કંડલા કચ્છના અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે . 1947 માં ભારતના ભાગલા પડ્યા અને કરાંચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું . તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે . કંડલા ડીસા સાથે મીટરગેજથી અને અમદાવાદ સાથે બ્રોડગેજથી જોડાયેલું છે . વિમાનમાર્ગે તે રાજકોટ - મુંબઈ સાથે જોડાયેલું છે . કંડલા બંદરેથી મુખ્યત્વે રશિયા , યુ.એસ.એ. , કેનેડા , ઑસ્ટ્રેલિયા મધ્ય પૂર્વના ( દેશો , જાપાન , યુ.કે. તેમજ એશિયાઈ અને આફ્રિકન દેશોમાં માલસામાનની આયાત - નિકાસ થાય છે .
દાદા મેકરણ વિશે ટૂંક નોંધ લખો .
દાદા મેકરણ કચ્છના સંત , કવિ અને મહાત્મા હતા . મેકરણદાદાના બે મૂંગા મિત્રો હતા - એક લાલિયો ગધેડો ને બીજો મોતિયો કૂતરો . દાદાનાં પરોપકારી કાર્યો આ બે પ્રાણીઓને આભારી હતાં . કચ્છ અને કાઠિયાવાડમાં ઠેરઠેર એમનાં ભજનો ને સાખીઓ ભાવપૂર્વક ગવાય છે . સંવત 1786 ના આસો વદ 14 ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સંતપુરુષોની મંડળી સાથે તેમણે જીવતાં સમાધિ લીધી હતી .
****************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો