અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :
(1) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?
(ક) રૂઢિપ્રયોગ (ખ) કહેવત (ગ)વિચાર વિસ્તાર
( 2 ) કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા?
(ક) હટાણું કરવા (ખ) ફરવા (ગ) ગામ જોવા
(3) લેખણ ઝાલી નો રહી’ પાઠ ના લેખકનું નામ જણાવો.
(ક ) જોરાવરસિંહ જાદવ (ખ) સંતબાલ
(ઘ) કિશોરસિંહ સોલંકી
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે?
ઉત્તર : ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી અને પથરાયેલા છે.
(2) હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા?
ઉત્તર : હરખચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા.
(3) કહળસંગને કોણે પકો આપ્યો?
ઉત્તર : કહળસંગને કુટુંબમાં સૌને ઠપકો આપ્યો.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ગામના લોકો ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી એકસામટી કેમ કરતા?
ઉત્તર : ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામના તાલુકા-મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં, ત્રણ-ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી ગામલોકો એકસામટી કરી લેતા.
(2) કહળસંગે કઈકઈ વસ્તુની ખરીદી કરી ?
ઉત્તર : કહળસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએ થી બે-ત્રણ ડબા તલના તેલ ના,
મોદીની દુકાનેથી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં,લસણ, કોથળા ભરીને બટાટા અને ડુંગળીની ખરીદી કરી.
(૩) હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ ?
ઉત્તર : હરખચંદ કહળસંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા. તેને જોઈને કહળસંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું. ઉપરથી કહળસંગ કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી.આમ કહળસંગે ડાંડાઈ કરી.આ વાત હ૨ખચંદના લમણાં માં રહી ગઈ.
(4) હરખચંદને શા માટે શરમાવું પડ્યું ? ઉત્તર : કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો મલાજો ના જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળ સંગ તો અભણ હતા, પણ હરખચંદ તમે આ શું ક્યું? હરખચંદને ભૂલ સમજાઈ ને એમને શરમાવું પડ્યું.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ભાલ અને કનેર પંથક માટે કંઈ કહેવત કહેવાતી આવે છે? શા માટે?
ઉત્તર: ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે : 'કપાળમાં 'ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'- આ પંથકમાં કુદરતની અમીઝષ્ટિ નથી; આખો પંથક કાયમથી ઝાડ-પાન વિના વેરાન છે. એટલા માટે આ કહેવત પડી છે.
(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
ઉત્તર: કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદ ની હાટડી એ લેવા જતો ત્યારે શેઠ એને હાટડી થી હેઠો ઉતારી દેતા. આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકુ મૂકવા ગયા ત્યારે શેઠને રઝળવવાનો વિચાર કરીને' બળદ ઝાલ્યા રહેતા નથી ' એમ કહીને, કહળસંગે બાચકુ લેવાની ના પાડી.
૩) હરખચંદ શેઠ ગામલોકોને શું શું લખી આપતા ?કેમ?
ઉત્તર : હરખચંદ શેઠ ગામલોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોતરી પત્ર લખી આપતા; કારણ કે ગામ આખું અંગુઠાછાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલા નહોતું.
(4) અનુભવીએ કહળસંગને ઠપકો કેમ આપ્યો?
ઉત્તર : કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યાં. એ માટે અનુભવીઓએ કપાળસંગને ઠપકો આપ્યો.
*********************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો