2 ઑક્ટો, 2020

શ્રેષ્ઠ ધર્મ


હઝરત અબુ બકર મદીનાના ખલીફા હતા. તે હંમેશાં ગરીબ તથા દુઃખી  લોકોની સેવા કરતા હતા. એક વાર તેમને ખબર પડી કે એક ડોસીને ત્યાં ખાવાની કોઈ વ્યવસ્થા નથી. ખલીફા વહેલી સવારે તે વૃદ્ધ સ્ત્રી જાગે એની પહેલાં તેની ઝૂંપડીએ પહોંચી ગયા અને ત્યાં ભોજન સામગ્રી મૂકીને ચૂપચાપ પાછા આવતા રહ્યા. આની સાથે સાથે તેમણે તેમના આંગણાની સફાઈ પણ કરી નાખી હતી. તે સ્ત્રીએ જ્યારે ત્યાં ભોજનસામગ્રી જોઈ તો વિચાર્યું કે કોઈ ઉદાર માણસ તો મૂકી ગયા હશે. ખલીફા રોજ આ રીતે તેની સેવા કરવા લાગ્યા. એક દિવસ તેણે વિચાર કર્યો કે આવી સેવા કોણ કરે છે તે જોવું જોઈએ. આથી તે વહેલી સવારે જાગી ગઈ. દીવો સળગાવીને તેણે જોયું તો ખબર પડી કે તેની સેવા કરનાર ખલીફા પોતે છે. તેને જોઈને તે મનોમન તેને વંદી રહી.
              
             **************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો