2 ઑક્ટો, 2020
ભિક્ષુ ની અચલ શ્રદ્ધા
બુદ્ધ પ્રવાસ કરતા કરતા એક દિવસ વૈશાલી નગરમાં આવ્યા. તેની સાથે ઘણા શિષ્યો હતા. તે શિષ્યો દરરોજ ભિક્ષા માગવા જતા હતા. વૈશાલીમાં આમ્રપાલી નું ભવ્ય મકાન હતું. તે વૈશાલી ની સૌથી સુંદર સ્ત્રી અને નગરવધુ હતો. એક દિવસ તેના દ્વારે એક ભિક્ષુ ગયો. ભિક્ષુ જોતાં જ તે એના પ્રેમમાં પડી ગઈ. તેને ભિક્ષા આપીને કહ્યું કે ત્રણ દિવસમાં વર્ષાઋતુ શરૂ થશે, તેથી આપ મારે ત્યાં જ રહો. ભિક્ષુએ કહ્યું કે તથાગત મને રજા આપશે તો હું રોકાઈ જઈશ. તે યુવાન ભિક્ષુએ બુદ્ધને બધી વાત જણાવી. બુદ્ધે થોડીવાર તેની સામે જોયું અને પછી તેને આમ્રપાલી ને ત્યાં રહેવાની રજા આપી. ત્રણ દિવસ પછી તે યુવાન ભિક્ષુ આમ્રપાલી ભવનમાં જતો રહ્યો. બીજા ભિક્ષુઓ તેના વિશે ગમે તેવી વાતો કરવા લાગ્યા. આથી બુદ્ધે કહ્યું કે મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે ચાર મહિના પછી પાછો આવશે. ચાર મહિના પૂરા થતાં જ ભિક્ષુ પાછો ફર્યો અને તેની પાછળ પાછળ આમ્રપાલી પણ આવી. તેને પોતાને ભિક્ષુણીઓના સંઘમાં પ્રવેશ આપવા માટે બુદ્ધને વિનંતી કરી. તેમણે કહ્યું કે મેં ભિક્ષુ મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા, એમ છતાં હું હારી ગઈ. ભિક્ષુ આચરણે મને ખાતરી કરાવી દીધી કે આપના ચરણોમાં આવવાથી જ સાચું સુખ, શાંતિ તથા મુક્તિ મળશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો