27 ફેબ્રુ, 2021

ગીતામૃત એટલે જીવનામૃત

ગીતા વિનાનું ઘર અધૂરું ઉત્ક્રાંતિની લાંબી મજલને અંતે માણસને ચીકુ જેવડું વિકસિત મગજ મળ્યું છે . એની નારિયેળ જેવડી ખોપરીમાં ગોઠવાયેલું સુપર કોમ્યુટર રાતદિવસ કામ કરતું રહે છે . મૂર્ખ માણસ પણ સુપર કૉપ્યુટરનો માલિક હોય છે . ભૂખડીબારસ આદમીના લેંઘાના ફાટેલા ગજવામાં કોહિનૂર હોય એવો ઘાટ ! મગજ ચાલે પણ માણસની બુદ્ધિ પર વિવેકનો પહેરો ન હોય તો દુર્યોધન પેદા થાય . શકુનિનું મગજ જોરદાર હતું , પરંતુ એની પાસે સત્ત્વગુણની દૈવી સંપત્તિ ન હતી . ‘ શકુનિ ' શબ્દનો અર્થ “ ગીધ ” પણ થાય છે . ગીતા કહે છે કે માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શક્તો નથી . જો કૃષ્ણની આ વાત સાચી હોય તો માણસે કર્મ છોડ્યા વગર કર્મનાં વળગણ છોડવાં જોઈએ . વળગણ દુઃખી કરે છે . ગાંધીજી સાચું કહે છે કે ગીતાનો ઉદ્દેશ મોહનિરસન છે . ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ બનેલા માણસોનો પ્રતિનિધિ છે . ઘણા હિંદુઓ હિંદુ હોવા બદલ ગર્વ અનુભવે છે . ઘરમાં ગીતા ગેરહાજર હોય અને ગીતાનો એક પણ શ્લોક વાંચ્યો ન હોય ત્યારે એમનું મિથ્યાભિમાન વધારે ચગે છે . જે ધર્મોને પણ વધારે સારી રીતે સમજવા પામે . ગીતા વિનાનું ઘર અધૂરું ગણાય . ગીતામૃત એટલે જીવનામૃત .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો