24 ઑગસ્ટ, 2021

ધોરણ 6( ગુજરાતી) લેખણ ઝાલી નો રહી


[Q - 1]. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો : 
(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?

A. ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાની આવી છે. કારણ કે કુરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ-પાન વિનાની વેરાન ધરતી આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે.



(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?

A. શેઠ કોઈના માટે ઘસાય એવા ન હોતા એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચે ઉતારી ડેટા. આજે કહળસંગના ગાડામાં શેઠ ક્પાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા પણ કહળસંગને શેઠની વાણીયાવિધા ગમતી નહોતી. આથી કહળસંગ બાચકું લેવાની ના પાડે છે.



(3) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?

A. ગામ આખું અભણ હતું અંગૂઠા છાપ હતું માત્ર હરખચંદ ભણેલા હતા એટલે હરખચંદનો ભાવ પૂછતો હરખચંદ શેઠ ગામના લોકોના કોઈના દસ્તાવેજ લખવાનું ખાતા પાડવાનું સારા-નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપના.



(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?

A. અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડુ સૌ કોઈનું આવવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપની માણસાઈ છે. હરખચંદ શેઠ ! એ પછી સંઘાયે કહળસંગને ઠપકો આપ્યો.

                ****************
[Q - 2]. નીચેનાં વિરામચિહૂનોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
(3) અવતરણચિહૂન

A. “એ .......ઈ...... કહળસંગ ભાઈ !



(1) અર્ધવિરામ

A. આલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે : સમજ્યા ? વાક્ય જ નથી.



(2) ગુરુવિરામ

A. એમનાથી લબડી જવાયું : “માહળા રજપૂતે કરી છે ને કાઈ ?
                      **************

[Q - 3]. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) પાઘડીના જેવો વિસ્તાર

A. પાઘડિપ



(2) મૃત્યુ સમયે લખાતો પત્ર

A. કાળોત્રી



(3) મરણ પછી બારમા દિવસે થતો વિધિ

A. કારજ



(4) માટીની ભીંતનું નાનું ઘર

A. ખોરડું
         
           ***************

[Q - 4]. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
(1) તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.

A. (1) બારમો ચંદ્ર હોવો
(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(3) નાચન જાણે આંગન ટેઢા
(4) ઉતાવળે આંબા ન પાકે
(5) ઘરના ભુવાને ઘરના જાગરીયા
(6) ડુંગરા દુરથી રળિયામણા
(7) મુંડી કરતાં વ્યાજ વહાલું.
               *****************

22 ઑગસ્ટ, 2021

ખંભાતના વાણિયાની વાર્તા

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

*બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે...*
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી  

*✍🏻 બાળકના મન ને* *જાણનારી "માઁ"*
*અને......
ભવિષ્ય જાણનારો "પિતા"*
*આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે*

*બસ એમનો "આદર" કરશો તો*
*"ભગવાન " પાસે તમારે કાંઇ માંગવુ ના પડે*.

🍂🍂🍂🍃🍃🍃🍂🍂🍂

19 ઑગસ્ટ, 2021

જનોઇ બદલવા વિષે


તા.૨૧.૮.૨૧ ના રોજ વ્રતની પૂનમ તેમજ નાળિયેરી પૂનમ અને શ્રવણ નક્ષત્ર હોવાથી જનોઇ શનિવારે બદલવી તેમજ રક્ષાબંધન ૨૨.૮.૨૧ ને રવિવાર ના રોજ છે.આખો દિવસ રાજયોગ હોવાથી આખો દિવસ શુભ છે.
તારીખ : 21-08-2021ને શ્રાવણ સુદ-14 ના દીવસે શ્રવણ નક્ષત્ર સૂર્યોદય થી લઈને સાંજે 8-22 સુધી છે.અને પૂનમ સાંજે 7-02 વાગ્યાથી શરૂ થાય છે.... તો ભૂદેવો ને જનોઈ બદલવા માટે તારીખ 21-08-2021 ને શનિવાર, શ્રવણ નક્ષત્ર નો દિવસ લેવો દરેક રીતે યોગ્ય છે. આ દિવસે સવારે 7-56 થી 9-32 અને બપોરે 12-44 થી 2-20 દરમ્યાન બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ કરવી -  
*🔅જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ 🔅*

 સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને 
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો 
[ ૧ ]  
સંકલ્પ : જમણા હાથમાં જળ રાખવું અને પંચાંગ અનુસાર... યોગ્ય...સંકલ્પ કરીને .....જળ નીચે તરભાણામાં મૂકો.... 

[ ૨ ] 
ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે 
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો 

ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥ 

[ ૩] 
ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો 

[ ૪ ] 
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે 
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા  
- - આવહયામી સ્થાપયામી -- 
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ 

ૐ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવહયામી સ્થાપયામી 
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ આવહયામી સ્થાપયામી 
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી 
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ આવહયામી સ્થાપયામી 
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતૃન આવહયામી સ્થાપયામી 
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી 
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવહયામી સ્થાપયામી 
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ યમામ આવહયામી સ્થાપયામી 
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી 
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી 

[ ૫ ] 
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો 

આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ .... 

[ ૬ ] 
ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો 
અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળા ની જેમ જનોઈ પહેરો 
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી 
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો 

ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત । 
આયુષ્યમગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥ 

[ ૭ ] 
નવી જનોઈ ધારણ થઈ જાય પછી 

સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા - ૐ સૂર્યાય નમઃ ૐ રવિયે નમઃ ૐ ભાસ્કરાય નમઃ 

[ ૮ ] 
ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો 

એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥

જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા 
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી 

[ ૯ ] 
ત્યારબાદ જળની ચમચી ભરી રાખો 
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો 

નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ 
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે 

( નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી ) 

આ વિધિ સંક્ષિપ્ત પૂજા ની છે... બધીજ ખાત્રી કરવા છતાં ગુજરાતી ટાઈપિંગ માં કોઈ મંત્ર કે શબ્દ માં ભૂલ હોય તો.... ક્ષમા યાચના.... જાતે સુધારીને કાર્ય કરી લેવું... 

*"મહાદેવ"હર*

17 ઑગસ્ટ, 2021

ખાવામાં કયું તેલ વાપરવું?


      -દિખાવે પે મત જાવ.. 
  🤫અપની અક્કલ લગાવ...

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું? 

તેમનો જવાબ ખુબ માર્મિક હતો..

 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...
 શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ? 😟 *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં... ☹️
 *ચોખા* ના વળી તેલ નીકળે? 🤫
આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..

*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? 
😪એક વાર ઘાણી માં જઈને જોજો.. ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...
😨 *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે.. 
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..

રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !
દક્ષિણ ભારત માં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

🥓 તો હવે સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે.. 
પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો ...
કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ...

*અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે*...
દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...
મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નુ અને *મગફળીનુ સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો... 
જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા આને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )

ઘણા પાછા એકદમ એડવાન્સ થાય અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાઝુ જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તયાર થાય અને ભુર વા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..

*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?
*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો ... એકલી મજા જ આવશે*...

બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..
અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.. 🙏

5.મહેનતનું મોસમ ( ધોરણ 6) ગુજરાતી


પ્રશ્ન નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે ? શા માટે સાદ કરે ?

જ. ‘સીમ સાદ કરે’ એટલે સીમ ખેડૂતોને બોલાવે છે. વરસાદ વરસ્થા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને બોલાવી રહી છે.



(2) લીંપી- ગુંપી ને ખળા શા માટે કરવા પડે ?

જ. ખેતરમાં લણવાની ક્રિયા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠા કરે છે પાકના દાણા છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખળામાં દાણા સાફ કરે છે. તેથી લીપી-ગુંપીને ખળા તૈયાર કરવા કહે છે.



(3) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?

જ. લણવાની ઋતુ આવી છે પાક તૈયાર થઈ ગયો છે કવિ દાતરડા ને પછેડી લઈ ખેડૂતોને મહેનત કરવા બોલાવે છે. સૌ સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ કહે છે.

પ્રશ્ન. ઊજળું દૂધ જેવુ, લીલું કંચન જેવુ- આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દો શબ્દપ્રયોગો આપો.

1. સફેદ ____જેવું
2. કાળું ____જેવું
3. રાતું ____જેવું
4. મીઠું ____જેવું
5. કડવું ____જેવું
6. કુણું ____જેવું

જવાબ. 1. દૂધ
2. કોલસા
3. રતાશ
4. મધ
5. ઝેર


[પ્ર.]. નીચેના શબ્દોના વાક્યપ્રયોગ કરો :
(1) સીમ

જ. સીમમાં પાક તૈયાર થયેલો જોવા મળે છે.



(2) નદી

જ. અમારા ગામ પાસે એક નદી છે.



(3) આભ

જ. આભમાં સૂર્ય દેખાય છે.



(4) મોલ

જ. મોલ જોઈ ખેડૂત હરખાય છે.



(5) મલક

જ. આપણો મલક મોટો છે.



(6) રળનારો

જ. દરેક ઘરમાં રળનારો માનવ હોય છે ને દેનારો ભગવાન છે.


[પ્ર.]. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ લખો.
(1) સોનાવરણી સીમ બની
        મેહુલિયે કીધી મ્હેર રે .........
જ. આ વરસે વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવી થઈ ગઈ છે.



(2) રંગેસંગે કામ કરીએ
    થાય મલક આબાદ રે ..........
જ. સૌ સાથે મળીને આનંદની મહેનત કરીએ તો આપણો પ્રદેશ આબાદ થાય છે.

6 ઑગસ્ટ, 2021

ધોરણ 8 (ગુજરાતી) એક મુલાકાત

*અઘરા શબ્દો લખો

વિધાનસભા ગૃહ   
પ્રવૃત્તિઓ 
પ્રસન્નતા 
અલ્પાહાર
 કેન્ટીન 
અધ્યક્ષશ્રી
 સ્મૃતિ 
રાષ્ટ્રપિતા
 સુવ્યવસ્થિત
 ગ્રીન સીટી 
પ્રકૃતિ 
વ્યવસાયિક 
સાંસ્કૃતિક 


           ********************

[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?

A. કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.



(2) જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃતિઓ કરશો ?

A. જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારાં વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ-બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.



(3) એક નાગરિક તરીકે તમને રાજયની કઈ બાબતો સારી લાગે છે ?

A. એક નાગરિક તરીકે મને રાજયના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.



(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?

A. 1. જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્યે ઘર પાસે કુંડા મુકવા. 3. ગ્રામપંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા-કોલેજના પટાંગણમાં વિધાર્થીઓએ વૃક્ષોરોપણ કરવું. 5. ગામમાં બાગ-બગીચા કરવા જયા ઝરણા હોય તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.

(5) તમે લીધેલા કોઈએક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.

A. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયાં હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુશિખરથી કુદરતી દર્શયો જોવાનો લહાવો લીધો પછી અદ્ધરદેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી જયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતાં મળેલા ઘનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા કુભારણનના મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.


(6)તમારા વિસ્તારમાં આવેલ જોવા લાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.


 A. ઘૂઘવતાં દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે. ભારતના બાર જયોતિલિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંદર-વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી તે મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મુર્તિ છે ત્યાના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્યશાંતિનો અનુભવ થયો.


                 ****************

[Q - 2]. નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો.
(1) રાજયના કાયદા ઘડનારી સભા

A. વિધાનસભા, ધારાસભ્ય



(2) રાજય કે દેશનું વડું મથક

A. પાટનગર , રાજધાની
                *******************

[Q - 3]. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) (અ) અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃતિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ

A. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃતિ, પ્રવેશ , વ્યવસ્થા, સ્વચ્છ



(1) (બ) પાઠમાં ‘ઈક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિ’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો.

A. 1. સમાજ + ઈક = સામાજિક
2. અર્થ + ઈક = આર્થિક
3. વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક
4. ભૂગોલ + ઈક = ભૌગોલિક
5. સ્વભાવ + ઈક = સ્વાભાવિક
,.            ***************

*
              ***************

*


4.બે ખાનાનો પરિગ્રહ ( ગુજરાતી)ધોરણ 7




શબ્દ - સમજૂતી

 પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું 

નિશ્ચય નિર્ણય 

અસહ્ય સહી ન શકાય તેવું

 ખેવના કાળજી 

ભીડ ગિરદી 

પોસાવું પરવડવું 

સલૂન ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો

 પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે 

પેસેન્જર મુસાફર

 અમૂલ્ય કીંમતી


             ***************




                    *************
                         સ્વાઘ્યાય

*પ્ર. ગાંધીજી વિષે દસ વાક્ય લખો.

 A. મહાત્મા ગાંધીનો જન્મ ઇ.સ . 1869 ના ઓક્ટોમ્બર ની 2 તારીખે પોરબંદરમાં થયો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેરિસ્ટર થવા ઈગ્લેંડ ગયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફિકા ગયા ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિસંક લડત આપી તેમાં તેઓ સફળ થયા અહિસા એ સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઇ.સ. 1947 માં ભારતને આઝાદી અપાવી.


*પ્ર. બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો ? અને પ્રેમને ‘આધળો’ ને બદલે ‘લૂલો’ કહીએ તો ?

 A. ‘લીલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દ છે ‘લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વગરનો જે બચાવ માં કોઈ જ આધાર પુરાવો ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહીં. ‘આંધળો પ્રેમ’ એ પણ રૂઢ થયેલો શબ્દ છે પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શક્તિ નથી તેવો પ્રેમ આમ લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’ના વિશેષણો બદલવાની અર્થ ચોખ્ખો બનતો નથી.


[પ્ર.]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?

A. ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ કરતાં વધારે વાપરવું તેને હિંસા સમજતા હતા. આથી ગાંધીજી મનુબહેન ને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાણું તેમણે પાછું સોપે છે આ પ્રસંગ માંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વઘારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.


 



[Q - 2]. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્ય પ્રયોગ કરો.
(1) ખેવના –

A. કાળજી સારસંભાળ
વાક્ય – ગાંધીજી ભારતીય લોકોની બહુજ ખેવના રાખતા હતા.



(2) હુન્નર –

A. કસબ કારીગરી
વાક્ય – હુન્નર શિખનાર ક્યારેય ભૂખે મારતો નથી.



(3) ભીડ –

A. ગિરદી
વાક્ય – અત્યારે રેલવેમાં ખૂબ ભીડ હોય છે.



(4) સલૂન –

A. ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય – મહારાજા અને અંગ્રેજ અમલદારો સલૂન માં જ મુસાફરી કરતાં.



(5) પ્રાયશ્રિત –

A. પાપ નિવારણ માટેનું તપ
વાક્ય – કાઈ ખોટું કામ થઈ જાયતો આપણે તેનું પ્રાયશ્રિત કરવું જોઈએ.


[Q - 3]. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જ્ગ્યા પૂરો :
(4) મહાદેવ ગાયને હાંકવાં રોકાયો ________એણે પરીક્ષામાં મોડુ થયું.

A. એટલે 


(1) એકમાં સામાન રખાવ્યો ________બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું.

A. અને 


(2) ઈન્સ્પેકટર જોયું ________મહાદેવની આંખમાં આંસુ હતા.

A. તો 


(3) ડોક્ટરે કહયું ________ એણે કસરત કરવી જોઈએ.

A. કે

3 ઑગસ્ટ, 2021

बच्चों की असाधारण परिस्थिति

 अभी उन लोगों के लिए जो बिना बोर्ड परीक्षा के 10वीं या 12वीं कक्षा पूरी करने वाले 2021 बैच के बच्चों को ट्रोल कर रहे हैं और उनका मज़ाक उड़ा रहे हैं, बस आपको बताना चाहते हैं;  ये बच्चे असाधारण परिस्थितियों में जीवित रहे हैं।  उनमें से अधिकांश पूरे साल स्कूल नहीं गए, सीखने के एक नए रूप के अनुकूल हो गए।  अपने परिवार के सदस्यों को बुरी तरह से बीमार पड़ते या मरते हुए देखा।  स्कूलों में अपने आखिरी दिनों की अनमोल यादों को याद किया।  एक ऐसे युग में सख्त क्वारंटाइन से निपटा जब हम सभी हर समय अपने दोस्तों के साथ रहना चाहते हैं।  हर साल जब बोर्ड के नतीजे आते हैं, तो हम चिल्लाते रहते हैं कि 'अंक मायने नहीं रखते और हम सभी जानते हैं कि आधुनिक दुनिया में इन अंकों से वास्तव में बहुत फर्क नहीं पड़ता है।  तो आप पहले से ही तनावग्रस्त बच्चों को क्यों परेशान कर रहे हैं?  उन्हें रहने दो।  सिर्फ इसलिए कि वे केवल अपने प्री-बोर्ड के आधार पर उत्तीर्ण हुए हैं, उनके उज्ज्वल कैरियर की संभावनाओं को कम नहीं करता है।  अपनी क्षमता को परखने का जीवन का अपना तरीका होता है।  आइए इन बच्चों को अपना उचित मौका दें।  

27 જુલાઈ, 2021

ધોરણ 8 ગુજરાતી કાવ્ય 5 તને ઓળખું છું ,મા (સ્વાધ્યાય)

* સમાનાર્થી શબ્દો 
 ( 1 ) મારગ = પથ , રસ્તો
 (2 ) અભાગી = કમનસીબ , દુર્ભાગી
 ( 3 ) સદા = હંમેશ , સર્વદા
 ( 4 ) સ્મરણ = સ્મૃતિ , યાદ
 ( 5 ) લ્હેરખી = લહેર , તરંગ 
( 6 ) તીરથ = તીર્થ , ધામ
 ( 7 ) સમુદ્ર = સાગર , દરિયો
 ( 8 ) આકાશ = ગંગન , નભ 
( 9) શશી = ચંદ્ર , મયંક
 ( 10 ) રાત્રિ = રજની , નિશા 
 (11) તરણા=તૃણ, તણખલું
             ********************

વિરુદ્ધાર્થી શબ્દ લખો :

 ( 1 ) અભાગી x સુભાગી , સદ્ ભાગી

 ( 2 ) સ્મરણ x વિસ્મરણ
         
             ************

*શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:

1.)ઉનાળાની ગરમ હવા : લૂ
2)' કુશળ રહો 'એવો ભાવ સૂચવનારો ઉદગાર : ખમ્મા
3) આંગળીના છેડાનો ભાગ :ટેરવું 
4) પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે: પરકમ્મા ,પરિક્રમા
       
             ************
*રૂઢિપ્રયોગ નો અર્થ લખો:

1) છૂ થવું  : ગાયબ થવુ, દૂર થવુંં
                 
                 ***************


                 ***********


[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?

જ. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .



(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.

જ. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.



(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?

જ. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.



(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?

જ. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.

                     ***********

 નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો

 ( 1 ) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ? 
જ : માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી " શબ્દ વાપરે છે .  

( 2 ) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ? 
જ: કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ આવે છે અને એની વેદના તે- સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે 

( 3 ) ‘ એકલવાયું વરસે છે ચોમાસું ' , એવું કવિ ક્યા સંદર્ભે ક્યું છે ? 
જ : સંતાનો દૂર હોય ત્યારે એક્લવાયું જીવન વ્યતીત કરતી માની માંગને . આંસુ નહિ , પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે . એ સંદર્ભમાં એકલરણ વરસે છે ચોમાસું ” એમ કવિ કહે છે . 

( 4 ) કવિ માતાની પરકમ્મા ક્વી રીતે કરે છે ? 
જ : માતાનું પ્રત્યેક અરણ એ તીર્થ છે , એમ માનીને કવિ માતા મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે . 

( 5 ) કવિની પીડા કેવી રીતે દૂર થાય છે ? 
જ : જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે ,  કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે .


                      **********

[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .

A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.



(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........

A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
                       ************

 ‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :


 જ. 
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થી
થયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
                                                     
                                        -મણિલાલ દેસાઈ
                      ************


21 જુલાઈ, 2021

કાયવરોહણ શકિપીઠ

દરેક હિંદુ એ એક્વાર તો કાશી ની મુલાકાત લેવી જ જોઈએ તેવું મનાય છે. પરંતુ કાશી તો ઠેઠ ઉત્તર પ્રદેશ માં આવેલું છે. બહુ ઓછા ને ખબર હશે કે કાશી ના જેવું માહાત્મ્ય ધરાવતું બીજું કાશી ગુજરાત માં આવેલું છે. આ સ્થળનું નામ "કાયવરોહણ"છે. વડોદરા જિલ્લામાં આવેલા વડોદરા થી ભરૂચ જતાં હાઇવે પર પોર નામ નું ગામ છે. ત્યાંથી કાયવરોહણ માત્ર 9 કિમિ દૂર છે. વડોદરા થી તે 32 કિમિ છે.

મહાતીર્થ:

સત્યયુગમાં આ સ્થળ ઇચ્છાપૂરી ત્રેતાયુગ માં માયાપુરી,દ્વાપરમાં મેધાવતી અને કલિયુગ માં કાયવરોહણ તરીકે ઓળખાય છે. ભારત ના68 મહત્વના તીર્થં સ્થાનોમાં કાયવરોહણ ની ગણના થાય છે. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ યાત્રાસ્થળને કાશી માં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભગવાન ની ઈચ્છા ન હોવાથી તેમ કરવામાં તેમને પુરી સફળતા મળી નહોતી.આમ છતાં તેનું મહત્વ કાશી જેવું રહ્યું.મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રનું અનુસાર

18 જુલાઈ, 2021

ધોરણ 7. પાઠ 3 પરીક્ષા

1. નીચેના શબ્દોની જોડણી સુધારો : (સાચી જોડણી)

 ( 1 ) વીંજણો 
( 2 ) રૂપેરી
 ( 3 ) શિષ્યવૃત્તિ 
( 4 ) વિદ્યાધિકારી 
( 5 ) દીવો 
( 6 ) મૂંઝવણ / મુઝવણ 
( 7 ) પરીક્ષા 
( 8 ) વિદ્યાર્થી
 ( 9 ) ઇન્સ્પેક્ટર 

2. નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 
( 1 ) સૂર્ય = રવિ , ભાનું 
( 2 ) ધરતી = જમીન , પૃથ્વી 
( 3 ) ઉંબી = કણસલું , ડૂડું 
( 4 ) ગાય = ધેનુ , સુરભિ 
( 5 ) હાથ = કર , બાહુ 
( 6 ) પક્ષી = પંખી , વિહગ
 ( 7 ) શાળા = વિદ્યાલય , નિશાળ
 ( 8 ) વાયરો = પવન , સમીર

 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : 

( 1 ) ગરીબ x શ્રીમંત 
( 2 ) પહેલો x છેલ્લો 
( 3 ) પોતીકા X પારકા 
( 4 ) મંજૂર x નામંજૂર 
( 5 ) દૂર x નજીક
 ( 6 ) જાણે x અજાણે
 ( 7 ) આનંદ x શોક
 ( 8 ) ડાહ્યું x ગાંડું 
( 9 ) શક્તિ x અશક્તિ 

4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી , તેનો વાક્યપ્રયોગ કરોઃ
 ( 1 ) પગ ઉપાડવા – ઝડપથી ચાલવું 
વાક્ય : નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા . 
( 2 ) ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો .
વાક્યઃ મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી . 
( 3 ) પાટી મેલાવવી – દોટ મુકાવવી
 વાક્ય : દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેલાવી .    
( 4 ) હાથમાં હોવું – કબજામાં હોવું , પોતાના આધીન હોવું વાક્ય : દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી . 
( 5 ) તાનમાં હોવું - આનંદમાં હોવું
 વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો .
 ( 6 ) નાક રહેવું – આબરૂ જળવાવી 
વાક્યઃ સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું . 
( 7 ) કાપલો કાઢી નાખવો – બધું જ ખાઈ જવું , સફાયો કરવો .
વાક્યઃ ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે .
 ( 8 ) માઝા મૂક્વી – મર્યાદા બહાર જવું 
વાક્ય : દરિયો ક્યારેય પણ પોતાની માઝા મૂકતો નથી . 
( 9 ) મૂઠીઓ વાળવી – ઘેટ મૂકવી 
વાક્ય : કૂતરું પાછળ પડતાં છોકરાએ મૂઠીઓ વાળી . 

5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક - એક શબ્દ લખો: 

( 1 ) ગાયોનું ટોળું – ધણ 
( 2 ) ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન - શેઢો
 ( 3 ) પગથી ચાલવાનો સાંકડો રસ્તો - પગદંડી , કેડી
 ( 4 ) તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય - શિષ્યવૃત્તિ
 ( 5 ) સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો – ઢેફુ
              
                     ***********



પ્ર  - 1. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.

(1) તમે પરીક્ષા આપવા જય રહયા છો અને રસ્તામાં ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યકિતને જુઓ તો તમે શું કરશો?

જ. હું પરીક્ષા આપવા જતો હોઉ ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ વ્યકિતને જોઉ તો બીજાને મદદ માટે બોલાવી 108 એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરું તે વ્યક્તિના પરિવારજનો ને જાણ કરું.



(2) ઈન્સ્પેકટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઈન્સ્પેકટરે આ બાબત નાં સમજીને તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોટ તો શું થાત ? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે ? શા માટે ?

જ. મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા માટે ઈન્સ્પેકટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો જો ઈન્સ્પેકટરે માનવતા ન રાખી હોત તો તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોત તો પણ મહાદેવને સંતોષ થાત કે તેને પાક થી ઊભરાતા ખેતરને બચાવ્યા તેનો ગાયને હાંકી કાઢવાનો નિર્ણય સાચો મને લાગે છે કારણ કે મહાદેવમાં પરોપકારનું ગુણ છે ને તેના આવા સારા ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો.



(3) પાઠમાં ઉતર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગ હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી-કાઢો અને લખો.

જ. અમારા ઝાલાવાડી બોલીના શબ્દો
‘અટાણે – અત્યારે , કેદુના – ક્યારના , નકરું – માત્ર , માંથે – પહેલા , ઓરો –પાસે ,
વયો ગિયો – જતો રહયો , કઈરું – કયું , ભેળો – સાથે , વીવા – વિવાહ , કળશો – લોટો
ગગા –દીકરા



(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો કરીથી લખો.
પ્રશ્ન – પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી હાંકી લાવી મેલી મેલીને ખુશાલમાના ખેતર માં જ મેલવી? ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

. પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ ઓનો બીકણ જીવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી ? ને પરોપકારી મહાદેવ રડતો ગયો માથા ઉપર આવતા આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.
    આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠ માં વપરાયેલા શબ્દોવાળો ? શા માટે ? સરખામણી કરો.
   આમ કરવાથી ભાષાની સુંદરતા ઓવી થઈ જાય છે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી લખેલો ફકરો મને નથી ગમતો કારણ કે પાઠ માં વપરાયેલા શબ્દો ભાવ ને સરળ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.


(5) નીચેના ફકરો વાંચો વિરામ ચિહનો વિના તમને એ તે અધૂરો લાગે છે ? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામ ચિહનો મૂકો અને ફરી વાંચો.

         ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું બૂમ પાડી કહવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાકશે એટલમાં તો કાપલો કાઢી નાખશે ને.
   મહાદેવ શંકા સામે દફતર ઘર્યુ લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને

જ. ગામ તરફ તેને નજર દોડવી. દૂર કોઈ માણસ ને જોયું. બૂમ પાડી ને કહેવા લાગ્યો: ‘એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય –‘ ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખાશને?
   મહાદેવે શંકા સામે દફતર ઘર્યુ, ‘લે શંકા ગાયને હું હાંકતો આવું.’
   શંકાએ દફતર લીધું યાદ આપ્યું. તારે લ્યાં પરીક્ષા છે ને-‘



(6) પાઠમા મહાદેવ ગાઈને બીજા કોઈના ખેતરમાં ના મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું ? શા માટે ?

જ. મહાદેવ ગાયને ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવ ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી ગોટ તો તે ફરી થી કોઈના ખેતરમાં પાકને નુકશાન કરત મહાદેવ માનવતાનું કામ કર્યું તેથી મને ગમ્યું.



(7) ઈન્સ્પેકટર સાહેબનો ક્યો ગુણ તમને ગમ્યો ? શા માટે ?

જ. ઈન્સ્પેકટર સાહેબે પરીક્ષાના સમય કરતાં મહાદેવની માનવતા ને વધારે ગમ્યો. જો આવા સાહેબો સારા હોયતો જ ભારત દેશ આગળ વધી શકે.



(8) નીચેના વાક્યોને બદલે પાઠમા વપરાયેલા વાક્યો લખો.

જ. 1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ના થાય.
ઉતર- પાઠમા – આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !
2. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી.
ઉતર- જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.
3. ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.
ઉતર- ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !
4. ગામની આબરૂ સચવાશે.
ઉતર- આપના ગામનું નાક રહશે. 

              ***************
નીચેના પ્રશ્નો ના  ઉત્તર એક  લીટીમાં આપો : 

 ( ૧ ) નટુના ‘ બાપા શું હતા ?
ઉ. નટુ ના બાપા હેડ માસ્ટર હતા
 ( ૨ ) કોના મામા મામલતદાર હતા ?
 ઉ. બચુડાના મામા મામલતદાર હતા •
 ( ૩ ) વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા ? 
ઉ. વિદ્યાધિકારીના હેડક્લાર્ક  ધનશંકર ના માસા હતા.
( ૫) મહાદેવે મિત્રોની કઇ વાત મંજૂર રાખી ? 
ઉ. મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજુર રાખી .
 ( ૬ ) મહાદેવ ' ખાઈ જવાની ’ એવું કોને જોઈને બોલી ઊઠે છે ? 
ઉ: મહાદેવ ' ખાઈ જવાની ’ એવું ગાયને જોઈને બોલી ઊઠે છે . 
( ૭ ) મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા ? 
ઉ : ગાય ખેતરનો પાક ખાઈ જશે , એવું લાગતાં મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા . 
                   **************
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
 ( 1 ) ‘ પરીક્ષા ' પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે ? 
A. શરદ B. વસંત C. પાનખર D. વર્ષા
 ( 2 ) મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું ?
 A. વસંતનો પવન B. શરદનો પવન C. પાનખરનો પવન D. સોની 
 ( 3 ) મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ ? 
A. મોલ જોઈને B. ઝાડનાં ઝુંડ જોઈને C. ઉંબીઓ જોઈને D. મોલ ખાતી ગાયને જોઈને
 ( 4 ) મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું ?
 A. શંકરને B. નારજીકાકાને C. ખુશાલમાને D. માસીને
 ( 5 ) ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું ? 
A. મહાદેવે B. ખુશાલમાએ .. કાકાએ D. નારજીકાકાએ
 ( 6 ) ‘ અહીં છીંડામાં મરને ' – એવું મહાદેવ કોને કહે છે ? A. ગાયને B. શંકરને C. બકરીને D , બળદને
 ( 7 ) મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? 
A. ઇન્સ્પેક્ટરે B , માસીએ C. શંકરે D. નારજીકાકાએ
 ( 8 ) મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો ?
 A. માનવતાવાદી B. ખારીલો C. ક્રૂર D. દયાળુુ

( 9 ) મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો ? 
A , ધૂળથી B , આસુથી C. કીચડથી D , પાપથી
 ( 10 ) ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ 
કર્યો ?
 A. આચાર્યને B , પટાવાળાને C. શિક્ષકને D. સુપરવાઇઝરને 
( 11 ) શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા 
હતા ? 
A , આઠ B. દસ C. બાર D. છ

                        ***************

 

17 જુલાઈ, 2021

ટૂંક નોધ લખો :રવિશંકર મહારાજ , પ્રશ્નોનાં ઉતર લખો.

*ટૂંક નોધ લખો:  

*રવિશંકર વ્યાસ*

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં  બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. 

     તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

       નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું . ઉપરાંત  બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

                     *************



પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
.



(1) રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?

જ. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એ બાળપણથી જ પામ્યાં હતા દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું બાળપણથી જ મળ્યું હતું. આ સંસ્કારે તેમના પર અસર કરી હતી.



(2) મૂકસેવક મહારાજે લોકસેવકના કયા-કયા કાર્યો કર્યા ?

જ. મૂક સેવક મહારાજે ગામડે-ગામડે જય ગંદકી દૂર કરી ગરીબાઈ દૂર કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યો. લોકોને બચાવ્યો તેમજ પડતાં મકાનને ટેકો દીધો. વળી ચોરોને સમજાવ્યા સારા રસ્તે વાળ્યા બહારવટિયાઓને સમજાવી દેશના હિત માટે લગાડ્યા. જે જગ્યાએ રોગ ફાટી નીકળ્યા હતા ત્યાં પહોંચી મહારાજે ડોક્ટરોની વ્યવસ્થા કરી લોકોને રોગમાંથી બચાવ્યા દુષ્કાળમાં કૂવાને બોરિંગ કરાવ્યા ને લોકોને પીવાનું અપાવ્યું. અને હુલ્લડમાં લોકોને સમજાવ્યા તોફાન ન કરવા સલાહ આપી તેમજ મરેલાના અગ્નિ સંસ્કાર પણ તેમણે જ કર્યા. આમ મૂક સેવક મહારાજ સાચા અર્થમાં લોક સેવક હતાં.



(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?

જ. રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને ખૂબ મોટો લાભ થયો. સમાજના લોકોમાં ગરીબાઈ દૂર થઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી. વળી ચોર-લુટારા સારા ને સત્યને માર્ગે વળ્યા. લોકોમાં અજ્ઞાન દૂર થયો. તેમજ સારું જીવન જીવવાની પ્રેરણા મળી લોકોને પીવાનું પાણી મળવા લાગ્યું. લોકો ભેદભાવ વગર શાંતિથી જીવન જીવવા લાગ્યા. આમ રવિશંકર મહારાજનાં કામોથી લોકોને ખૂબ સારો ફાયદો થયો.



(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?

જ. ઈ.સ 1941 અને ઈ.સ. 1946 માં અમદાવાદમાં હુલ્લડ થયા કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ કર્યા વગર સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામ્યાં તેમના શબને મહારાજ જાતે જ અગ્નિસંસ્કાર કરતાં આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે.



(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?

જ. સાદાં વસ્ત્રો પહેરવા સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો .

(6) મહારાજ શબ્દના જુદા-જુદા અર્થ લખો ?

જ. 1. મહારાજ એટલે – યજમાનવૃતી કરનાર ગોર મહારાજ.
2. મહારાજ એટલે – મોટા રાજા
3. મહારાજ એટલે – સંત સાધુ
4. મહારાજ એટલે – રસોઇયો



(7) દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ – આ શબ્દો સાથે-સાથે કેમ લખાય છે ?

જ. જે શબ્દ સામાસિક હોય તે ભેગા લખાય માટે દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ આ સામાસિક શબ્દ છે આથી ભેગા લખાય છે.

                      **********

12 જુલાઈ, 2021

ધોરણ.8 ગુજરાતી પાઠ.3 જુમો ભિસ્તી

 *નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

(1) શ્રીમંત
A. ધનવાન, અમીર


(2) દુર્ગંધ
A. બદબૂ, વાસ


(3) કર્કશ
A. કઠોર, તીણો


(4) આનંદ
A. ખુશી, હર્ષ


(5) ગદબ
A. રજકો


(6) હાંડલી
A. હાંલ્લી, માટલી

                 
*************

પ્રશ્નો ના જવાબ લખો

પ્ર. જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા ?

 જ. જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવુતી કરતાં હતા. જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણુ બંને પાછા વળતાં. જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો. વેણુ ગદબ ખાતો. પછી જુમો સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા.

પ્ર. જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?

 જ. જુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પછી રસ્તા જતાં બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો. તેણે ફાટકવાળાને વિનંતી કરી. પણ અંદરથી ‘ઘેર કોઈ માણસ નથી.’ એવો જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો. આમ, વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.

પ્ર. વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો.

 A. છેલ્લા વાક્યમાં જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ....! વેણુ....! વેણુ....!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.

[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને લખો.

(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
A. જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત.


(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
A. પેલા બે યુવાન મિત્રો એ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.



(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
A. મને ગમતું પ્રાણી ગાય છે તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું. રોજ સાંજે તેણે ફરવા લઈ જાઉં છું. હું ગાઈને ખૂબ વહાલ કરું છું.


(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેના કારણો આપો.
A. વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પટથી દૂર ફેકીને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તે ઉચિત ગણાય.
      
                   ***************


* ટૂંક નોધ લખો:

1) જુમો ભિસ્તી
જુમો ભિસ્તી જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડ થી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસીને પરણવા નીકળેલો .તેની શ્રીમંતાઈ ના  વખતમાં એને અનેક મિત્રો હતા પણ અચાનક એ ભિખારી થઈ ગયો.  એ ઝૂપડામાં રહેવા લાગ્યો. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી હોકો ગગડાવતો .આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાડો વેણું જ જીવનભર એની સાથે રહ્યો. 
   જુમો પોતાની આ પરિસ્થિતિમાં પણ નિરાંત ખુશ રહેતો હતો. સવાર -સાંજ ફરવા જવું અને મશક લઇ કામ કરવું એ તેનો નિત્યક્રમ હતો.તેને કોઈ વાતનો અફસોસ નહોતો. પોતાના મિત્ર સાથે સુખેથી દિવસો પસાર કરતો હતો .અંતમાં મિત્ર માટે જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે .આમ , મૂકપશુ અને માનવ પ્રેમનું જુમો ભિસ્તી જાગતું ઉદાહરણ છે.

૨) વેણું :
વેણું એટલે પાડો. જુમા ભિસ્તીએ બાળપણમાં શોખ ખાતર પાડેલા પાડા નું નામ વેણુ હતું. પાડા નું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું. જુમો વેણુ નો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મસક મુકવા માટે કરતો. સાંજ પડ્યે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વેણુનો  જ્યારે રેલવેના બે પાટા વચ્ચે પગ ફસાયો ત્યારે જુમો ઘણા બધાની મદદ માગે છે. પણ કોઈ મદદે ન આવ્યું. છેવટે ટ્રેન આવવાના સમયે તેને બાથ ભરી મોતને ભેટવા જુમો તૈયાર થયો. પરંતુ અબોલ જીવે મિત્રતા નિભાવતા જુમો ભિસ્તીને પોતાનું માથું મારીને પાટાથી દૂર ફેંકી દીધો. જુમો બચી ગયો પરંતુ વેણુ મોતને ભેટ્યો .
     આમ ,જુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી. માલિક નું ઋણ મૂકપશુ તેમનો જીવ બચાવી ઉતારી દે છે .આ રીતે વેણુનુ પાત્ર મૂકપશુનુ  હોવા છતાં વાચકના દિલમાં ઉડી છાપ છોડી દે છે.


11 જુલાઈ, 2021

વર્ષાનો વૈભવ/વર્ષાઋતુ


ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે . સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે . લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે . ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે . પશુ , પક્ષી , માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે . અચાનક વર્ષનું આગમન થાય છે અને ગ્રીષ્મઋતુ ધીરે ધીરે વિદાય લે છે . 
    વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે . વીજળીના ચમકારો , વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે . વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે . બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે . મોર કળા કરે છે , નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે . કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે . દેડકાં ' ડ્રાંઉ ’ .. ' ડ્રાઉ ' .. કરીને વર્ષાનું સ્વાગત કરે છે . ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે . વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે . પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘ કાગડો ’ થઈ જાય છે . વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે . ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે . જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે . 

     ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે . તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે . થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે .  ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે . 
      વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ . રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશચતુર્થી , સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે . પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે . આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે . 
 વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે . નદીઓમાં ભયંકર પૂર આવે છે . ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે . જાનમાલનું ભારે નુકસાન થાય છે . વર્ષા નું આ રૌદ્ર સ્વરૂપ છે . વર્ષાઋતુ માં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી , ધાસચારો થતો નથી , પાણીની ભયંકર તંગી પડે   છે . તેને ‘ દુષ્કાળ ' કહે છે . 
 
    વર્ષાઋતુ માં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે . માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે . તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે .    

     વર્ષાઋતુમાં અનાજ પાકે છે . ધાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે . તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે . એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં  છે . કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે . કવિઓએ      વર્ષાઋતુને      ‘ ઋતુઓની રાણી ’ કહીને આવકારી છે . 
       
                         **************

5 જુલાઈ, 2021

પાઠ 2 દ્વીદલ *સ્વાઘ્યાય*


*શબ્દાર્થ:

શિલ્પી- કારીગર

સ્તંભ-.  થાંભલો

 નિશબ્દ- શબ્દ વિનાની, શાંત

 મંજૂરી -પરવાનગી

 લોન- લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન ,હરિયાળી

 આજીજી- વિનંતી

 બિરદાવવું- ગુણગાન કે સ્તુતિ કરવી

              ***************** 
પ્રશ્ન: સાચો વિકલ્પ લખો:

(1) શિલ્પી આરસપહાણના પથ્થર માંથી કોની મૂર્તિ ઘડી રહ્યો હતો?
( C) ભગવાન

( 2 ) મૂર્તિમાં કઈ જગ્યાએ એક નાનો ઘસરકો થઈ ગયો હતો ? 
 ( D ) નાકે પાસે 

( 3 ) મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની હતી ?
 ( A ) સ્તંભ પર 
 
( 4 ) યુવકે દુકાનદાર પાસે કયો ફોન વાપરવાની મંજૂરી માંગી ?
  ( D ) પબ્લિક ફોન

 ( 5 ) યુવક ફોન પર સ્ત્રી પાસે કયું કામ કરવાની પરવાનગી માગતો હતો . 
 ( C ) લૉન કાપવાની 

( 6 ) યુવક દુકાનમાંથી બહાર જવાની તૈયારી કરતો હતો તે વખતે તેને કોણે બોલાવ્યો ?
  ( B ) દુકાનદારે 
 
( 7 ) દુકાનદાર યુવકની કઈ રીતને બિરદાવતો રહ્યો ? 
 ( D ) સ્વમૂલ્યાંકનની
 
( 8 ) ‘ આજીજી ' શબ્દનો અર્થ શો થાય ? 
 ( B ) વિનંતી 

( 9 ) ‘ નુકસાન ’ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય ? 
 ( D ) ફાયદો

 ( 10 ) શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી શું ઘડી રહ્યો હતો ? 
 ( B ) મૂર્તિ
 
               *****************



વિરુદ્ધાર્થી શબ્દો લખો

1. જાણ × અજાણ
2. જવાબ × સવાલ
3. નીરસ × રસવાળું
4. નુકસાન × ફાયદો
5. ધ્યાન × બેધ્યાન
6. પરદેશ × સ્વદેશ
7. સંતોષ × અસંતોષ
          
               *************

નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) માણસે બીજી મુર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?

જ. માણસે પૂછ્યું કે આ મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે ત્યારે શિલ્પીએ ના પાડી અને એક મુર્તિ તૈયાર હતી ને શિલ્પી બીજી મુર્તિ બનાવી રહયો હતો એટલે માણસના આશ્ચર્યનો પાર ન રહયો કે એક મુર્તિની સ્થાપના કરવાની છે પણ બે મુર્તિ કેમ ?



(2) શિલ્પીએ પહેલી મુર્તિ પડતી કેમ મૂકી ?

જ. પહેલી મુર્તિ ઘડવામાં શિલ્પીથી એક ભૂલ થઈ મૂર્તિનાં નાક પાસે એક નાનકડો ઘસરકો થયો.આમ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરાય તેથી પહેલી મુર્તિ શિલ્પીએ પડતી મૂકી.



(3) સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?

જ. કારણ કે સ્ત્રી પાસે જે માણસ કામ કરતો હતો તેનાથી સ્ત્રીને સંતોષ હતો તેનું કામ સ્ત્રીને ગમતું હતું આથી સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાથી ના પાડી.



(4) સ્ત્રીનો જવાન સાંભળી યુવક કેમ ખુશ થયો ?

જ. સ્ત્રીને યુવકે અડધા પગારમાં કામ કરવાની અને વધારાનું કામ કરવા કહયું છતાં સ્ત્રીએ યુવકને નોકરી આપવાની ના પાડી આથી યુવકને પૂરી ખાતરી થઈ કે સ્ત્રી તેના કામથી પૂર્ણ સંતોષ પામી છે આમ સ્વ-મૂલ્યાંકન ની પરીક્ષામાં પોતે સફળ રહયો આથી યુવક ખુશ થયો.



(5) સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?

જ. સ્વ- પોતે મૂલ્યાંકન પરીક્ષા પોતે જ પોતાની પરીક્ષા કરવી એટલે સ્વ- મૂલ્યાંકન હા મે પણ મૂલ્યાંકન કરેલું છે હું પોતે જ લેખિત કસોટી લઈને સ્વ- મૂલ્યાંકન કરું છુ .

              *********************

28 જૂન, 2021

2. હિંદ માતા ને સંબોધન

શબ્દાર્થ-
 
દેવભૂમિ - પવિત્ર ભૂમિ 
વિશ્વાસ - ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ; 
જિન - જૈન 
બક્ષી - આપી 
તવંગર -પૈસાદાર 
નિરક્ષર -અભણ
 સાહો- મદદ કરો 
પરસ્પર - એકબીજાને . 

 વિરુદ્ધાર્થી શબ્દો

  ( 1 ) જ્ઞાની x અજ્ઞાની
 ( 2 ) નીરોગી× રોગી 
( 3 ) તવંગર x નિર્ધન
 ( 4 ) ઉચ્ચ x નીચ
( 5 ) સમાન x અસમાન
 ( 6 ) સાક્ષર x નિરક્ષર 


*બહુવિકલ્પ પ્રશ્નોત્તર

 - નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
 ( 1 ) ‘ હિંદમાતાને સંબોધન ' કાવ્યના કવિ કોણ છે ?
 જ. કાંત
 ( 2 ) હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે ? 
જ. પવિત્ર
 3) સંતાનો ભેગા મળીને શું કરે છે ? 
જ.વંદન 
( 4 ) હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે ? 
જ.( A ) શુભ ખાનપાન આપીને 
 ( 5 ) નીચેના શબ્દની સાચી જોડણી જણાવો . 
જ. વાલ્મીકિ
 ( 6 ) નિર્ધન’નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો .
જ. તવંગર
  ( 7 ) કાવ્યમાં આવતા દેવભૂમિ ’ શબ્દનો શો અર્થ થાય છે ?
 જ. પવિત્ર ભૂમિ 
 ( 8 ) ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે ?
 જ. વિશ્વાસી 
 ( 9 ) “ મદદ કરો ’માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? 
જ. સાહો
 ( 10 ) “ હિંદુ અને  મુસલમાનઃ વિશ્વાસી , ________જિન:-શબ્દ ક્યો છે ? . … ... , જિનઃ ' - આ પંક્તિમાં ખૂટતો અક્ષર કયો છે?
 જ. પારસી
 

* નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 

( 1 ) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? 
જ*આ કાવ્ય હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ એટલે કે હિંદમાતાને સંબોધીને લખાયું છે .
 ( 2 ) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
જ* સરસ , પૌષ્ટિક ખાન - પાન એટલે કે ભોજન અને પાણી આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે . 
( 3 ) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
જ* આ કાવ્યમાં હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે , તેમની વચ્ચે ઊંચ - નીચ કે એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી . સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ . સૌ હિંદમાતાના સંતાનો છે એ ભાવ રજૂ થયો છે . 
            
સ્વાધ્યાય

1 . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો 

 ( 1 ) ભારતમાં ક્યા ક્યા ધર્મ પાળતી પ્રજા વસે છે ? જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ખ્રિસ્તી , પારસી , જૈન , બૌદ્ધ  ધર્મ પાળતી પ્રજા વસે છે .
 ( 2 ) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
જ. જે રીતે માતા બાળકનું પોષણ કરે છે , એ રીતે ધરતીમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો , ખોરાક અને પાણી આપે છે . તે સૌને સમાન રીતે રાખે છે . એકસરખો પ્રેમ આપે છે . માતા પવિત્ર છે . તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે . 
( 3 ) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ? 
જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન , પારસી , બૌદ્ધ વગેરે ધર્મો પાળતી પ્રજા વસે છે . સૌ કોઈ પણ પ્રકારની ભેદભાવ વગર , સંપીને પ્રેમપૂર્વક રહે છે . નાત - જાત કે અમીરી - ગરીબીના ભેદભાવ અહીં નથી , તેથી ભારતમાં વસતી પ્રજાને કવિ એકસમાન ગણે છે . 




14 જૂન, 2021

એક બોધકથા*ઘડપણ નું વસાણુ*

એક બોધકથા..👌👌👌👌

॥~॥~॥ *ઘડપણ નું વસાણુ.* ॥~॥~॥

Story about FINANCIAL PLANNING.
       
*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય, અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે, અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો.*

*ત્યાંના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય, અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*
         
*પ્રજામાંથી રાજાની નિમણુંક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા !*
*પાંચ વર્ષ સુધી એ રાજા રહેતો!*

*અપાર જાહોજલાલી, અને એશો આરામની જિંદગી, પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે, પણ નવો રાજા એને ન સાંભળે.* 
        
*એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ, અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા, એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’*

*સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારે બાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો, અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો, કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!* 
        
*નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો, ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા, અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલો રાજા છો કે... આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો ? તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’*

*રાજા કહે, ‘તારી વાત સાચી છે!*
*તેં મને સાચો ઓળખ્યો!*

*ચાલ, તને પૂરી વાત કહું’:* 
      
*જે દિવસે હું રાજા બન્યો, ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો, ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા.*

*જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!*’  
       
*દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ મહાલતા રહ્યા ! પણ હું જાણતો હતો, કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી નિવૃત્તિ અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું, તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો કેરિયરની શરૂઆતના ૧૦-૧૫ વર્ષ કરક્સરથી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું, તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ નહીં આવે* 
 
*卐ॐ卐 કથાસાર.......卐ॐ卐* 
   
*દોસ્તો... પ્લાનિંગ માટે તમારી આવકમાંથી સૌ પ્રથમ બચત, અને ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરજો.*
        
*તમારી કમાણીના (૨૫) વરસોમાં ૬૦ વર્ષ નિવૃત્તિ પછીની બાકીની જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.*

*એટલે જ આપણે ત્યાં કહેવત છે*...

*શિયાળા નું છાણું,* 
 *જુવાની નું નાણું,* 
 *અને ઘડપણનું વસાણું,*  

સાચવીને રાખજો.

12 જૂન, 2021

मानव-जीवन का उद्देश्य

🏉🏉🏉🏉🏉🏉

एक बार पचास लोगों का ग्रुप। किसी मीटिंग में हिस्सा ले रहा था।
मीटिंग शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक
ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे 🏉देते हुए बोला , ” आप
सभी को गुब्बारे पर इस मार्कर से अपना नाम लिखना है। ” सभी ने
ऐसा ही किया। 

अब गुब्बारों को एक दुसरे कमरे में रख दिया गया।
स्पीकर ने अब सभी को एक साथ कमरे में जाकर पांच मिनट के अंदर💫✨💥
अपना नाम वाला गुब्बारा ढूंढने के लिए कहा। 

सारे पार्टिसिपेंट्स
तेजी से रूम में घुसे और पागलों की तरह अपना नाम वाला गुब्बारा ढूंढने
लगे। 

पर इस अफरा-तफरी में किसी को भी अपने नाम
वाला गुब्बारा नहीं मिल पा रहा था… 

5 पांच मिनट बाद सभी को बाहर
बुला लिया गया। 

स्पीकर बोला , ” अरे! क्या हुआ , आप
सभी खाली हाथ क्यों हैं ? क्या किसी को अपने नाम
वाला गुब्बारा नहीं मिला ?” ”

नहीं ! हमने बहुत ढूंढा पर
हमेशा किसी और के नाम का ही गुब्बारा हाथ आया…”, एक
पार्टिसिपेंट कुछ मायूस होते हुए बोला।

🏉“कोई बात नहीं , आप लोग एक
बार फिर कमरे में जाइये , पर इस बार जिसे जो भी गुब्बारा मिले उसे
अपने हाथ में ले और उस व्यक्ति को दे दे जिसका नाम उसपर
लिखा हुआ है । “, स्पीकर ने निर्दश दिया। 

🏉एक बार फिर सभी पार्टिसिपेंट्स कमरे में गए, पर इस बार सब शांत थे , और कमरे
में किसी तरह की अफरा- तफरी नहीं मची हुई थी। सभी ने एक दुसरे
को उनके नाम के गुब्बारे दिए और तीन मिनट में ही बाहर निकले आये।

स्पीकर ने गम्भीर होते हुए कहा ,

 ☝☝” बिलकुल यही चीज हमारे जीवन में भी हो रही है। 
हर कोई अपने लिए ही जी रहा है , उसे इससे कोई
मतलब नहीं कि वह किस तरह औरों की मदद कर सकता है , वह तो बस पागलों की तरह अपनी ही खुशियां ढूंढ रहा है , पर बहुत ढूंढने के बाद
भी उसे कुछ नहीं मिलता ,

👉👉 हमारी ख़ुशी दूसरों की ख़ुशी में छिपी हुई है।

👌👉 जब हम औरों को उनकी खुशियां देना सीख जायेंगे
👌👉तो अपने आप ही हमें हमारी खुशियां मिल जाएँगी।
और यही मानव-
जीवन का उद्देश्य भी है !!!
 🙏🏼🙏🏼

28 મે, 2021

આ નાનકડી ટ્રિકથી તમાકુનું વ્યસન છોડાવો

વિશ્વભરમાં 31 મે ના રોજ ટોબેકો એટલે વિશ્વ તમાકુ દિવસ મનાવવામાં આવે છે. અનો મતલબ એમ થાય છે કે, લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય અને તેમના આરોગ્યને નુકશાન પહોચાડે તેવી વસ્તુ થી દુર રહે. આ દિવસની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કરવામાં આવી હતી. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગુટકા, પાન, તમાકુ અથવા બીડી અને સિગારેટનો નશો એ તમને મૃત્યુ તરફ ધકેલી શકે છે, એટલા માટે તમારે આવી હાનીકારક વસ્તુ થી દુર રહેવું જોઈએ.

વિશ્વ તમાકુ દિવસ ઉજવવા નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, લોકો ધૂમ્રપાનથી થતા નુકસાનને લઈને જાગૃત થાય. કેમ કે ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ રહે છે, આ લીટીઓ તમાકુ અને સિગારેટ ના પેકેટ ઉપર ચેતવણી રૂપ તરીકે લખેલી હોવા છતાં લોકો આ હાનીકારક વસ્તુનું સેવન કરતા રહે છે, જે તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે.
અમે તમને આવી જ કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ, જેના પગલે તમે ધૂમ્રપાનના વ્યસનથી છૂટકારો મેળવી શકો છો.

1. તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો
ધૂમ્રપાનના વ્યસનથી બચવા માટે વ્યસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ તમે તમારા દિવસની શરૂઆત નાસ્તા, વર્કઆઉટ, યોગ અને કામથી કરી શકો છે. અને ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળી શકાય.

2. જ્યારે મો માં કઇક ચાવવાની ઈચ્છા થાય ત્યારે શું કરવું
ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરતી વખતે, મોંમાં કંઈક ચાવવાની ઇચ્છા હોય છે. આવી સ્થિતિમાં, તમે સલાડ નો ડબ્બો તમારી સાથે રાખી શકો છો. ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળવા માટે તમે ચીન્ગમ પણ ચાવી શકો છો. વળી, ઇલાયચી અથવા વરિયાળી ચાવવાથી પણ ધૂમ્રપાન છોડવાની ઇચ્છા માં મદદ મળે છે.

3. મધ પીવો
જો તમારે પણ ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન, ઉત્સેચકો અને પ્રોટીન હોય છે, જે તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.

3. અજમો
અજમો મોઢામાં રાખો, પછી તમે ધીમે ધીમે તેની ટેવ ગુમાવશો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ધૂમ્રપાન કરવાનું મન થાય, ત્યારે તમે તમારા મો માં અજમો નાખો અને તેને વચ્ચેથી ચાવો, જેથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.

4. અશ્વગંધા અને શતાવરીનો છોડ
આ બંને ઔષધિઓ ઘણા રોગો સામે લડવામાં મદદગાર સાબિત થઈ છે. તમાકુ અથવા ધૂમ્રપાનનું નિયમિત સેવન કરવાથી શરીરમાં નિકોટિન જેવા ઝેરી તત્વ એકઠા થાય છે, પરંતુ અશ્વગંધા અને શતાવરી જેવી ઔષધિ શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે.

5. ફળો ખાવાનું શરૂ કરો
વિટામિન સી થી ભરપુર ફળો ખાવાનું શરૂ કરો. નારંગી, લીંબુ, આમળા અને જામફળ અને સફરજન વગેરે ખાવાથી તમે તમાકુની આદતથી છૂટકારો મેળવી શકો છો.

12 મે, 2021

गिलोय एक चमत्कारी बेल

💐 *गिलोय के चमत्कारी गुण*💐. ✍🏻...गिलोय एक ही ऐसी बेल है, जिसे आप *सौ मर्ज की एक दवा* कह सकते हैं। इसलिए इसे संस्कृत में *अमृता* नाम दिया गया है। कहते हैं कि देवताओं और दानवों के बीच समुद्र समंथन के दौरान जब *अमृत* निकला और इस *अमृत की बूंदें जहां-जहां छलकीं, वहां-वहां गिलोय की उत्पत्ति हुई*।

✍🏻...इसका वानस्पिक नाम (Botanical name) टीनोस्पोरा कॉर्डीफोलिया (tinospora cordifolia है। इसके *पत्ते पान के पत्ते* जैसे दिखाई देते हैं और *जिस पौधे पर यह चढ़ जाती है, उसे मरने नहीं देती*। इसके बहुत सारे लाभ आयुर्वेद में बताए गए हैं, जो न केवल आपको सेहतमंद रखते हैं, बल्कि आपकी सुंदरता को भी निखारते हैं। आइए जानते हैं *गिलोय के फायदे*…

(1) गिलोय बढ़ाती है शरीर की *रोग प्रतिरोधक* क्षमता :-

गिलोय एक ऐसी बेल है, जो व्यक्ति की *रोग प्रतिरोधक* क्षमता को बढ़ा कर उसे बीमारियों से दूर रखती है। इसमें भरपूर मात्रा में *एंटीऑक्सीडेंट्स* होते हैं, जो शरीर में से *विषैले पदार्थों* को बाहर निकालने का काम करते हैं। यह खून को साफ करती है, बैक्टीरिया से लड़ती है। *लिवर और किडनी* की अच्छी देखभाल भी *गिलोय* के बहुत सारे कामों में से एक है। ये दोनों ही अंग खून को साफ करने का काम करते हैं।

(2) - *ठीक करती है बुखार* :-

अगर किसी को *बार-बार बुखार* आता है तो उसे *गिलोय* का सेवन करना चाहिए। गिलोय हर तरह के बुखार से लडऩे में मदद करती है। इसलिए *डेंगू के मरीजों* को भी गिलोय के सेवन की सलाह दी जाती है। डेंगू के अलावा *मलेरिया, स्वाइन फ्लू* में आने वाले बुखार से भी गिलोय छुटकारा दिलाती है।


(3) - *मधुमेह के रोगियों* के लिए :-

गिलोय एक *हाइपोग्लाइसेमिक एजेंट* है यानी यह खून में *शर्करा* की मात्रा को कम करती है। इसलिए इसके सेवन से खून में शर्करा की मात्रा कम हो जाती है, जिसका फायदा टाइप टू डायबिटीज के मरीजों को होता है।

(4) - *पाचन शक्ति बढ़ाती है* :- 

यह बेल पाचन तंत्र के सारे कामों को भली-भांति संचालित करती है और *भोजन के पचने* की प्रक्रिया में मदद कती है। इससे व्यक्ति कब्ज और पेट की दूसरी गड़बडिय़ों से बचा रहता है।

(5) - *कम करती है "स्ट्रेस"* :- 

*गलाकाट प्रतिस्पर्धा* के इस दौर में *तनाव या स्ट्रेस* एक बड़ी समस्या बन चुका है। *गिलोय एडप्टोजन* की तरह काम करती है और मानसिक तनाव और चिंता (एंजायटी) के स्तर को कम करती है। इसकी मदद से न केवल *याददाश्त* बेहतर होती है बल्कि *मस्तिष्क* की कार्यप्रणाली भी दुरूस्त रहती है और *एकाग्रता* बढ़ती है।

(6) - *बढ़ाती है आंखों की रोशनी* :-

गिलोय को पलकों के ऊपर लगाने पर आंखों की रोशनी बढ़ती है। इसके लिए आपको गिलोय पाउडर को पानी में गर्म करना होगा। जब पानी अच्छी तरह से ठंडा हो जाए तो इसे पलकों के ऊपर लगाएं।

(7) - *अस्थमा में भी फायदेमंद* :-

मौसम के परिवर्तन पर खासकर सर्दियों में *अस्थमा* के मरीजों को काफी परेशानी होती है। ऐसे में अस्थमा के मरीजों को नियमित रूप से गिलोय की मोटी डंडी चबानी चाहिए या उसका जूस पीना चाहिए। इससे उन्हें काफी आराम मिलेगा।

(8) - *गठिया में मिलेगा आराम* :-

गठिया यानी *आर्थराइटिस* में न केवल जोड़ों में दर्द होता है, बल्कि चलने-फिरने में भी परेशानी होती है। गिलोय में *एंटी आर्थराइटिक* गुण होते हैं, जिसकी वजह से यह जोड़ों के दर्द सहित इसके कई लक्षणों में फायदा पहुंचाती है।

(9) - *अगर हो गया हो एनीमिया* :-

भारतीय महिलाएं अक्सर एनीमिया यानी खून की कमी से पीड़ित रहती हैं। इससे उन्हें हर वक्त *थकान और कमजोरी* महसूस होती है। गिलोय के सेवन से शरीर में *लाल रक्त कणिकाओं* की संख्या बढ़ जाती है और *एनीमिया* से छुटकारा मिलता है।

(10) - *बाहर निकलेगा कान का मैल* :-

कान का जिद्दी मैल बाहर नहीं आ रहा है तो थोड़ी सी गिलोय को पानी में पीस कर उबाल लें। ठंडा करके छान के कुछ बूंदें कान में डालें। एक-दो दिन में सारा मैल अपने आप बाहर जाएगा।

(11) - *कम होगी पेट की चर्बी* :- 

गिलोय शरीर के *उपापचय (मेटाबॉलिजम)* को ठीक करती है, सूजन कम करती है और *पाचन शक्ति बढ़ाती है*। ऐसा होने से पेट के आस-पास चर्बी जमा नहीं हो पाती और आपका *वजन कम* होता है।

(12) - *यौनेच्छा बढ़ाती है गिलोय* :- 

आप बगैर किसी दवा के *यौनेच्छा* बढ़ाना चाहते हैं तो गिलोय का सेवन कर सकते हैं। गिलोय में यौनेच्छा बढ़ाने वाले गुण पाए जाते हैं, जिससे *यौन संबंध* बेहतर होते हैं।

(13) - *खूबसूरती बढ़ाती है गिलोय* :- 

गिलोय न केवल सेहत के लिए बहुत फायदेमंद है, बल्कि यह त्वचा और बालों पर भी चमत्कारी रूप से असर करती है….

(14) - *जवां रखती है गिलोय* :- 

गिलोय में *एंटी एजिंग* गुण होते हैं, जिसकी मदद से *चेहरे से काले धब्बे, मुंहासे, बारीक लकीरें और झुर्रियां* दूर की जा सकती हैं। इसके सेवन से आप *ऐसी निखरी और दमकती त्वचा* पा सकते हैं, जिसकी कामना हर किसी को होती है। अगर आप इसे त्वचा पर लगाते हैं तो घाव बहुत जल्दी भरते हैं। त्वचा पर लगाने के लिए गिलोय की *पत्तियों को पीस कर पेस्ट बनाएं*। अब एक बरतन में थोड़ा सा नीम या अरंडी का तेल उबालें। गर्म तेल में पत्तियों का पेस्ट मिलाएं। ठंडा करके घाव पर लगाएं। इस पेस्ट को लगाने से त्वचा में कसावट भी आती है।

(15) - *बालों की समस्या भी होगी दूर* :-

अगर आप बालों में *ड्रेंडफ, बाल झडऩे या सिर की त्वचा* की अन्य समस्याओं से जूझ रहे हैं तो *गिलोय* के सेवन से आपकी ये समस्याएं भी दूर हो जाएंगी।

🌷 *गिलोय का प्रयोग ऐसे करे*🌷:-

अब आपने गिलोय के फायदे जान लिए हैं, तो यह भी जानिए कि गिलोय को इस्तेमाल कैसे करना है…

(1) - *गिलोय जूस* :- 

गिलोय की डंडियों को छील लें और इसमें पानी मिलाकर मिक्सी में अच्छी तरह पीस लें। छान कर सुबह-सुबह *खाली पेट पीएं*। अलग-अलग ब्रांड का गिलोय जूस भी बाजार में उपलब्ध है।

(2) - *काढ़ा बनाकर* :-

चार इंच लंबी गिलोय की डंडी को छोटा-छोटा काट लें। इन्हें कूट कर एक कप *पानी में उबाल लें*। पानी आधा होने पर इसे छान कर पीएं। *अधिक फायदे के लिए आप इसमें लौंग, अदरक, तुलसी भी डाल सकते हैं*।

(3) - *पाउडर बनाकर ले* :- 

यूं तो *गिलोय पाउडर बाजार* में उपलब्ध है। आप इसे घर पर भी बना सकते हैं। इसके लिए गिलोय की डंडियों को धूप में अच्छी तरह से सुखा लें। सूख जाने पर मिक्सी में पीस कर पाउडर बनाकर रख लें।

(4) - *गिलोय वटी* :-

बाजार में *गिलोय की गोलियां यानी टेबलेट्स* भी आती हैं। अगर आपके घर पर या आस-पास ताजा गिलोय उपलब्ध नहीं है तो आप इनका सेवन करें।

(5) - *साथ में अलग-अलग बीमारियों में आएगी काम गिलोय* :-

अरंडी यानी कैस्टर के तेल के साथ गिलोय मिलाकर लगाने से गाउट(जोड़ों का गठिया) की समस्या में आराम मिलता है।इसे अदरक के साथ मिला कर लेने से *रूमेटाइड आर्थराइटिस* की समस्या से लड़ा जा सकता है।चीनी के साथ इसे लेने से *त्वचा और लिवर* संबंधी बीमारियां दूर होती हैं। *आर्थराइटिस* से आराम के लिए इसे *घी* के साथ इस्तेमाल करें।कब्ज होने पर *गिलोय में गुड़* मिलाकर खाएं।

*साइड इफेक्ट्स का रखें ध्यान* :- 

*वैसे तो गिलोय को नियमित रूप से इस्तेमाल करने के कोई गंभीर दुष्परिणाम अभी तक सामने नहीं आए हैं* लेकिन चूंकि *यह खून में शर्करा की मात्रा कम करती है। इसलिए इस बात पर नजर रखें कि ब्लड शुगर जरूरत से ज्यादा कम न हो जाए*। 

*गर्भवती और स्तनपान कराने वाली महिलाओं को गिलोय के सेवन से बचना चाहिए*। :-

*पांच साल से छोटे बच्चों को गिलोय का प्रयोग ना करने दें* आप.

एक निवेदन :- अभी वर्षाऋतु का समय एक माह शेष है । अपने घर में, बड़े गमले या आंगन में जंहा भी उचित स्थान हो गिलोय की बेल अवश्य लगायें एवं स्वजनों को भी देवें। यह *बहु उपयोगी वनस्पति ही नही बल्कि आयुर्वेद का अमृत और ईश्वरीय वरदान हैं*।। 🙏 *आपका भाई ,मित्र*🙏 👏 *महेंद्र सिंह सिसोदिया इछावर*👏 🙏 *योग शिक्षक* एवं *जिला अध्यक्ष पतंजलि योग समिति जिला सीहोर (म.प्र.)* मोबाईल नंबर *9826717374 - / - 9200367524*
(Whattsapp group massege)