2 ઑક્ટો, 2020

પંચ મહાભૂતયુક્ત જીવન

એક ધનવાન પોતાની ચાર પુત્રવધૂની બુદ્ધિની પરીક્ષા લેવા તેને અડધો અડધો શેર ડાંગર આપી અને કહ્યું કે બે વર્ષ પછી હું તમારી પાસે તેનો હિસાબ માગીશ. એક વહુએ તો તેને ફેંકી દીધી. તેણે વિચાર્યું કે ઘરમાં કોઠામાં ઘણી ડાંગર ભરેલી છે. સસરાજી જ્યારે માંગશે ત્યારે આપી દઈશ. બીજી વહુએ તે પક્ષીઓને ચણવા માટે નાંખી દીધી. ત્રીજીએ રૂમાલ માં પોટલી બાંધીને સુરક્ષિત મૂકી દીધી, પરંતુ ચોથી વહુએ તેને ઘરની પાછળના વાડામાં વાવી દીધી અને બે વર્ષમાં તેમાંથી એક ક્વિન્ટલ ડાંગર પકવી. બે વર્ષ પછી ડાંગર પાછી માંગી તો જે વહુએ ડાંગરમાં વધારો કર્યો હતો તેની બુદ્ધિ નાં વખાણ કરીને તેને બક્ષીસ આપી. ભગવાન પણ આપણે પાંચ તત્વ અને પાંચ પ્રાણોની યુક્ત આ જીવન આપ્યું છે. જે તેનું ગૌરવ વધારે છે તેને જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો