27 ફેબ્રુ, 2021

નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..


નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..

એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે: 18 આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે


ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી

સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે 

મને આખલા નામના પ્રાણીની ખૂબ દયા આવે છે. તેને ખૂંટ પણ કહે છે. અલવરના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રાણીઓની ખરીદી પર લોનમેળો રાખ્યો હતો ત્યારે ત્યાં મેં આખલો જોયો હતો. ત્યાં ઉભા કરાયેલા દરેક સ્ટોલવાળા તેને હડે હડે કરીને કાઢી મુકતા હતા. કોઇ તેને મારતું હતું તો કાઇ લાકડી મારીને તેને કાઢતું હતું. ત્યાં ઉભેલા સિક્યોરીટી વાળા પણ તેને મારતા હતા. સામે છેડે આખલો માત્ર માથું ધૂણાવીને આગળ જતો રહેતો હતો. અંતે તે શરીર પર ઉઝરડા સાથે સ્થળ છોડીને જતો રહે છે. 

શાક માર્કેટમાં ફેંકી દીધેલા શાકભાજી ખાવા આખલો જાય ત્યારે ઘણીવાર તે એસિડનો ભોગ બને છે. તે સ્થળ પરથી આસાનીથી હટાવી શકાતો ના હોઇ તેના પર એસિડ નાખવામાં આવે છે. એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે. ગોરખપુર શહેરનું નામ ભલે ગૌરક્ષા પરથી પડયું હોય પણ ત્યાંના મ્યુનિસિપલ સત્તાવાળાઓ વારંવાર આખલાઓને પકડે છે અને તેમને એક તળાવમાં ધકેલી દે છે અને તેમને ખોરાક પણ નથી આપતા.

અશક્તિના કારણે તે પાણીમાં પડી રહે છે અને એકાદ અઠવાડીયામાં મોતને ભેટે છે. કોઇ ગૌશાળા આખલાને રાખતી નથી. એટલે તે શહેરમાં ભટક્યા કરે છે અને લોકોનો માર ખાયા કરે છે. ઘણા આખલાને રાત્રે પકડવામાં આવે છેે અને ગેરકાયદે ચાલતા કતલખાનમાં વેચી મરાય છે. કેટલાક છેતરપીંડી કરનારાઓ આખલાને પકડી લાવે છેે અને તેના પર ત્રિશુળ આકારનો ડામ કરીને તેને સાથે રાખીને ભીખ માંગે છે. 

કેટલાક આખલા જાણે લડીને મરવાજ પેદા થયા હોય એમ લાગે છે. જ્લીકુટ્ટીની જીવલેણ સ્પર્ધા માટે તૈયાર કરવા તેમને ભૂખ્યા રખાય છે. તેમની આંખોે ફોડી નાખવામાં આવે છેે, દારુ પીવડાવીને ગાંડા બનાવાય છે ત્યારબાદ તે પોતાના શીંગડાજ ઉખડી જાય એવી લડાઇ કરીને મોતને ભેેટે છે. પ્રાચીન તમિલો એમ માનતા હતા કે આખલો માણસ કરતાં વધુ શક્તિશાળી છે એટલે કેરળથી વહાણમાં મંગાવતા હતાને બીજા દિવસે મારી નાખતા હતા. 

નંદીથી સૌ પરિચિત છે. નંદી એટલે આનંદ-ઉત્સાહ. આપણી નજર સામે હાલમાં ભલે આખલો લોકોના મારનો શિકાર બનતો હોય કે ભૂખે મરતો હોય કે મોતને ભેટતો હોય પરંતુ આપણા પ્રચીન મંદિરો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે ત્રણ પ્રાણીઓ વાનર, હાથી અને આખલો મંદિરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેમની જીંદગી ત્રાસજનક બનેલી હોય છે. આ ત્રણેય પ્રાણીઓને કોઇ ખવડાવતું નથી લોકો ગાયને ખવડાવે છે એમ તેમને નથી ખવડાવતા. તેમની સંખ્યા પણ ઘટી રહી છે એટલે આપણા બાળકો તો કદાચ તેમને જોઇ પણ નહીં શકે. 

નંદીએ પર્વત પણ છે અને શિવ પાર્વતીના રક્ષક પણ છે. પતંજલિ અને થિરુમુલર સહિતના ૧૮ આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે. મહાદેવના મંદિરમાં જાવ તો પ્રથમ તમને નંદી જોવા મળશે. ક્યાંક તો માત્ર નંદીનાજ મંદિરો જોવા મળે છે. સંસ્કૃૃતમાં તેને વૃષભ કહે છે. એટલેકે ધર્મ. ભગવાન શિવના જેે ગણ કે ટીમ કહેવાય છે તેના ચીફ એટલે નંદી. તમારે મહાદેવના દર્શન કરવા હોય તો પહેલાં નંદીને પગે લાગવું પડે છે. નંદી એ માન, સન્માન, વિશ્વાસ, પ્યોરીટીનું પ્રતિક છે.

ભગવાન શિવે જ્યારે તાંડવ કર્યું ત્યારે મ્યુઝીક આપનાર નંદી હતા બૃહદ ધર્મ પુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવના લશ્કરના કમાંડર નંદી હતા. આધ્યાત્મિક રીતે જોવા જઇએ તો નંદીએ આત્માનું પ્રતિક છે. સૌરા પુરાણામાં એમ લખ્યું છે કે હજારો સૂર્યના પ્રકાશથી ઝળહળતા ઘરેણા અને ત્રણ આંખો તેમજ હાથમાં ત્રિશુળ વાળા તરીકે નંદીને જણાવાયા છે.

સૌથી કોમન નંદી એટલે નીચે પગ વાળીને બસે અને ગળામાં ઘંટડી લટકાવેલો હાર હોય. કેટલીક જગ્યાએ નંદીની ઓળખ અડઘું શરીર માનવનું અને અડઘું આખલા તરીકેનું છે. તેના ચાર હાથ બતાવાયા છે. એેક હાથમાં ફરસી છે તો બીજા હાથમાં હરણ જોવા મળે છે જ્યારે બીજા બે હાથ સ્તુતી કરવા માટે જોડાયેલા જોવા મળે છે. વાયુ પુરાણમાં એમ લખ્યું છે કે નંદીએ કશ્યપ અને સુરભીનો પુત્ર હતા. કેટલાક પુરાણોમાં એમ લખ્યું છે કે મહાન ઋષિ શિલ્દાએ 

તપશ્ચર્યા કરીને અમર પુત્રની માંગણી કરી હતી. ત્યારે યજ્ઞાની જ્વાળામાંથી જે પુત્ર બહાર આવ્યો તેને નંદી નામ આપાયું હતું. સાત વર્ષની ઉંમરે તેને બધા વેદો અને શ્લોકો મોઢે આવડતા હતા. શિલ્દાએ તેના પુત્રને કહ્યું કે તે એેકાદ વર્ષમાં મૃત્યુ પામશે. નિરાશ પુત્ર નંદીએ ભગવાન શિવનું શરણ લીધું હતું. ભગવાન તેની ભક્તિથી ખુશ થયા હતા અને તેને ઘંટડી વાળો નેકલેસ ભેટ આપ્યો હતો. તેને અડધું માનવ શરીર પણ આ પ્યું હતું, ત્યારબાદ તે શિવ દરબારમાં ગયા હતા.

બીજી એક સ્ટોરી એવી છે કે સમુદ્ર મંથન વખતે સાપોના રાજા વાસુકીનો ઉપયોગ દોરડા તરીકે થયો હતો. મંથન દરમ્યાન જ્યારે અંદરથી હળાહળ ઝેર નિકળ્યું ત્યારે તે ગળવા દેવો કે દાનવો તૈયાર નહોતા. ત્યારે તે ઝેર પીવા ભગવાન શિવ તૈયાર થયા હતા. તેમણે ઝેર પીધું ત્યારે જે ટીપાં નીચે પડયા તે નંદીએ ગળી લીધા હતા. 

નંદીને ઝેરની અસર નહોતી થઇ. ભગવાન શિવે કહ્યું હતું કે નંદી મારા શરીરમાં રહેલો છે માટે તેને અસર નહીં થાય. ત્યારે દેવો અને અસુરોને નંદીની તાકાત જોઇને આશ્ચર્ય થયું હતું. કહે છે કે ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને યુધ્ધમાં વપરાતા શસ્ત્રોની તાલિમ આપી હતી. કેટલાક લોકો નંદીના કાનમાં પોતાની પ્રાર્થના સંભળાવે છે.

એક સ્ટોરી એવી પણ છે કે ભગવાન શિવે તપ કરવાનું નક્કી કર્યું એટલે નંદી પણ તપ કરે તે સ્વભાવિક છે. તે દરમ્યાન એવું થયું કે જલંધર નામના રાક્ષશે પાર્વતીજીને બાનમાં લીધા હતા. ત્યારે પુત્ર ગણેશ તેના પિતાના તપમાં ભંગ પાડવા નહોતા માંગતા એટલે તેણે નંદીના કાનમાં કહ્યું કે આવી ઘટના બની છે. જે ભગવાન શિવ સાંભળી ગયા હતા. ત્યારથી લોકો માનવા લાગ્યા છે કે નંદીના કાનમાં જે કહીએ તેને ભગવાન શિવ પણ સાંભળે છે. 

એકવાર રાવણ નંદીની ઠેકડી ઉડાડતો હતો ત્યારે નંદીએ શ્રાપ આપ્યો હતો કે એક વાર કોઇ વાનર તારી લંકાને બાળશે. જ્યારે હનુમાન સીતાજીને શોધવા લંકા ગયા ત્યારે તેમણે લંકાને આગ લગાડી હતી. સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે. ભારતભરમાં મેલ (પુરુષ) વાછરડાને તે પુખ્ત વયનો થાય તે પહેલાંજ મારી નાખવામાં આવે છે. જે પુખ્ત થઇ જાય છે તેની જીંદગી દોઝખ ભરી બની જાય છે.   

કેટલાક આખલાના ટેસ્ટીકલ (અંડકોષો)ને પથ્થરો વડે છૂંદી નાખવામાં આવે છે અને પછી ગાડા ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપયોગી એટલા માટે નથી કે વેટરનરી ડોક્ટરો ગાયમાં કૃત્રિમ વિર્યથી ગર્ભાધાન કરાવે છે. ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો. જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી.

સંવેદના - મેનકા ગાંધી
સૌજન્ય સહ: ગુજરાત સમાચાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો