સ્વાહા..

આ મંત્રનો સંસ્કૃતમાં કોઇ અર્થ નથી. પરંતુ તે સાઇટ પર હોવાના કારણે ખરીદનારે આ મંત્ર ૨૧થી ૧૦૮વાર બોલવાનો હોય છે. તેમ છતાં જો તે અસરકારક ના લાગે તો સાઇટ પરથી ક્રીસ્ટલ માળા મંગાવીને જાપ કરવા પડે છે. તેમ છતાં તે કામ ના કરે તે સાઇટ પરથી બીજી ક્રિસ્ટલ માળા મંગાવીને ફરી માળા કરવી પડે છે.

મુસ્લિમોને એમ કહેવામાં આવે છે કે આ શિગડામાં અલ્લાહે વિશેષ શક્તિ ભરેલી છે. માટે જો તમે તે એકજ શિગડું ખરીદો તો તે પુરતું નથી. તમારે મેલ અને ફીમેલ એમ બે શિંગડાં ખરીદવા જોઇએ.  

આ શિગડાં પૂનમના પ્રકાશમાં ભેગા કરાય છે. તેમજ તે માટે ચોક્કસ નક્ષત્રનું પણ ધ્યાન રખાય છે. ત્યારબાદ સિયાર સિંઘીને એક હાથમાં લઇને એમ બોલવાનું હોય છે કે હું સિયાર સિંધી ધરાઉ છું, મારુ નામ.... છે અને તારે મારી આજ્ઞાા માનવાની છે. ત્યાર બાદ તેને ચાંદીની પેટીમાં મુકીને સાથે ત્રણ લવિંગ અને બે એલચી મુકવા જણાવાય છે.

આ ચીજથી તમે તમારા દુશ્મનને સખત્ત દુખ પહોંચાડી શકો અને તેનું મૃત્યુ પણ નિપજાવી શકો છો.

આ શિંગડાને વધુ મોંઘું બનાવવા માટે વેબસાઇટ પર એમ લખેલું હોય છે કે અમે જે વેચીએ છીએ એ સામાન્ય શિંગડું નથી પણ શિયાળોનો જે લીડર છે તેનામાં આવું શિગડું ઉગે છે . આ શિગડું રીયલ છે કે કેમ તે જાણવા માટેના ટેસ્ટ પણ થાય છે. જેમકે તેને પારામાં બોળવામાં આવે તો શિંગડું ઓગળવા લાગે છે.

વધુ પાવરફુલ સિયાર સિંઘી પણ હોય છે . તેને સિયાર સિંહ કહે છે . તે શિયાળના પેનીસમાંથી બને છે. દરેક સાઇટ એવો દાવો કરે છે કે અમે જ સાચા સિયાર સિંઘી વેચીએ છીએ. આ સાઇટો કૂતરાના, ભૂંડના શિંગડા ગુંદર ચોંટાડીને વેચે છે.

૨૧મી સદીમાં પણ તમે એમ માનતા હોવ કે કોઇ પ્રાણીનું હાડકું કે વાળને જથ્થો તમારું નસીબ પલટાવી શકે છે તો તમે લીધેલું શિક્ષણ ખાડે ગયું છે એમ સમજજો.



સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
Maneka-Gandhi
Samvedna
    

 

BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?


BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?

- મોંઘીદાટ ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે


આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે

ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે..

ટોબેકો ઉદ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી

તમે જ્યારે કોઇ જર્મન ગાડી ખરીદો ત્યારે યાદ રાખો કે તમે માનવ અને વાનર બંનેને અપંગ બનાવવા કે મારી નાખવા માટે મૂક સંમતિ આપી રહ્યા છો. ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે. વોક્સવેગન, બીએમડબલ્યુ અને ડેમલર જેવી ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે. ૨૦૧૨માં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે ડિઝલમાં કાર્સીનોજીનીક નામનું તત્વ (કેન્સર કરી શકે એવું તત્વ) રહેલું છે. 

આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે. પ્રાણીઓ પરના પ્રયોગો મેક્સિકો ખાતેની લવલેન્સ રેસ્પાઇરેટરી રીસર્ચ ઇન્સટીટયુટ ખાતે અને માનવ પરના પ્રયોગો જર્મનની આચેન યુનિવર્સિટી ખાતે થાય છે. ડિઝલના ધૂમાડામાંથી નીકળતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ શ્વાસમાં જાય તો તે કેટલો નુકશાન કારક બને છે તેના પર સંશોધન ચાલે છે. ટ્રકના ડ્રાઇવરો, મિકેનીકસ અને વેલ્ડરો પર ધૂમાડાનો નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાનર પર અસર શું થાય છે તે પર સંશોધન થાય છે.

કારમાંથી નીકળતા ધૂમાડાથી થતી અસરો ચકાસવા વાનરોને કેર ટાઇટ પીંજરામાં પુરવામાં આવે છે અને પછી તેમાં કારનો ઘૂમાડો જ્યાં સુધી વાનર મરી ના જાય ત્યાં સુધી છોડવામાં આવે છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલો વાંચીને જર્મનના પર્યાવરણ પ્રધાન બાર્બરા હેન્ડ્રીક્સએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આ વાંચીને મને ખુબ આઘાત લાગ્યો છે.

વોક્સ વેગને એમ કહ્યું હતું કે અમે આ બાબતે ઇન્કવાયરી કરાવીશું.

બીએમ ડબલ્યુ અને મર્સીડીઝના બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે આ અહેવાલો આઘાતજનક છે આવા પ્રયોગો વિશે અમે જાણતા નથી. જો આમ થતું હોય તો તે ના માની શકાય એવું અને અનાવશ્યક છે. આવા પ્રયોગો માટેની સાયન્ટીફીક મેથડ ઘાતકી ના હોવી જોઇએ.

જર્મનીની ગ્રીન પાર્ટીએ પ્રોમીસ કર્યું છે કે તે આ મુદ્દે ચાન્સેલર એન્જીલા માર્કેલ સાથે ચર્ચશે. જ્યારે પ્રાણી પરના પ્રયોગો અંગે પ્રજામાં વિરોધ થયો એટલે કાર કંપનીઓેે ઘૂમાડા ચેક કરતું એક સોફ્ટવેર મુકીને વિવાદ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.

ડચ પીપલ (નેધરલેન્ડ) એકલાજ એવા છે કે જે આ કૌભાંડનો ભોગ નથી બન્યા. ડિઝલના ધૂમાડાની અસર જાણવા ડચના સંશોધનકારો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે. ડચ ઇન્સટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ મારફતે ધૂમાડાને ડાયલ્યૂટ કેવી રીતે કરવા તેનું સંશોધન ચાલે છે. જેમના પર પ્રયોગો કરાયા છે તેમાં બિમાર તેમજ હાર્ટના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ડચના દૈનિક અખબાર એનઆરસીને સંશોધક નિકોલ જેનેસીને કહ્યું હતું કે ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન એર પોલ્યુશન બાબતે મોટા પાયે પ્રયોગો થયા હતા.

ટોક્સીકોલોજીના પ્રોફેસર પાઉલ બોર્મ કહ્યું છે કે મેં પોતે ઉંદર તેમજ માણસો પર પ્રયોગો કર્યા છે. સુગર ઉધ્યોગ સાથે જોડાયેલા સુગર રીસર્ચ ફાઉન્ડેશન ૧૯૬૦ના દાયકામાં શરુ કરાયું હતું. જેમાં સુગર અને હાર્ટના આરોગ્ય પરની અસર ચકાસાઇ હતી.

 હજારો પ્રાણીઓને માત્ર ખાંડ પર જ રાખવામાં આવતા હતા અને પછી તેના હાર્ટ પર કેવી અસર થાય છે તે જોવાતું હતું. પરંતુ જ્યારે સંશોધકોએ નોંધ્યું કે સુગર માત્ર હાર્ટના રોગો નહીં પણ બ્લેડર કેન્સર પણ નોંતરે છે ત્યારે આ પ્રયોગો પડતા મુકાયા હતા તેમજ તેની વિગતો બહાર પણ નહોતી પડાઇ. આમ જે પ્રાણીઓ પર પ્રયોગો કરાયા તે બધા વગર લેવે દેવે મોતને ભેટયા હતા. ત્યારબાદ સુગર ઉધ્યોગોએ એવો સાયન્ટીસ્ટ રોક્યો કે તેણે કહ્યું કે આર્ટીફીશ્યલ સ્વીટનર વધુ ખતરનાક હોય છે અને તે કેન્સર કરે એવા તત્વો ધરાવે છે માટે તેના પર પ્રતિબંધ મુકવો જોઇએ.

ટોબેકો ઉધ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી. પ્રયોગો ધ્વારા ઉદ્યોગો પોતાની પસંદગીના રીપોર્ટ મેળવી લેતા હોય છે.કોસ્મેટીક ઉદ્યોગ મોટા પાયે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. લોરેલ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલર, ક્લોરેક્સ,જ્હોન્સન એન્ડ જ્હોન્સન, કોલગેટ પામોલીવ,યુનિલીવર વગેરે આવા પ્રયોગો કરે છે. પ્રયોગો કરીને કંપનીઓ પોતાની કેટલીક ઉણપો છૂપાવી દેતી હોય છે. લોરેલ જે બોડી શોપ વાપરે છે તે માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે.   

 પ્રાણીઓ પરના ટેસ્ટીંગની વાત આવે છે એટલે એથિક્સનો મોટો ભંગ કરાય છે. ત્યારે પોલીસી બદલવા માટે કોઇ વિચારતું નથી. નામાંકિત બ્રાન્ડ જેવી કે બર્ટ્સ બી (ક્લોરોક્સની માલિકી)મેઇનની ટોમ્સ(કોલગેટ-પામોલીવની માલિકી) પ્રાણીઓ પર ઘાતકી પ્રયોગો નથી કરતી પણ કેટલીક ફેસ અને હેર બ્રાન્ડ પ્રાણીઓ પર પ્રયોગો કરે છે. જેવીકે એલમે,આર્ટીસ્ટરી(એમવે), એવોન બેબી બ્રાઉન, બર્બેરી, કેલ્વીન ક્વેન, ચેનલ, ક્લીનીક, કવર ગર્લ, ડીઓર,એસ્ટી લાઉડર, ફ્લર્ટ, ગીવેન્ચી,ગર્લીયન, હેલીના, સેન્ટ લોરેન્ટ, રબીન્સટીન, લોરેલ, લેન્કમ, એમએસી, મેરી કે, મેક્સ ફેક્ટર, મેબીલીન, રીમેલ, રેવલોન, શીસીડો, ટોમ ફ્રોડ, લા મેર, મેડ્રીમા, ન્યુટ્રોજીના, નિવીયા, નોક્સઝીમા, કેરેટેઝ, નેચરલ ઇન્સટીંક્ટ્સ, નેક્સસ, નાઇક એન ઇઝી, ઓરીફ્લેમ, પોન્ડ્સ, વેસેલીન, વેલગ્રીન્સ, પેન્ટીન, સનસિલ્ક, ડાયલ, ડેલ, આઇવરી વગેરે વગેરે..

કોઇ એમ વિચારે કે રેઝર અને હેર રીમુવર બનાવતી કંપનીઓએ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરવા જોઇએ ? છતાં કંપનીઓ પ્રાણીઓના અંગો કાપે છે-તેના ટુકડા પણ કરે છે. કેમકે તે એ ચેક કરે છે કે તેમનું રેઝર કેટલી અણીવાળું છે. બીઆઇસી કોર્પોરેશન,બ્રાઉન, જીલેટ કંપની,નાયર, વીટ જેવી કંપનીઓ આવા પ્રયોગો કરતી આવી છે.

એવીજ રીતે બેન્ડ એઇડ, પેમ્પર્સ, સેવલોન,વેસેલીન, વિક્સ વગેરે પણ આવા પ્રયોગો કરે છે.

સેનેટરી નેપકીન બનાવતી કંપનીઓ પણ આવા પ્રયોગો કરતી હોય છે. ક્યું કાપડ વધુ બ્લડ શોષે છે તે ચેક કરાય છે. તેના ટેસ્ટીંગ માટે પ્રાણીને કાપવામાં આવે છે અને તેની નીચે કાપડને મુકવામાં આવે છે. ઓલવેઝ,કેર ફ્રી,ફેમ ફ્રેશ, સ્ટે ફ્રી જેવી બા્રન્ડ માટે આવા પ્રયોગો થતા હોય છે.

અહીંતો માત્ર કેટલાક ઉદાહરણો અપાયા છે. પ્રાણીઓ પર પ્રયોગોની કોઇ જરુર નથી હોતી છતાં અબોલ જીવોનો ભોગ લેવાય છે. કારણકે આવા કોઇ ટેસ્ટ ભરોસાપાત્ર નથી હોતા. હકીકત તો એ છે કે પ્રાણીઓ પરના પ્રયોગો પૈકીના ૯૦ ટકા ટેસ્ટ રદ્દ કરવામાં આવે છે.

જો આવું જ હોય તો કંપનીઓ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે? આ વિશે હું ફરી કોઇ વાર લખીશ, પરંતુ આ તબક્કે એટલું ચોક્ક્સ કહીશ કે પ્રાણીઓ પર પ્રયોગો કરતી પ્રોડક્ટને આપણે શા માટે ખરીદવી જોઇએ? અહીં આપેલી બ્રેન્ડને ખરીદવી બંધ કરો અને તમેજે વિદેશની લકઝરી કાર ખરીદવા માંગો છો તે પણ ના ખરીદો.ખરીદનારા યાદ રાખે છે તે જોવાતું હતું.

સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
ManekaGandhi
Samvedna
   

अपनी पहचान कैसे बनाएं

1. अपनी पहचान कैसे बनाएं
( Hindi motivational story for identity development )
एक प्रसिद्ध लेखक पत्रकार और राजनयिक पुष्पेंद्र कुलश्रेष्ठ जो बेहद ही हंसमुख स्वभाव और आकर्षक व्यक्तित्व के धनी है। उनकी पत्रकारिता देश ही नहीं अपितु विदेश में भी प्रसिद्ध है। उन्होंने वैसे जगह पर भी पत्रकारिता की है जहां अन्य पत्रकारों के लिए संभव नहीं है।उनकी हसमुख प्रवृत्ति और हाजिर जवाब का कोई सानी नहीं है। एक समय की बात है पुष्पेंद्र एक सभा को संबोधित कर रहे थे , सभा में जनसैलाब उमड़ा था , लोग उन्हें सुनने के लिए दूर-दूर से आए हुए थे।

जब वह अपना भाषण समाप्त कर बाहर निकले , तब उनकी ओर एक भीड़ ऑटोग्राफ के लिए बढ़ी। पुष्पेंद्र उनसे बातें करते हुए ऑटोग्राफ दे रहे थे। तभी एक नौजवान उस भीड़ से पुष्पेंद्र के सामने आया उस नौजवान ने उनसे कहा -” मैं आपका बहुत बड़ा श्रोता और प्रशंसक हूं , मैं साहित्य प्रेमी हूं , जिसके कारण मुझे आपकी लेखनी बेहद रुचिकर लगती है। इस कारण आप मेरे सबसे प्रिय लेखक भी हैं। मैंने आपकी सभी पुस्तकें पढ़ी है और आपके व्यक्तित्व को अपने जीवन में उतारना चाहता हूं। किंतु मैं ऐसा क्या करूं जिससे मैं एक अलग पहचान बना सकूं। आपकी तरह ख्याति पा सकूं।”

ऐसा कहते हुए उस नौजवान ने अपनी पुस्तिका ऑटोग्राफ के लिए पुष्पेंद्र की ओर बढ़ाई।
पुष्पेंद्र ने उस समय कुछ नहीं कहा और उसकी पुस्तिका में कुछ शब्द लिखें और ऑटोग्राफ देकर उस नौजवान को पुस्तिका वापस कर दी।

इस पुस्तिका में यह लिखा हुआ था –

” आप अपना समय स्वयं को पहचान दिलाने के लिए लगाएं ,

किसी दूसरे के ऑटोग्राफ से आपकी पहचान नहीं बनेगी।

जो समय आप दूसरे लोगों को लिए देते हैं

वह समय आप स्वयं के लिए दें। “

नौजवान इस जवाब को पढ़कर बेहद प्रसन्न हुआ और उसने पुष्पेंद्र को धन्यवाद कहा कि –

“मैं आपका यह वचन जीवन भर याद रखूंगा और अपनी एक अलग पहचान बना कर दिखाऊंगा। “

पुष्पेंद्र ने उस नौजवान को धन्यवाद दिया और सफलता के लिए ढेर सारी शुभकामनाएं भी दी।


નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..


નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..

એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે: 18 આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે


ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી

સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે 

મને આખલા નામના પ્રાણીની ખૂબ દયા આવે છે. તેને ખૂંટ પણ કહે છે. અલવરના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રાણીઓની ખરીદી પર લોનમેળો રાખ્યો હતો ત્યારે ત્યાં મેં આખલો જોયો હતો. ત્યાં ઉભા કરાયેલા દરેક સ્ટોલવાળા તેને હડે હડે કરીને કાઢી મુકતા હતા. કોઇ તેને મારતું હતું તો કાઇ લાકડી મારીને તેને કાઢતું હતું. ત્યાં ઉભેલા સિક્યોરીટી વાળા પણ તેને મારતા હતા. સામે છેડે આખલો માત્ર માથું ધૂણાવીને આગળ જતો રહેતો હતો. અંતે તે શરીર પર ઉઝરડા સાથે સ્થળ છોડીને જતો રહે છે. 

શાક માર્કેટમાં ફેંકી દીધેલા શાકભાજી ખાવા આખલો જાય ત્યારે ઘણીવાર તે એસિડનો ભોગ બને છે. તે સ્થળ પરથી આસાનીથી હટાવી શકાતો ના હોઇ તેના પર એસિડ નાખવામાં આવે છે. એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે. ગોરખપુર શહેરનું નામ ભલે ગૌરક્ષા પરથી પડયું હોય પણ ત્યાંના મ્યુનિસિપલ સત્તાવાળાઓ વારંવાર આખલાઓને પકડે છે અને તેમને એક તળાવમાં ધકેલી દે છે અને તેમને ખોરાક પણ નથી આપતા.

અશક્તિના કારણે તે પાણીમાં પડી રહે છે અને એકાદ અઠવાડીયામાં મોતને ભેટે છે. કોઇ ગૌશાળા આખલાને રાખતી નથી. એટલે તે શહેરમાં ભટક્યા કરે છે અને લોકોનો માર ખાયા કરે છે. ઘણા આખલાને રાત્રે પકડવામાં આવે છેે અને ગેરકાયદે ચાલતા કતલખાનમાં વેચી મરાય છે. કેટલાક છેતરપીંડી કરનારાઓ આખલાને પકડી લાવે છેે અને તેના પર ત્રિશુળ આકારનો ડામ કરીને તેને સાથે રાખીને ભીખ માંગે છે. 

કેટલાક આખલા જાણે લડીને મરવાજ પેદા થયા હોય એમ લાગે છે. જ્લીકુટ્ટીની જીવલેણ સ્પર્ધા માટે તૈયાર કરવા તેમને ભૂખ્યા રખાય છે. તેમની આંખોે ફોડી નાખવામાં આવે છેે, દારુ પીવડાવીને ગાંડા બનાવાય છે ત્યારબાદ તે પોતાના શીંગડાજ ઉખડી જાય એવી લડાઇ કરીને મોતને ભેેટે છે. પ્રાચીન તમિલો એમ માનતા હતા કે આખલો માણસ કરતાં વધુ શક્તિશાળી છે એટલે કેરળથી વહાણમાં મંગાવતા હતાને બીજા દિવસે મારી નાખતા હતા. 

નંદીથી સૌ પરિચિત છે. નંદી એટલે આનંદ-ઉત્સાહ. આપણી નજર સામે હાલમાં ભલે આખલો લોકોના મારનો શિકાર બનતો હોય કે ભૂખે મરતો હોય કે મોતને ભેટતો હોય પરંતુ આપણા પ્રચીન મંદિરો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે ત્રણ પ્રાણીઓ વાનર, હાથી અને આખલો મંદિરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેમની જીંદગી ત્રાસજનક બનેલી હોય છે. આ ત્રણેય પ્રાણીઓને કોઇ ખવડાવતું નથી લોકો ગાયને ખવડાવે છે એમ તેમને નથી ખવડાવતા. તેમની સંખ્યા પણ ઘટી રહી છે એટલે આપણા બાળકો તો કદાચ તેમને જોઇ પણ નહીં શકે. 

નંદીએ પર્વત પણ છે અને શિવ પાર્વતીના રક્ષક પણ છે. પતંજલિ અને થિરુમુલર સહિતના ૧૮ આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે. મહાદેવના મંદિરમાં જાવ તો પ્રથમ તમને નંદી જોવા મળશે. ક્યાંક તો માત્ર નંદીનાજ મંદિરો જોવા મળે છે. સંસ્કૃૃતમાં તેને વૃષભ કહે છે. એટલેકે ધર્મ. ભગવાન શિવના જેે ગણ કે ટીમ કહેવાય છે તેના ચીફ એટલે નંદી. તમારે મહાદેવના દર્શન કરવા હોય તો પહેલાં નંદીને પગે લાગવું પડે છે. નંદી એ માન, સન્માન, વિશ્વાસ, પ્યોરીટીનું પ્રતિક છે.

ભગવાન શિવે જ્યારે તાંડવ કર્યું ત્યારે મ્યુઝીક આપનાર નંદી હતા બૃહદ ધર્મ પુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવના લશ્કરના કમાંડર નંદી હતા. આધ્યાત્મિક રીતે જોવા જઇએ તો નંદીએ આત્માનું પ્રતિક છે. સૌરા પુરાણામાં એમ લખ્યું છે કે હજારો સૂર્યના પ્રકાશથી ઝળહળતા ઘરેણા અને ત્રણ આંખો તેમજ હાથમાં ત્રિશુળ વાળા તરીકે નંદીને જણાવાયા છે.

સૌથી કોમન નંદી એટલે નીચે પગ વાળીને બસે અને ગળામાં ઘંટડી લટકાવેલો હાર હોય. કેટલીક જગ્યાએ નંદીની ઓળખ અડઘું શરીર માનવનું અને અડઘું આખલા તરીકેનું છે. તેના ચાર હાથ બતાવાયા છે. એેક હાથમાં ફરસી છે તો બીજા હાથમાં હરણ જોવા મળે છે જ્યારે બીજા બે હાથ સ્તુતી કરવા માટે જોડાયેલા જોવા મળે છે. વાયુ પુરાણમાં એમ લખ્યું છે કે નંદીએ કશ્યપ અને સુરભીનો પુત્ર હતા. કેટલાક પુરાણોમાં એમ લખ્યું છે કે મહાન ઋષિ શિલ્દાએ 

તપશ્ચર્યા કરીને અમર પુત્રની માંગણી કરી હતી. ત્યારે યજ્ઞાની જ્વાળામાંથી જે પુત્ર બહાર આવ્યો તેને નંદી નામ આપાયું હતું. સાત વર્ષની ઉંમરે તેને બધા વેદો અને શ્લોકો મોઢે આવડતા હતા. શિલ્દાએ તેના પુત્રને કહ્યું કે તે એેકાદ વર્ષમાં મૃત્યુ પામશે. નિરાશ પુત્ર નંદીએ ભગવાન શિવનું શરણ લીધું હતું. ભગવાન તેની ભક્તિથી ખુશ થયા હતા અને તેને ઘંટડી વાળો નેકલેસ ભેટ આપ્યો હતો. તેને અડધું માનવ શરીર પણ આ પ્યું હતું, ત્યારબાદ તે શિવ દરબારમાં ગયા હતા.

બીજી એક સ્ટોરી એવી છે કે સમુદ્ર મંથન વખતે સાપોના રાજા વાસુકીનો ઉપયોગ દોરડા તરીકે થયો હતો. મંથન દરમ્યાન જ્યારે અંદરથી હળાહળ ઝેર નિકળ્યું ત્યારે તે ગળવા દેવો કે દાનવો તૈયાર નહોતા. ત્યારે તે ઝેર પીવા ભગવાન શિવ તૈયાર થયા હતા. તેમણે ઝેર પીધું ત્યારે જે ટીપાં નીચે પડયા તે નંદીએ ગળી લીધા હતા. 

નંદીને ઝેરની અસર નહોતી થઇ. ભગવાન શિવે કહ્યું હતું કે નંદી મારા શરીરમાં રહેલો છે માટે તેને અસર નહીં થાય. ત્યારે દેવો અને અસુરોને નંદીની તાકાત જોઇને આશ્ચર્ય થયું હતું. કહે છે કે ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને યુધ્ધમાં વપરાતા શસ્ત્રોની તાલિમ આપી હતી. કેટલાક લોકો નંદીના કાનમાં પોતાની પ્રાર્થના સંભળાવે છે.

એક સ્ટોરી એવી પણ છે કે ભગવાન શિવે તપ કરવાનું નક્કી કર્યું એટલે નંદી પણ તપ કરે તે સ્વભાવિક છે. તે દરમ્યાન એવું થયું કે જલંધર નામના રાક્ષશે પાર્વતીજીને બાનમાં લીધા હતા. ત્યારે પુત્ર ગણેશ તેના પિતાના તપમાં ભંગ પાડવા નહોતા માંગતા એટલે તેણે નંદીના કાનમાં કહ્યું કે આવી ઘટના બની છે. જે ભગવાન શિવ સાંભળી ગયા હતા. ત્યારથી લોકો માનવા લાગ્યા છે કે નંદીના કાનમાં જે કહીએ તેને ભગવાન શિવ પણ સાંભળે છે. 

એકવાર રાવણ નંદીની ઠેકડી ઉડાડતો હતો ત્યારે નંદીએ શ્રાપ આપ્યો હતો કે એક વાર કોઇ વાનર તારી લંકાને બાળશે. જ્યારે હનુમાન સીતાજીને શોધવા લંકા ગયા ત્યારે તેમણે લંકાને આગ લગાડી હતી. સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે. ભારતભરમાં મેલ (પુરુષ) વાછરડાને તે પુખ્ત વયનો થાય તે પહેલાંજ મારી નાખવામાં આવે છે. જે પુખ્ત થઇ જાય છે તેની જીંદગી દોઝખ ભરી બની જાય છે.   

કેટલાક આખલાના ટેસ્ટીકલ (અંડકોષો)ને પથ્થરો વડે છૂંદી નાખવામાં આવે છે અને પછી ગાડા ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપયોગી એટલા માટે નથી કે વેટરનરી ડોક્ટરો ગાયમાં કૃત્રિમ વિર્યથી ગર્ભાધાન કરાવે છે. ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો. જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી.

સંવેદના - મેનકા ગાંધી
સૌજન્ય સહ: ગુજરાત સમાચાર

મારો દેશ

દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે

જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે
ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે
મારા દેશની આ જ વિશેષતા છે, ભારત દેશ મહાન છે

વિંદ્ય હિમાલય અરાવલી,મલય, નીલગીરિ દેશના રક્ષક છે
ગંગા, યમુના, સિંધુ, નર્મદા નદીઓએ દેશને બનાવ્યુ સ્વર્ગ છે
ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે, મારો દેશ મહાન છે

બાર જ્યોર્તિલિંગનો આ દેશ, શંકર ચારેય ધામ છે
શિવ,ગણેશ, કનૈયાની ધરતી અને ઘર-ઘરમાં શ્રીરામ છે
તીર્થઘામોની આ એક પાવન ધરતી છે હા, મારો દેશ મહાન છે

દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યા ઉજવાય છે
ઈદ, ક્રિસમસ કે હોય પતેતી ઉત્સવ અહીં કાયમ છે
તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે, ભારત દેશ મહાન છે

દુનિયામા સૌથી આગળ રહે ભારત, આ જ સૌનુ સ્વપ્ન છે
માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે
દેશપ્રેમી-શહીદોની આ ઘરતીને મારા સલામ છે, ભારત દેશ મહાન છે

आध्यात्मिक परिपक्वता क्या है?

आध्यात्मिक परिपक्वता क्या है?

1.जब आप दूसरों को बदलने के प्रयास छोड़ के स्वयं को बदलना प्रारम्भ करें। तब आप आध्यात्मिक कहलाते हो।

2. जब आप दुसरे जैसे है, वैसा उन्हें स्वीकारते हो तो आप आध्यात्मिक हो।

3.जब आप समझते है कि हर किसी का दृष्टिकोण उनके लिए सही है, तो आप आध्यात्मिक हो।

4. जब आप घटनाओं और हो रहे वक्त का स्वीकार करते हो, तो आप आध्यात्मिक हो।

5. जब आप आपके सारे संबंधों से अपेक्षाओं को समाप्त करके सिर्फ सेवा के भाव से संबंधों का ध्यान रखते हो, तो आप आध्यात्मिक हो।

6. जब आप यह जानकर के सारे कर्म करते हो की आप जो भी कर रहे हो वो दुसरो के लिए न होकर के स्वयं के लिए कर रहे हो,  तो आप आध्यात्मिक हो।

7. जब आप दुनिया को स्वयं के महत्त्व के बारे में जानकारी देने की चेश्टा नहीं करते , तो आप आध्यात्मिक हो।

8. अगर आपको स्वयं पर भरोसा रखने के लिए और आत्मविश्वास को बढ़ाने के लिए दुनियां के लोगों के वचनों की या तारीफों की ज़रूरत न हो तो आप आध्यात्मिक हो।

9. अगर आपने भेदभाव करना बंद कर दिया है, तो आप आध्यात्मिक हो।

10. अगर आपकी प्रसन्नता के लिए आप सिर्फ स्वयं पर निर्भर है, दुनिया पर नहीं,तो आप आध्यात्मिक हो।

11. जब आप आपकी निजी ज़रूरतों और इच्छाओं के बीच अंतर समझ के अपने सारे इच्छाओं का त्याग कर पातें है , तो आप आध्यात्मिक हो।

12. अगर आपकी खुशियां या आनंद भौतिक, पारिवारिक और सामाजिकता पर निर्भर नहीं होता, तो आप आध्यात्मिक हो।

आप सब को भी आने वाले समय मे यह लेख समझ आये तो पहले अध्यात्म फिर आध्यात्मिक परिपक्वता प्राप्ति का मार्ग भी समझ आये।

🐒🌹🌹🌹

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.

નાભિ પર તેલ લગાવવાથી થાય છે જોરદાર ફાયદા


નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.


 

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું….મિત્રો એવું શક્ય નથી..

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે…ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે…

નાભિ ની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.


 
નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

ઘૂંટણના દર્દમાં*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*
રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*
લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.
નાભિમા તેલ નાખવાનુ કારણ

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..

યોગ આચાયૅ હરીશભાઈ વૈદ વડોદરા

ફક્ત વાંચો નહીં તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો.


ગીતામૃત એટલે જીવનામૃત

ગીતા વિનાનું ઘર અધૂરું ઉત્ક્રાંતિની લાંબી મજલને અંતે માણસને ચીકુ જેવડું વિકસિત મગજ મળ્યું છે . એની નારિયેળ જેવડી ખોપરીમાં ગોઠવાયેલું સુપર કોમ્યુટર રાતદિવસ કામ કરતું રહે છે . મૂર્ખ માણસ પણ સુપર કૉપ્યુટરનો માલિક હોય છે . ભૂખડીબારસ આદમીના લેંઘાના ફાટેલા ગજવામાં કોહિનૂર હોય એવો ઘાટ ! મગજ ચાલે પણ માણસની બુદ્ધિ પર વિવેકનો પહેરો ન હોય તો દુર્યોધન પેદા થાય . શકુનિનું મગજ જોરદાર હતું , પરંતુ એની પાસે સત્ત્વગુણની દૈવી સંપત્તિ ન હતી . ‘ શકુનિ ' શબ્દનો અર્થ “ ગીધ ” પણ થાય છે . ગીતા કહે છે કે માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શક્તો નથી . જો કૃષ્ણની આ વાત સાચી હોય તો માણસે કર્મ છોડ્યા વગર કર્મનાં વળગણ છોડવાં જોઈએ . વળગણ દુઃખી કરે છે . ગાંધીજી સાચું કહે છે કે ગીતાનો ઉદ્દેશ મોહનિરસન છે . ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ બનેલા માણસોનો પ્રતિનિધિ છે . ઘણા હિંદુઓ હિંદુ હોવા બદલ ગર્વ અનુભવે છે . ઘરમાં ગીતા ગેરહાજર હોય અને ગીતાનો એક પણ શ્લોક વાંચ્યો ન હોય ત્યારે એમનું મિથ્યાભિમાન વધારે ચગે છે . જે ધર્મોને પણ વધારે સારી રીતે સમજવા પામે . ગીતા વિનાનું ઘર અધૂરું ગણાય . ગીતામૃત એટલે જીવનામૃત .

હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છે..


હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છે..
સંવેદના - મેનકા ગાંધી
હાથાજોડીને લકી ગણવામાં આવે છે, તે ઔષધ તરીકે વેચીને મોનીટર લિઝાર્ડનો સફાયો કરાય છે...


હાથાજોડી એ પેનીસનું હાડકું છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છેઃ ઓન લાઇન વેચનારા સામે તવાઇ

શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે

હું જ્યાં બેવર્ષ ભણી તે સિંધિયા સ્કુલને અડીને એક ગાઢ જંગલ હતું. મારી આખી સ્કુલ લાઇફમાં મારા સૌથી ઓછા માર્ક આ સિંધિયા સ્કુલમાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે મને કોઇએ એમ કહ્યું હતું કે હોમ વર્ક કરવાના બદલે તું જંગલમાં આવેલા એક નાના મંદિર ફરતે ૧૦૧ પ્રદક્ષિણા કરીશ તો પણ સારું પરિણામ આવશે.

મેં આવી પ્રદક્ષિણા કરી હતી તે માટે હું રોજ સાંજે બે કલાક માટે મંદિર જતી હતી. સામાન્ય રીતે મારા ૮૦ ટકા આવતા હતા પરંતુ સિંધિયા સ્કુલમાં મારા ૫૦ ટકા આવ્યા હતા. મારા પેરન્ટસને જ્યારે પ્રદક્ષિણા વાળી વાતની ખબર પડી ત્યારે મારા ગાંડપણ માટે મને ખખડાવી હતી.

માનવજાતની પ્રાણીઓ પ્રત્યેની વિકૃતિ રોજ નજરે પડે છે. અનેક નવા પ્રકારની વિકૃતિ માનવજાત આચરતી હોય છે. જેમકે મારે ત્યાં પીપલ્સ ફોર એનિમલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી એક છોકરીએ મારું ધ્યાન દોર્યું હતું કે મધ્ય પ્રદેશના જંગલોમાં મળતી હાથાજોડી નામની અપ્રાપ્ય ઔષધ ફ્લીપકાર્ટ અને ઓએલએક્સ પર છૂટથી મળે છે. વિવિધ બ્લોગ અને સાઇટ પર તે ધાર્મિક વિધિ તેમજ તાંત્રિક પૂજા માટે વપરાતું હોવાનો ઉલ્લેખ છે.

જ્યારે મારી ઇન્ટર્ને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે હાથાજોડી એ કોઇ મૂળીયું કે ઓષધ નથી પણ મોનીટર લિઝાર્ડ (લાંબી ગરોળી) નું પેનિસ (લિંગ) હોય છે. અમે ફ્લીપકાર્ટનો સમ્પર્ક કર્યો હતો અને હકીકતની જાણ કરી હતી. તેણે માફી માંગીને તેના સાઇટ પરથી હાથાજોડીનું વેચાણ બંધ કર્યું હતું અને તે ખરીદનાર તેમજ વેચનારાઓને ચેતવણી આપી હતી. 

શક્ય છે કે ફ્લિપકાર્ટે ને પ્રોડ્ક્ટનો ખ્યાલ નહીં હોય. પરંતુ તંત્રવેદા, સ્પીકીંગ ટ્રી, એસ્ટ્રોવિધિ, કામીયા સિંદુર જેવી અનેક વેબસાઇટો ચમત્કારની આશા રાખતા મુરધાઓને સપડાવે છે અને તેમને હાથાજોડી જેવી ચીજો વેચે છે. આવી સાઇટો હાથાજોડીનો ફોટો બતાવે છે અને તેની નીચે તે રાખવાથી થતા ચમત્કાર બતાવ્યા હોય છે.

તે ખરીદવા માટે ફોન નંબર અપાય છે, કોઇ સરનામું નથી અપાતું જેથી તેમને કોઇ શોધી ના શકે. આ લોકો અન્ય વાઇલ્ડ લાઇફની વસ્તુઓ વેચતા હોય છે. આ લોકો એમ કહે છે કે તમે જે કહેશો તે અમે જંગલમાંથી લાવી આપીશું. પોતાની સાઇટ પર તે લખતા હોય છે કે અમે હાથાજોડી નથી વેચતા.

અહીં એક વાત સ્પષ્ટ છે કે હાથાજોડી એ ઔષધ નથી. કોઇ પણ સાઇટ તમને આ અંગે સ્પષ્ટ વાત નહીં કહે. તે આદિવાસીઓ પાસેથી વેચાતી લેવાય છે. કેટલીક સાઇટ એમ કહે છે કે હાથાજોડી એ એક પ્રકારના ફૂલ છે તો કોઇ તેને મૂળીયા કહે છે. એક સાઇટે એમ લખ્યું છે કે હાથા જોડી એ ચોક્ક્સ પ્રકારના ઝાડ પર ઉગતી ગાંઠ છે. એક સાઇટે એવું લખ્યું છે કે મેરીટાનીયા એન્યુઆ પ્રકારના ફૂલના બીયા પ્રાણીઓના પગ પર ચોંટી જાય છે. બંગાળીમાં તેને બેગાહંકી કહે છે. અંગ્રેજીમાં તેને ડેવીલ્સ ક્લો (જડબું) કહે છે. હિન્દીમાં તે ઉલટા કાંટા તરીકે ઓળખાય છે. 

સાચી વાત એ છે કે હાથાજોડી એ પેનીસનું હાડકું છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છે. આ વેચનારા પણ આ લુપ્ત થતી જાતિ વિશે જાણે છે પણ તેની લાંબી વિગતો આપીને નાના અક્ષરે છેલ્લે એમ લખે છે કે અમે આ વેચતા નથી. સાથે સાથે તે ફોન નંબર પણ આપે છે. આમ તે ધંધો કરે છે.

હવે એ જોઇએ કે મોનીટર ગરોળીનું પેનીસ(લિંગ)નો ઉપયોગ કેવો થાય છે? તેના ટુકડાનો એક ભાગ રેાજ ખાવામાં આવે કે તેને ઘરમાં રાખવામાં આવે તો તમે તમારા દુશ્મનને હરાવી શકેા છો, કોર્ટના કેસો જીતી શકે છો, ભૂતોનો સામનો કરી શકો છો, પૈસાદાર બની શકો છો તેમજ આકર્ષક બની શકો છો.

અહીં કહેવાની પણ જરુર છે કે કૌભાંડીઓ એમ કહે છે કે આ ચીજને વધુ અસરકારક બનાવવા તાંંત્રિક પૂજા કરાવવી પડશે, તે માટેનો પૂંજારી પણ તે રાખી આપે છે અને હવન માટે બીજી ઔષધિઓ પણ મંગાવે છે.

કેટલાક આ લિંગને તેલમાં રાખે છે કેમકે તે સુકાઇ ના જાય અને તાજું લાગે. તેને લાલ કપડામાં વીંટાળીને સિંદુરમાં ડૂબાડાય છે. કેટલાક કહે છે તેને તુલસીના પાંદડામાં રાખવા જોઇએ. તો કેટલાક એમ કહે છે કે તેને ચાંદીની પેટીમાં રાખવું જોઇએ. કેટલીક સાઇટ લખેે છે કે તમારે તે ખાઇ જવાનું અને પછી બીજું મંગાવવાનું. એક સાઇટ પર લખ્યું છે કે તમારે એક રુમમાં બેસીને હાથમાં તે હાડકું રાખીને જ્યાં સુધી કોઇ સારી ઘટના ના બને ત્યાં સુધી ઓમ કિલ કિલ સ્વાહા અને ઓમ ઐમ હ્રીમ ક્લીમ મંત્રનું રટણ કરવું જોઇએ.

મને એ ખબર નથી પડતી કે આમ કરવાથી તમે કેવીરીતે પૈસાદાર થઇ શકો? હા,કદાચ આકાશી ગ્રહો તમને સસ્તા દરે મદદ કરી શકે છે. અન્ય સાઇટો પણ આવું અગડમ-બગડમ સમજાવતી હોય છે. કેટલાક કહે છે કે તમારે તેને ગંગા જળથી સાફ કરીને તમારે કામ કરવાના ટેબલ પર કે તિજોરીમાં મુકવું જોઇએ.

કેટલાક કહે છે કે શરુઆતમાં તેને હનુમાનજીની મૂર્તિ પાસે ૪૦ દિવસ માટે મુકવું જોઇએ. કેટલાક કહે છે કે તમારે તેને દિવાળીના સમયમાં ખરીદીને જુગાર રમવા માટે શુકન તરીકે રાખવું જોઇએ. ( ગરોળીનું લિંગ કેવી રીતે જુગારના પત્તાં પર અસર કરે તે ખબર નથી પડતી).

કેટલાક કહે છે કે હોળીની રાત્રે કૂવામાંનો કાદવ લઇને તેનાથી તે હાડકાને કવર કરવું જોઇએ. કેટલાક એમ કહે છે કે સેકન્ડ હેન્ડ પેનીસ અસર ના કરે માટે ફર્સટ હેન્ડજ ખરીદવું જોઇએ. 

વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરોએ આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે કેમકે હવેે ખુબ ઓછા મોનીટર લિઝાર્ડ બચ્યા છે. આ બ્યુરોએ નેટ પર સ્પેશ્યલ ટીમ ગોઠવી છે જે સાઇટ અને બ્લોગ પર નજર રાખે છે અને કોણ આવું લીંગ વેચે છે તે પર ધ્યાન રાખે છે. ભારતમાં ચાર પ્રકારના મોનીટર લિઝાર્ડ જોવા મળે છે. તેમના પેનિસ વેચાય છે તે મોટા ભાગે મધ્ય પ્રદેશ ,ઓડીસા,રાજસ્થાન અને કર્ણાટકમાંથી આવે છે. 

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયાએ આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ,ગુજરાત અને રાજસ્થાનમાં દરોડા પાડયા ત્યારે ૨૧૦ હાથા જોડી (પેનીસ) મળી આવ્યા હતા. તે સંદર્ભે ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. ફેસબુક પર આવી ચીજો વેચતા લોકો સામે પણ જોખમ છે. 

કમનસીબી એ છે કે લોકોને ગમે તેટલું સમજાવીએ પણ તે ચમત્કારો તરફ વળી જાય છે. આ પ્રાણી જે પોતાનો જીવ બચાવી શકતું નથી તે માનવ માટે લકી કેવી રીતે હોઇ શકે? તેનો શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે. જે આદિવાસીઓ તેમને પકડીને મારી નાખે છે તે લોકો હજુ સુખી નથી થયા તે તો ઠીક પણ વધુ ગરીબ થયા છે.

મધ્ય પ્રદેશના જંગલોમાંથી મોનીટર લિઝાર્ડ તેમના પેનીસના કારણે ખતમ થઇ ગયા છે. તાંત્રિક,શાસ્ત્રો કે પુરાણોમાં ક્યાંય હાથા જોડીનો ઉલ્લેખ નથી. કોઇ પણ પેનીસ તમને પૈસાદાર ના બનાવી શકે કે તમારી સમસ્યા દુર ના કરી શકે. તમે પોતે આળસુ છો. તેને છુપાવવા તેમે એક નિર્દોષ પ્રાણીનો ખાત્મો બોલાવી રહ્યા છો. જો તમારી નજરે કોઇ ઓનલાઇન હાથાજોડી વેચતો નજરે પડે તો મને જાણ કરજો હું તેને પકડાવી દઇશ. મેઇલ..


સૌજન્ય: ગુજરાત સમાચાર
Maneka-Gandhi
Samvedna
    


નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?

ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો... કદાચ નિવૃતીને આ રીતે બક્ષીજ મુલવી શકે!

*નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?*

*(સદાબહાર લેખક - ચંદ્રકાંત બક્ષી)*

*પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી!*

*સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે!*

*પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય, કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય, તો ૬0વર્ષ પૂરાં થવા જોઈએ!*

*તમને ‘સિનિયર સિટિઝન’ અથવા વયસ્ક નાગરિકની ઉપાધિ મળે છે. ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે!*

*પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી!*

*મોટો જજ, કે મોટો જનરલ મેનેજર, કે મોટો પુલિસ અફસર, કે મોટો એક્ઝિક્યુટિવ નિવૃત્ત થાય છે, અને ઘણી વાર શા માટે તરત ગુજરી જાય છે?* e

*‘યેસ સર’ જીવનભર સાંભળ્યું છે, પછી સામાન્ય નાગરિક થઈ શકાતું નથી*

*જીવનભર ટેબલ પરની બેલ દબાવીને સેવાઓ લીધી છે, પછી પોસ્ટ ઓફિસમાં ટિકિટ કે મની ઓર્ડરની કતારમાં ઊભા રહેવાતું નથી!*

*મોટા માણસને નાના થતાં આવડતું નથી!*

*૩૦૦-૩૫૦ ચોરસ ફિટની કૅબિનમાંથી બહાર નીકળીને, જો ફૂટપાથ ઉપર આવીને એક રૂપિયાની મગફળી ખરીદીને ફાકતાં ફાકતાં ચાલી શકો, તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી, પણ એ લગભગ અશક્ય છે!*

*શૉફરે ચલાવેલી મોટરકાર મૂકીને, બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય, તો તમે દુનિયા જીતી લીધી છે!*

*નિવૃત્તિ પણ આવું જ સિન્ડોમ છે!*

*તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો!*

*એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા, એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે!*

*પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહસાસ છે!*

*કઈ ઉંમર હોય છે, નિવૃત્તિની? નક્કી નથી!*

*પણ જો તમે ૫૬ના છો, તો હવે ૫૪ના થવાના નથી! તમે ૬૩ના છો, તો હવે ૬૧મું વર્ષ બહુ પાછળ ચાલ્યું ગયું છે! હવે ૬૧નો નહીં, ૬૧ની ગતકાલીન કસકનો નહીં, ૬૫ની અનાગતકાલીન ચિંતાનો વિચાર કરો!*

*રિટાયરના ગર્ભમાં ટાયર (થાકવું) ધબકી રહ્યું છે!*

*હું એકલો નહીં જમી શકું, હું એકલો નહીં સૂઈ શકું. તમારે જ તમારી પથારી કરવાની છે, તમારે જ તમારો ચાનો કપ અને ચાની તપેલી ધોઈ નાખવાની છે!*

*શરીર કમજોર પડતું જાય છે, બીજા પર અવલંબન વધતું જાય છે, સમયભાન ઘટી જાય છે!*

*તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય, પ્રતિષ્ઠા કે શાખ સિવાય તમારી પાસે શું હતું?* 

*હવે ચાબુક તમારા હાથમાં નથી. હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે (જો દાંત રહી ગયા હોય તો!)*

*હવે તમારી પ્રતિષ્ઠા મહત્ત્વની નથી, તમારી ઉપયોગિતા મહત્ત્વની છે!*

*કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી!*

*એક મિત્રે કહ્યું હતું, એક સંસ્કૃત શ્ર્લોક ઉદ્ધૃત કરીને, કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું...! તો આદર રહે છે, સ્વીકાર થાય છે. માણસ સહજ થઈ જાય છે!*

*નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે, હવે કેટલાં વર્ષોની જિંદગી બાકી રહી? ૧૦ વર્ષ બાકી રહ્યાં? તો એને ૧૫ વર્ષ કરવાં પડશે!*

*બીજી વાત, બાકીની વધેલી જિંદગી (લેફટ્ઓવર લાઈફ)નું શું કરવું છે? ટી.વી. જોવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું છે. જે દુનિયા જોવાની ઈચ્છા હતી, પણ જોેઈ શકાઈ નથી, કારણ કે સમય કે સગવડ ન હતાં, એ દુનિયા જોવી છે!*

*સિગરેટ, શરાબ, શોખ બધું જ ધીરે ધીરે છોડવું પડશે, નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે!*

*સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે, એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે. પૈસા સંભાળવા, સાચવવા, સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે!*

*ઊછળતી જવાની ને અઢળક પૈસા, એ એક વિનાશક સ્ફોટક ફૉર્મ્યુલા છે! તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે!*

*નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવૉર્સ થતા નથી, પણ બન્નેમાંથી એકનો દેહાંત થઈ શકે છે!ગુજરાતી કહેવત છે કે ભીંત અને કરો સાથે ન પડે! મોટી દીવાલ ભીંત છે, નાની દીવાલ કરો છે, અને બન્ને એકબીજાને સહારે ઊભા છે. બન્ને સાથે પડવાના નથી, એક પડશે અને બીજાએ એકલા જ ઊભા રહેવાનું છે. લગ્નજીવન પણ આજ છે. પતિ-પત્ની સાથે મરતાં નથી, એક મરી જાય છે, બીજાએ જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો, પત્ની વિનાનો પુરુષ જીવનની અસહ્યતાને બરાબર અનુભવીને સમજે છે. નિવૃત્તિ પુરુષનું ‘વૈધન્ય’ બની જાય છે!*

*નિવૃત્તિ જીવનને રિ-સ્ટ્રક્ચર કરવાનું નામ છે. હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી, અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી! ધન હોવા છતાં સેવા મળે જ એ આવશ્યક નથી. બન્ને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે, પણ આ અસહાય અવસ્થા નથી!*

*મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઈન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી: વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે, સ્વસ્થ હોય છે, શરીર સરસ રાખી શકે છે, પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે?* 

*ગફુરનો તર્ક એવો હતો કે વિદેશી વૃદ્ધો પોતે જ પોતાનું કામ કરતાં રહે છે, એટલે એમના શરીરો ચુસ્ત રહે છે! જ્યારે આપણે ત્યાં સંયુક્ત પરિવારોને કારણે અને કૌટુંબિક પરંપરા પ્રમાણે પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્રી, પૌત્ર દાદાજીને કોઈ કામ કરવા દેતા નથી, એટલે દાદાજી એક ‘કાઉચ પોટેટો’ (સોફા પર બેઠેલું બટાટું) બની જાય છે! બધા જ દાદાજીનું કામ કરવા તત્પર હોય છે અને દાદાજીએ કોઈ જ શારીરિક કામ કરવાનું હોતું નથી, માટે એમની તબિયત રુગ્ણ થતી જાય છે!*

*લેટેસ્ટ કપડાં પહેરવાં, કે એકલા બહારગામ પ્રવાસ કરવો, કે જિંદગીની મજાઓ કરવી, એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી!*

*પશ્ર્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિઅર ફૅમિલી (માત્ર પિતા-માતા-સંતાનોનો પરિવાર)ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે! નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો આધાર છે!*

*નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે! તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો, નિવૃત્તિ તમારો, તમારા શરીરનો, તમારા સંંબંધોનો, તમારા પરિવેશનો કબજો લઈ લે છે! દિવસમાં ૮, ૧૦, ૧૪ કલાક જે લોકો સાથે કામ કર્યું છે, એ લોકોના નામો પણ યાદ કરવા પડે, એ દિવસો આવી ચૂક્યા છે, અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે!*

*હવે ડોરબેલ ઓછી વાગે છે, હવે ટેલિફોન ઓછા આવે છે, હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે!*

*હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે: સ્પિરિચ્યુઅલની (અધ્યાત્મિક) કે મટિરિયાલિસ્ટિક ની (ભૌતિકતા)? અને બંન્ને સાચી છે, કારણ કે ચહેરો તમારો છે!*

*(ઓછામાં ઓછે પાંચ વખત આ લેખ વાંચવો જરૂરી છે ! )*🌹

14 ફેબ્રુ, 2021

भूकंप कितनी तीव्रता में कितना असर और क्या क्या सावधानी बरतें

कितनी तीव्रता में कितना असर

रिक्टर स्केल- असर
0 से 1.9 : ​केवल सिज्मोग्राफ से पता चलता है. लोगों को महसूस ही नहीं हो पाता.
2 से 2.9 : इस स्थिति में हल्का कंपन महसूस होता है.
3 से 3.9 : इस स्थिति में थोड़ा तेज कंपन महसूस होता है.
4 से 4.9 : खिड़कियों के कांच भी टूट सकते हैं.
5 से 5.9 : फर्नीचर हिल सकते हैं, पंखा वगैरह तेज हिलते दिखते हैं.
6 से 6.9 : बिल्डिंग्स की नींव भी दरक सकती है और ऊपरी मंजिलों के भवन को नुकसान हो सकता है.
7 से 7.9 : इस स्थिति में इमारतें गिर सकती हैं. जमीन के अंदर बिछे पाइपलाइन भी फट जाते हैं.
8 से 8.9 : बिल्डिंग्स के साथ ही बड़े पुल भी तबाह हो जाते हैं. सुनामी का खतरा रहता है.
9 और उससे अधिक: इस स्थिति में तबाही का मंजर दिखता है. जैसे गुजरात, नेपाल आदि देशों में दिख चुका है.

भूकंप आने पर क्या करें, क्या न करें?

आमतौर पर हमने देखा है कि लोगों को जानकारी न होने की वजह से कई बार भारी जान-माल की हानि उठानी पड़ती है. अक्सर सलाह दी जाती है कि भूकंप आने पर घर से बाहर खुले में निकल जाएं. घर में फंस गए हों तो बेड या मजबूत टेबल के नीचे छिप जाएं. घर के कोनों में खड़े होकर भी खुद को बचाया जा सकता है. भूकंप आने पर लिफ्ट का प्रयोग बिल्कुल न करें.

1. जैसे ही आपको भूकंप के झटके महसूस हों, वैसे ही आप किसी मजबूत टेबल के नीचे बैठ जाएं और कस कर पकड़ लें.
2. जब तक झटके जारी रहें या आप सुनिश्चित न कर लें कि आप सुरक्षित ढंग से बाहर निकल सकते हैं, तब तक एक ही जगह बैठे रहें.
3. यदि आप ऊंची इमारत में रहते हैं तो खिड़की से दूर रहें.
4. यदि आप बिस्‍तर पर हैं तो वहीं रहें और उसे कसकर पकड़ लें. अपने सिर पर तकिया रख लें.
5. यदि आप बाहर हैं तो किसी खाली स्‍थान पर चले जाएं, यानी बिल्डिंग, मकान, पेड़, बिजली के खंभों से दूर.
6. यदि आप कार चला रहे हैं तो कार धीमी करें और एक खाली स्‍थान पर ले जाकर पार्क कर दें. तब तक कार में बैठे रहें, जबतक झटके खत्‍म नहीं हो जाएं.
7. अगर आप बाहर, सड़क पर या बाजार में हो तो पास में मैदान या खुली जगह में पहुंच जाएं.
8. ऊंची बिल्डिंगों के करीब न रहें और उनसे दूर चले जाएं.
9. अगर आप कहीं अंदर फंस गए हैं तो दौड़ें नहीं, इससे और तेज झटके लग सकते हैं.
10. पेड़ों से और बिजली के तारों से दूर रहने की कोशिश करें.

13 ફેબ્રુ, 2021

આજની વાર્તા ' વિશ્વાસ'

 * * આજની વાર્તા * 🌹🌹🌹


 * * વિશ્વાસ * 🌹🌹🌹🌹


 * એક વ્યક્તિનુ નવું લગ્ન થયું અને તે પત્ની સાથે પાછો આવી રહ્યો હતો *!
 * માર્ગમાં, તે બંને બોટ દ્વારા મોટા તળાવને પાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભયંકર તોફાન આવી ગયું *! '
 * પુરુષ બહાદુર હતો પણ સ્ત્રી ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે પરિસ્થિતિ એકદમ ખરાબ હતી *! *
 * બોટ ખૂબ નાનો હતી અને તોફાન ખરેખર ભયાનક હતું અને બંને કોઈપણ સમયે ડૂબી શકે છે *!
 * પણ તે માણસ મૌન, સ્થિર અને શાંત બેઠો હતો જાણે કશું થવાનું ન હતું *!
 * સ્ત્રી ડરથી કંપતી હતી અને તેણે કહ્યું "શું તમને ડર નથી લાગતો" આ આપણા જીવનની અંતિમ ક્ષણ હોઈ શકે છે *!

 * એવું લાગતું નથી કે આપણે ક્યારેય બીજા કિનારે પહોંચી જઈશું! હવે ફક્ત એક ચમત્કાર જ અમને બચાવી શકે છે, નહીં તો આપણું મૃત્યુ નિશ્ચિત છે *!
 * તમે જરા પણ ડરતા નથી? શું તમે પાગલ વાગલ અથવા પથ્થર * છો?
 * તે માણસ ખૂબ હસ્યો અને અચાનક જ તે તલવારને આવરણમાંથી બહાર 
કાઢી?ી
 * સ્ત્રી હવે અસ્વસ્થ થઈ ગઈ હતી તે શું કરે છે *? .
 * પછી તે સ્ત્રીની ગળા પર તે નગ્ન તલવાર લાવી, એટલી નજીક કે તેની ગળા અને તલવાર વચ્ચે થોડો ફરક હતો કારણ કે તલવાર તેના ગળાને લગભગ સ્પર્શતી હતી *!
 * તેણે પત્નીને કહ્યું કે "શું તમે ડરી ગયા છો" *
 * પત્નીએ હસીને કહ્યું, "જ્યારે તલવાર તમારા હાથમાં હોય, ત્યારે મને શું ડર લાગે છે" *?
 * હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો! *
 * તેણે તલવારને ફરીથી મ્યાનમાં મૂકી અને કહ્યું “આ મારો જવાબ છે” *.
 * હું જાણું છું કે ભગવાન મને ખૂબ ચાહે છે અને આ તોફાન તેના હાથમાં છે! તેથી જે થાય તે સારું રહેશે! *
 * જો આપણે બચાવીએ તો પણ તે સારું છે અને જો આપણે સારા ન રહીએ, કારણ કે દરેક વસ્તુ દિવ્યના હાથમાં છે અને તે કશું ખોટું કરી શકતા નથી! *
 * તેઓ જે કરે છે તે આપણા સારા માટે કરશે. *
 * હંમેશા વિશ્વાસ બનાવો! "સર્વોચ્ચ પિતા, ભગવાન જે આપણું આખું જીવન બદલી શકે છે તેના પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. 
 હંમેશા ખુશ રહો !! *
 * જે પ્રાપ્ત થાય છે - તે પૂરતું છે !! *

52 शक्ति पीठों की माहिती

*हिन्दू संस्कार*
देवी भागवत पुराण में 108, कालिका पुराण में 26 , शिवचरित्र में 51, दुर्गा सप्तशती और तंत्र चूड़ामणि में शक्तिपीठों की संख्या 52 बताई गई है। आमतौर पर 51 शक्तिपीठ माने जाते हैं। तंत्र चूड़ामणि में लगभग 52 शक्ति पीठों के बारे में बताया गया है। कहा जाता है कि इस शक्तिपीठों के दर्शन मात्र से ही हर मनोकामना पूरी हो जाती है।
1. *हिंगलाज*
कराची से 125 किमी दूर है। यहां माता का ब्रह्मरंध (सिर) गिरा था। इसकी शक्ति-कोटरी (भैरवी-कोट्टवीशा) है व भैरव को भीम लोचन कहते हैं।
 2. *शर्कररे*
पाकिस्तान के कराची के पास यह शक्तिपीठ स्थित है। यहां माता की आंख गिरी थी। इसकी शक्ति- महिषासुरमर्दिनी व भैरव को क्रोधिश कहते हैं।
3 *सुगंधा*
बांग्लादेश के शिकारपुर के पास दूर सोंध नदी के किनारे स्थित है। माता की नासिका गिरी थी यहां। इसकी शक्ति सुनंदा है व भैरव को त्र्यंबक कहते हैं।
4. *महामाया*
भारत के कश्मीर में पहलगांव के निकट माता का कंठ गिरा था। इसकी शक्ति है महामाया और भैरव को त्रिसंध्येश्वर कहते हैं।
*ज्वाला जी*
हिमाचल प्रदेश के कांगड़ा में माता की जीभ गिरी थी। इसे ज्वाला जी स्थान कहते हैं। इसकी शक्ति है सिद्धिदा (अंबिका) व भैरव को उन्मत्त कहते हैं।
*त्रिपुरमालिनी*
पंजाब के जालंधर में देवी तालाब, जहां माता का बायां वक्ष (स्तन) गिरा था। इसकी शक्ति है त्रिपुरमालिनी व भैरव को भीषण कहते हैं।
*वैद्यनाथ*
झारखंड के देवघर में स्थित वैद्यनाथधाम जहां माता का हृदय गिरा था। इसकी शक्ति है जय दुर्गा और भैरव को वैद्यनाथ कहते हैं।
*महामाया*
नेपाल में गुजरेश्वरी मंदिर, जहां माता के दोनों घुटने (जानु) गिरे थे। इसकी शक्ति है महशिरा (महामाया) और भैरव को कपाली कहते हैं।
*दाक्षायणी*
तिब्बत स्थित कैलाश मानसरोवर के मानसा के पास पाषाण शिला पर माता का दायां हाथ गिरा था। इसकी शक्ति है दाक्षायणी और भैरव अमर।
*विरजा*
ओडिशा के विराज में उत्कल में यह शक्तिपीठ स्थित है। यहां माता की नाभि गिरी थी। इसकी शक्ति विमला है व भैरव को जगन्नाथ कहते हैं।
*गंडकी*
नेपाल में मुक्ति नाथ मंदिर, जहां माता का मस्तक या गंडस्थल अर्थात कनपटी गिरी थी। इसकी शक्ति है गंडकी चंडी व भैरव चक्रपाणि हैं।
*बहुला*
पश्चिम बंगाल के अजेय नदी तट पर स्थित बाहुल स्थान पर माता का बायां हाथ गिरा था। इसकी शक्ति है देवी बाहुला व भैरव को भीरुक कहते हैं।
*उज्जयिनी*
पश्चिम बंगाल के उज्जयिनी नामक स्थान पर माता की दाईं कलाई गिरी थी। इसकी शक्ति है मंगल चंद्रिका और भैरव को कपिलांबर कहते हैं।
*त्रिपुर सुंदरी*
त्रिपुरा के राधाकिशोरपुर गांव के माता बाढ़ी पर्वत शिखर पर माता का दायां पैर गिरा था। इसकी शक्ति है त्रिपुर सुंदरी व भैरव को त्रिपुरेश कहते हैं।
*भवानी*
बांग्लादेश चंद्रनाथ पर्वत पर छत्राल (चट्टल या चहल) में माता की दाईं भुजा गिरी थी। भवानी इसकी शक्ति हैं व भैरव को चंद्रशेखर कहते हैं।
*भ्रामरी*
पश्चिम बंगाल के जलपाइगुड़ी के त्रिस्रोत स्थान पर माता का बायां पैर गिरा था। इसकी शक्ति है भ्रामरी और भैरव को अंबर और भैरवेश्वर कहते हैं।
*कामाख्या*
असम के कामगिरि में स्थित नीलांचल पर्वत के कामाख्या स्थान पर माता का योनि भाग गिरा था। कामाख्या इसकी शक्ति है व भैरव को उमानंद कहते हैं।
*प्रयाग*
उत्तर प्रदेश के इलाहबाद (प्रयाग) के संगम तट पर माता के हाथ की अंगुली गिरी थी। इसकी शक्ति है ललिता और भैरव को भव कहते हैं।
*जयंती*
बांग्लादेश के खासी पर्वत पर जयंती मंदिर, जहां माता की बाईं जंघा गिरी थी। इसकी शक्ति है जयंती और भैरव को क्रमदीश्वर कहते हैं।
*युगाद्या*
पश्चिम बंगाल के युगाद्या स्थान पर माता के दाएं पैर का अंगूठा गिरा था। इसकी शक्ति है भूतधात्री और भैरव को क्षीर खंडक कहते हैं।
*कालीपीठ*
कोलकाता के कालीघाट में माता के बाएं पैर का अंगूठा गिरा था। इसकी शक्ति है कालिका और भैरव को नकुशील कहते हैं।
*किरीट*
पश्चिम बंगाल के मुर्शीदाबाद जिला के किरीटकोण ग्राम के पास माता का मुकुट गिरा था। इसकी शक्ति है विमला व भैरव को संवत्र्त कहते हैं।
*विशालाक्षी*
यूपी के काशी में मणिकर्णिका घाट पर माता के कान के मणिजडि़त कुंडल गिरे थे। शक्ति है विशालाक्षी मणिकर्णी व भैरव को काल भैरव कहते हैं।
*कन्याश्रम*
कन्याश्रम में माता का पृष्ठ भाग गिरा था। इसकी शक्ति है सर्वाणी और भैरव को निमिष कहते हैं।
*सावित्री*
हरियाणा के कुरुक्षेत्र में माता की एड़ी (गुल्फ) गिरी थी। इसकी शक्ति है सावित्री और भैरव को स्थाणु कहते हैं।
*गायत्री*
अजमेर के निकट पुष्कर के मणिबंध स्थान के गायत्री पर्वत पर दो मणिबंध गिरे थे। इसकी शक्ति है गायत्री और भैरव को सर्वानंद कहते हैं।
*श्रीशैल*
बांग्लादेश के शैल नामक स्थान पर माता का गला (ग्रीवा) गिरा था। इसकी शक्ति है महालक्ष्मी और भैरव को शम्बरानंद कहते हैं।
*देवगर्भा*
पश्चिम बंगाल के कोपई नदी तट पर कांची नामक स्थान पर माता की अस्थि गिरी थी। इसकी शक्ति है देवगर्भा और भैरव को रुरु कहते हैं।
*कालमाधव*
मध्यप्रदेश के सोन नदी तट के पास माता का बायां नितंब गिरा था, जहां एक गुफा है। इसकी शक्ति है काली और भैरव को असितांग कहते हैं।
*शोणदेश*
मध्यप्रदेश के शोणदेश स्थान पर माता का दायां नितंब गिरा था। इसकी शक्ति है नर्मदा और भैरव को भद्रसेन कहते हैं।
*शिवानी*
यूपी के चित्रकूट के पास रामगिरि स्थान पर माता का दायां वक्ष गिरा था। इसकी शक्ति है शिवानी और भैरव को चंड कहते हैं।
*वृंदावन*
मथुरा के निकट वृंदावन के भूतेश्वर स्थान पर माता के गुच्छ और चूड़ामणि गिरे थे। इसकी शक्ति है उमा और भैरव को भूतेश कहते हैं।
*नारायणी*
कन्याकुमारी-तिरुवनंतपुरम मार्ग पर शुचितीर्थम शिव मंदिर है, जहां पर माता के दंत (ऊर्ध्वदंत) गिरे थे। शक्तिनारायणी और भैरव संहार हैं।
*वाराही*
पंचसागर (अज्ञात स्थान) में माता की निचले दंत (अधोदंत) गिरे थे। इसकी शक्ति है वराही और भैरव को महारुद्र कहते हैं।
*अपर्णा*
बांग्लादेश के भवानीपुर गांव के पास करतोया तट स्थान पर माता की पायल (तल्प) गिरी थी। इसकी शक्ति अर्पणा और भैरव को वामन कहते हैं।
*श्रीसुंदरी*
लद्दाख के पर्वत पर माता के दाएं पैर की पायल गिरी थी। इसकी शक्ति है श्रीसुंदरी और भैरव को सुंदरानंद कहते हैं।
*कपालिनी*
पश्चिम बंगाल के पूर्वी मेदिनीपुर के पास तामलुक स्थित विभाष स्थान पर माता की बायीं एड़ी गिरी थी। इसकी शक्ति है कपालिनी (भीमरूप) और भैरव को शर्वानंद कहते हैं।
*चंद्रभागा*
गुजरात के जूनागढ़ प्रभास क्षेत्र में माता का उदर गिरा था। इसकी शक्ति है चंद्रभागा और भैरव को वक्रतुंड कहते हैं।
*अवंती*
उज्जैन नगर में शिप्रा नदी के तट के पास भैरव पर्वत पर माता के ओष्ठ गिरे थे। इसकी शक्ति है अवंति और भैरव को लम्बकर्ण कहते हैं।
*भ्रामरी*
महाराष्ट्र के नासिक नगर स्थित गोदावरी नदी घाटी स्थित जनस्थान पर माता की ठोड़ी गिरी थी। शक्ति है भ्रामरी और भैरव है विकृताक्ष।
*सर्वशैल स्थान*
आंध्रप्रदेश के कोटिलिंगेश्वर मंदिर के पास माता के वाम गंड (गाल) गिरे थे। इसकी शक्ति है राकिनी और भैरव को वत्सनाभम कहते हैं।
*गोदावरीतीर*
यहां माता के दक्षिण गंड गिरे थे। इसकी शक्ति है विश्वेश्वरी और भैरव को दंडपाणि कहते हैं।
*कुमारी*
बंगाल के हुगली जिले के रत्नाकर नदी के तट पर माता का दायां स्कंध गिरा था। इसकी शक्ति है कुमारी और भैरव को शिव कहते हैं।
*उमा महादेवी*
भारत-नेपाल सीमा पर जनकपुर रेलवे स्टेशन के निकट मिथिला में माता का बायां स्कंध गिरा था। इसकी शक्ति है उमा और भैरव को महोदर कहते हैं।
*कालिका*
पश्चिम बंगाल के वीरभूम जिले के नलहाटि स्टेशन के निकट नलहाटी में माता के पैर की हड्डी गिरी थी। इसकी शक्ति है कालिका देवी और भैरव को योगेश कहते हैं।
*जयदुर्गा*
कर्नाट (अज्ञात स्थान) में माता के दोनों कान गिरे थे। इसकी शक्ति है जयदुर्गा और भैरव को अभिरु कहते हैं।
*महिषमर्दिनी*
पश्चिम बंगाल के वीरभूम जिले में पापहर नदी के तट पर माता का भ्रुमध्य (मन:) गिरा था। शक्ति है महिषमर्दिनी व भैरव वक्रनाथ हैं।
*यशोरेश्वरी*
बांग्लादेश के खुलना जिला में माता के हाथ और पैर गिरे (पाणिपद्म) थे। इसकी शक्ति है यशोरेश्वरी और भैरव को चण्ड कहते हैं।
*फुल्लरा*
पश्चिम बंगला के लाभपुर स्टेशन से दो किमी दूर अट्टहास स्थान पर माता के ओष्ठ गिरे थे। इसकी शक्ति है फुल्लरा और भैरव को विश्वेश कहते हैं।
*नंदिनी*
पश्चिम बंगाल के वीरभूम जिले के नंदीपुर स्थित बरगद के वृक्ष के समीप माता का गले का हार गिरा था। शक्ति नंदिनी व भैरव नंदीकेश्वर हैं।
*इंद्राक्षी*
श्रीलंका में संभवत: त्रिंकोमाली में माता की पायल गिरी थी। इसकी शक्ति है इंद्राक्षी और भैरव को राक्षेश्वर कहते हैं।
*अंबिका*
विराट (अज्ञात स्थान) में पैर की अंगुली गिरी थी। इसकी शक्ति है अंबिका और भैरव को अमृत कहते हैं।

11 ફેબ્રુ, 2021

ગુજરાતી વ્યાકરણ, છંદ

ગૂજરાતી વ્યાકરણ, છંદ અને સમજ.

છંદ

છંદ એટલે કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે.

છંદના બે પ્રકાર છે. 
➡️૧. અક્ષરમેળ છંદ 
➡️૨. માત્રામેળ છંદ

↔️↔️↔️↔️↩️↔️↔️↔️↔️↩️↔️↔️↔️

લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U )

➡️ગુરુ અક્ષર એટલે જે વર્ણમાં રહેલા સ્વર દીર્ઘ હોઈ તેને ગુરુ અક્ષર કહે છે.( ગુરુની નિશાની –)

➡️ગણ એટલે ત્રણ અક્ષરના સમુહને ગણ કહે છે. 

➡️ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે લઘુ- ગુરુની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર કહે છે.
 
➡️ગણ રચના : લઘુ- ગુરુ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. આવા આઠ ગણ છે. 

➡️ગણસૂત્ર :- યમાતારાજભાનસલગા

૧ ય =યમાતા U – – લઘુ ગુરુ ગુરુ
૨ મા= માતારા – – – ગુરુ ગુરુ ગુરુ
૩ તા=તારાજ – – U ગુરુ ગુરુ લઘુ
૪ રા= રાજભા – U – ગુરુ લઘુ ગુરુ
૫જ =જભાન U – U લઘુ ગુરુ લઘુ
૬ભા =ભાનસ – U U ગુરુ ગુરુ લઘુ
૭ન =નસલ U U U લઘુ લઘુ લઘુ 
૮સ=સલગા U U–લઘુ લઘુ ગુરુ
૯લ = લઘુ U લઘુ
૧૦ગા =ગુરુ –ગુરુ

અક્ષરમેળ છંદ :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા 
↔️↔️↔️↔️↔️↔️↔️↩️↔️↔️↩️↩️
માત્રામેળ છંદ :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
અક્ષરમેળ છંદ
૧) મનહર છંદ :- 

કુલ બે પંક્તિમાં હોય છે. કુલ ૩૧ અક્ષરો હોય છે.

પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૭ અક્ષર હોય છે.

યતિ ૮મા અને ૧૬માં અક્ષરે હોય અને છેલ્લો અક્ષર ગુરુ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.)

ઉદાહરણો :– (૧)

➡️પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,

 સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

➡️સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય

 અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.

➡️ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

 જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું..

ઉદાહરણ-(૨)

➡️નાગરવેલની જેવી નાજુકડી નાર વાંકી,

વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.

ઉદા. (૩)
➡️એક ભોળો ભાભો મોટા ખતેરમાં માળે ચડી,

હરણાં હાંકે અને પક્ષીઓને ઉડાડે છે.

૨) શિખરિણી છંદ :- 

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.

૯ લઘુ અક્ષર અને ૮ ગુરુઅક્ષર

પ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.

બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

ઉદાહરણો :–

➡️કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.

➡️ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.

➡️અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.

➡️હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.

➡️નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.

➡️મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

➡️વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ

➡️ઠરી મારી આંખો, કબીરવડ તું ને નીરખીને.

➡️બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.

➡️મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો.

➡️ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.

⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૩) પૃથ્વી છંદ :- 

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.

૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરુ અક્ષર

પ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરુ– લઘુ

બંધારણ:- જસજસયલગા 
(U-U, U U-,U-U, U U-, U- –, U, –)

ઉદાહરણો :–
➡️મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.

➡️ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.

➡️ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.

➡️પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.

➡️મળે અધિક જે તને મુજ થકી ઉપે થાપજે.

➡️પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુ એ બરુ.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૪) મંદાક્રાન્તા છંદ :-

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૪ અને ૧૦મા અક્ષરે આવે છે.

૭ લઘુ અક્ષર અને ૧૦ ગુરુ અક્ષર હોય છે.

બંધારણ :- મભનતતગાગા 
(– – –,– U U, U U U, – -U, – -U, –,–)

પ્રથમ ત્રણ અક્ષર ગુરુ – ગુરુ –ગુરુ અને અંતિમ બે અક્ષર ગુરુ હોય છે.

ઉદાહરણો :–

➡️રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો.

➡️રે રે શ્રધ્ધા ગત ગઈ પછી કોઈ કાળે ન આવે.

➡️ધીમે ઊઠી શિથિલકરને નેત્રની પાસ રાખી.

➡️ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ.

➡️બોખી શીશી ટિનનું ડબલું બાલદી કૂખકાણી.

➡️દીઠાં હેતે,સ્મૃતિપડ બધાં ઊકલ્યા આપ રૂડાં.

➡️પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

➡️છે કો મારું અખિલ જગમાં ? બુમ મેં એક પાડી.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૫) અનુષ્ટુપ છંદ :-

પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૬ અક્ષર એમ બે ચરણમાં હોય છે. કુલ અક્ષર ૩૨ હોય છે

આ છંદમાં કુલ ચાર ચરણ આવે છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે.

આ છંદમાં ગણસૂત્ર નથી.

પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર ગુરૂ હોય છે. ( U- – લઘુ- ગુરૂ –ગુરૂ)

બીજા અને ચોથા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર લઘુ હોય છે. ( U- U લઘુ- ગુરૂ – લઘુ)

ઉદાહરણો :–

➡️સૌદર્ય વેડફી દેતાં, ના ના સુંદરતા મળે,

 સૌદર્ય પામતા પહેલાં, સૌદર્ય બનવું પડે.

➡️સત્યનું કાવ્ય છો આપું ! કાવ્યનું સત્ય છો તમે,

 ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિઆ આપને નમે. 

➡️પતિએ પીઠ દીધીને, દધિતાદેખતી રહી,

અંતે હાય ! કહી બાળા, મૂર્છીતા ભૂતલે પડી.

➡️રહેવા દે ! રહેવા દે ! આ સંહાર યુવાનતું,

 ઘટે ના ક્રુરતા આવી, વિશ્વ સૌદર્ય કુમળું.
 ⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૬) શાર્દૂલવિક્રીડિત છંદ :-

કુલ અક્ષર ૧૯ હોય છે , યતિ ૭ અને ૧૨મા અક્ષરે આવે છે.

૮ લઘુ અક્ષર અને ૧૧ ગુરુ અક્ષર હોય છે.

પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો અક્ષર પણ લઘુ હોય છે.

બંધારણ :- મસજસતતગા 
(– – –,U U-, U-U ,U U-,–U, –U, –)

જોડાક્ષર પૂર્વેનો લઘુ અક્ષર ગુરુ ગણાય.

ઉદાહરણો :–

➡️ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.

➡️અંધારું થયું પાતળું નભ વિષે તારાઘ્રુતિ નીતરી.

➡️ભૂલોની જ પરંપરા જગતઆ,એવું દીસે છે પિતા!

➡️આ સંસાર અસાર છે અહહહા ! એ શીખ આજે મળી.

➡️આંસુના પડદા વતી નયન તો મારાંથયા આંધળા.

➡️ને હું મહેલ વિષે વસું સુખ થકી,એ યોગ્ય ભાસે નહી.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૭) સ્ત્રગ્ધરા છંદ :- 

કુલ અક્ષર ૨૧ હોય છે , યતિ ૭ – ૭ – ૭ મા અક્ષરે આવે છે.

૯ લઘુ અક્ષર અને ૧૨ ગુરુ અક્ષર હોય છે.

પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો ત્રણ અક્ષરો ગુરુ- લઘુ –લઘુ (U- –)

બંધારણ :- મરભનયયય 
(– – –,-U-, -U U , U U U, U – –, U – –, U – –)

ઉદાહરણો :–

➡️ઝંઝાવાતે ઘુમાવી એટલ વિતલ સૌ એક આકાશ કીધું.

➡️દેવોને માનવોના મધુમિલન તણાસ્થાન સંકેતજેવા.

➡️ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઇ ડોલતો વાયુ વાયે.

➡️ખંખેરી મોહનીને તનમન થઇ તૈયાર હાવાં ગયાં જે.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
૮) માલિની છંદ :-

કુલ અક્ષર ૧૫ હોયછે, યતિ ૮મા અક્ષરે આવે છે.

બંધારણ :- નનમયય 
(U U U, U U U,—, U–, U–)

પ્રથમ અને બીજા ત્રણ ગુરુ –ગુરુ-ગુરુ (U U U) અને ત્રણ અક્ષરો ગુરુ- લઘુ –લઘુ
(U–)

ઉદાહરણો :–

➡️સરળ હદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૯) વસંત તલિકા છંદ :- 

કુલ અક્ષર ૧૪ હોય છે, યતિ ૮મા અક્ષરે આવે છે.

બંધારણ :- તભજજગાગા
 (– – U, -U U, U-U , U-U, –, –)

છેલ્લા બે લઘુ આવે

ઉદાહરણો :–

➡️હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️  
માત્રામેળ છંદ

૧) હરિગીત છંદ :-

દરેક ચરણમાં માત્રા- ૨૮ , યતિ – ૧૪ અને ૧૬મી માત્રાએ છેલ્લો અક્ષર ગુરુ હોય.

ઉદાહરણો :–

➡️ચળકાટ તારો એજ પણ તુંજ ખૂનની તલવાર છે.

➡️જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી

➡️તુંજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્ન સમું જે લાધિયું.

➡️તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના.

➡️જ્યાં જ્યાં નજર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની.

➡️સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી.

➡️ખાતો દયા ના દેહની કરજે કથન તુંજ કાળજું.

➡️ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૨) ચોપાઈ છંદ :-

કુલ ચાર ચરણ, દરેક ચરણમાં ૧૫-૧૫ માત્રાએ યતિ આવે છે.

છેલ્લા બે અક્ષર લઘુ ગુરુ હોય.

ઉદાહરણો :–

➡️જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ.

➡️આકાશે તારાની ભાત, સર્જી તો ક્યાં સર્જી વાત.

➡️કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.

➡️લાંબા જોડે ટૂંકો જાય, મારે નહી તો માંદો થાય.

➡️ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.

➡️કલ્પવૃક્ષ જો કેરી ખાય,તેનો ચોર પેદા ન થાય.

➡️મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ.

➡️જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાંદ.

➡️વાળ થઈને ચીભડાંગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૩) દોહરો છંદ :-

કુલ ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે.

ઉદાહરણો :–

➡️દીપકના બે દીકરા , કાજલને અજવાશ,

   એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.

➡️કરતાં જાળ કરોળિયો, ભોય પડી ગભરાય,

   વણ તૂટેલ તાંતણે, ઉપર ચઢવા જાય.

➡️ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુંજ નામ,

   ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

   જેનું કારજ જે કરે, બીજો કરે બગાડ,

➡️તાળું ઉઘાડી નવ શકે, કક્કા કરે કૂહાડ.

  શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,

➡️ જેમાં સુખ દુઃખ વામિએ, સો લાખમાં એક.

કાજળ તજે ન શ્યામતા,હીરો તજે ન શ્વેત,

 ➡️દુર્જન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત.

➡️ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,

 ચાર-ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય.

➡️બળની વાતો બહુ કરે,કરે બુદ્ધિના ખેલ,

  આપદ કાળે જાણીએ , તલમાં કેટલું તેલ.

➡️ચિંતાથી ચતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

   ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. 
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↩️↔️↔️↔️↔️

૪) સવૈયા છંદ :-

એકવીસ કે બત્રીસ માત્રા આવે,યતિ ૧૬ મી કે ૧૭મી માત્રાએ

કુલ ચાર ચરણમાં ૨૮ માત્રા

છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરુ લઘુ કે બે ગુરુ

ઉદાહરણો :–

➡️અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?

➡️અલક મલક આ તરતો તડકો ચોતરફથી આયો જી.

➡️કાર્ય સાધવું નહિ તો મરવું, શૂરવીરની એ છે રીત.

➡️કાળ તણી ધરતીમાં ખોદી રહ્યું જીવનના કૂપ ?

➡️રણબંકા નહી કદીયે નાસે નહી દેખાડે રિપુને પીઠ.

➡️અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર

➡️ઝેર ગયા ને વેર ગયાં વળી કાળાં કેર ગયાં કરનાર.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૫) ઝૂલણાછંદ :-  

કુલ ચાર ચરણ , ૧૦,૨૦ અને ૩૦ માત્રાએ યતિ આવે.

૩૭ માત્રા આવે.

ઉદાહરણો :–

➡️જાગને જાદવા કૃષ્ણ ગોવાલિયા
તુંજ વિના ઘેનમાં કોણ જાશે ?

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

રુદ્રી એટલે શું?

શિવ આરાધના શામાટે ? - રુદ્રી શું છે ?

             રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
        
        રુદ્રી વિશે કહેવાય છે કે
        “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર" 
એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી. 

        વેદોમાં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.

રૂદ્રની આ સ્તુતી, રુદ્રી માં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્ર ની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે. 

સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:
- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ ની સ્તુતી છે.
- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે.
- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્ર ની સ્તુતી છે. 
- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે. અને,
- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે.

   આમ આઠ અધ્યાય માં તમામ દેવતા ની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવો માં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગ માં સર્વ દેવો નો સમાવેશ થઈ જતો હોય, શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. 
મુખ્ય વસ્તુ રુદ્ર ના પાંચમા અધ્યાય નો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. 

શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ -અવરોહ અને શુધ્ધ ઉચ્ચારણથી બોલવા માં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.
 
પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિ ને નમક - ચમક કહે છે. 

   હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે . 
- લઘુરુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને
- મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરુદ્ર કહે છે.
- રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
- રુદ્ર ના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
- રુદ્ર ના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
- રુદ્ર ના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
- રુદ્ર ના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
- રુદ્ર ના ૯૯ પાઠથી પુત્ર , પૌત્ર , ધન , ધાન્ય , ધર્મ , અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રુદ્રાભિષેક એ શિવ આરાધના ની સર્વ શ્રેષ્ઠ રીત છે ,કેમકે વૈદિક મંત્રો ના શ્રવણ અને મંદિર ની ઊર્જા થી સાધક તન્મય થઈ જતો હોય સાધક માં શિવ તત્વ નો ઉદય થાય છે.

        આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત ના યુધ્ધ વખતે અર્જુન ને બતાવેલ ૧૧ મંત્રો ના સમૂહ ને "પુરાણોકત રુદ્રાભિષેક "કહે છે .આ પાઠ ૧૧ વખત કરવા થી એક રુદ્રી નું ફળ મલે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકો માં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રો ની રુદ્રી ની મજા જ અનેરી છે. 

સમય અભાવે કે અન્ય કારણો સર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાય ના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમા આધ્યાત્મિક રીતે વ્યક્તિ ના મન -બુધ્ધિ -કવચ -હ્રદય -નેત્ર -તેમજ રિલેશન ની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રી નો સળંગ પાઠ કલ્યાણ કારી છે. - અસ્તુ.
                                                                     
શિવ આરાધના શામાટે ?
અત્યારના સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે મોટીવેશનલ બૂકસ, પ્રેરણાત્મક પ્રવચનો, સેમીનાર, ... વર્કશોપ વગેરે ખૂબજ સફળતાપૂર્વક યોજાતા રહે છે. તેમાં હકારાત્મકતા ૫ર ભાર મૂકવાની અને નકારાત્મક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવાની બાબત મુખ્ય છે. કેમકે મનોવિજ્ઞાન તેમજ સૃષ્ટિનો પણ સિધ્ધાંત છે કે જે બાબત પર તમે ધ્યાન આપો તે વૃધ્ધિ પામે છે.

હવે શિવ વિશે વાત કરીએ તો શિવએ સમસ્ત વિદ્યાઓ ના જ્ઞાતા છે. જયોતિષ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, નૃત્યવિધા, વ્યાકરણ વગેરે ના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણીક, સાંસારીક કે શાસ્ત્રને લગતી તમામ બાબતોમાં શિવ તત્વ જ વિદ્યમાન છે. આપણા શરીરનું સંચાલન ‘પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન , નાગ , કૂર્મ , ક્રિકલ , દેવદત્ત , ધનંજય’ આ દશ પ્રકારનાં પ્રાણથી થાય છે. આપણે જાણીએ જ છીએ કે જયારે ‘પ્રાણ’ શરીરમાંથી ચાલ્યા જાય ત્યારે માત્ર ડેડબોડી જ બાકી રહે છે. ઉપર દર્શાવેલ વિવિધ પ્રકારનાં પ્રાણમાંથી કોઈ લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે. તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યોને દૂર કરવાનું, કોઈ આંખ ની પાંપણ ખોલબંધ કરવાનું સૂક્ષ્મ કાર્ય કરે છે.

🕉️🙏🏻🌹હર હર મહાદેવ હર 🌹🙏🕉️

8 ફેબ્રુ, 2021

५. धम्मक धम्मक आता हाथी( काव्य)

 
स्वाध्याय

काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए । 
( कीमती , सूड , पूँछ , लम्बी , खम्भे , केले , बड़ा )
 ( १ ) हाथी सबसे बड़ा प्राणी है।
 ( २ ) हाथी केले खाता है।
( ३ ) हाथी की सूंड लम्बी होती है ।
 ( ४ ) हाथी को पूछ छोटी होती है । 
( ५ ) हाथी सूंड में पानी भरकर नहाता है । ( ६ ) हाथी के लम्बे दाँत कीमती होते है । 
( ७ ) हाथी के पाँव खंभे जैसे होते है । 
                 ***********

समानार्थी शब्द लिखिए ।
 ( १ ) पानी -जल, सलिल

( २ ) हाथी - गज

( ३ ) धम्मक - हाथी के चलने की आवाज

 
 विरुद्धार्थी शब्द लिखिए ।
 ( १ ) उठाना xगिराना
 ( २ ) आना x जाना
( ३ ) छोटा x बड़ा
( ४ ) ऊँचा xनीचा
 ( ५ ) पकड़ना xछोड़ना
 ( ६ ) रोना x हसना
     
     *****************
निम्नलिखित काव्य पंक्तियाँ पूर्ण कीजिए ।  
जब पानी  में जाता हाथी , भर - भर सूंड़ 

नहाता हाथी , कितने केले खाता हाथी , 

यह तो नहीं  बताता हाथी ।

          **************

 निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए ।
 ( १ ) अपनी सूंड उठाता हाथी ।
*પોતાની સૂંઢ ઉઠાવતો હાથી.
 
( २ ) हाथी सरकस में खेल दिखाते हैं । 
*હાથી સર્કસમાં ખેલ બતાવે છે.

( ३ )मोर हमारा राष्ट्रीय पक्षी है । 
* મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
 
( ४ )हाथी के दो दाँत होते है ।
*હાથીના બે દાંત હોય છે.
      
        ****************

 प्रश्नों के उत्तर दीजिए : (  પ્રશ્નોના જવાબ આપો)
 ( १ ) हाथी किस तरह आता है ? 
उत्तर : हाथी धम्म - धम्म करता आता है । * ( २ ) नहाने के लिए हाथी सूंड में क्या भरता है ? 
उत्तर : नहाने के लिए हाथी सँड़ में पानी भरता है । * 
( ३ ) हाथी क्या खाकर बताता नहीं है ? उत्तर : हाथी केले खाकर बताता नहीं है । 
* ( ४ ) हाथी पानी कहाँ डालता है ? क्यों ? उत्तर : हाथी पानी अपने ऊपर डालता है , क्योंकि वह नहाना चाहता है । 
 ( ५ ) हाथी क्या हिलाता है?
उत्तर: हाथी अपनी सूंड हिलाता है।
( ६ )हाथी पानी में क्या करता है ?
उत्तर: हाथी पानी में जाता हैं।
( ७ ) हाथी के पैर कैसे होते हैं?
उत्तर: हाथी के पैर खंभे जैसे है।

         *****************





7 ફેબ્રુ, 2021

16.માતૃહૃદય

સમાનાર્થી શબ્દો  લખો
( 1 ) જંગલ =વન , અરણ્ય
( 2 ) ડર = ભય , બીક  
( 3 ) શિશુ = બાળક , બચ્યું 
( 4 ) વરહ = વર્ષ , સાલ , 
( 5 ) નજર = દષ્ટિ , ધ્યાન
 ( 6 ) ઓસાણ = યાદ , સ્મૃતિ 
( 7 ) ધરતી = ધરા , પૃથ્વી 
( 8 ) રક્ષણ = રખેવાળી , જતન 
( 9 ) અદભુત = આશ્ચર્યકારક , અજબ 
( 10 ) ગોદ = ખોળો , ઉછંગ
         *******************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો : 
( 1 ) મુશ્કેલ X સરળ
 ( 2 ) સૂકાં X લીલાં
 ( 4 ) જુદાં X ભેગાં 
( 5 ) રક્ષણ X ભક્ષણ
 ( 6 ) પ્રેમ X નફરત , ઘૃણા 
          ***************

 સાચી જોડણી લખો
 ( 1 ) પશ્ચિમ
 ( 2 ) આજીવન
 ( 3 ) ઝૂંપડાં
 ( 4 ) ફૂલડાં
 ( 5 ) પથ્થર
( 6 ) શિશુ
 ( 7 ) અસ્તિત્વ
 ( 8 ) બલિહારી
 ( 9 ) અદભુત
( 10 ) વિનતિ , વિનંતી , વિનંતિ 
         **************
 નીચેના શબ્દસમૂહ માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) જિંદગીના અંત સુધી – આજીવન , જીવનપર્યત 
( 2 ) એક જ નામથી ઓળખાતો લોકસમૂહ – કોમ
 ( 3 ) માલધારીઓએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંઓના સમૂહનું નાનું ગામ – નેસ નેસડો
 ( 4 ) ઢોરઢાંખર રાખનાર અને એના ઉપર નભનાર જાતિ – માલધારી
 ( 5 ) સિંહની ગર્જના – ડણક
 ( 6 ) ભાંગી - તૂટી પણ મીઠી લાગે તેવી બાળકની ભાષા - કાલી બોલી
 ( 7 ) લગભગ અડધી ઉંમરનું – આધેડ
 ( 8 ) કાંટાવાળાં વૃક્ષોની ગીચ ઝાડી – કાંટ 
 ( 9 ) જવાબદારી કે રક્ષણ વિના એકલું અટુલું મૂકેલું – રેઢું
         *******************
પ્રશ્નો ના ઉત્તર આપો :
 ( 1 ) ગિરનાર કોની જેમ બેઠો છે ? 
ઉત્તર : ગિરનાર કોઈ અવધૂત ( વૈરાગી બાવા ) ની જેમ બેઠો છે .
 ( 2 ) પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા ?,
 ઉત્તર : પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજાં ઢોરોને લઈ ચરાવવા ઊપડી જતા .
 ( 3 ) બાળકની ઉંમર કેટલી હતી ?
 ઉત્તર : બાળકની ઉંમર ચારેક વરસની
 હતી . 
( 4 ) બાળકને નદીની ભેખડમાં ગલૂડિયા જેવું શું દેખાયું ?
 ઉત્તર : બાળકને નદીની ભેખડમાં ગલુડિયા જેવું સિંહનું બચ્ચું દેખાયું .
 ( 5 ) માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો ?
 ઉત્તર : માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ - પાછળ આવતું હતું . કરગઠિયાં વીણતાં તે બાળકને ભૂલી ગઈ . જ્યારે તેણે સિંહણની ડણક ( ગર્જના ) સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું . બાળકને ન જોતાં માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો . 
 ( 6 ) સિંહણ બાળકથી કેટલી દૂર હતી ? ઉત્તર : સિંહણ બાળકથી સાત ફૂટ દૂર
 હતી .
 ( 7 ) આખરે બંને માતાઓએ શું કર્યું ? 
ઉત્તર ઃ આખરે બંને માતાઓએ એકબીજા સાથે આંખ મિલાવી ને પોતપોતાનાં શિશુને લઈને ચાલી ગઈ . માલધારી સ્ત્રીને નેસમાં અને સિંહણને પોતાની બોડમાં જવું હતું . 
             *************

સ્વાધ્યાય
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 
( 1 ) “ ગીરપ્રદેશ ” કોને કહેવાય છે ?
ઉત્તર : સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પ્રદેશનાં પશ્ચિમી જંગલો ‘ ગીરપ્રદેશ ' , 
“ ગીરપ્રદેશ ”  કહેવાય છે .
 ( 2 ) માલધારી સ્ત્રીઓ શું કામ કરતી
 હતી ?
 ઉત્તર : માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ વીણવા  ગીરનાં જંગલોમાં નીકળી પડતી હતી .
 ( 3 ) બાળક માતાથી પાછળ કેમ રહી
 ગયું ? 
ઉત્તર : માતા સૂકો લાકડાં વીણતી - વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ધીમે ધીમે ફૂલડાં ચૂંટતું હતું એટલે પાછળ રહી ગયું . 
 ( 4 ) બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી ?
 ઉત્તર : સૂકાં લાકડાં વીણતી માતાએ સિંહની ડણક સાંભળી . એને પોતાનું બાળક સાંભર્યું , પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી .
 ( 5 ) માતાને કયું દશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી ?
 ઉત્તર : એક બાજુ માલધારી શિશુ સિંહબાળને રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી . માલધારી શિશુની  માતાએ આ ભયાનક દશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી .
 ( 6 ) શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી ?
 ઉત્તર : શિકાર માટે ગયેલી સિંહણને માનવબાળની ગંધ આવી , તેથી સિંહણ પોતાના વહાલસોયાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી
 ફરી . 
         **************


4 ફેબ્રુ, 2021

ગુજરાત મોરી મોરી રે


  સાચી જોડણી લખો

 ( 1 ) પનિહારી 
( 2 ) નર્મદ
 ( 3 ) મીટ 
( 4 ) નીરતીર
       *********************
  નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝું = પુષ્કળ , વધુ
 ( 2 ) હીર = સત્ત્વ , દૈવત
 ( 3 ) નમણી = નાજુક , સુંદર
 ( 4 ) કપરું = મુશ્કેલ , અઘરું
 ( 5 ) ભોમ = ભૂમિ , જમીન
 ( 6 ) અમી = અમૃત , મીઠાશ
 ( 7 ) ટૂક = ટોચ , શિખર 
( 8 ) દોહ્યલું = મુશ્કેલ , દુર્લભ
      *****************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝી × થોડી
 ( 2 ) અમૃત x વિષ
 ( 3 ) સુખ x દુઃખ
 ( 4 ) દોહ્યલું x સોહ્યલું
         *****************
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ – ટોડલો
 ( 2 ) લોકોનું એક સામટું આગળ
 ધસવું – ઊમટવું 
       ******************

અભ્યાસ

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) ગુજરાતને કવિએ કેવી કહી છે ? ઉત્તર : ગુજરાતને કવિએ મોંધેરી કહી છે .
 ( 2 ) નર્મદાનું બીજું નામ કહો .
 ઉત્તર : નર્મદાનું બીજું નામ “ રેવા ' છે .
 ( 3 ) ‘ ચરોતર ' પ્રદેશ ક્યાં આવેલો છે ? ઉત્તર : ‘ ચરોતર ' પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે . એ ચરોતરમાં 104 ગામો આવેલાં છે .
 ( 4 ) સારસની જોડી ક્યાં સહેલ કરે છે ? ઉત્તર : જલાશયના કિનારે સારસની જોડી સહેલ કરે છે .
 ( 5 ) નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ? 
ઉત્તર : નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી , ગુજરાતનું જીવન દોહ્યલું હતું .
     ******************

 પ્રશ્નોત્તર
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે ? એ પ્રદેશો માટે જાણીતા છે ?
 ઉત્તર : કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયાકિનારાના વિહારધામ તરીકે જાણીતા છે . 
( 2 ) ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે ? એમની વિશિષ્ટતા કાવ્યના આધારે જણાવો .
 ઉત્તર : ગુજરાતની નદીઓ અને એમની વિશેષતાઓ : સાબર : સાબરકાંઠાના ઇશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે ત્યાં સુધી સાબરમતી ‘ સાબર ’ તરીકે અને પછી ‘ સાબરમતી ’ તરીકે ઓળખાય છે . કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ રેવા : નર્મદાનું બીજું નામ ‘ રેવા ’ છે , “ રેવા ' એટલે કૂદવું . નર્મદા ઠેકઠેકાણે ભૂસકા મારે છે . તેથી તેનું નામ રેવા પડ્યું છે . રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે . ગુજરાતના પર્વતો અને એમની વિશેષતાઓ : ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે . એની ટ્રકોનો ઉલ્લેખ કરીને , કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું
 છે . પાવાગઢ : પાવાગઢ પર્વત ઉપર કાલિકામાતાનું મંદિર છે . ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોનાં હૃદય ભરી દે છે . ઈડરિયો ગઢ : ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ' ઈલ્વદુર્ગ ” હતું . અનેક કહેવતો , લોકોક્તિઓ અને લોકગીતોમાં ' ઈડરિયા ગઢ'નો ઉલ્લેખ થયો છે .
 ( 3 ) ગુજરાતનું સૌદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે ? 
ઉત્તર : ગુજરાતનું સૌંદર્ય સાબરનાં મની સોણલાં , રેવાનાં અમૃત ( જળ ) , સમદરનાં મોતીની છોળો , ગિરનારી ટુકો ને ઈડરિયો ગઢ , પાવાગઢ , ચોરવાડ નિરૂપવામાં આવ્યું છે . 

3 ફેબ્રુ, 2021

પરીક્ષાની સુચના

* પરીક્ષાની સુચના ૧. પરીક્ષા વિષે વિચારી – વિચારી વધારે ચિંતા કરવા કરતાં જીદગીમાં દરેક પગલે કસોટી આપવી પડે છે . એવું વિચારીને નિર્ણય કરી આત્મ શક્તિની સાથે જે તે કસોટીને કેવી રીતે સફળતાથી પાર કરી શકાય તેના તરફ ધ્યાન આપવું . ૨. પરીક્ષાની પૂર્વ તૈયારી ન કરતા વિદ્યાર્થીઓ પછી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવાની વેતરણમાં પોતાની જાતને ચિંતામાં નાખી દે છે . ખરાબ પદ્ધતિઓનો ડર પરીક્ષાના ડર કરતાં વધારે હોય છે . ૩. જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી ઠીક રીતે કરી શકતો નથી તે લગાતાર પોતાના અધ્યાપક કે શિક્ષકના સંપર્કમાં રહીને કઠિન મુદ્દાઓનો ઉકેલ મેળવે , ઉપરાંત વધારાના વર્ગોમાં જઈને પણ અભ્યાસ પૂરો કરી શકે છે . 

૪. પરીક્ષા ખંડમાં આપેલ પ્રશ્નપત્રને શાંત ચિત્તે અને એકાગ્ર મને વાંચન કરી પ્રશ્નને બરાબર સમજી વિચારી સરસ રીતે સુંદર આકર્ષક મરોડદાર સુવાચ્ય અક્ષરોમાં જવાબ લખવો . ૫. પરીક્ષામાં જો તમે બધુ ભૂલી જાઓ તો ગભરાયા વગર આંખો બંધ કરી શાંતચિત્તે બેસી લાંબો શ્વાસ લઈ ધીમેથી છોડી થોડી વાર મગજ અને શરીરને આરામ આપો . ત્યારબાદ વિચારો – યાદ કરો . ૬. લખતા લખતા કદાચ કંઈ ભૂલી જાઓ તો , આગળના પ્રશ્નોનો ઉત્તર લખવાનું શરૂ કરી દો . ૭. પરીક્ષાનો બધો જ સમય પરીક્ષા ખંડમાં જ વીતાવો . જલ્દીથી ઉત્તર લખી પરીક્ષા ખંડ છોડવાની જગ્યાએ જે ઉત્તર લખ્યા છે તેને એક વાર વાંચી જાઓ . કેમ કે જો કદાચ તમારાથી ભૂલ થઈ હોય તો તમે સુધારી શકો . ૮. જે વિષયની પરીક્ષા આપી રહ્યા છો તેની સાથે ઓતપ્રોત રહીને ચિંતન મનન કરો . ઉપ