9 ઑક્ટો, 2020

મળવા જેવો માણસ: ઋજુદિલ પ્રદીપ

પ્રદીપ નામ છે એનું. 👆🏼
દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન. 

પ્રદીપ.
રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)

આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.

આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.

હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”

વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે. 

ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.

વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.

...પણ એ ભાઈ...આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.

વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!

હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)

એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.

લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.

આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.

...પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ...મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”

આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.

જેનો કોઈ નહીં બેલી, એનો ભગવાન બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.

હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?
“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”

***
આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?

વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

*સૌજન્ય સહ:
કનક પંડ્યા. 🌹🙏🌹

7 ઑક્ટો, 2020

કિચન ગાર્ડન માટે ઉપયોગી ઓર્ગેનિક જંતુનાશક

⭕ Pesticides ⭕

કિચન ગાર્ડન માટે ઉપયોગી ઓર્ગેનિક જંતુનાશક

ફૂલ, ફળ, શાકભાજી, પ્લાન્ટ્સ વગેરે માટે ઉપયોગી પેસ્ટીસાઈડ ...

જંતુ, કીટક, મિલિબગ્સ, ઈયળ, ફૂગ, એફિડ્સ વગેરે ને દૂર કરે છે

ધતુરા ના પર્ણો...( શિવ ને ફૂલ ચડે એ) 
કડવા લીમડા ના પર્ણો લેવા

ડોલ,/ ગોરી, /માટલું....કોઈ પણ લેવું...
ધતુરા ના પર્ણ ના નાના ટુકડા કરવા...
કડવા લીમડા ના પર્ણ ના ટુકડા કરવા 
અથવા આખા મિક્સ કરવા...
પાણી ઉમેરવુ...
ગૌમુત્ર ઉમેરવું...
મિક્સ કરવું...
ઢાંકી ને રાખવું...
અડધી માત્રા થાય પ્રવાહીની ત્યાં સુધી ઉકાળવું.. 
ઠંડુ થાય પછી ગાળવું..

અઠવાડિયે એકવાર સ્પ્રે કરવો

ગીલોય (ગળો)

`કેન્સરથી લઈને કોરોના નાશક.. *ગીલોય (ગળો)*

*આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામમાં મળી જાય છે.*

```ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે.```
*આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે.*
```ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે.```
*ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે.*
```તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.```
*તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે.*
```તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે.```
*ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.*
```ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે.```
*ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે.*
```ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે.```
*ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.*
```ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.```
*પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે.*
```ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે.```
*તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે.*
```તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે.```
*તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે.*
```આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.```
*રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.*
```ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે.```
*ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.*
```ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.```
*તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી.*
```ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે.```
*ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે.*
```તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે.```
*જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.*
```પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત.```
*ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે.*
```આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.```
*કફ નો પણ ઈલાજ છે ગીલોય.*
```કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.```
*ડાયાબીટીસ નો ઉપચાર.*
```જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.```
*ઉચા લોહીન દબાણ ને કરે નિયંત્રિત.*
```ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.```
*અસ્થમા નો સચોટ ઈલાજ.*
```અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.```
*આંખોની દ્રષ્ટિ વધારવા માટે.*
```ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.```
*સુંદરતા માટે પણ છે અસરકારક.*
```ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.```
*લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે.*
```ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.```
*દાંતમાં પીળાશ થવી.*
```ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.```
*રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત).*
```10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.```
*ખંજવાળ.*
```હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.```
*મોટાપો.*
```નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે, બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.```
*હિચકી.*
```સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.```
*દરેક પ્રકારના તાવ.*
```સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.```
*કાનમાં મેલ સાફ કરવા માટે.*
```ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.```
*કાનમાં દુઃખાવો.*
```ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.```
*સંગ્રહણી (પેચીશ)*
```અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.```
*કબજિયાત.*
```ગીલોયનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.```
*એસીડીટી.*
```ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.```
*લોહીની ઉણપ (એનીમિયા).*
```ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.```
*હ્રદયની નબળાઈ.*
```ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.```
*હ્રદયમાં દુઃખાવો.*
```ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.```
*હરસ, કુષ્ઠ અને કમળો.*
```7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.```
*હરસ*
```મઠા (છાશ, તક્ર) ની સાથે ગીલોયનું ચૂર્ણ 1 ચમચી મુજબ દિવસમાં સવાર સાંજ લેવાથી હરસ માં ફાયદો મળે છે. 20 ગ્રામ હરડે, ગીલોય, ધાણા લઈને ભેળવી લો અને તેને 5 કિલોગ્રામ પાણીમાં પકાવો જયારે તે ચોથા ભાગનું વધે ત્યારે તેમાં ગોળ નાખીને ભેળવી દો અને પછી તે સવાર સાંજ સેવન કરો તેનાથી તમામ પ્રકારના હરસ ઠીક થઇ જશે.```
*મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા).*
```ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.```
*રક્તપદર.*
```ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.```
*ચહેરા ઉપર ડાઘ-ધબ્બા.*
```ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે,ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.```
*સફેદ ડાઘ*
```સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.```
*પેટના રોગો*
```18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.```
*સાંધાના દુઃખાવા (ગઠીયા)*
```ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.```
*વાતજ્વર.*
```ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.```
*શીતપિત્ત (લોહીવાળું પિત્ત)*
```10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.```
*જીર્ણજ્વર (જુનો તાવ).*
```જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું ) વગેરે રોગ માં સારું થઇ જાય છે.```
*વમન.*
```ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.```
*પેચીશ (સંગ્રહણી).*
```20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.```
*આંખની બીમારી.*
```લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.```
*ક્ષય (ટી.બી.).*
```ગીલોય, કાળામરી, વંશલોચન, ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.```
*વાતરક્ત.*
```ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.```
*લોહીનું કેન્સર.*
```લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.```
*આંતરિક તાવ.*
```5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.```
*અજીર્ણ (અસાધ્ય) જ્વર.*
```ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.```
*પૌરૂષ શક્તિ.*
```ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.```
*વાત-કફ જ્વર*
```વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.```
*દમ (શ્વાસ નો રોગ)*
```ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.```
*મેલેરિયા તાવ*
```ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.```
*તાવ*
```ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.```
*કફ અને ખાંસી*
```ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.```
*જીભ અને મોઢામાં સુકાપણું.*
```ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.```
*જીભની પ્રદાહ અને સોજો.*
```ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.```
*મોઢાની અંદર છાલા*
```ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.````
*શારીરિક નબળાઈ.*
```100 ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.```
*એઇડ્સ (એચ.આઈ.વી.)*
```ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.```
*ભગંદર*
```ગીલોય, સુંઠ, પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.```
*યકૃત કે જીગરનો રોગ.*
```ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.```
*તરસ વધારે લાગવી.*
```ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે.```
*પિત્ત વધવો.*
```ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.```
*મધુમેહ.*
```40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે. કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.```
*સાંધાના દુઃખાવા (ગઠીયા).*
```ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે. કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો. તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો. તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.```
*પેટમાં દુઃખાવો.*
```ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.```
*કમળાનો રોગ.*
```ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.```
*સુકો રોગ (રીકેટસ).*
```લીલી ગીલોયના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે.```
*માનસિક અસ્થિર (ગાંડપણ).*
```ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.```
*શરીરમાં બળતરા.*
```શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.```
*કોઢ.*
```100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.```
*લોહીની ઉણપ*
```૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર દ્સંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.```
*માથાનો દુઃખાવો.*
```મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.```
*વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી.*
```20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.```
*શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું.*
```લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો. ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં ખાંડ નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને ખાંડ સાથે કે મધ અને પીર્પ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

6 ઑક્ટો, 2020

सुखी रहने का तरीका


*सुखी रहने का तरीका*
*********************

      *एक बार की बात है संत तुकाराम अपने आश्रम में बैठे हुए थे। तभी उनका एक शिष्य, जो स्वाभाव से थोड़ा क्रोधी था उनके समक्ष आया और बोला-*

*गुरूजी, आप कैसे अपना व्यवहार इतना मधुर बनाये रहते हैं, ना आप किसी पे क्रोध करते हैं और ना ही किसी को कुछ भला-बुरा कहते हैं? कृपया अपने इस अच्छे व्यवहार का रहस्य बताइए?*

*संत बोले- मुझे अपने रहस्य के बारे में तो नहीं पता, पर मैं तुम्हारा रहस्य जानता हूँ !*

*“मेरा रहस्य! वह क्या है गुरु जी?” शिष्य ने आश्चर्य से पूछा।*

*”तुम अगले एक हफ्ते में मरने वाले हो!” संत तुकाराम दुखी होते हुए बोले।*

*कोई और कहता तो शिष्य ये बात मजाक में टाल सकता था, पर स्वयं संत तुकाराम के मुख से निकली बात को कोई कैसे काट सकता था?*

*शिष्य उदास हो गया और गुरु का आशीर्वाद ले वहां से चला गया।*

*उस समय से शिष्य का स्वभाव बिलकुल बदल सा गया। वह हर किसी से प्रेम से मिलता और कभी किसी पे क्रोध न करता, अपना ज्यादातर समय ध्यान और पूजा में लगाता। वह उनके पास भी जाता जिससे उसने कभी गलत व्यवहार किया था और उनसे माफ़ी मांगता। देखते-देखते संत की भविष्यवाणी को एक हफ्ते पूरे होने को आये।*

*शिष्य ने सोचा चलो एक आखिरी बार गुरु के दर्शन कर आशीर्वाद ले लेते हैं। वह उनके समक्ष पहुंचा और बोला-*

*गुरुजी, मेरा समय पूरा होने वाला है, कृपया मुझे आशीर्वाद दीजिये!”*

*“मेरा आशीर्वाद हमेशा तुम्हारे साथ है पुत्र। अच्छा, ये बताओ कि पिछले सात दिन कैसे बीते? क्या तुम पहले की तरह ही लोगों से नाराज हुए, उन्हें अपशब्द कहे?”*

*संत तुकाराम ने प्रश्न किया।*

*“नहीं-नहीं, बिलकुल नहीं। मेरे पास जीने के लिए सिर्फ सात दिन थे, मैं इसे बेकार की बातों में कैसे गँवा सकता था?*
*मैं तो सबसे प्रेम से मिला, और जिन लोगों का कभी दिल दुखाया था उनसे क्षमा भी मांगी” शिष्य तत्परता से बोला।*

*"संत तुकाराम मुस्कुराए और बोले, “बस यही तो मेरे अच्छे व्यवहार का रहस्य है।"*
*"मैं जानता हूँ कि मैं कभी भी मर सकता हूँ, इसलिए मैं हर किसी से प्रेमपूर्ण व्यवहार करता हूँ, और यही मेरे अच्छे व्यवहार का रहस्य है।*

*शिष्य समझ गया कि संत तुकाराम ने उसे जीवन का यह पाठ पढ़ाने के लिए ही मृत्यु का भय दिखाया था ।*

*वास्तव में हमारे पास भी सात दिन ही बचें हैं :-*

*रवि, सोम, मंगल, बुध, गुरु, शुक्र और शनि, आठवां दिन तो बना ही नहीं है ।*

👏👏 *"आइये आज से परिवर्तन आरम्भ करें।"* 👏👏

6. લેખણ ઝાલી નો રહી (અભ્યાસ)

6. લેખણ ઝાલી નો રહી


અભ્યાસ 

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [  ]માં લખો :

(1) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? 
(ક) રૂઢિપ્રયોગ (ખ) કહેવત (ગ)વિચાર વિસ્તાર 
( 2 ) કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા? 
(ક) હટાણું કરવા (ખ) ફરવા (ગ) ગામ જોવા 
(3) લેખણ ઝાલી નો રહી’ પાઠ ના લેખકનું નામ જણાવો.
  (ક ) જોરાવરસિંહ જાદવ (ખ) સંતબાલ
(ઘ) કિશોરસિંહ સોલંકી

 પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે? 
    ઉત્તર : ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી અને પથરાયેલા છે.
(2) હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા?
ઉત્તર : હરખચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા.

(3) કહળસંગને કોણે પકો આપ્યો?
ઉત્તર : કહળસંગને કુટુંબમાં સૌને ઠપકો આપ્યો. 
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ગામના લોકો ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી એકસામટી  કેમ કરતા?

ઉત્તર : ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામના તાલુકા-મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં, ત્રણ-ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી ગામલોકો એકસામટી કરી લેતા.

(2) કહળસંગે કઈકઈ વસ્તુની ખરીદી કરી ?

 ઉત્તર : કહળસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએ થી બે-ત્રણ ડબા તલના તેલ ના,
 મોદીની દુકાનેથી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં,લસણ, કોથળા ભરીને બટાટા અને ડુંગળીની ખરીદી કરી.
(૩) હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ ?
ઉત્તર : હરખચંદ કહળસંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા. તેને જોઈને કહળસંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું. ઉપરથી કહળસંગ કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી.આમ કહળસંગે ડાંડાઈ કરી.આ વાત હ૨ખચંદના લમણાં માં રહી ગઈ.

(4) હરખચંદને શા માટે શરમાવું પડ્યું ? ઉત્તર : કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો મલાજો ના જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળ સંગ તો અભણ હતા, પણ હરખચંદ તમે આ શું ક્યું? હરખચંદને ભૂલ સમજાઈ ને એમને શરમાવું પડ્યું.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ભાલ અને કનેર પંથક માટે કંઈ કહેવત કહેવાતી આવે છે? શા માટે?
 ઉત્તર: ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે : 'કપાળમાં 'ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'- આ પંથકમાં કુદરતની અમીઝષ્ટિ નથી; આખો પંથક કાયમથી ઝાડ-પાન વિના વેરાન છે. એટલા માટે આ કહેવત પડી છે.

(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
ઉત્તર: કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદ ની હાટડી એ લેવા જતો ત્યારે શેઠ એને હાટડી થી હેઠો ઉતારી દેતા. આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકુ મૂકવા ગયા ત્યારે શેઠને રઝળવવાનો વિચાર કરીને' બળદ ઝાલ્યા રહેતા નથી ' એમ કહીને, કહળસંગે બાચકુ લેવાની ના પાડી.

 ૩) હરખચંદ શેઠ ગામલોકોને શું શું લખી આપતા ?કેમ?
ઉત્તર : હરખચંદ શેઠ ગામલોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોતરી પત્ર લખી આપતા; કારણ કે ગામ આખું અંગુઠાછાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલા નહોતું.

(4) અનુભવીએ કહળસંગને ઠપકો કેમ આપ્યો?
 ઉત્તર : કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યાં. એ માટે અનુભવીઓએ કપાળસંગને ઠપકો આપ્યો.

          *********************

કિસાનો આનંદો...પંચગવ્ય વાપરવાથી બમણો પાક

કિસાનો આનંદો...પંચગવ્ય વાપરવાથી બમણો પાક
- રાસાયણિક ખાતરો ફગાવી દેશી ખાતર બનાવીને પાકનું ઉત્પાદન વધારી શકાય



- ગ્રીન રિવોલ્યુશન નામે ધબડકો સર્જાયો છેઃ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં દરેકને 

- બિન આરોગ્યપ્રદ ખોરાક લેવો પડે છેઃ ખેડૂતો ઘેર બેઠા તૈયાર કરી શકે એવું ચમત્કારીક ખાતર

તાજેતરમાં અધર બુક સ્ટોર પરથી એક સુંદર પુસ્તક પસંદ કર્યું હતું. તે ડો.કે.નટરાજને લખેલા પંચગવ્ય ઉપરના મેન્યુઅલ સમાન હતું. ડો.નટરાજને દાયકાઓથી ભારતભરમાં પંચગવ્યનો પ્લાંટ, એનિમલ અને માનવજાત પર ઉપયોગથી થતી અસરનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જો પંચગવ્યને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે મહત્તમ ઉપયોગમાં આવી શકે છે. તેમના બાયો પેસ્ટીસાઇડના સંશોધનના કારણે તેમને નામાંકિત એવો શૃષ્ઠી એવોર્ડ પણ મળ્યો છે. બાયો પેસ્ટીસાઇડ એેટલેકે ઓછી સાઇડ ઇફ્ેક્ટવાળું ખાતર. જે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઉભી કરવામાં ખુબ ઉપયોગી બની ગયું છે. તેમણેે ડાયાબીટીસ તેમજ સાંધાના દુખાવા માટે બે આયુર્વેદીક દવાઓ પણ બનાવી છે.

૧૯૯૮માં જ્યારથી વિજ્ઞાાનીઓએ પંચગવ્ય શોધ્યું ત્યારથી તેના પર પ્રયોગો થતા આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ તેના પર પીએેચડી કરી રહ્યા છે અને એમ ફિલ થયેલાઓ તેના પર વધુ જ્ઞાાન મેળવવા પ્રયાસો કર્યા કરે છે. આ મેન્યુઅલ ખુબ રસપ્રદ છે . તેમાં પંચગવ્યના ઉપયોગો અને પ્લાંટ તેમજ માનવ શરીર પર તેની કેવી અસર થાય છેે દર્શાવ્યું છે. તેની જમીનની ફળદ્રૂપતા પર કેવી અસર થાય છે તે પણ સમાવ્યું છે.કૃષિ ક્ષેત્રે ભારત બહુ કપરાં ચઢાણ ચઢી રહ્યું છે. સદીઓથી આપણે કુદરતી ખાતરો વાળો ખોરાક અને ફળો ખાતા આવ્યા છે. પરંતુ 

૧૯૬૦ પછી સરકારે બધાનું ઉત્પાદન બમણું કરવાની ચાનક બતાવી હતી. ગ્રીન રિવોલ્યુશનના નામે રસાયણીક ખાતરો તેમજ કેમીકલ યુકત ખાતરો વાપરવા માટે સમાચાર માધ્યમોમાં જાહેરાતો કરીને તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જોકે તેના કારણે ફળદ્રૂપ જમીનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને લોકોના આરોગ્યને પણ નુકશાન થયું હતું.

કૃષિ ક્ષેત્રે ભારતે મોટો ફટકો ખાધો છે. સદીઓથી આપણે ઓર્ગેનિક (ખાતરમાંથી બનેલું) ફ્રૂટ અને ફળ-ફળાદી, ગોળ, સિઝનલ ફૂડ વગેરે ખાતા આવ્યા છે. પરંતુ ગ્રીન રિવોલ્યુશનના ઓથા હેઠળ રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનો વપરાશ વધ્યો હતો. સરકાર પણ તેના વપરાશ માટે પ્રોત્સાહન આપતી હતી. સમય જતાં યુરિયા અને કેમિકલ્સના કારણે જમીનો સૂકાવા લાગી અને ધરતી પાણી માટે તરસી બની ગઇ હતી. જેના કારણે આપણે વધુ પાણી સિંચવા લાગ્યા હતા. જેના કારણે વિજળીનો વપરાશ પણ વધ્યો છે.હવે સમય એવો આવ્યો છે કે હાલમાં આપણે પોષણ વિનાનું અને બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા થયા છીએ.

૨૦૦૦ના વર્ષમાં આપણને ખ્યાલ આવી ગયો હતો કે આપણે યુરિયાના નામે લાખો ટન પોઇઝન જમીનમાં નાખીને કશું મેળવી શક્યા નથી પણ કેન્સરના રોગીઓ વધારી શક્યા છીએ. ગ્રીન રિવોલ્યુશનનો ફિયાસ્કો થયો હતો અને કિસાનો હતાશ થયા હતા.

ધીરે ધીરે કિસાનો ફરી કુદરતી ખાતરો (ઓર્ગેનીક ફાર્મીંગ) તરફ વળ્યા હતા. કેમિકલ ખાતરો, રાસાયણિક દવાઓ, ફંગીસાઇડ વગેરે ને દુર કરવા થોડા પગલાં લેવાના શરૂ કરાયા છે. પરંતુ ગ્રોથ વધારતા હોર્મોન્સ કે રોગ પ્રતિકારક શક્તિ વધારતા કે વધુ ઉત્પાદન કરતાં કોઇ તત્વો દેખાતા નહોતા. તેથી કટેલાક લોકોએ વૃક્ષાઆયુર્વેદા અને પંચગવ્યના પ્રયોગો શરૂ કર્યા હતા. કિસાનો માટે પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ધીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે. ડો.નટરાજને પોતાના આઇડયા પ્રમાણે કેટલાંક તત્વો ઉમેર્યા હતા. તેમણે તૈયાર કરેલા મિશ્રણમાં નીચે પ્રમાણેના તત્વો હોય છે.

ગાયનું તાજું છાણ..પાંચ કિલો,

ગાયનું યુરીન ...ત્રણ લીટર, 

ગાયનું દૂધ...બે લીટર,

ગાયના દૂધમાંથી બનાવેલ દહીં...બે લીટર,

શેરડીનો રસ...બે લીટર, 

નાળીયેરનું પાણી...ત્રણ લીટર, 

૧૨ પાકા કેળા, 

તાડીનો કે દ્રાક્ષનો રસ (જ્યુસ)....બે લીટર. 

ઉપરોક્ત તમામનું મિક્સચર ૨૦ લીટર જેટલું પંચગવ્ય આપશે.

તે બનાવવાની રીત સમજોઃ

પહોળાં મોંઢા વાળા માટીના કે પ્લાસ્ટીકના કન્ટેનર લો (મેટલના વાસણ વાપરવા નહીં). સૌ પ્રથમ તેમાં તાજું છાણ અને ઘી નાખીને ત્રણ દિવસ સુધી રોજ બે વાર મિક્સ કરો. ચોથા દિવસે બાકીની ચીજો તેમાં ઉમેરીને પંદર દિવસ સુધી રોજ બે વાર હલાવો. આમ કુલ અઢાર દિવસ થશે. પછી તેને છાંયામાં મુકીને ઉપર માખી ના બેસે એ રીતે કાપડથી ઢાંકી દો. જો તમને શેરડીનો રસ ના મળે તો ત્રણ લીટર પાણીમાં ગોળ ઓગાળી નાખી તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને તાડી ના મળે તો લીલા નાળિયેરનું બે લીટર પાણી બંધ પ્લાસ્ટીક કન્ટેનરમાં દશ દિવસ ભરી રાખ્યા બાદ તેનો ઉપયોગ કરી શકો છોે. તે ફૂગાઇને પછી તાડી બની જાય છે. 

આ પંચગવ્ય છ મહિના સુધી રાખી શકાય છે. જો તે દ્રાવણ જાડું થઇ જાય તો તેને પાતળું બનાવવા પાણી ઉમેરી શકાય છે. છોડવાઓના ઉછેર માટે તે પુરતું પોષણ આપે છે. લેબોરેટરીમાં તેનું પરિક્ષણ પણ કરાયું છે. દેશભરના કિસાનો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

દર ૧૦૦ લીટર પાણીમાં તે ત્રણ લીટર નાખવાનું હોય છે. પાક ઉપર તેનો સ્પ્રે થઇ શકે છે. ડ્રીપ ઇરીગેશનના પાણીના ફ્લોમાં પણ તે નાખી શકાય છે. જ્યારે ભીના કરેલા બીજ રોપવામાં આવે ત્યારે તે રોપતાં પહેલાંની ૨૦ -૩૦ મિનિટ પહેલાં તેનો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ ૨૦ દિવસ સુધી તેનો પ્લાંટ પર છંંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ જ્યારે તેના પર ફૂલ બેસે તે અગાઉના સમયમાં દશ દિવસે એક વાર છંટકાવ કરવાનો હોય છે.કેટલાંક ફળો પર તે કેવા પરિણામો આપે છે તે અહીં આપ્યું છે. (બાકીની વિગતો પુસ્તકમાં છે)

કેરીઃ આંતરે વર્ષે (એક વર્ષ છોડીને) કેરીનો પાક આવવાના બદલે દર વર્ષે કેરીને પાક આવે છે અને જથ્થા બંધ મોર (કેરી આવતાં પહેલાંના ફૂલો) બેસે છે. કેરીની સુગંધી પણ સારી આવે છે. લીંબુઃ...આખું વર્ષે ફૂલો આપે છે. એટલેકે આખું વર્ષ ઉતારો આપે છે. સુગંધી પણ સારી આપે છે. ફળ દશ દિવસ સુધી ઝાડ પર રહે છે. ખરી પડતું નથી.

જામફળઃ..મોટું અને સ્વાદિષ્ટ ફળ આપે છે તેમજ ઝાડ પર વધુ પાંચ દિવસ સુધી ટકી રહે છે, ખરી પડતું નથી.

કેળાંઃ..એક સરખાં ઝુમખાં લાગે છે અને સામાન્ય કરતાં એક માસ પહેલાં તૈયાર થઇ જાય છે.

હળદરઃ...વધારાની એક ગાંઠ સાથે ૨૨ ટકા વધુ ઉતારો આપે છે. ઉધઇ તેમજ અન્ય રોગ ઓછા થાય છે.

જાસ્મીનઃ..આખું વર્ષ ફૂલો આપે છે અને સુંદર સુગંધ પણ આપે છે.

શાકભાજીઃ...૧૮ ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે જ્યારે કાકડીના પાકનું તો બમણું ઉત્પાદન આપે છે.

ડાંગરઃ....દરેક ડૂંડા પર ૩૦૦ દાણા વધુ આવે છે. પાક પંદર દિવસ પહેલાં આવે છે. દાણાનું વજન ૨૦ ટકા જેટલું વધે છે. મિલમાં લઇ જતા પહેલાં તૂટેલાં દાણાની સંખ્યામાં ઘટાડો થાય છે.

 શેરડી,મગફળી, જુવાર, બાજરી, રાગી,મકાઇ, ઘઉં,સન ફ્લાવર,નાળીયેર વગેરેના પર પંચગવ્યનું પરિક્ષણ કરાયું છે. તે વધુ ઉત્પાદન આપે છે અને ઉધઇ જેવી જીવાતને ભગાડે છે. મારું એવું માનવું છે કે આ લેખનું કટીંગ કાપીને તમે તમારા ગામના ખેડૂતોને બતાઓ અને તેમને કેમિકલ યુક્ત ખાતરોની જગ્યાએ પંચગવ્ય વાપરવાની સલાહ આપો અને ઉત્પાદન કરવા સમજાવો. પંચગવ્ય પરનું પુસ્તક જોઇતું હોય તો ડો.નટરાજનનો સંપર્ક કરો. ૦૯૪૪૩૩૫૮૩૭૯

પંચગવ્ય એટલે શું? 

પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ઘીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે.


* સંવેદના - મેનકા ગાંધી


4 ઑક્ટો, 2020

તમે ચોકલેટની એક બાઇટ લો છો ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનો વિચાર આવે છે?

તમે ચોકલેટની એક બાઇટ લો છોે ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનોે વિચાર આવે છે?

ચોકલેટની એક બાઇટમાં ઉંદરનો વાળ કે લીંડી હોઇ શકે છે...
- પેાપકેાર્નમાં પણ એકાદ લીંડીને માન્ય ગણાઇ છે



- ચોકલેટમાં રહેલી કેલેરીની ચિંતા કરવાના બદલે તેમાં રહેલા માન્ય કરેલા ભેગ બાબતે વિચારવું જરૂરી..

ઘઉંના લોટના પેકેટમાં (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટિક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ) કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી ડસ્ટ માન્ય ગણાય છે

એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે

જ્યારે તમે ચોકલેટની એક બાઇટ લો છોે ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનોે વિચાર આવે છે પરંતુ શું ક્યારેય એમ વિચારો છે ખરા કે ચોકલેટના બાઇટમાં ઉંદરના કેટલા વાળ કે કેટલી અગાર (સ્ટૂલ-લીંડી) હોય છે તે વિચાર્યું છે ખરંુ? આવું આપણે ક્યારેય વિચારતા નથી. કેમકે આપણને આવી કોઇ ગંભીર વાતની કશી ખબરજ નથી હોતી.

અમેરિકામાં ફૂડના સ્ટાન્ડર્ડ પર નિયંત્રણ રાખતી સંસ્થા અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીએ એક પુસ્તિકા બહાર પાડીને ફૂડમાં રહેલી લઘુત્તમ સ્તરે રહેલી કેટલીક ખામીઓની નોંધ કરી છે. ટૂંકમાં ફૂડ બનાવતી વખતે કેટલીક ક્ષતિઓ રહી જાય છે જેના કારણે ફૂડ કેટલીક ખામી વાળું હોય છે. આવી ખામીઓમાં નાથી ના શકાય એવી હોય છે જેના કારણે માનવ જાતના આરોગ્ય માટે જોખમ રહેલું હોય છે. આવી ભેળસેળ નાથી ના શકાય એવી હોઇ ચોકલેટ ઉત્પાદકો સામે પણ કેસ થઇ શકતા નથી. એફડીએની હેન્ડ બુકમાં એવો ઉલ્લેખ છે કે એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે.

૭૧ જેટલી ફૂડ આઇટમો એવી છે કે જેમાં જીવાણુના અંગો કે તેના ટુકડા જેવાંકે પગના ટુકડા કે અન્ય અંગો ખામી યુક્ત પ્રોસેસ ગણીને માન્ય ગણવામાં આવે છે. આવી સ્થિતિ તમને પીનટ બટર, પેપરીકા, ઓર્ગેનીઓ વગેરેમાં જોવા મળે છે. ઓરીગેનોમાં ૩૦૦ જેટલા જીવાણુની ફૂગ માન્ય છે જ્યારે ગ્રાઉન્ડ ઓર્ગેનો માંતો ૧૨૫૦ જેટલા જીવાણુની ફૂગને માન્ય ગણાય છે. ટોમેટો જ્યુસમાં દર ૧૦૦ ગ્રામે ૧૦ ફ્રૂટ ફ્લાય એગ માન્ય ગણાય છે. ડ્રાઇડ મશરૂમમાં દર ૧૫ગ્રામે ૨૦ મેગોટ્સ (કીડા) કે ૭૫ માઇટ્સને (નાની જીવાત) માન્ય ગણવામાં આવે છે. ચેરીના ડબ્બામાં પાંચ ટકા જેટલા મેગોટ્સ (કીડા) માન્ય ગણાય છે. ફિગ એટલેકે અંજીરમાં એફડીએ માત્ર જીવાણુના માત્ર માથાને માન્ય ગણ્યા છે (એટલેકે જીવાણુનું માથું હોય તો ચાલે) .૧૦૦ગ્રામ ફીગ પેસ્ટમાં જીવાણુના ૧૩ માથાને માન્ય ગણવામાં આવે છે. માત્ર માથા શા માટે ? કોઇ પણ અંગ હોઇ શકે છે.

અહીં મહત્વનું એ છે કે ઉંદરના વાળ કે જીવાણુના કોમ્બીનેશનથી ફૂડ કેટલું પરફેક્ટ બને છે તે વિશે એફડીએને કશી ખબર નથી હોતી. પીનટ બટરમાં દર ૧૦૦ ગ્રામે ૩૦ જીવાણુની ફૂગ અને ઉંદરનો એક વાળ માન્ય કરાયો છે. ૫૦ ગ્રામ તજમાં(સિનેમેન) ૪૦૦ જીવાણુઓની ફૂગ તેમજ ઉંદરના ૧૦ વાળને માન્ય કરાયા છે. પેપ્રિકા (ખાસ પ્રકારના મરચાંને સૂકવીને બનાવેલા પાવડર) માં દર ૨૫ ગ્રામે ૭૫ જીવાણુની ફૂગ તેમજ ઉંદરના ૧૧ વાળને માન્ય ગણાય છે. તજ, મરચાંનો પાવડર. અજમોે, સુગંધીવાળી ઔષધિનો છોડ,વરિયાળી,તલ, આદુ, જેવા મસાલામાં તો એફડીએ ધ્વારા એક એવી ચીજને માન્યતા આપી છે કે વાંચીને આસ્ચર્ય થશે. અમેરિકાની એફડીએ દ્વારા ઉપરોક્ત ચીજોમાં પ્રાણીઓની અગાર (સ્ટૂલ)ને માન્ય ગણી છે. એક કિલો ગ્રામ કોકા બીન્સમાં ૨૦ મિલી ગ્રામ જેટલી અગારને માન્ય ગણાઇ છે. ઘઉંના એક કિલો લોટમાં ઉંદરની નવ અગાર (લીંડી)ને માન્ય ગણાઇ છે. પેાપકેાર્નમાં પણ એકાદ લીંડીને માન્ય ગણાઇ છે. ( એફડીએ ધ્વારા લીંડીની સાઇઝ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઈ).

મોલ્ડ પ્રકારની ફંગસ (ફૂગ) ને ફળો, શાકભાજી, બટર અને જામમાં માન્ય ગણાઇ છે. એફડીઆઇની હેન્ડ બુક આટલેથી નથી અટકતી તેણે એ પણ સમાવ્યું છેકે કેટલાક ફૂડમાં ફોરેન મેટર પણ માન્ય છે. ફોરેન મેટર એેટલે બહારથી ફૂડમાં પડતા તત્વો. આવા તત્વોમાં કાંકરા, લાકડાની કરચ,નાની સળી વગેરે તો છે જ પરંતુ સિગારેટના ઠૂંઠાને પણ માન્ય ગણ્યા છે. એટલેકે ફૂડમાં આવા તત્ત્વો હોય તો પણ તમે કાયદેસર રીતે ઉત્પાદક સામે ફરિયાદ ના કરી શકો. આનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકી સત્તાવાળાઓ એમ માને છે કે આવા તત્વોથી માણસના આરોગ્યને કોઇ વાંધો નથી આવતો. 

હવે તમે એમ માનતા હોવ કે અમેરિકાના પેકેજ ફૂડમાં ભેળસેળ માન્ય છે તો પછી આપણે ત્યાં કેવી દશા હશે? અમેરિકામાં જેમ એફડીઆઇ છે એમ ભારતમાં એફએસએસએઆઇ છે. એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ પણ એફડીએ જેવાજ ધોરણો અપનાવ્યા છે પરંતુ એવો ગૂંચવાડો કરીને મુકી દીધો છે કે તેમાંથી કોઇ ખુલાસો મેળવી શકાતો નથી.

ફૂડમાં ઉત્પાદન દરમ્યાન પેકેજીંગ દરમ્યાન કોઇ ટુકડો અંદર પડી જાય તો તે માનવજાતને નુકશાન કારક નથી હોતો એમ કહેવાયું છે. પરંતુ તેવા કેટલા ટુકડા, તેની સાઇઝ કેટલી વગેરેનો કોઇ ખુલાસો નથી કરાયો.આ સંસ્થાએ ફૂડમાં કેટલી માત્રામાં ભેગ વગેરે અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. સંસ્થાએ એટલા બધા કાયદા અને નિયમેા બનાવ્યા છે કે તેમાં સાચી વસ્તુ શોધવી મુશ્કેલ બની ગઇ છે. મગફળી વિશે એવા ઉેલ્લ્લેખ કરાયો છે કે તેમાં કોઇ કાંકરી, માટી કે કચરો ના હોવો જોઇએ. ફળો અને બદામના પેકેટમાં પાંચ ટકા નુકશાની અને પાંચ ટકા જેટલો કલર ચેન્જ માન્ય ગણાયો છે. ડ્રાય એપ્રિકોટ્સ (સૂકા જરદાળુ) માં જીવતી જીવાત માન્ય નથી પણ કેટલીક માત્રામાં જીવાતના મૃત શરીરની કરચો વગેરે માન્ય ગણાયા છે.

ઘઉંના લોટના પેકેટમાં (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટીક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ) કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી રખીયા માન્ય ગણાય છે. ઘઉં, મકાઇ, જુવાર, બાજરી, ચોખા તેમજ ચણા,મગ, રાજમાં જેવા કઠોળમાં ૦.૦૧ ટકા જેટલા બહારના તત્વોને માન્ય ગણાયા છે. (જેને એક્સટ્રેનીયસ તત્વો કહે છે) જેમાં ડસ્ટ, મેટલની કરચો, જીવાણુની અગાર વગેરેને માન્ય ગણાયા છે. એટલેકે આપણે ખોરાકમાં આવા તત્વો રોજે રોજ ખોરાકમાં લઇએ છીએ.

સુગર, રીફાઇન્ડ સુગર,બુરૂ વગેરેમાં ૦.૦૧ટકા બહારના કોઇ તત્વો માન્ય ગણાયા છે. આ ટકાવારી ગોળના કેસમાં બે ટકા જેટલી છે.ભારતમાં સૌથી પ્રિય પીણું ચા માં નરી આંખે જોઇ શકાય એવા કે જીવાણુ કે કચરો ના હોવો જોઇએ એમ જણાવાયું છે.એફએસએસએઆઇએ મોટા ભાગના મરી મસાલા જેવાં કે હળદર,ઇલાયચી, લવીંગ, બ્લેક પીપર,ધાણા, મેથી વગેરેમાં એકથી બે ટકા જેટલા બહારના તત્વો માન્ય ગણાયા છે. એક અધિકારીએ મને જણાવ્યું હતું કે જ્યારે દાળની અછત ઉભી થઇ ત્યારે મ્યાનમારમાંથી દાળ મંગાવાઇ હતી. જેમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરી હતી. બહુ વિવાદ કર્યા વગર મંત્રાલયે તેમાં બે ટકા કાંકરીને માન્ય ગણવાનો ઓર્ડર કરી દીધો હતો.

ટૂકમાં ફૂડની ક્વોલીટી અને તેમાના ભેગની માત્રા કોર્પોેરેશન નક્કી કરે છે અને ફૂડ બનાવનારનું એક રીતે રક્ષણ કરે છે પરંતુ ફૂડ ખાતી પ્રજાનું રક્ષણ કોણ કરશે?



સંવેદના -મેનકા ગાંધી


2 ઑક્ટો, 2020

સાર્થક જીવન

બાદશાહ નૌશેરવાન એક વૃદ્ધને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે ? તેમણે કહ્યું કે પાંચ વર્ષ. આથી નવાઈ પામી બાદશાહે પૂછ્યું કે આવું કઈ રીતે ?

વૃદ્ધ કહ્યું કે આખી જિંદગી તો નરપશુઓની જેમ દહાડા પૂરા કરવામાં વીતી ગઈ.  પણ છેલ્લાં પાંચ વર્ષથી જીવનસાધના કરી રહ્યો છે. હવે મને આ માનવ જન્મ સાર્થક થવાનો અનુભવ થઈ રહ્યો છે. એટલે એક માનવ તરીકે મારી સાચી ઉંમર તો પાંચ જ વર્ષની કહેવાય. આવું સાંભળીને નૌશેરવાનના મનનું સમાધાન થઈ ગયું. ખરેખર તો જીવનમાં કઈક શ્રેષ્ઠ કર્યું હોય એટલા જીવનને જ સાર્થક કરી શકાય.

જાયે તો વાત જુદી છે. રાવણે પોતાના એક લક્ષ્ય પૂરું કર્યું હતું. તે પોતાના આત્માને સમજ્યો હતો. તેણે પોતાની શક્તિ તથા પોતાના વર્ચસ્વને જાણી લીધા હતા અને તેમને વધારવા માટે પોતે જ હિંમત કરી હતી.

ભિક્ષુ ની અચલ શ્રદ્ધા

બુદ્ધ પ્રવાસ કરતા કરતા એક દિવસ વૈશાલી નગરમાં આવ્યા. તેની સાથે ઘણા શિષ્યો હતા. તે શિષ્યો દરરોજ ભિક્ષા માગવા જતા હતા. વૈશાલીમાં આમ્રપાલી નું ભવ્ય મકાન હતું. તે વૈશાલી ની સૌથી સુંદર સ્ત્રી અને નગરવધુ હતો. એક દિવસ તેના દ્વારે એક ભિક્ષુ ગયો. ભિક્ષુ જોતાં જ તે એના પ્રેમમાં પડી ગઈ. તેને ભિક્ષા આપીને કહ્યું કે ત્રણ દિવસમાં વર્ષાઋતુ શરૂ થશે, તેથી આપ મારે ત્યાં જ રહો. ભિક્ષુએ કહ્યું કે તથાગત મને રજા આપશે તો હું રોકાઈ જઈશ. તે યુવાન ભિક્ષુએ બુદ્ધને બધી વાત જણાવી. બુદ્ધે થોડીવાર તેની સામે જોયું અને પછી તેને આમ્રપાલી ને ત્યાં રહેવાની રજા આપી. ત્રણ દિવસ પછી તે યુવાન ભિક્ષુ આમ્રપાલી ભવનમાં જતો રહ્યો. બીજા ભિક્ષુઓ તેના વિશે ગમે તેવી વાતો કરવા લાગ્યા. આથી બુદ્ધે કહ્યું કે મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે ચાર મહિના પછી પાછો આવશે. ચાર મહિના પૂરા થતાં જ ભિક્ષુ પાછો ફર્યો અને તેની પાછળ પાછળ આમ્રપાલી પણ આવી. તેને પોતાને ભિક્ષુણીઓના સંઘમાં પ્રવેશ આપવા માટે બુદ્ધને વિનંતી કરી. તેમણે કહ્યું કે મેં ભિક્ષુ મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા, એમ છતાં હું હારી ગઈ. ભિક્ષુ આચરણે મને ખાતરી કરાવી દીધી કે આપના ચરણોમાં આવવાથી જ સાચું સુખ, શાંતિ તથા મુક્તિ મળશે.

શ્રેષ્ઠ ધર્મ


હઝરત અબુ બકર મદીનાના ખલીફા હતા. તે હંમેશાં ગરીબ તથા દુઃખી  લોકોની સેવા કરતા હતા. એક વાર તેમને ખબર પડી કે એક ડોસીને ત્યાં ખાવાની કોઈ વ્યવસ્થા નથી. ખલીફા વહેલી સવારે તે વૃદ્ધ સ્ત્રી જાગે એની પહેલાં તેની ઝૂંપડીએ પહોંચી ગયા અને ત્યાં ભોજન સામગ્રી મૂકીને ચૂપચાપ પાછા આવતા રહ્યા. આની સાથે સાથે તેમણે તેમના આંગણાની સફાઈ પણ કરી નાખી હતી. તે સ્ત્રીએ જ્યારે ત્યાં ભોજનસામગ્રી જોઈ તો વિચાર્યું કે કોઈ ઉદાર માણસ તો મૂકી ગયા હશે. ખલીફા રોજ આ રીતે તેની સેવા કરવા લાગ્યા. એક દિવસ તેણે વિચાર કર્યો કે આવી સેવા કોણ કરે છે તે જોવું જોઈએ. આથી તે વહેલી સવારે જાગી ગઈ. દીવો સળગાવીને તેણે જોયું તો ખબર પડી કે તેની સેવા કરનાર ખલીફા પોતે છે. તેને જોઈને તે મનોમન તેને વંદી રહી.
              
             **************

પંચ મહાભૂતયુક્ત જીવન

એક ધનવાન પોતાની ચાર પુત્રવધૂની બુદ્ધિની પરીક્ષા લેવા તેને અડધો અડધો શેર ડાંગર આપી અને કહ્યું કે બે વર્ષ પછી હું તમારી પાસે તેનો હિસાબ માગીશ. એક વહુએ તો તેને ફેંકી દીધી. તેણે વિચાર્યું કે ઘરમાં કોઠામાં ઘણી ડાંગર ભરેલી છે. સસરાજી જ્યારે માંગશે ત્યારે આપી દઈશ. બીજી વહુએ તે પક્ષીઓને ચણવા માટે નાંખી દીધી. ત્રીજીએ રૂમાલ માં પોટલી બાંધીને સુરક્ષિત મૂકી દીધી, પરંતુ ચોથી વહુએ તેને ઘરની પાછળના વાડામાં વાવી દીધી અને બે વર્ષમાં તેમાંથી એક ક્વિન્ટલ ડાંગર પકવી. બે વર્ષ પછી ડાંગર પાછી માંગી તો જે વહુએ ડાંગરમાં વધારો કર્યો હતો તેની બુદ્ધિ નાં વખાણ કરીને તેને બક્ષીસ આપી. ભગવાન પણ આપણે પાંચ તત્વ અને પાંચ પ્રાણોની યુક્ત આ જીવન આપ્યું છે. જે તેનું ગૌરવ વધારે છે તેને જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.


घर के लिए बनाएं फर्स्ट एड बॉक्स और जरूर रखें ये दवाईयां



घर के लिए बनाएं फर्स्ट एड बॉक्स और जरूर रखें ये दवाईयां


आपात कालीन स्थिति के लिए कुछ दवाएं घर में जरूर रखनी चाहिए। छोटी-मोटी बीमारियां इनसे ठीक हो जाती हैं। दवाई का बॉक्स बनाते समय कागज पर उसकी एक्सपायरी डेट जरूर नोट करें, आइये जानते हैं घर में फर्स्ट एड बॉक्स के बारे में ...

घर के लिए बनाएं फर्स्ट एड बॉक्स और जरूर रखें ये दवाईयां

पता नहीं घर के किसी सदस्य को कब क्या दिक्कत हो जाए। आपात कालीन स्थिति के लिए कुछ दवाएं घर में जरूर रखनी चाहिए। छोटी-मोटी बीमारियां इनसे ठीक हो जाती हैं। आइये जानते हैं घर में फर्स्ट एड बॉक्स के बारे में ...

ध्यान रखिए -
घर में डायबिटीज, हार्ट डिजीज, मिर्गी, अस्थमा का कोई मरीज हो तो उसकी समुचित दवाएं हर वक्त तैयार रखें। साथ ही नजदीकी अस्पताल, एंबुलेंस सेवा और डॉक्टरों के फोन नंबर एवं पते भी हर वक्त आसानी से मिलने वाली जगह पर नोट करके रखें।

पेरासिटामोल-
बुखार, सिर और बदन दर्द के इलाज के लिए पेरासिटामोल टेबलैट लें। बच्चों के लिए सिरप और शिशुओं के लिए यह ड्रॉप के रूप में भी मिलती है।

एंटासिड -
कई बार भोजन करते ही सीने में जलन, अपच, मुंह से खट्टी डकार, बेचैनी होने लगती हैं, ऐसे में डाइजीन या जेलुसील जैसी एंटासिड दवाएं ले सकते हैं। ये अम्ल को शांत कर देती है।

डिस्प्रिन -
बड़े व्यक्ति को छाती में दर्द हो और हार्ट अटैक की आशंका हो तो डॉक्टर के पास ले जाने से पहले दो टेबलेट डिस्प्रिन पानी में घोल कर पिला सकते हैं।

पेट दर्द -
साधारण पेट दर्द या माहवारी के दौरान पेट में दर्द होने पर तात्कालिक आराम के लिए स्पास्मोप्रोक्सिवोन या मेफ्टाल स्पास जैसी दवाएं ली जा सकती हैं।

एंटी डायरिया-वॉमिटिंग -
पेट दर्द व लूज मोशन हो गए हों तो ओ टू या नॉरफ्लॉक्स टीजेड जैसी दवा लें। उल्टी होने पर डोमेस्टल व सिर चकराने पर स्टेमेटिल टेबलेट लें। इलेक्ट्रॉल पाउडर घर पर रखें।

आंख और कान की ड्रॉप -
जेंटिसिन, ओफ्लॉक्स या सिप्लॉक्स ड्रॉप घर में रखें। आंखों में जलन, दर्द, कुछ गिर जाने या कान दर्द में दो बूंदें डालें। इन्हें एक बार खोलने के बाद महीने भर में प्रयोग कर लें।

मलहम एवं बैंडेज -
घर में बरनॉल, सोफ्रामाइसिन, बोरोप्लस, सिल्वर एक्स जैसी मलहम, डेटॉल व सेवलॉन जैसे एंटीसेप्टिक लोशन जरूर रखें। इसके अलावा रूई, गाज पट्टियां व बैंडेज आदि भी एक डिब्बे में रखें। छोटी-मोटी चोट में ये उपयोगी साबित होती हैं।

सर्दी-खांसी -
कई लोगों को एलर्जी के कारण नाक से पानी बहने लगता है, छींकें आने लगती हैं और तेज जुकाम हो जाता है। ऐसे में एलरिड, सिट्रीजीन, एविल जैसी दवाएं दे सकते हैं। एलर्जी के कारण रैशेज होने पर भी ये दवाएं काम करती हैं। खांसी होने पर बच्चों को टिक्सीलिक्स, बड़ों को चेरीकोफ आदि दवाएं दें।

ये भी जरूरी -
अक्सर इस तरह का दवाई बॉक्स बनाते समय हम चार से छह गोली खरीद कर रख लेते हैं लेकिन उनकी एक्सपायरी डेट पर ध्यान नहीं देते इसलिए जब कम मात्रा में कोई दवाई खरीदें तो उसका बिल बनवाते समय विक्रेता से ही उस पर एक्सपायरी डेट लिखवा लें। अगर ऐसा भी न कर पाएं तो दवा को अलग-अलग लिफाफे में डालकर उस पर उसका नाम और एक्सपायरी डेट जरूर लिख लें ताकि आप घर पर न हों तो भी घर का हर सदस्य उन दवाइयों का प्रयोग नाम और एक्सपायरी पढ़कर आसानी से कर सके। साथ ही ये दवा घर में रखने से पहले आप अपने डॉक्टर से सलाह जरूर लें और उसको महत्व भी दें।

Related Stories
नई पट्टी कांटैक्ट लेंस कॉर्निया के इलाज में होगी मददगार
नई 'पट्टी' कांटैक्ट लेंस कॉर्निया के इलाज में होगी मददगार

इस तरह से पहचान सकते हैं मुंह-गले का कैंसर
इस तरह से पहचान सकते हैं मुंह-गले का कैंसर

पेप्टिक अल्सर का सबसे कारगर इलाज हैं ये घरेलू नुस्खे
पेप्टिक अल्सर का सबसे कारगर इलाज हैं ये घरेलू नुस्खे

बच्चों में भी होती है गठिया की समस्या, एेसे संभव है ईलाज
बच्चों में भी होती है गठिया की समस्या, एेसे संभव है ईलाज

जन्म के समय जीभ मोटी व शरीर में सूजन थायरॉइड के लक्षण
जन्म के समय जीभ मोटी व शरीर में सूजन थायरॉइड के लक्षण


स्टेम सेल थैरेपी से हो सकता कई गंभीर बीमारियों का ईलाज, जानें इसके बारे में
स्टेम सेल थैरेपी से हो सकता कई गंभीर बीमारियों का ईलाज, जानें इसके बारे में

एंग्जाइटी से एेसे पाएं छुटकारा, जानें ये खास बातें
एंग्जाइटी से एेसे पाएं छुटकारा, जानें ये खास बातें

सिर का आकार छोटा होने के लिए जीका वायरस जिम्मेदार नहीं
सिर का आकार छोटा होने के लिए जीका वायरस जिम्मेदार नहीं

अगर आप को भी है ऑस्टियोपोरोसिस की समस्या तो समाधान के लिए जानें एक्सपर्ट की राय
अगर आप को भी है 'ऑस्टियोपोरोसिस' की समस्या तो समाधान के लिए जानें एक्सपर्ट की राय

क्या थायराइड के मरीज को भोजन में नमक, शक्कर कम लेना हाेता है, जानिए एक्सपर्ट की राय
क्या थायराइड के मरीज को भोजन में नमक, शक्कर कम लेना हाेता है, जानिए एक्सपर्ट की राय




धन का नशा

 धन का नशा
एक छोटा सा 5 साल का बच्चा रमेश दोस्तों के साथ खेल रहा था। खेलते – खेलते रमेश विरोधी दल पर भारी पड़ रहा था। तभी अचानक दोनों दल में कहासुनी हो गई , दूसरे दल का एक बड़ा लड़का रमेश से लड़ने लगा और काफी समय झगड़ा चलने के बाद बड़ा लड़का कहता है – ‘ नौकर है , नौकर की तरह रह। ‘

इस पर रमेश कुछ असहज और घबरा जाता है , यह बात उसके दिमाग में गूंजने लगती है , इस शब्द को वह कभी भुला नहीं पाया।
बड़ा होकर रमेश ने एक बड़ी कंपनी में नौकरी पाई , अब वह नौकर नहीं बल्कि मालिक था।

उसके साथ कई छोटे-बड़े कार्य करने वाले लोगों का हुजूम था।

एक दिन जब वह लिफ्ट से नीचे उतरा तो दिखता है एक पढ़ी-लिखी महिला जो अभी बड़ी गाड़ी से उतरी है , वह सुरक्षा में तैनात महिला गार्ड को अपशब्द और गाली गलौज कर रही है। महिला गार्ड अपनी सफाई देने का प्रयास कर रही है , किंतु इसका प्रभाव धन के नशे में डूबे महिला पर नहीं पड़ रहा है। तभी रमेश की आंख महिला गार्ड के साथ खड़े लड़के पर पड़ती है , जो मां के पीछे डरा सहमा खड़ा है।

उस लड़के को देखकर बचपन की याद आ जाती है जब खेल में किसी ने यह कहा था – ‘ नौकर का लड़का है , नौकर बनकर रह। महसूस हुआ शर्मिंदगी किसे कहते हैं।

अचानक वह सारा दृश्य आंखों के सामने आ गया और आंखें अचानक नम हो गई

પ્રાણીઓના શરીરમાંથી ખેંચેલા તત્વોમાંથી બનાવેલી દવાઓથી માણસ લાંબુ જીવે છે



પ્રાણીઓના શરીરમાંથી ખેંચેલા તત્વોમાંથી બનાવેલી દવાઓથી માણસ લાંબુ જીવે છે
સંવેદના - મેનકા ગાંધી
ડાયાબિટિસના દર્દીઓ જે ઇનસ્યુલીન લે છે તે ગાય અને ભૂંડના શરીરમાંથી ખેંચેલા તત્વો છે.


કસ્તુરી મેળવવા મૃગને મારી નાખવામાં આવે છે. ત્યારબાદ કસ્તુરીને સૂકવીને તેના નાના ટુકડા કરાય છે: ત્યારબાદ તેને પરફ્યુમ ઉદ્યોગમાં વેચાય છે...

માણસમાં જે તત્વ લોહી પાતળું કરવા માટે વપરાય છે તે હેપરિન તરીકે ઓળખાય છે. તે પ્રાણીઓના લીવર,ફેફસા અને નાના આંતરડાની અંદરની સપાટી પરથી કાઢવામાં આવે છે

વેજીટેરીયાનિઝમ આપણે ત્યાં હજુ પ્રારંભીક સ્તરે છે. વેજીટેરીયાનિઝમ ેએટલે કંઇ માંસ નહીં ખાવાનું એવું નથી પણ તેમાં દૂધ પણ નહીં ખાવાનો ઉલ્લેખ છે. દૂધ એટલે પ્રાણીના માંસનું લીક્વીડ. પરંતુ શું તમે એ જાણેા છો કે ફૂડ ઉધ્યોગ તમને અષ્ટમ-પષ્ટમ સમજાવીને પ્રાણીઓના અંગો અને તેમની ગ્લેન્ડ(ગ્રંથીઓ) તમને ખવડાવે છે તે પર ધ્યાન રાખો છો ખરા?

એનીમલ બ્રેન,સ્પાઇનલ કોડ, પેનક્રીયાસ (સ્વાદુપિંડ),લીવર, ફેફસા,સ્ટમક,કિડની, ઓવરીસ (અંડાશય), થાઇરોઇડ, પેરા થાઇરોઇડ ્અને એડ્રીનલ ગ્લેન્ડ જેવા ભાગોનો વિવિધ ઉદ્યોગો ઉપયોગ કરે છે.

આવી ગ્લેન્ડ પ્રાણીઓમાંથી કાઢી લેવામાં આવે છે અને તેને ફ્રોજન કરી નાખવામાં આવે છે. ત્યારબાદ તેની આસપાસની પેશીઓ અને ટીસ્યુ કાઢી નાખવામાં આવે છે. ત્યારબાદ તેને વેક્સ પેપર પર ૧૮ ડિગ્રી સેન્ટીગ્રેડે રાખવામાં આવે છે. જ્યારે ફાર્માસ્યુટીકલ કંપનીના પ્લાંટમાં તેના નાના ટુકડા કરીને એક્સટ્રેક્ટ કરવાના દ્રાવણમાં મિક્સ કરાય છે. અથવાતો વેક્યુમ ડ્રાયરમાં રખાય છે.

ડ્રાઇંગ પ્રોસેસ બાદ ગ્લેનડ્સનો પાવડર બનાવાય છે જે કેપસ્યુઅલમાં કે લિકવીડ બનાવવામાં વપરાય છે. કોલ્સ્ટેરોલનો સોર્સ બ્રેન અને સ્પાઇનલ કેાડ છે. વિટામીન ડી.કોલીકેલ્સીફેરોલ બનાવવામાં તે રો મટીરીયલ તરીકે વપરાય છે. ડેરી પ્રોડક્ટ,જ્યુસ, અનાજ વગેરેમાં તે વિટામીન ડી તરીકે ઉમેરાય છે. આવી પ્રોડ્ક્ટ પર ફોર્ટીફાઇડ વીથ વિટામીન ડી લેબલ મરાય છે.

કોલેસ્ટેરોલ એ મીણયુક્ત જેવો ચીકણો પદાર્થ છે. તે આંખની દવાઓ, ફેસ મેકઅપ, શેવિંગ માટેની પ્રોડક્ટમાં અને શેમ્પૂમાં વપરાય છે.

પ્રાણીના ગોલ બ્લેડરમાંથી (પિત્તાશય) પિત્ત (બીલી)મળે છે. તે અપચો, કબજીયાત તેમજ લિવરની એક્ટીવીટી વધારવા માટે વપરાય છે. પશુઓ તેમજ ભૂંડના શરીરમાંથી મેળવેલ બીલી સૂકાયેલા પાવડર તરીકે કે લીક્વીડ ફોર્મમાં વેચાય છે. બીલીમાંથી પ્રેડનીસોન અને કોર્ટીસોન નામના તત્વોનેે તારવી લેવામાં આવે છે અને તે મેડિસીન તરીકે વપરાય છે.

પ્રાણીઓમાં સૌથી મોટી ગ્લેન્ડ લિવર હોય છે. પુખ્ત વયના પશુમાં લિવરનું વજન પાંચ કિલો જેટલું હોય છે જ્યારે ભૂંડના લિવરનું વજન ૧.૪ કિલો જેટલું હોય છે. લિવરના એક્સટ્રેક્ટ માટે તેને એસિડ યુક્ત ગરમ પાણીમાં ઝબોળવામાં આવે છે. ત્યારબાદ ઓછા તાપમાને તેની પેસ્ટ બનાવીને ફાર્માસ્યુટીકલ ઉદ્યોગમાં તે રો-મટીરીયલ તરીકે વપરાય છે. તે વિટામીન બી-૧૨ના સોર્સ તરીકે તેમજ એનિમીયાની સારવારમાં તે પોષક તત્વ તરીકે વપરાય છે.

માણસમાં જે તત્વ લોહી પાતળું કરવા માટે વપરાય છે તે હેપરિન તરીકે ઓળખાય છે. તે પ્રાણીઓના લીવર,ફેફસા અને નાના આંતરડાની અંદરની સપાટી પરથી કાઢવામાં આવે છે. મહિલાઓના ગર્ભાશયના પ્રોબલેમ અને ફેસ પરના ખીલ વિરોધી ક્રીમ બનાવવા માટે વપરાતી દવાઓ ભૂંડના અંડાશયમાંથી નીકાળેલા પ્રોજેસ્ટરોન અને ઓઇસ્ટ્રોજન હોર્મોનમાંથી બને છે.

રીલેક્સીન એવું હોર્મેાન છે કે જે માદા ભૂંડના ગર્ભાશયમાંથી લેવામાં આવે છે અને માનવ બાળકના જન્મ સમયે તેની દવા વપરાય છે.

ભૂંડ અને ગાયના સ્વાદૂપિંડ ઇન્સ્યુલીન આપે છે. જે શરીરમાં ખાંડની ચયાપચયની ક્રિયાને નિયમિત બનાવીને ડાયાબીટીસને મેનેજ કરે છે. જો તમને ડાયાબીટીસ હોય અને તમે જાતે ઇન્જેક્શન લેતા હોવ તો યાદ રાખજો કે ગાય અને ભૂંડના શરીરમાંથી ખેંચેલા તત્વો તમને સાજા રાખી રહ્યા છે. આંઠ આૌંસ ( ૨૮.૩૫ ગ્રામ) જેટલા શુધ્ધ ઇનસ્યુલીન માટે ભૂંડના બે ટન જેટલા અંગોની જરુર પડે છે.

પ્રાણીઓના સ્વાદુપિંડમાંથી એક્સટ્રેક્ટ કરેલું તત્વ ગ્લુકોજન માનવમાં બ્લડ સુગર વધારવા વપરાય છે. આલ્કોહોલના કારણે બ્લડ સુગરની સ્થિતિને કંટ્રોલ કરવા વપરાય છે. ચાયમો ટ્રાયપ્સીન અને ટ્રાયપ્સીન જેવા એન્ઝાઇમ પ્રાણીઓ તેમજ ફીશના સ્વાદુ પિંડમાંથી મેળવાય છે. બલ્ડ ક્લોટ ઓગાળવા માટે તે વપરાય છે. ફૂડ ઉદ્યોગમાં તે બેકિંગ, સોસમાં ફ્લેવર, નોન એલર્જીક બેબી ફૂડમાં વપરાય છે.

એડ્રીનલીન કે ઇપાઇનફ્રીનને ડુક્કર, પશુઓ, ઘેટાંની એડ્રીનલીન ગ્લેેન્ડમાંથી ખેંચવામાં આવે છે. તેનો ઉપયોગ હાર્ટમાં ઇન્જેકશન આપવા તેમજ આંખમાં ડોળાને ભેજવાળો રાખવા વપરાય છે. પ્રાણીઓના લીવરમાંથી લેવાયેલ આર્ચીડોનીક એસિડ એ ફેટી એસિડ છે બોડી બિલ્ડીગ સપ્લીમેન્ટ તરીકે તેનું માર્કેટીંગ થાય છે.

લીપાઝ અને રીનેટ એ બે એન્ઝાઇમ એવા છે કે જે ધેટાના બચ્ચાં, વાછરડાં અને અન્ય પ્રાણીઓના બચ્ચાંઓની જીભ નીચેથી લેવાય છે અને તેમનો ઉપયોગ ચીઝ બનાવવા, પાચનમાં મદદ કરતા તત્વ તરીકે તેમજ ક્લોટીંગ એજન્ટ તરીકે વપરાય છે.

પેમીટીક એસિડ અને ઓલીક એસિડ ફેટી એસિડ છે જે પ્રાણીઓ તેમજ વેજીટેબલ ચરબીમાંથી બને છે. ઓલીક એસિડ સામાન્ય રીતે મટનની ચરબીમાંથી લેવામાં આવે છે. તે કેન્ડલ બનાવવા ઉપરાંત તે કેન્ડી, આઇસક્રીમ, સાબુ , નેલ પોલિશ,લિપસ્ટીક, સ્કીન ક્રીમ વગેરેમાં જોવા મળે છે.

ઓલીયલ આલ્કોહોલ ઓસીનોલની બ્રાન્ડ હેઠળ વેચાય છે તેમાં ફીશ ઓઇલની ચરબી કાપડને સોફ્ટ કરવા તેમજ દવાઓ બનાવવા વપરાય છે.

પોલી પેપ્ટાઇડ્ઝ એ એમિનો અસિડ સાથે જોડાયેલા હોય છે. પ્રોટીન બનાવવા એમિનો એસિડ મહત્વનો છે. એનિમલ પ્રોટીનમાંથી તે મળે છે. પોલી સોર્બેટ એ ગોલ્ડન કલરનું એનિમલ પ્રોટીન છે જે ઓલિક એસિડમાંથી બને છે. તે ગાય,ભૂંડ અને ધેટાંની ચરબીમાંથી મળે છે. ફૂડ પ્રોડક્શનમાં પોલી સ્કોરબેટ-૬૦ અને ૮૦ વપરાય છે.

સ્ટીયરીક એસિડ ગાય, ભૂંડ અને ડુક્કરમાંથી મેળવાય છે. જ્યારે વિદેશમાં તે કૂતરાં અને એનિમલ શેલ્ટરમાં રખાયેલી બિલાડીઓમાંથી મેળવાય છે.

કસ્તુરી મૃગના મેલમાં કસ્તુરી નામની ગ્લેન્ડ હોય છે.તે તેના પેનિસના આગળના ભાગમાં કોથળી આકારના એક ભાગમાં હોય છે. કસ્તુરી મેળવવા મૃગને મારી નાખવામાં આવે છે. ત્યારબાદ કસ્તુરીને સૂકવીને તેના નાના ટુકડા કરાય છે પછી તેની ક્ષમતા મેળવવા તેને આલ્કોહોેલમાં ડૂબાડાય છે. ત્યારબાદ તેને પરફ્યુમ ઉધ્યોગમાં વેચાય છે. પરફ્યુમ ઉધ્યોગ કેસ્ટોરીયમ નામનું તત્વ વાપરે છે જે રુંછા વાળા પ્રાણીઓની પૂંછડીમાંથી મળે છે.

કોઇપણે સ્તરે કુદરતી સોર્સ બહુ મહત્વનો હોય છે. જો તમે શાકાહારી છો તો ફૂડ પર વેજીટેબલ સોર્સ લખ્યો હોય છે. પરંતુ હેલ્થ-ફૂડ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને પરફ્યુમ ક્ષેત્ર એનિમલ સોર્સમાં પ્રાણીઓના અંગો,ગ્લેન્ડ, ચરબી, વગેરે વાપરે છે. આ કંપનીઓ એટલી હોંશિયાર હોય છે કે પ્રોડક્ટની અંદરના તત્વોની વિગતો નાના ટાઇપોમાં છાપે છે. જેથી આસાનીથી વાંચી શકાતા નથી. પરંતુ દરેકે તે વાંચવાનો પ્રયાસ કરવો જોઇએ. ખોરાકમાં તમે પ્રાણીઓ સિવાયના વિકલ્પો શોધો જે હજારોના જાન બચાવી શકે છે.


Tags : 
Maneka-Gandhi
Samvedna
(Gujarat samachar news paper)
    
 
 

29 સપ્ટે, 2020

ब्रह्मचर्य-पालन के महत्वपूर्ण नियम

* ब्रह्मचर्य-पालन के महत्वपूर्ण नियम *

 
ऋषियों का कथन है कि ब्रह्मचर्य ब्रह्म-परमात्मा के दर्शन का द्वार है, उसका पालन करना अत्यंत आवश्यक है। इसलिए यहाँ हम ब्रह्मचर्य-पालन के कुछ सरल नियमों एवं उपायों की चर्चा करेंगेः


1.      ब्रह्मचर्य तन से अधिक मन पर आधारित है। इसलिए मन को नियंत्रण में रखो और अपने सामने ऊँचे आदर्श रखो।


2.      आँख और कान मन के मुख्यमंत्री हैं। इसलिए गंदे चित्र व भद्दे दृश्य देखने तथा अभद्र बातें सुनने से सावधानी पूर्वक बचो।


3.      मन को सदैव कुछ-न-कुछ चाहिए। अवकाश में मन प्रायः मलिन हो जाता है। अतः शुभ कर्म करने में तत्पर रहो व खुद को इस शरीर को चलाने वाली शक्ति आत्मा समझ ,परमपिता परमात्मा की मधुर याद में लगे रहो, काम विकार पास भी नही भटकेगा। 


4.      'जैसा खाये अन्न, वैसा बने मन।' - यह कहावत एकदम सत्य है। गरम मसाले, चटनियाँ,प्याज ,लहसुन , अधिक गरम भोजन तथा मांस, मछली, अंडे, चाय कॉफी, फास्टफूड आदि का सेवन बिल्कुल न करो।


5.      भोजन हल्का व चिकना स्निग्ध हो। रात का खाना सोने से कम-से-कम दो घंटे पहले खाओ।


6.      दूध भी एक प्रकार का भोजन है। भोजन और दूध के बीच में तीन घंटे का अंतर होना चाहिए।


7.      वेश का प्रभाव तन तथा मन दोनों पर पड़ता है। इसलिए सादे, साफ और सूती वस्त्र पहनो। खादी के वस्त्र पहनो तो और भी अच्छा है। सिंथेटिक वस्त्र मत पहनो। खादी, सूती, ऊनी वस्त्रों से जीवनीशक्ति की रक्षा होती है व सिंथेटिक आदि अन्य प्रकार के वस्त्रों से उनका ह्रास होता है।


8.      सीधे, रीढ़ के सहारे तो कभी न सोओ, हमेशा करवट लेकर ही सोओ। यदि चारपाई पर सोते हो तो वह सख्त होनी चाहिए।


9.      प्रातः जल्दी उठो। प्रभात में कदापि न सोओ। वीर्यपात प्रायः रात के अंतिम प्रहर में होता है।


10.  पान मसाला, गुटखा, सिगरेट, शराब, चरस, अफीम, भाँग आदि सभी मादक (नशीली) चीजें धातु क्षीण करती हैं। इनसे दूर रहो।


11.  लसीली (चिपचिपी) चीजें जैसे – भिंडी, लसौड़े आदि खानी चाहिए। ग्रीष्म ऋतु में ब्राह्मी बूटी का सेवन लाभदायक है। भीगे हुए बेदाने और मिश्री के शरबत के साथ इसबगोल लेना हितकारी है।


12.  कटिस्नान करना चाहिए। ठंडे पानी से भरे पीपे में शरीर का बीच का भाग पेटसहित डालकर तौलिये से पेट को रगड़ना एक आजमायी हुई चिकित्सा है। इस प्रकार 15-20 मिनट बैठना चाहिए। आवश्यकतानुसार सप्ताह में एक-दो बार ऐसा करो।


13.  प्रतिदिन रात को सोने से पहले ठंडा पानी पेट,हाथ, पैरों पर डालना बहुत लाभदायक है।


14.  बदहज्मी व कब्ज से अपने को बचाओ।


15.  सेंट, लवेंडर, परफ्यूम आदि से दूर रहो। इन्द्रियों को भड़काने वाली किताबें न पढ़ो, न ही ऐसी फिल्में और नाटक देखो।


16.  विवाहित हो तो भी अलग बिछौने पर सोओ।


17.  हर रोज प्रातः और सायं व्यायाम, आसन और प्राणायाम करने का नियम रखो।

➖➖➖➖➖➖➖➖➖➖➖

कंप्यूटर का इतिहास और विकास

कंप्यूटर का इतिहास और विकास कैसे हुआ?
कंप्यूटर का इतिहास और विकास
Computers और electronics ने अभी के society में एक बहुत ही महत्वपूर्ण भूमिका अदा की है, जहाँ इसने communication से लेकर medicine, वहीँ science और technology तक सभी में अपना impact बखूबी किया हुआ है. इसलिए अगर कंप्यूटर का इतिहास को जानना है तब हमें इसके सभी प्रारंभिक developments को गौर से देखना होगा, कहीं तभी जाकर हम इसे ठीक तरीके से समझ सकते हैं.

जहाँ computers को एक modern invention के तोर पर देखा जाता है जिसमें की electronics, computing का इस्तमाल हुआ है electrical devices के साथ. वहीँ लेकिन अगर पहला computing device की बात की जाये तब जरुर से इसका जवाब ancient abacus ही होने वाला है.

Analog computing को करीब हजारों वर्षों से इस्तमाल किया जा रहा है हमारे computing devices के तोर पर, वहीँ ancient Greeks और Romans ने सबसे popular Antikythera mechanism का इस्तमाल किया था.

वहीं बाद में devices जैसे की castle clock (1206), slide rule (c. 1624) और Babbage’s Difference Engine (1822) ऐसे ही कुछ उदाहरण हैं इन early mechanical analog computers के.

इसके बाद electrical power के आ जाने से 19th-century में. नए electrical और hybrid electro-mechanical devices की development शुरू हो गयी जो की दोनों digital (Hollerith punch-card machine) और analog (Bush’s differential analyzer) calculation करने में सक्षम थे.

Telephone switching फिर इसके बाद आई, जिसके आने से machines के development होना चालू हो गया और इन्हें की हम early computers के तोर पर जानते हैं.

वहीँ Edison Effect के presentation के बाद सन 1885 में, इसने एक theoretical background प्रदान की electronic devices के लिए. वहीँ Originally, vacuum tubes के form में, electronic components के आते ही उन्होंने बहुत ही जल्द electric devices के साथ integrate होकर, पहले radio और बाद में television को revolutionize कर दिया.

ये computers ही थे, जहाँ की इन electronics का full impact देखने को मिलता है. Analog computers जिनका इस्तमाल ballistics को calculate करने के लिए होता है, वो बहुत ही crucial हो गए World War II के outcome के लिए, और इसी कारण ही Colossus और ENIAC, दो earliest electronic digital computers को develop किया गया था युद्ध के समय में ही.

Solid-state electronics के invention के साथ transistor और फिर बाद में ultimately integrated circuit के आने से, computers अब ज्यादा छोटे, compact, portable और यहाँ तक की affordable बन गए हैं एक average consumer के लिए. आजकर तो “computers” हमारे रहन सहन के बहुत ही नजदीक हैं फिर चाहे वो watches हो या फिर automobiles हो.

कंप्यूटर का इतिहास (History of Computer in Hindi)

कंप्यूटर का इतिहास एवं विकास
क्या आपको पता है कंप्यूटर का इतिहास कितना पुराना है? यदि आपको कम्प्यूटर की इतिहास के विषय में जानना है तब आपको पहले जानना होगा की बड़े numbers को इन्सान कैसे हिसाब करता था. छोटे संख्या को तो आसानी से हाथों का इस्तमाल कर हिसाब किया जा सकता है लेकिन जब बात बड़े संख्या की आती है तब ऐसे में उन्हें बड़ी तकलीफ हुई और उन्होंने नयी नहीं systems का इजात किया जो की उन्हें इसमें मदद करती थी.

हिसाब करने की इस प्रक्रिया में बहुत से systems of numeration का इस्तमाल किया जाता है जैसे की Babylonian system of numeration, Greek system of numeration, Roman system of numeration और Indian system of numeration.

इनमें से सबसे ज्यादा और universally जिसे माना गया वो है Indian system of numeration. ये आधारित है modern decimal system of numeration की जो की होती हैं (0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9). जैसे की हम जानते हैं की computer decimal system को समझ नहीं सकती है और इसलिए ये binary system of numeration का इस्तमाल करती है processing के लिए.

अब चलिए कुछ ऐसे ही computing devices के विषय में discuss करते हैं जिनकी इस दिशा में बड़ी योगदान है.

Calculating Machines
हमारे पूर्वजों को करीब हजारों वर्ष लग गए ऐसे mechanical devices बनाने में जिससे की बड़े numbers को count किया जा सके.

Abacus
इस श्रृंखला में सबसे पहला calculating device है ABACUS. इसे develop किया था Egyptian और Chinese लोगों ने. ABACUS का मतलब है calculating board. इसमें sticks होते हैं horizontal positions में जिसमें की छोटे छोटे आकार के pebbles को insert किया जाता है.

इसमें बहुत से horizontal bars होते हैं जिसमें प्रत्येक में ten beads होते हैं. Horizontal bars represent करती है units, tens, hundreds, इत्यादि.

Napier’s Bones
इसे develop किया था English mathematician John Napier सन 1617 AD में. यह एक ऐसा mechanical device है जिसे की multiplication के उद्देश्य से बनाया गया था. इसे कहा जाता है Napier’s bones वो उन वैज्ञानिक के नाम के बाद.

Slide Rule
English mathematician Edmund Gunter ने इस slide rule को develop किया था. यह machine बड़ी ही आसानी से बहुत से operation perform कर सकता है जैसे की addition, subtraction, multiplication, और division. इसे 16th century में पुरे Europe में बहुत ज्यादा इस्तमाल में लाया गया.

ADDING MACHINE– BLAISE (1642 A.D)
PASCAL– PRANCE
उस समय के प्रसिद्ध French Scientist और Mathematician, Blaise Pascal ने इस machine को invent किया था जो की उस समय में केवल 19 वर्षों के ही थे. यह machine आसानी से digits को add कर सकती थी वो भी carry करने के साथ automatically.

उनकी यह machine इतनी ज्यादा revolutionary थी की इसकी principle को आज भी बहुत से machanical counters में इस्तमाल किया जाता है.

MULTIPLYING MACHINE- COTTFRIED LEIBNITZ- GERMANY (1692 A.D)
Gottfried ने Pascal की machine को और ज्यादा improve किया और उन्होंने ऐसी mechanism की इजात की जो की numbers की automatic multiplication करने में सक्षम था.

फिर Leibnita भी और ज्यादा प्रसिद्ध हुए उनके काम के लिए Sir Isaac Newton के साथ, जिसमें उन्होंने एक नयी branch की Mathematics को ही develop कर दिया, जिसे हम आज Calculus के नाम से जानते हैं.

उन्होंने ही calculator को invent किया था, जो की आसानी से add, subtract, multiply and divide accurately कर सकता था. वहीँ ये square root function भी करने में सक्षम था.

EARLY 1800’S JACQUARD LOOM – JOSEPH MARIE JACQUARD
वहीँ early eighteenth century में, एक French weaver Joseph Marie Jacquard ने एक ऐसा programmable loom develop किया, जजों की large cards और holes का इस्तमाल करता था, फिर उन्हें punch करता था वो भी बहुत ही control के साथ जिससे की अंत में एक pattern automatically बनकर तैयार होता था.

इसमें जो output बनकर तैयार होता था वो एक thick rich cloth होता था जिसमें की repetitive oral या geometric patterns होते थे.

Jacquard patterns को अब भी इस्तमाल में लाया जाता है. वहीँ दूसरों ने punched cards को adapt कर लिया इस्तमाल करने लगे primary form of input के तोर पर.

DIFFERENCE ENGINE– CHARLES BABBAGE– ENGLAND (1813 A.D)
वहीँ early 19th century की शुरुवाती दौर में, Charles Babbage, जो की एक Englishman, Scientist थे, उन्होंने एक ऐसी machine के development के पीछे काम किया जो की बड़ी आसानी से complex calculations perform कर सकता था.

सन 1813 A.D.में उन्होंने इस ‘Difference Engine’ का invention किया जो की बहुत ही complex calculations को perform कर सकती थी और साथ में उसे print भी कर सकती थी. यह machine एक steam-powered machine था.

कम्प्यूटर की इतिहास हिंदी में – 19th Century
इस modern समय के Computer के इतिहास के विषय में जानते हैं जिसका development 19th century के समय में हुआ था. कुछ के विषय में मैंने पहले ही बता दिया है.

Jacquard Loom

Jacquard Loom
इसमें metal cards का इस्तमाल होता हिया punched holes के साथ जो की guide करता है weaving process को
यह first stored program था – metal cards में
यह एक पहला computer manufacturing unit भी था
इसका इस्तमाल आज भी बहुत जगह में होता है
Difference Engine c.1822

Difference Engine c.1822
यह एक बहुत ही बड़ा calculator था, जो की कभी भी पूर्ण नहीं हो सका
इसके पीछे Charles Babbage(1792-1871) का बड़ा हाथ था
Analytical Engine 1833

Analytical Engine 1833
यह machine numbers को store करने में सक्षम थी
इसके calculating प्रक्रिया के लिए punched metal cards का इस्तमाल होता था instructions देने के लिय
ये एक steam-powered machine था
ये accurately six decimal places तक calculate कर सकता था
Ada Augusta – दुनिया के पहले Programmer थे
उन्होंने Charles Babbage के साथ काम किया हुआ था
उन्होंने Analytical Engine को भी programmed किया था
Vacuum Tubes – (1930 – 1950s)
First Generation Electronic Computers में Vacuum Tubes का इस्तमाल हुआ था
Vacuum tubes असल में glass tubes होते हैं जिनकी circuits iउनके भीतर ही होती है.
Vacuum tubes के भीतर कोई भी air नहीं होती है, जो की इसकी circuitry की रक्षा करती है.
UNIVAC – 1951

UNIVAC – 1951
यह पहला commercially available computer
इसे बेचा गया था censu bureau को
“एक बहुत ही बड़ा pocket calculator था “
ये सन 1970 तक एक standard computer ही था, लेकिन इसकी कीमत बहुत ही ज्यादा थी
पहला Computer Bug – 1945
यह cards को relay कर सकता था जो की information carry करती हैं
Grace Hopper ने ही पहले एक actual moth (कीड़ा) को उस card में लगे हुए पाया , जिसके कारण ही card इस प्रकार से malfunction का रहा था
इसलिए उस समय से ही computer में “debugging” शब्द का इस्तमाल होने लगा
पहला Transistor
ये Silicon का इस्तमाल करता था
इस सन 1948 में develop किया गया था
जिसके लिए इसके inventor को Nobel prize भी मिला
इसमें on-off switch होता है
फिर Second Generation Computers ने इन Transistors का इस्तमाल किया, सन 1956 से.
Integrated Circuits
इन Integrated Circuits (chips) का इस्तमाल Third Generation Computers में हुआ था.
Integrated Circuits असल में transistors, resistors, और capacitors का समाहार होता है जिन्हें की एक साथ integrate किया जाता है एक single “chip” में.
कंप्यूटर का विकास कब हुआ
जैसे जैसे नयी counting technologies का इजात हुआ, वैसे वैसे नयी नयी calculating mechanical devices का भी जन्म हुआ. वैज्ञानिकों ने अपने research के द्वारा ऐसी devices को invent किया जो की हमारे complex calculations को बड़ी ही आसानी से solve कर सकते थे. अब चलिए हम personal computers में हो रहे development के विषय में जानते हैं.

Personal Computers का जन्म हुआ
अब चलिए जानते हैं की Personal Computers का इतिहास क्या है और कौन से computers से इसकी शुरुवात हुई.

Kenbak I – 1971

Kenbak I
ये सबसे primitive थी, जिसमें केवल flashing lights और buttons थी
इसकी कीमत केवल $750 ही थी
MITS Altair – 1975

MITS Altair – 1975
256-byte memory
2 MHz Intel 8080 chips
ये केवल एक box था flashing lights के साथ
इसकी kit की कीमत $395 थी, वहीँ इसे assemble कर देने के बाद ये कीमत हो जाती थी $495
पहला Microprocessor – 1971

Intel 4004
Intel 4004 में 2,250 transistors था
four-bit chunks (four 1’s or 0’s)
108Khz
0.6 Mips (million instructions/sec)
Pentium 133 – 300 Mips
इन्हें ही “Microchip” कहा गया
Electronic Computers की Generations
चलिए अब Electronics Computers के Generation के विषय में जानते हैं.

Generation First Generation I Second Gen II Third Gen III Fourth Gen IV
Technology Vacuum Tubes Transistors Integrated Circuits (multiple transistors) Microchips (millions of transistors)
Size Filled Whole Buildings Filled half a room Smaller Tiny – Palm Pilot is as powerful as old building-sized computer
कंप्यूटर का इतिहास भारत में
अगर हम भारत के computer technologies की development बात करें तब ये केवल तभी मुमकिन हो पाया जब दो major forces Political administration, Government policy advisers bureaucrats और technocrats ने एक साथ मिलकर काम करने का तय किया. चलिए अब हम भारत के computer evolution को अलग अलग phases में बांटकर देखते हैं.

Phase I
Computer Technologies का इतिहास भारत में शुरू हुआ सन 1950 से. पहला administration जिन्होंने की भारत में एक digital computer बनाने के शुरुवात की वो बनी R Narasimhan के leadership के अंतर्गत, Tata Institute of Fundamental Research (TIFR), Bombay में.

ये TIFRAC (TIFR Automatic Computer) को start किया गया था सन 1955 में और वहीँ इसे complete कर दिया गया सन 1959 में. TIFRAC आसानी से process कर सकता था upto 2048 word अपनी memory (40-bit word, 15 microsecond cycle time) में और वहीँ एक display output के तोर पर Cathode ray tube का इस्तमाल किया गया था.

TIFRAC को इसलिए design किया गया था क्यूंकि इसके इस्तमाल से TIFR और Atomic Energy establishment के physics problems को solve करने में मदद होती थी. वहीँ इसके मदद से भारत आगे बड़े ही effectively computers को build और design कर सकता था.

वहीँ सन 1960’s के दौरान पूरी दुनिया में non-foreign exchange outflow की पहल हो गयी थी computer industry में. लेकिन फिर भी IBM और British Tabulation machines (जिसका नाम बाद में ICL रखा गया) को establish किया गया, जो की उस समय भारत में Mechanical accounting machines बेच रहे थे.

IBM और ICL को licenses और agreements issue किये गए जिससे की वो भारत में computer manufacturing plant बना सकें, वहीँ IBM ने फिर punch card machines बनाना शुरू भी कर दिया और उन्हें बाहर के देशों में export किया जाने लगा.

Phase II
फिर सन 1970 में Department of Electronics को establish किया गया जिसका मूल उद्देश्य था की कैसे Electronics Technologies को enhance किया जा सके और जो की बाद में PSU company ECIL के computer division को establish करने में भी सहायक हुआ. (Electronics Corporation of India Limited).

ECIL ने design किया TDC-12 को जो की एक 12 bit real time minicomputer था और जिसे बाद में upgrade किया गया TDC-312 में, वहीँ बाद में TDC-316 में भी जो की एक 16 bit computer था जिसे सन 1975 में built किया गया था.

वहीँ वर्ष 1978 में ECIL ने MICRO-78 system को बनाया जो की purely based था microprocessor के ऊपर. ECIL ने वर्ष 1971 से 1978 तक करीब 98 computers की संरचना की जिन्हें की उन्होंने government laboratories को बेचा अलग अलग universities के research के लिए.

वहीँ ECIL का एक major contribution था जब उन्होंने Indian Air Force को प्रदान किया Air Defense Ground Environment Systems.

सन 1978 में minicomputer policy को बनाया गया जिससे IBM भारत से बाहर चला गया और इससे नए technical entrepreneurs को अवसर मिला अपने manufacturing units की स्थापना करने के लिए, जैसे की WIPRO और HCL. ये companies अभी तक भी पुरे दुनिया में अपना नाम रोशन कर रहे हैं.

Phase III
सन 1984 में जब Rajiv Gandhi भारत के Prime Minister बने, एक liberalized policy बनाया गया minicomputers के ऊपर जो की allow करता था private sector companies को computers manufacture करने में. उसी साल में private sector companies को allow किया गया unlimited 32-bit machines manufacture करने के लिए.

Private sector companies ने इसके साथ manufacture किया assembled boards microprocessors और interface electronics के साथ जिन्हें की उन्होंने import किया application software के साथ, जिसमें की कम imported duty लगती थी.

Liberalization policy के कारण computers का growth 100% तक बढ़ गया और वहीँ इसके कीमत में करीब 50% की कमी हुई.

Indian Railway’s Seat Reservation System की पूरी तरह से computerization शुरू हुआ सन 1984 में और वहीँ ये ख़त्म हुआ सन 1986 में. वहीँ Seat Reservation System की entire software को Indian programmers के द्वारा ही बनाया गया था बिना किसी foreign advisers के मदद से.

Phase IV
सन 1991 में भारत के ऊपर एक बहुत ही बड़ा financial crisis आ पड़ा, इससे बचने के लिए World Bank ने India को उसके external debt और trading (import और export) के ऊपर कुछ conditions लागु किये जिसके चलते Indian government को बाध्य होकर अपने economy को liberalize करना पड़ा.

सन 1990-1991 में Indian software companies ने earn करना चालू किया software को export कर, जिसकी estimated value US$125 million थी. वहीँ Earning की भी exponentially increase हुई जो की US$ 1.70 billion से ज्यादा थी सन 1997-98 के दौरान.

Indian software companies ने अपने लिए standardized way तय कर लिए थे Industry में काम करने के लिए. Indian software companies ने invent किया GDM (Global Delivery Model) और जिसके लिए उन्होंने 24-hour working hours की संरचना की IT industry के लिए. इसलिए ही पुरे विश्व में भारत को IT Industry का प्रमुख माना जाता है.

कंप्यूटर के विकास का संक्षिप्त इतिहास
मुझे उम्मीद है की आपको मेरी यह लेख कंप्यूटर का इतिहास (History of Computer in Hindi) जरुर पसंद आई होगी. मेरी हमेशा से यही कोशिश रहती है की readers को कंप्यूटर के विकास का इतिहास के विषय में पूरी जानकारी प्रदान की जाये जिससे उन्हें किसी दुसरे sites या internet में उस article के सन्दर्भ में खोजने की जरुरत ही नहीं है. इससे उनकी समय की बचत भी होगी और एक ही जगह में उन्हें सभी information भी मिल जायेंगे.



इमोजी की दुनिया

आइए, आज व्हाट्सएप्प के इमोजी की सहायता से दुनिया की सबसे वैज्ञानिक, सबसे प्रतिष्ठित, सबसे अधिक उपयोगी और निस्संदेह सर्वश्रेष्ठ भाषा *संस्कृत* देवभाषा सीखते हैं..

😀 - हसति 
😬 - निन्दति 
😭 - रोदिति 
😇 - भ्रमति 
🤔 - चिन्तयति 
😡 - कुप्यति 
😴 - स्वपिति 
😩 - क्षमां याचते / जृम्भते 
😳 - विस्मयो भवति / निर्निमेषं पश्यति 
😌 - ध्यायति 
👁 - पश्यति 
🗣 - वदति 
✍ - लिखति 
🙏� - प्रणमति 
👉 - निर्दिशति 
🙌 - आशिषति 
�👃 - जिघ्रति 
🚶🏻- गच्छति 
🏃🏻- धावति 
💃🏻 - नृत्यति

✈ विमानम् ।
🎁 उपायनम् ।
🚘 यानम् ।
💺 आसन्दः / आसनम् ।
⛵ नौका ।
🗻 पर्वत:।
🚊 रेलयानम् ।
🚌 लोकयानम् ।
🚲 द्विचक्रिका ।
🇮🇳 ध्वज:।
🐰 शशक:।
🐯 व्याघ्रः।
🐵 वानर:।
🐴 अश्व:।
🐑 मेष:।
🐘 गज:।
🐢 कच्छप:।
🐜 पिपीलिका ।
🐠 मत्स्य:।
🐄 धेनु: ।
🐃 महिषी ।
🐐 अजा ।
🐓 कुक्कुट:।
🐕 श्वा / कुक्कुरः / सारमेयः (श्वा श्वानौ श्वानः) ।
🐁 मूषक:।
🐊 मकर:।
🐪 उष्ट्रः।
🌸 पुष्पम् ।
🍃 पर्णे (द्वि.व)।
🌳 वृक्ष:।
🌞 सूर्य:।
🌛 चन्द्र:।
⭐ तारक: / नक्षत्रम् ।
☔ छत्रम् ।
👦 बालक:।
👧 बालिका ।
👂 कर्ण:।
👀 नेत्रे (द्वि.व)।
👃नासिका ।
👅 जिह्वा ।
👄 औष्ठौ (द्वि.व) ।
👋 चपेटिका ।
💪 बाहुः ।
🙏 नमस्कारः।
👟 पादत्राणम् (पादरक्षक:) ।
👔 युतकम् ।
💼 स्यूत:।
👖 ऊरुकम् ।
👓 उपनेत्रम् ।
💎 वज्रम् (रत्नम् ) ।
💿 सान्द्रमुद्रिका ।
🔔 घण्टा ।
🔓 ताल:।
🔑 कुञ्चिका ।
⌚ घटी।
💡 विद्युद्दीप:।
🔦 करदीप:।
🔋 विद्युत्कोष:।
🔪 छूरिका ।
✏ अङ्कनी ।
📖 पुस्तकम् ।
🏀 कन्दुकम् ।
🍷 चषक:।
🍴 चमसौ (द्वि.व)।
📷 चित्रग्राहकम् ।
💻 सड़्गणकम् ।
📱जड़्गमदूरवाणी ।
☎ स्थिरदूरवाणी ।
📢 ध्वनिवर्धकम् ।
⏳समयसूचकम् ।
⌚ हस्तघटी ।
🚿 जलसेचकम् ।
🚪द्वारम् ।
🔫 भुशुण्डिका ।(बु?) ।
🔩आणिः ।
🔨ताडकम् ।
💊 गुलिका/औषधम् ।
💰 धनम् ।
✉ पत्रम् ।
📬 पत्रपेटिका ।
📃 कर्गजम्/कागदम् ।
📊 सूचिपत्रम् ।
📅 दिनदर्शिका ।
✂ कर्त्तरी ।
📚 पुस्तकाणि ।
🎨 वर्णाः ।
🔭 दूरदर्शकम् ।
🔬 सूक्ष्मदर्शकम् ।
📰 पत्रिका ।
🎼🎶 सड़्गीतम् ।
🏆 पारितोषकम् ।
⚽ पादकन्दुकम् ।
☕ चायम् ।
🍵पनीयम्/सूपः ।
🍪 रोटिका ।
🍧 पयोहिमः ।
🍯 मधु ।
🍎 सेवफलम् ।
🍉कलिड़्ग फलम् ।
🍊नारड़्ग फलम् ।
🍋 आम्र फलम् ।
🍇 द्राक्षाफलाणि ।
🍌कदली फलम् ।
🍅 रक्तफलम् ।
🌋 ज्वालामुखी ।
🐭 मूषकः ।
🐴 अश्वः ।
🐺 गर्दभः ।
🐷 वराहः ।
🐗 वनवराहः ।
🐝 मधुकरः/षट्पदः ।
🐁मूषिकः ।
🐘 गजः ।
🐑 अविः ।
🐒वानरः/मर्कटः ।
🐍 सर्पः ।
🐠 मीनः ।
🐈 बिडालः/मार्जारः/लः ।
🐄 गौमाता ।
🐊 मकरः ।
🐪 उष्ट्रः ।
🌹 पाटलम् ।
🌺 जपाकुसुमम् ।
🍁 पर्णम् ।
🌞 सूर्यः ।
🌝 चन्द्रः ।
🌜अर्धचन्द्रः ।
⭐ नक्षत्रम् ।
☁ मेघः ।
⛄ क्रीडनकम् ।
🏠 गृहम् ।
🏫 भवनम् ।
🌅 सूर्योदयः ।
🌄 सूर्यास्तः ।
🌉 सेतुः ।
🚣 उडुपः (small boat)
🚢 नौका ।
✈ गगनयानम्/विमानम् ।
🚚 भारवाहनम् ।
🇮🇳 भारतध्वजः ।
1⃣ एकम् ।
2⃣ द्वे ।
3⃣ त्रीणि ।
4⃣ चत्वारि ।
5⃣ पञ्च ।
6⃣ षट् ।
7⃣ सप्त ।
8⃣ अष्ट/अष्टौ ।
9⃣ नव ।
🔟 दश ।
2⃣0⃣ विंशतिः ।
3⃣0⃣ त्रिंशत् ।
4⃣0⃣ चत्त्वारिंशत् ।
5⃣0⃣ पञ्चिशत् ।
6⃣0⃣ षष्टिः ।
7⃣0⃣ सप्ततिः ।
8⃣0⃣ अशीतिः ।
9⃣0⃣ नवतिः ।
1⃣0⃣0⃣ शतम्।
⬅ वामतः ।
➡ दक्षिणतः ।
⬆ उपरि ।
⬇ अधः ।
🎦 चलच्चित्र ग्राहकम् ।
🚰 नल्लिका ।
🚾 जलशीतकम् ।
🛄 यानपेटिका ।
📶 तरड़्ग सूचकम् ( तरड़्गाः)
+ सड़्कलनम् ।
- व्यवकलनम् ।
× गुणाकारः ।
÷ भागाकारः ।
% प्रतिशतम् ।
@ अत्र (विलासम्)।
⬜ श्वेतः ।
🔵 नीलः ।
🔴 रक्तः ।
⬛ कृष्णः ।

28 સપ્ટે, 2020

हिंदी कक्षा १ से ६ बाघ: निबंध लेखन

हिंदी कक्षा १ से ६
बाघ (निबंध लेखन)

(1) बाघ एक चौपाया जानवर है।
(2) बाघ हमारे भारत देश का राष्ट्रीय पशु है।

(3) बाघ स्तनधारी जानवर है क्योंकि यह इंसानों की तरह ही बच्चों को जन्म देता है।

बाघ मांसाहारी जानवर है।

(5) बाघ रात में शिकार करता है और दिन में सोता है।

(6) बाघ का शरीर 7 से 10 फीट तक लंबा होता है।

(7) भारतीय बाघ का शरीर का रंग पीले और भूरे रंग का मिश्रण होता है और उसके ऊपर काले रंग की धारियां होती है।

(8) बाघ के दो आंख और दो कान, एक लंबी पूछ होते है।

(9) बाघ जंगल, घास के मैदानों, वनों में अकेला रहना पसंद करता है।

(10) इसका मुख्य आहार चीतल, हिरण, जंगली सूअर, भैंस, सांभर, बकरी इत्यादि जानवर है।