27 ફેબ્રુ, 2021

સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..


સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..

હકીકત એ છે કે શિયાળને કોઇ શિંગડા નથી હોતા, તેના કપાળના હાડકાને શિંગડું ગણાય છે..


ઇન્ટરનેટ પર આવા સિયાર સિંઘ વેચાય છે, તેને વિધિ કરીને ઘરમાં રખાય તો પૈસાદાર થવાય છે એવો બકવાસ જોવા મળે છે..

સિયાર સિંઘી કરતા વધુ પાવરફુલ સિયાર સિંહ આવે છે તે શિયાળના પેનીસમાંથી બને છેઃ કોઇ નસીબ પલટાવી ના શકે...

ઇન્ટરનેટ પર હિન્દુ ધર્મના નામે કેવું ધૂપ્પેલ ચલાવવમાં આવે છે તે શોધવા મારી ટીમ છેલ્લા બે અઠવાડીયાથી તમામ ધાર્મિક સાઇટો ફંફોસી રહ્યા છે. ગઇ વખતે આપણે જોયું કે ચમત્કારીક હાથાજોડી હકીકતે તો મોનીટર પ્રકારની ગરોળીનું પેનીસ (લિંગ) હોવાનું જણાવાયું હતું. હાથ જોડી રાખવાથી પૈસો અને સમૃદ્ધિ એમ બંને આવે છે એમ દર્શાવી તે નેટ પર વેચાતું હતું. આવી તો ગેરમાર્ગે દોરતી કેટલીય ચીજો વેચાતી હોય છે.

સિયાર સિંઘી નામની ઔષધ હકીકતે તો શિયાળનું શિંગડું હોય છે. એટલેજ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ હેઠળ શિયાળનું રક્ષણ કરાય છે.

શિયાળને શિંગડું નથી હોતું છતાં સાઇટ પર તેને શિયાળના શિંગડા તરીકે વેચવામાં આવે છે. જ્યારે શિયાળ માથુ નીચુંં કરીને કીકીયારી પાડે છે ત્યારે તેના માથાના આગળના ભાગમાં એક હાડકું બહાર આવે છે તેને શિંગડા તરીકે ખપાવવામાં આવે છે. જ્યારે શિયાળને મારી નાખીને માથામાંનો શિંગડા આકારનો ભાગ વાળના ગુચ્છા સાથે કાઢી લેવામાં આવે છેે ત્યારે તેના પર ચોંટેલા વાળ ઉગ્યા કરે છે. જો તેને સિંદુરમાં રાખવામાં આવે તો વાળ પણ વિવિધ કલરના ઉગે છે.

જો તમે આ શિંગડું પાસે રાખો તો દુષ્ટ આત્મા દુર રહે છે. જો તમે આ શિંગડાનો રેગ્યુલર હવન કરેા તો તમને સ્વર્ગમાં બેઠેલા ગુરુઓના આશિર્વાદ મળી રહે છે. જો વધુ પૈસા ખર્ચો તો વધુ લાભ થાય છે. જો તમે વધુ પૈસા ના ખર્ચો તો ઓછો લાભ થાય છે. સિયાર સિંધી નામે ચાલતા બકવાસમાં માત્ર હિન્દુઓ નથી ફસાયા પણ મુસ્લિમો અને બૌદ્ધો પણ ફસાયા છે.

શ્રીલંકાના કેટલાક અજ્ઞાાનીઓ જુગારમાં જીતવા આ શિંગડાને સાથે રાખે છે. નેપાળ અને ભારતમાં થારુ જાતના આદિવાસીઓ એમ માને છે કે આ શિંગડાના કારણે અંધારામાં જોવાની શક્તિ મળેે છે અને સ્ત્રીને આકર્ષી શકાય છે. બંગાળમાં તેને હાથા જોડીની જેમ તિજોરીમાં રખાય છે જેથી સમૃધ્ધિ વધે એવી માન્યતા છે.

જો કે તેની વ્યવસ્થિત પૂજારી મારફતે પૂજા થાય તો જ તે કામ કરતું થાય છે. કેટલીક સાઇટો તો શિંગડું અસરકારક છે એમ બતાવવા બાઇબલને ટાંકીને કહે છે કે બાઇબલમાં લખ્યું છે કે શિયાળ એ રાક્ષસની માતા છે એટલે જો તેનું શિંગડુ રાખવામાં આવે તો રાક્ષસ તેની માતા પાસે નથી આવતો. 

ગોલ્ડન જેકેલની (ગોલ્ડન શિયાળ) ૧૩ જાતિઓ છે. તે હવે સાત પર આવી ગઇ છે. તે નાના કૂતરાં જેવું હોય છે. પેરન્ટ્સ અને બાળકો સાથે નાના જૂથમાં રહે છે. તે નાના સાપ, જીવાણુઓ અને ઉંદરડા ખાય છે. પંચતંત્રની વાતોમાં તેમને બુધ્ધિશાળી પ્રાણી તરીકે ગણ્યા છે.કહે છે કે જેકેલની લવારી (અવાજ કરવો) સાંભળવી એ શુકનીયાળ કહેવાય છે.

જેકેલનું જોડાણ મા કાલી અને મા ચામુંડા સાથે રહેલું છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક આદિવાસીઓ જેકેલને ખાય છે. તમિળનાડુના આદિવાસીઓની કેટલીક જાત ઉંદરડાથી માંડીને ખિસકોલી અને શહેરના બંગલાઓમાંથી ચોરી લાવેલા પાળેલા કૂતરા પણ ખાય છે. 

પરંતુ શિયાળના માથાના હાડકાના ભાગને શિંગડુ ગણીને તેનાથી લક કેવી રીતે આવે તે ખબર નથી પડતી. હવે તોે સાઇટો પર શિંગડા વેચનારાની ટૂંકમાં ધરપકડ થવાની છે પરંતુ તેમણે ગ્રાહકોને એવી રજુઆત કરી હતી કે જો પૂજા કરીને તેને એક્ટીવેટ કરવામાં આવે તો તે સાંધાના દુખાવા, માનસિક રોગો સહિતના અનેક રોગો મટાડી શકે છે.

દરેક ધર્મ માટે અલગ મંત્ર હોય છે. જેમકે 

મમ કર્યા કુરુ નમઃ

ઓમ પદ્દમ શ્રીમ્મ

ઓમ હરિરામ પૂર્વા

પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ

અધિક તરલ પદાર્થ સભી જન્ય

અગ્યા કરી કુરુ નમઃ

ગીદાર સિંગી અમુક મધર

વશ્યાન કુરુ કુરુ સ્વાહા..

આ મંત્રનો સંસ્કૃતમાં કોઇ અર્થ નથી. પરંતુ તે સાઇટ પર હોવાના કારણે ખરીદનારે આ મંત્ર ૨૧થી ૧૦૮વાર બોલવાનો હોય છે. તેમ છતાં જો તે અસરકારક ના લાગે તો સાઇટ પરથી ક્રીસ્ટલ માળા મંગાવીને જાપ કરવા પડે છે. તેમ છતાં તે કામ ના કરે તે સાઇટ પરથી બીજી ક્રિસ્ટલ માળા મંગાવીને ફરી માળા કરવી પડે છે.

મુસ્લિમોને એમ કહેવામાં આવે છે કે આ શિગડામાં અલ્લાહે વિશેષ શક્તિ ભરેલી છે. માટે જો તમે તે એકજ શિગડું ખરીદો તો તે પુરતું નથી. તમારે મેલ અને ફીમેલ એમ બે શિંગડાં ખરીદવા જોઇએ.  

આ શિગડાં પૂનમના પ્રકાશમાં ભેગા કરાય છે. તેમજ તે માટે ચોક્કસ નક્ષત્રનું પણ ધ્યાન રખાય છે. ત્યારબાદ સિયાર સિંઘીને એક હાથમાં લઇને એમ બોલવાનું હોય છે કે હું સિયાર સિંધી ધરાઉ છું, મારુ નામ.... છે અને તારે મારી આજ્ઞાા માનવાની છે. ત્યાર બાદ તેને ચાંદીની પેટીમાં મુકીને સાથે ત્રણ લવિંગ અને બે એલચી મુકવા જણાવાય છે.

આ ચીજથી તમે તમારા દુશ્મનને સખત્ત દુખ પહોંચાડી શકો અને તેનું મૃત્યુ પણ નિપજાવી શકો છો.

આ શિંગડાને વધુ મોંઘું બનાવવા માટે વેબસાઇટ પર એમ લખેલું હોય છે કે અમે જે વેચીએ છીએ એ સામાન્ય શિંગડું નથી પણ શિયાળોનો જે લીડર છે તેનામાં આવું શિગડું ઉગે છે . આ શિગડું રીયલ છે કે કેમ તે જાણવા માટેના ટેસ્ટ પણ થાય છે. જેમકે તેને પારામાં બોળવામાં આવે તો શિંગડું ઓગળવા લાગે છે.

વધુ પાવરફુલ સિયાર સિંઘી પણ હોય છે . તેને સિયાર સિંહ કહે છે . તે શિયાળના પેનીસમાંથી બને છે. દરેક સાઇટ એવો દાવો કરે છે કે અમે જ સાચા સિયાર સિંઘી વેચીએ છીએ. આ સાઇટો કૂતરાના, ભૂંડના શિંગડા ગુંદર ચોંટાડીને વેચે છે.

૨૧મી સદીમાં પણ તમે એમ માનતા હોવ કે કોઇ પ્રાણીનું હાડકું કે વાળને જથ્થો તમારું નસીબ પલટાવી શકે છે તો તમે લીધેલું શિક્ષણ ખાડે ગયું છે એમ સમજજો.



સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
Maneka-Gandhi
Samvedna
    

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો