સાચી જોડણી લખો :
( 1 ) પનિહારી
( 2 ) નર્મદ
( 3 ) મીટ
( 4 ) નીરતીર
*********************
નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
( 1 ) ઝાઝું = પુષ્કળ , વધુ
( 2 ) હીર = સત્ત્વ , દૈવત
( 3 ) નમણી = નાજુક , સુંદર
( 4 ) કપરું = મુશ્કેલ , અઘરું
( 5 ) ભોમ = ભૂમિ , જમીન
( 6 ) અમી = અમૃત , મીઠાશ
( 7 ) ટૂક = ટોચ , શિખર
( 8 ) દોહ્યલું = મુશ્કેલ , દુર્લભ
*****************
વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) ઝાઝી × થોડી
( 2 ) અમૃત x વિષ
( 3 ) સુખ x દુઃખ
( 4 ) દોહ્યલું x સોહ્યલું
*****************
નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
( 1 ) બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ – ટોડલો
( 2 ) લોકોનું એક સામટું આગળ
ધસવું – ઊમટવું
******************
અભ્યાસ
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) ગુજરાતને કવિએ કેવી કહી છે ? ઉત્તર : ગુજરાતને કવિએ મોંધેરી કહી છે .
( 2 ) નર્મદાનું બીજું નામ કહો .
ઉત્તર : નર્મદાનું બીજું નામ “ રેવા ' છે .
( 3 ) ‘ ચરોતર ' પ્રદેશ ક્યાં આવેલો છે ? ઉત્તર : ‘ ચરોતર ' પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે . એ ચરોતરમાં 104 ગામો આવેલાં છે .
( 4 ) સારસની જોડી ક્યાં સહેલ કરે છે ? ઉત્તર : જલાશયના કિનારે સારસની જોડી સહેલ કરે છે .
( 5 ) નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ?
ઉત્તર : નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી , ગુજરાતનું જીવન દોહ્યલું હતું .
******************
પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે ? એ પ્રદેશો માટે જાણીતા છે ?
ઉત્તર : કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયાકિનારાના વિહારધામ તરીકે જાણીતા છે .
( 2 ) ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે ? એમની વિશિષ્ટતા કાવ્યના આધારે જણાવો .
ઉત્તર : ગુજરાતની નદીઓ અને એમની વિશેષતાઓ : સાબર : સાબરકાંઠાના ઇશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે ત્યાં સુધી સાબરમતી ‘ સાબર ’ તરીકે અને પછી ‘ સાબરમતી ’ તરીકે ઓળખાય છે . કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ રેવા : નર્મદાનું બીજું નામ ‘ રેવા ’ છે , “ રેવા ' એટલે કૂદવું . નર્મદા ઠેકઠેકાણે ભૂસકા મારે છે . તેથી તેનું નામ રેવા પડ્યું છે . રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે . ગુજરાતના પર્વતો અને એમની વિશેષતાઓ : ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે . એની ટ્રકોનો ઉલ્લેખ કરીને , કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું
છે . પાવાગઢ : પાવાગઢ પર્વત ઉપર કાલિકામાતાનું મંદિર છે . ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોનાં હૃદય ભરી દે છે . ઈડરિયો ગઢ : ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ' ઈલ્વદુર્ગ ” હતું . અનેક કહેવતો , લોકોક્તિઓ અને લોકગીતોમાં ' ઈડરિયા ગઢ'નો ઉલ્લેખ થયો છે .
( 3 ) ગુજરાતનું સૌદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે ?
ઉત્તર : ગુજરાતનું સૌંદર્ય સાબરનાં મની સોણલાં , રેવાનાં અમૃત ( જળ ) , સમદરનાં મોતીની છોળો , ગિરનારી ટુકો ને ઈડરિયો ગઢ , પાવાગઢ , ચોરવાડ નિરૂપવામાં આવ્યું છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો