27 જુલાઈ, 2021

ધોરણ 8 ગુજરાતી કાવ્ય 5 તને ઓળખું છું ,મા (સ્વાધ્યાય)

* સમાનાર્થી શબ્દો 
 ( 1 ) મારગ = પથ , રસ્તો
 (2 ) અભાગી = કમનસીબ , દુર્ભાગી
 ( 3 ) સદા = હંમેશ , સર્વદા
 ( 4 ) સ્મરણ = સ્મૃતિ , યાદ
 ( 5 ) લ્હેરખી = લહેર , તરંગ 
( 6 ) તીરથ = તીર્થ , ધામ
 ( 7 ) સમુદ્ર = સાગર , દરિયો
 ( 8 ) આકાશ = ગંગન , નભ 
( 9) શશી = ચંદ્ર , મયંક
 ( 10 ) રાત્રિ = રજની , નિશા 
 (11) તરણા=તૃણ, તણખલું
             ********************

વિરુદ્ધાર્થી શબ્દ લખો :

 ( 1 ) અભાગી x સુભાગી , સદ્ ભાગી

 ( 2 ) સ્મરણ x વિસ્મરણ
         
             ************

*શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:

1.)ઉનાળાની ગરમ હવા : લૂ
2)' કુશળ રહો 'એવો ભાવ સૂચવનારો ઉદગાર : ખમ્મા
3) આંગળીના છેડાનો ભાગ :ટેરવું 
4) પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે: પરકમ્મા ,પરિક્રમા
       
             ************
*રૂઢિપ્રયોગ નો અર્થ લખો:

1) છૂ થવું  : ગાયબ થવુ, દૂર થવુંં
                 
                 ***************


                 ***********


[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?

જ. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .



(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.

જ. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.



(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?

જ. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.



(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?

જ. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.

                     ***********

 નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો

 ( 1 ) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ? 
જ : માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી " શબ્દ વાપરે છે .  

( 2 ) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ? 
જ: કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ આવે છે અને એની વેદના તે- સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે 

( 3 ) ‘ એકલવાયું વરસે છે ચોમાસું ' , એવું કવિ ક્યા સંદર્ભે ક્યું છે ? 
જ : સંતાનો દૂર હોય ત્યારે એક્લવાયું જીવન વ્યતીત કરતી માની માંગને . આંસુ નહિ , પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે . એ સંદર્ભમાં એકલરણ વરસે છે ચોમાસું ” એમ કવિ કહે છે . 

( 4 ) કવિ માતાની પરકમ્મા ક્વી રીતે કરે છે ? 
જ : માતાનું પ્રત્યેક અરણ એ તીર્થ છે , એમ માનીને કવિ માતા મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે . 

( 5 ) કવિની પીડા કેવી રીતે દૂર થાય છે ? 
જ : જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે ,  કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે .


                      **********

[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .

A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.



(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........

A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
                       ************

 ‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :


 જ. 
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થી
થયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
                                                     
                                        -મણિલાલ દેસાઈ
                      ************


21 જુલાઈ, 2021

કાયવરોહણ શકિપીઠ

દરેક હિંદુ એ એક્વાર તો કાશી ની મુલાકાત લેવી જ જોઈએ તેવું મનાય છે. પરંતુ કાશી તો ઠેઠ ઉત્તર પ્રદેશ માં આવેલું છે. બહુ ઓછા ને ખબર હશે કે કાશી ના જેવું માહાત્મ્ય ધરાવતું બીજું કાશી ગુજરાત માં આવેલું છે. આ સ્થળનું નામ "કાયવરોહણ"છે. વડોદરા જિલ્લામાં આવેલા વડોદરા થી ભરૂચ જતાં હાઇવે પર પોર નામ નું ગામ છે. ત્યાંથી કાયવરોહણ માત્ર 9 કિમિ દૂર છે. વડોદરા થી તે 32 કિમિ છે.

મહાતીર્થ:

સત્યયુગમાં આ સ્થળ ઇચ્છાપૂરી ત્રેતાયુગ માં માયાપુરી,દ્વાપરમાં મેધાવતી અને કલિયુગ માં કાયવરોહણ તરીકે ઓળખાય છે. ભારત ના68 મહત્વના તીર્થં સ્થાનોમાં કાયવરોહણ ની ગણના થાય છે. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ યાત્રાસ્થળને કાશી માં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભગવાન ની ઈચ્છા ન હોવાથી તેમ કરવામાં તેમને પુરી સફળતા મળી નહોતી.આમ છતાં તેનું મહત્વ કાશી જેવું રહ્યું.મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રનું અનુસાર

18 જુલાઈ, 2021

ધોરણ 7. પાઠ 3 પરીક્ષા

1. નીચેના શબ્દોની જોડણી સુધારો : (સાચી જોડણી)

 ( 1 ) વીંજણો 
( 2 ) રૂપેરી
 ( 3 ) શિષ્યવૃત્તિ 
( 4 ) વિદ્યાધિકારી 
( 5 ) દીવો 
( 6 ) મૂંઝવણ / મુઝવણ 
( 7 ) પરીક્ષા 
( 8 ) વિદ્યાર્થી
 ( 9 ) ઇન્સ્પેક્ટર 

2. નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 
( 1 ) સૂર્ય = રવિ , ભાનું 
( 2 ) ધરતી = જમીન , પૃથ્વી 
( 3 ) ઉંબી = કણસલું , ડૂડું 
( 4 ) ગાય = ધેનુ , સુરભિ 
( 5 ) હાથ = કર , બાહુ 
( 6 ) પક્ષી = પંખી , વિહગ
 ( 7 ) શાળા = વિદ્યાલય , નિશાળ
 ( 8 ) વાયરો = પવન , સમીર

 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : 

( 1 ) ગરીબ x શ્રીમંત 
( 2 ) પહેલો x છેલ્લો 
( 3 ) પોતીકા X પારકા 
( 4 ) મંજૂર x નામંજૂર 
( 5 ) દૂર x નજીક
 ( 6 ) જાણે x અજાણે
 ( 7 ) આનંદ x શોક
 ( 8 ) ડાહ્યું x ગાંડું 
( 9 ) શક્તિ x અશક્તિ 

4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી , તેનો વાક્યપ્રયોગ કરોઃ
 ( 1 ) પગ ઉપાડવા – ઝડપથી ચાલવું 
વાક્ય : નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા . 
( 2 ) ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો .
વાક્યઃ મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી . 
( 3 ) પાટી મેલાવવી – દોટ મુકાવવી
 વાક્ય : દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેલાવી .    
( 4 ) હાથમાં હોવું – કબજામાં હોવું , પોતાના આધીન હોવું વાક્ય : દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી . 
( 5 ) તાનમાં હોવું - આનંદમાં હોવું
 વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો .
 ( 6 ) નાક રહેવું – આબરૂ જળવાવી 
વાક્યઃ સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું . 
( 7 ) કાપલો કાઢી નાખવો – બધું જ ખાઈ જવું , સફાયો કરવો .
વાક્યઃ ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે .
 ( 8 ) માઝા મૂક્વી – મર્યાદા બહાર જવું 
વાક્ય : દરિયો ક્યારેય પણ પોતાની માઝા મૂકતો નથી . 
( 9 ) મૂઠીઓ વાળવી – ઘેટ મૂકવી 
વાક્ય : કૂતરું પાછળ પડતાં છોકરાએ મૂઠીઓ વાળી . 

5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક - એક શબ્દ લખો: 

( 1 ) ગાયોનું ટોળું – ધણ 
( 2 ) ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન - શેઢો
 ( 3 ) પગથી ચાલવાનો સાંકડો રસ્તો - પગદંડી , કેડી
 ( 4 ) તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય - શિષ્યવૃત્તિ
 ( 5 ) સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો – ઢેફુ
              
                     ***********



પ્ર  - 1. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.

(1) તમે પરીક્ષા આપવા જય રહયા છો અને રસ્તામાં ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યકિતને જુઓ તો તમે શું કરશો?

જ. હું પરીક્ષા આપવા જતો હોઉ ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ વ્યકિતને જોઉ તો બીજાને મદદ માટે બોલાવી 108 એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરું તે વ્યક્તિના પરિવારજનો ને જાણ કરું.



(2) ઈન્સ્પેકટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઈન્સ્પેકટરે આ બાબત નાં સમજીને તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોટ તો શું થાત ? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે ? શા માટે ?

જ. મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા માટે ઈન્સ્પેકટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો જો ઈન્સ્પેકટરે માનવતા ન રાખી હોત તો તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોત તો પણ મહાદેવને સંતોષ થાત કે તેને પાક થી ઊભરાતા ખેતરને બચાવ્યા તેનો ગાયને હાંકી કાઢવાનો નિર્ણય સાચો મને લાગે છે કારણ કે મહાદેવમાં પરોપકારનું ગુણ છે ને તેના આવા સારા ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો.



(3) પાઠમાં ઉતર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગ હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી-કાઢો અને લખો.

જ. અમારા ઝાલાવાડી બોલીના શબ્દો
‘અટાણે – અત્યારે , કેદુના – ક્યારના , નકરું – માત્ર , માંથે – પહેલા , ઓરો –પાસે ,
વયો ગિયો – જતો રહયો , કઈરું – કયું , ભેળો – સાથે , વીવા – વિવાહ , કળશો – લોટો
ગગા –દીકરા



(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો કરીથી લખો.
પ્રશ્ન – પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી હાંકી લાવી મેલી મેલીને ખુશાલમાના ખેતર માં જ મેલવી? ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

. પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ ઓનો બીકણ જીવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી ? ને પરોપકારી મહાદેવ રડતો ગયો માથા ઉપર આવતા આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.
    આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠ માં વપરાયેલા શબ્દોવાળો ? શા માટે ? સરખામણી કરો.
   આમ કરવાથી ભાષાની સુંદરતા ઓવી થઈ જાય છે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી લખેલો ફકરો મને નથી ગમતો કારણ કે પાઠ માં વપરાયેલા શબ્દો ભાવ ને સરળ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.


(5) નીચેના ફકરો વાંચો વિરામ ચિહનો વિના તમને એ તે અધૂરો લાગે છે ? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામ ચિહનો મૂકો અને ફરી વાંચો.

         ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું બૂમ પાડી કહવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાકશે એટલમાં તો કાપલો કાઢી નાખશે ને.
   મહાદેવ શંકા સામે દફતર ઘર્યુ લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને

જ. ગામ તરફ તેને નજર દોડવી. દૂર કોઈ માણસ ને જોયું. બૂમ પાડી ને કહેવા લાગ્યો: ‘એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય –‘ ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખાશને?
   મહાદેવે શંકા સામે દફતર ઘર્યુ, ‘લે શંકા ગાયને હું હાંકતો આવું.’
   શંકાએ દફતર લીધું યાદ આપ્યું. તારે લ્યાં પરીક્ષા છે ને-‘



(6) પાઠમા મહાદેવ ગાઈને બીજા કોઈના ખેતરમાં ના મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું ? શા માટે ?

જ. મહાદેવ ગાયને ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવ ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી ગોટ તો તે ફરી થી કોઈના ખેતરમાં પાકને નુકશાન કરત મહાદેવ માનવતાનું કામ કર્યું તેથી મને ગમ્યું.



(7) ઈન્સ્પેકટર સાહેબનો ક્યો ગુણ તમને ગમ્યો ? શા માટે ?

જ. ઈન્સ્પેકટર સાહેબે પરીક્ષાના સમય કરતાં મહાદેવની માનવતા ને વધારે ગમ્યો. જો આવા સાહેબો સારા હોયતો જ ભારત દેશ આગળ વધી શકે.



(8) નીચેના વાક્યોને બદલે પાઠમા વપરાયેલા વાક્યો લખો.

જ. 1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ના થાય.
ઉતર- પાઠમા – આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !
2. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી.
ઉતર- જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.
3. ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.
ઉતર- ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !
4. ગામની આબરૂ સચવાશે.
ઉતર- આપના ગામનું નાક રહશે. 

              ***************
નીચેના પ્રશ્નો ના  ઉત્તર એક  લીટીમાં આપો : 

 ( ૧ ) નટુના ‘ બાપા શું હતા ?
ઉ. નટુ ના બાપા હેડ માસ્ટર હતા
 ( ૨ ) કોના મામા મામલતદાર હતા ?
 ઉ. બચુડાના મામા મામલતદાર હતા •
 ( ૩ ) વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા ? 
ઉ. વિદ્યાધિકારીના હેડક્લાર્ક  ધનશંકર ના માસા હતા.
( ૫) મહાદેવે મિત્રોની કઇ વાત મંજૂર રાખી ? 
ઉ. મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજુર રાખી .
 ( ૬ ) મહાદેવ ' ખાઈ જવાની ’ એવું કોને જોઈને બોલી ઊઠે છે ? 
ઉ: મહાદેવ ' ખાઈ જવાની ’ એવું ગાયને જોઈને બોલી ઊઠે છે . 
( ૭ ) મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા ? 
ઉ : ગાય ખેતરનો પાક ખાઈ જશે , એવું લાગતાં મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા . 
                   **************
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
 ( 1 ) ‘ પરીક્ષા ' પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે ? 
A. શરદ B. વસંત C. પાનખર D. વર્ષા
 ( 2 ) મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું ?
 A. વસંતનો પવન B. શરદનો પવન C. પાનખરનો પવન D. સોની 
 ( 3 ) મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ ? 
A. મોલ જોઈને B. ઝાડનાં ઝુંડ જોઈને C. ઉંબીઓ જોઈને D. મોલ ખાતી ગાયને જોઈને
 ( 4 ) મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું ?
 A. શંકરને B. નારજીકાકાને C. ખુશાલમાને D. માસીને
 ( 5 ) ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું ? 
A. મહાદેવે B. ખુશાલમાએ .. કાકાએ D. નારજીકાકાએ
 ( 6 ) ‘ અહીં છીંડામાં મરને ' – એવું મહાદેવ કોને કહે છે ? A. ગાયને B. શંકરને C. બકરીને D , બળદને
 ( 7 ) મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? 
A. ઇન્સ્પેક્ટરે B , માસીએ C. શંકરે D. નારજીકાકાએ
 ( 8 ) મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો ?
 A. માનવતાવાદી B. ખારીલો C. ક્રૂર D. દયાળુુ

( 9 ) મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો ? 
A , ધૂળથી B , આસુથી C. કીચડથી D , પાપથી
 ( 10 ) ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ 
કર્યો ?
 A. આચાર્યને B , પટાવાળાને C. શિક્ષકને D. સુપરવાઇઝરને 
( 11 ) શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા 
હતા ? 
A , આઠ B. દસ C. બાર D. છ

                        ***************

 

17 જુલાઈ, 2021

ટૂંક નોધ લખો :રવિશંકર મહારાજ , પ્રશ્નોનાં ઉતર લખો.

*ટૂંક નોધ લખો:  

*રવિશંકર વ્યાસ*

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં  બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. 

     તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

       નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું . ઉપરાંત  બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

                     *************



પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
.



(1) રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?

જ. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એ બાળપણથી જ પામ્યાં હતા દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું બાળપણથી જ મળ્યું હતું. આ સંસ્કારે તેમના પર અસર કરી હતી.



(2) મૂકસેવક મહારાજે લોકસેવકના કયા-કયા કાર્યો કર્યા ?

જ. મૂક સેવક મહારાજે ગામડે-ગામડે જય ગંદકી દૂર કરી ગરીબાઈ દૂર કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યો. લોકોને બચાવ્યો તેમજ પડતાં મકાનને ટેકો દીધો. વળી ચોરોને સમજાવ્યા સારા રસ્તે વાળ્યા બહારવટિયાઓને સમજાવી દેશના હિત માટે લગાડ્યા. જે જગ્યાએ રોગ ફાટી નીકળ્યા હતા ત્યાં પહોંચી મહારાજે ડોક્ટરોની વ્યવસ્થા કરી લોકોને રોગમાંથી બચાવ્યા દુષ્કાળમાં કૂવાને બોરિંગ કરાવ્યા ને લોકોને પીવાનું અપાવ્યું. અને હુલ્લડમાં લોકોને સમજાવ્યા તોફાન ન કરવા સલાહ આપી તેમજ મરેલાના અગ્નિ સંસ્કાર પણ તેમણે જ કર્યા. આમ મૂક સેવક મહારાજ સાચા અર્થમાં લોક સેવક હતાં.



(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?

જ. રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને ખૂબ મોટો લાભ થયો. સમાજના લોકોમાં ગરીબાઈ દૂર થઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી. વળી ચોર-લુટારા સારા ને સત્યને માર્ગે વળ્યા. લોકોમાં અજ્ઞાન દૂર થયો. તેમજ સારું જીવન જીવવાની પ્રેરણા મળી લોકોને પીવાનું પાણી મળવા લાગ્યું. લોકો ભેદભાવ વગર શાંતિથી જીવન જીવવા લાગ્યા. આમ રવિશંકર મહારાજનાં કામોથી લોકોને ખૂબ સારો ફાયદો થયો.



(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?

જ. ઈ.સ 1941 અને ઈ.સ. 1946 માં અમદાવાદમાં હુલ્લડ થયા કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ કર્યા વગર સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામ્યાં તેમના શબને મહારાજ જાતે જ અગ્નિસંસ્કાર કરતાં આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે.



(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?

જ. સાદાં વસ્ત્રો પહેરવા સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો .

(6) મહારાજ શબ્દના જુદા-જુદા અર્થ લખો ?

જ. 1. મહારાજ એટલે – યજમાનવૃતી કરનાર ગોર મહારાજ.
2. મહારાજ એટલે – મોટા રાજા
3. મહારાજ એટલે – સંત સાધુ
4. મહારાજ એટલે – રસોઇયો



(7) દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ – આ શબ્દો સાથે-સાથે કેમ લખાય છે ?

જ. જે શબ્દ સામાસિક હોય તે ભેગા લખાય માટે દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ આ સામાસિક શબ્દ છે આથી ભેગા લખાય છે.

                      **********

12 જુલાઈ, 2021

ધોરણ.8 ગુજરાતી પાઠ.3 જુમો ભિસ્તી

 *નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

(1) શ્રીમંત
A. ધનવાન, અમીર


(2) દુર્ગંધ
A. બદબૂ, વાસ


(3) કર્કશ
A. કઠોર, તીણો


(4) આનંદ
A. ખુશી, હર્ષ


(5) ગદબ
A. રજકો


(6) હાંડલી
A. હાંલ્લી, માટલી

                 
*************

પ્રશ્નો ના જવાબ લખો

પ્ર. જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા ?

 જ. જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવુતી કરતાં હતા. જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણુ બંને પાછા વળતાં. જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો. વેણુ ગદબ ખાતો. પછી જુમો સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા.

પ્ર. જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?

 જ. જુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પછી રસ્તા જતાં બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો. તેણે ફાટકવાળાને વિનંતી કરી. પણ અંદરથી ‘ઘેર કોઈ માણસ નથી.’ એવો જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો. આમ, વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.

પ્ર. વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો.

 A. છેલ્લા વાક્યમાં જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ....! વેણુ....! વેણુ....!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.

[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને લખો.

(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
A. જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત.


(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
A. પેલા બે યુવાન મિત્રો એ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.



(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
A. મને ગમતું પ્રાણી ગાય છે તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું. રોજ સાંજે તેણે ફરવા લઈ જાઉં છું. હું ગાઈને ખૂબ વહાલ કરું છું.


(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેના કારણો આપો.
A. વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પટથી દૂર ફેકીને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તે ઉચિત ગણાય.
      
                   ***************


* ટૂંક નોધ લખો:

1) જુમો ભિસ્તી
જુમો ભિસ્તી જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડ થી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસીને પરણવા નીકળેલો .તેની શ્રીમંતાઈ ના  વખતમાં એને અનેક મિત્રો હતા પણ અચાનક એ ભિખારી થઈ ગયો.  એ ઝૂપડામાં રહેવા લાગ્યો. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી હોકો ગગડાવતો .આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાડો વેણું જ જીવનભર એની સાથે રહ્યો. 
   જુમો પોતાની આ પરિસ્થિતિમાં પણ નિરાંત ખુશ રહેતો હતો. સવાર -સાંજ ફરવા જવું અને મશક લઇ કામ કરવું એ તેનો નિત્યક્રમ હતો.તેને કોઈ વાતનો અફસોસ નહોતો. પોતાના મિત્ર સાથે સુખેથી દિવસો પસાર કરતો હતો .અંતમાં મિત્ર માટે જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે .આમ , મૂકપશુ અને માનવ પ્રેમનું જુમો ભિસ્તી જાગતું ઉદાહરણ છે.

૨) વેણું :
વેણું એટલે પાડો. જુમા ભિસ્તીએ બાળપણમાં શોખ ખાતર પાડેલા પાડા નું નામ વેણુ હતું. પાડા નું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું. જુમો વેણુ નો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મસક મુકવા માટે કરતો. સાંજ પડ્યે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વેણુનો  જ્યારે રેલવેના બે પાટા વચ્ચે પગ ફસાયો ત્યારે જુમો ઘણા બધાની મદદ માગે છે. પણ કોઈ મદદે ન આવ્યું. છેવટે ટ્રેન આવવાના સમયે તેને બાથ ભરી મોતને ભેટવા જુમો તૈયાર થયો. પરંતુ અબોલ જીવે મિત્રતા નિભાવતા જુમો ભિસ્તીને પોતાનું માથું મારીને પાટાથી દૂર ફેંકી દીધો. જુમો બચી ગયો પરંતુ વેણુ મોતને ભેટ્યો .
     આમ ,જુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી. માલિક નું ઋણ મૂકપશુ તેમનો જીવ બચાવી ઉતારી દે છે .આ રીતે વેણુનુ પાત્ર મૂકપશુનુ  હોવા છતાં વાચકના દિલમાં ઉડી છાપ છોડી દે છે.


11 જુલાઈ, 2021

વર્ષાનો વૈભવ/વર્ષાઋતુ


ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે . સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે . લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે . ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે . પશુ , પક્ષી , માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે . અચાનક વર્ષનું આગમન થાય છે અને ગ્રીષ્મઋતુ ધીરે ધીરે વિદાય લે છે . 
    વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે . વીજળીના ચમકારો , વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે . વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે . બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે . મોર કળા કરે છે , નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે . કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે . દેડકાં ' ડ્રાંઉ ’ .. ' ડ્રાઉ ' .. કરીને વર્ષાનું સ્વાગત કરે છે . ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે . વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે . પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘ કાગડો ’ થઈ જાય છે . વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે . ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે . જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે . 

     ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે . તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે . થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે .  ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે . 
      વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ . રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશચતુર્થી , સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે . પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે . આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે . 
 વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે . નદીઓમાં ભયંકર પૂર આવે છે . ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે . જાનમાલનું ભારે નુકસાન થાય છે . વર્ષા નું આ રૌદ્ર સ્વરૂપ છે . વર્ષાઋતુ માં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી , ધાસચારો થતો નથી , પાણીની ભયંકર તંગી પડે   છે . તેને ‘ દુષ્કાળ ' કહે છે . 
 
    વર્ષાઋતુ માં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે . માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે . તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે .    

     વર્ષાઋતુમાં અનાજ પાકે છે . ધાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે . તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે . એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં  છે . કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે . કવિઓએ      વર્ષાઋતુને      ‘ ઋતુઓની રાણી ’ કહીને આવકારી છે . 
       
                         **************

5 જુલાઈ, 2021

પાઠ 2 દ્વીદલ *સ્વાઘ્યાય*


*શબ્દાર્થ:

શિલ્પી- કારીગર

સ્તંભ-.  થાંભલો

 નિશબ્દ- શબ્દ વિનાની, શાંત

 મંજૂરી -પરવાનગી

 લોન- લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન ,હરિયાળી

 આજીજી- વિનંતી

 બિરદાવવું- ગુણગાન કે સ્તુતિ કરવી

              ***************** 
પ્રશ્ન: સાચો વિકલ્પ લખો:

(1) શિલ્પી આરસપહાણના પથ્થર માંથી કોની મૂર્તિ ઘડી રહ્યો હતો?
( C) ભગવાન

( 2 ) મૂર્તિમાં કઈ જગ્યાએ એક નાનો ઘસરકો થઈ ગયો હતો ? 
 ( D ) નાકે પાસે 

( 3 ) મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની હતી ?
 ( A ) સ્તંભ પર 
 
( 4 ) યુવકે દુકાનદાર પાસે કયો ફોન વાપરવાની મંજૂરી માંગી ?
  ( D ) પબ્લિક ફોન

 ( 5 ) યુવક ફોન પર સ્ત્રી પાસે કયું કામ કરવાની પરવાનગી માગતો હતો . 
 ( C ) લૉન કાપવાની 

( 6 ) યુવક દુકાનમાંથી બહાર જવાની તૈયારી કરતો હતો તે વખતે તેને કોણે બોલાવ્યો ?
  ( B ) દુકાનદારે 
 
( 7 ) દુકાનદાર યુવકની કઈ રીતને બિરદાવતો રહ્યો ? 
 ( D ) સ્વમૂલ્યાંકનની
 
( 8 ) ‘ આજીજી ' શબ્દનો અર્થ શો થાય ? 
 ( B ) વિનંતી 

( 9 ) ‘ નુકસાન ’ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય ? 
 ( D ) ફાયદો

 ( 10 ) શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી શું ઘડી રહ્યો હતો ? 
 ( B ) મૂર્તિ
 
               *****************



વિરુદ્ધાર્થી શબ્દો લખો

1. જાણ × અજાણ
2. જવાબ × સવાલ
3. નીરસ × રસવાળું
4. નુકસાન × ફાયદો
5. ધ્યાન × બેધ્યાન
6. પરદેશ × સ્વદેશ
7. સંતોષ × અસંતોષ
          
               *************

નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) માણસે બીજી મુર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?

જ. માણસે પૂછ્યું કે આ મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે ત્યારે શિલ્પીએ ના પાડી અને એક મુર્તિ તૈયાર હતી ને શિલ્પી બીજી મુર્તિ બનાવી રહયો હતો એટલે માણસના આશ્ચર્યનો પાર ન રહયો કે એક મુર્તિની સ્થાપના કરવાની છે પણ બે મુર્તિ કેમ ?



(2) શિલ્પીએ પહેલી મુર્તિ પડતી કેમ મૂકી ?

જ. પહેલી મુર્તિ ઘડવામાં શિલ્પીથી એક ભૂલ થઈ મૂર્તિનાં નાક પાસે એક નાનકડો ઘસરકો થયો.આમ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરાય તેથી પહેલી મુર્તિ શિલ્પીએ પડતી મૂકી.



(3) સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?

જ. કારણ કે સ્ત્રી પાસે જે માણસ કામ કરતો હતો તેનાથી સ્ત્રીને સંતોષ હતો તેનું કામ સ્ત્રીને ગમતું હતું આથી સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાથી ના પાડી.



(4) સ્ત્રીનો જવાન સાંભળી યુવક કેમ ખુશ થયો ?

જ. સ્ત્રીને યુવકે અડધા પગારમાં કામ કરવાની અને વધારાનું કામ કરવા કહયું છતાં સ્ત્રીએ યુવકને નોકરી આપવાની ના પાડી આથી યુવકને પૂરી ખાતરી થઈ કે સ્ત્રી તેના કામથી પૂર્ણ સંતોષ પામી છે આમ સ્વ-મૂલ્યાંકન ની પરીક્ષામાં પોતે સફળ રહયો આથી યુવક ખુશ થયો.



(5) સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?

જ. સ્વ- પોતે મૂલ્યાંકન પરીક્ષા પોતે જ પોતાની પરીક્ષા કરવી એટલે સ્વ- મૂલ્યાંકન હા મે પણ મૂલ્યાંકન કરેલું છે હું પોતે જ લેખિત કસોટી લઈને સ્વ- મૂલ્યાંકન કરું છુ .

              *********************

28 જૂન, 2021

2. હિંદ માતા ને સંબોધન

શબ્દાર્થ-
 
દેવભૂમિ - પવિત્ર ભૂમિ 
વિશ્વાસ - ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ; 
જિન - જૈન 
બક્ષી - આપી 
તવંગર -પૈસાદાર 
નિરક્ષર -અભણ
 સાહો- મદદ કરો 
પરસ્પર - એકબીજાને . 

 વિરુદ્ધાર્થી શબ્દો

  ( 1 ) જ્ઞાની x અજ્ઞાની
 ( 2 ) નીરોગી× રોગી 
( 3 ) તવંગર x નિર્ધન
 ( 4 ) ઉચ્ચ x નીચ
( 5 ) સમાન x અસમાન
 ( 6 ) સાક્ષર x નિરક્ષર 


*બહુવિકલ્પ પ્રશ્નોત્તર

 - નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
 ( 1 ) ‘ હિંદમાતાને સંબોધન ' કાવ્યના કવિ કોણ છે ?
 જ. કાંત
 ( 2 ) હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે ? 
જ. પવિત્ર
 3) સંતાનો ભેગા મળીને શું કરે છે ? 
જ.વંદન 
( 4 ) હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે ? 
જ.( A ) શુભ ખાનપાન આપીને 
 ( 5 ) નીચેના શબ્દની સાચી જોડણી જણાવો . 
જ. વાલ્મીકિ
 ( 6 ) નિર્ધન’નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો .
જ. તવંગર
  ( 7 ) કાવ્યમાં આવતા દેવભૂમિ ’ શબ્દનો શો અર્થ થાય છે ?
 જ. પવિત્ર ભૂમિ 
 ( 8 ) ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે ?
 જ. વિશ્વાસી 
 ( 9 ) “ મદદ કરો ’માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? 
જ. સાહો
 ( 10 ) “ હિંદુ અને  મુસલમાનઃ વિશ્વાસી , ________જિન:-શબ્દ ક્યો છે ? . … ... , જિનઃ ' - આ પંક્તિમાં ખૂટતો અક્ષર કયો છે?
 જ. પારસી
 

* નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 

( 1 ) આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? 
જ*આ કાવ્ય હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ એટલે કે હિંદમાતાને સંબોધીને લખાયું છે .
 ( 2 ) હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
જ* સરસ , પૌષ્ટિક ખાન - પાન એટલે કે ભોજન અને પાણી આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે . 
( 3 ) આ કાવ્યમાં ક્યો ભાવ રજૂ થયો છે ?
જ* આ કાવ્યમાં હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે , તેમની વચ્ચે ઊંચ - નીચ કે એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી . સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ . સૌ હિંદમાતાના સંતાનો છે એ ભાવ રજૂ થયો છે . 
            
સ્વાધ્યાય

1 . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો 

 ( 1 ) ભારતમાં ક્યા ક્યા ધર્મ પાળતી પ્રજા વસે છે ? જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ખ્રિસ્તી , પારસી , જૈન , બૌદ્ધ  ધર્મ પાળતી પ્રજા વસે છે .
 ( 2 ) ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
જ. જે રીતે માતા બાળકનું પોષણ કરે છે , એ રીતે ધરતીમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો , ખોરાક અને પાણી આપે છે . તે સૌને સમાન રીતે રાખે છે . એકસરખો પ્રેમ આપે છે . માતા પવિત્ર છે . તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે . 
( 3 ) ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ? 
જ.ભારતમાં હિન્દુ , મુસ્લિમ , શીખ , ઈસાઈ , જૈન , પારસી , બૌદ્ધ વગેરે ધર્મો પાળતી પ્રજા વસે છે . સૌ કોઈ પણ પ્રકારની ભેદભાવ વગર , સંપીને પ્રેમપૂર્વક રહે છે . નાત - જાત કે અમીરી - ગરીબીના ભેદભાવ અહીં નથી , તેથી ભારતમાં વસતી પ્રજાને કવિ એકસમાન ગણે છે . 




14 જૂન, 2021

એક બોધકથા*ઘડપણ નું વસાણુ*

એક બોધકથા..👌👌👌👌

॥~॥~॥ *ઘડપણ નું વસાણુ.* ॥~॥~॥

Story about FINANCIAL PLANNING.
       
*જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય, અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે, અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો.*

*ત્યાંના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય, અને એનું જીવન સમાપ્ત થઇ જાતું*
         
*પ્રજામાંથી રાજાની નિમણુંક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા !*
*પાંચ વર્ષ સુધી એ રાજા રહેતો!*

*અપાર જાહોજલાલી, અને એશો આરામની જિંદગી, પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે, પણ નવો રાજા એને ન સાંભળે.* 
        
*એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ, અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા, એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’*

*સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારે બાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો, અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો, કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!* 
        
*નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો, ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા, અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલો રાજા છો કે... આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો ? તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’*

*રાજા કહે, ‘તારી વાત સાચી છે!*
*તેં મને સાચો ઓળખ્યો!*

*ચાલ, તને પૂરી વાત કહું’:* 
      
*જે દિવસે હું રાજા બન્યો, ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો, ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા.*

*જો ભાઈ, ધ્યાનથી સાંભળ...તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!*’  
       
*દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ મહાલતા રહ્યા ! પણ હું જાણતો હતો, કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી નિવૃત્તિ અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું, તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો કેરિયરની શરૂઆતના ૧૦-૧૫ વર્ષ કરક્સરથી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું, તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ નહીં આવે* 
 
*卐ॐ卐 કથાસાર.......卐ॐ卐* 
   
*દોસ્તો... પ્લાનિંગ માટે તમારી આવકમાંથી સૌ પ્રથમ બચત, અને ઈન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરજો.*
        
*તમારી કમાણીના (૨૫) વરસોમાં ૬૦ વર્ષ નિવૃત્તિ પછીની બાકીની જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.*

*એટલે જ આપણે ત્યાં કહેવત છે*...

*શિયાળા નું છાણું,* 
 *જુવાની નું નાણું,* 
 *અને ઘડપણનું વસાણું,*  

સાચવીને રાખજો.

12 જૂન, 2021

मानव-जीवन का उद्देश्य

🏉🏉🏉🏉🏉🏉

एक बार पचास लोगों का ग्रुप। किसी मीटिंग में हिस्सा ले रहा था।
मीटिंग शुरू हुए अभी कुछ ही मिनट बीते थे कि स्पीकर अचानक
ही रुका और सभी पार्टिसिपेंट्स को गुब्बारे 🏉देते हुए बोला , ” आप
सभी को गुब्बारे पर इस मार्कर से अपना नाम लिखना है। ” सभी ने
ऐसा ही किया। 

अब गुब्बारों को एक दुसरे कमरे में रख दिया गया।
स्पीकर ने अब सभी को एक साथ कमरे में जाकर पांच मिनट के अंदर💫✨💥
अपना नाम वाला गुब्बारा ढूंढने के लिए कहा। 

सारे पार्टिसिपेंट्स
तेजी से रूम में घुसे और पागलों की तरह अपना नाम वाला गुब्बारा ढूंढने
लगे। 

पर इस अफरा-तफरी में किसी को भी अपने नाम
वाला गुब्बारा नहीं मिल पा रहा था… 

5 पांच मिनट बाद सभी को बाहर
बुला लिया गया। 

स्पीकर बोला , ” अरे! क्या हुआ , आप
सभी खाली हाथ क्यों हैं ? क्या किसी को अपने नाम
वाला गुब्बारा नहीं मिला ?” ”

नहीं ! हमने बहुत ढूंढा पर
हमेशा किसी और के नाम का ही गुब्बारा हाथ आया…”, एक
पार्टिसिपेंट कुछ मायूस होते हुए बोला।

🏉“कोई बात नहीं , आप लोग एक
बार फिर कमरे में जाइये , पर इस बार जिसे जो भी गुब्बारा मिले उसे
अपने हाथ में ले और उस व्यक्ति को दे दे जिसका नाम उसपर
लिखा हुआ है । “, स्पीकर ने निर्दश दिया। 

🏉एक बार फिर सभी पार्टिसिपेंट्स कमरे में गए, पर इस बार सब शांत थे , और कमरे
में किसी तरह की अफरा- तफरी नहीं मची हुई थी। सभी ने एक दुसरे
को उनके नाम के गुब्बारे दिए और तीन मिनट में ही बाहर निकले आये।

स्पीकर ने गम्भीर होते हुए कहा ,

 ☝☝” बिलकुल यही चीज हमारे जीवन में भी हो रही है। 
हर कोई अपने लिए ही जी रहा है , उसे इससे कोई
मतलब नहीं कि वह किस तरह औरों की मदद कर सकता है , वह तो बस पागलों की तरह अपनी ही खुशियां ढूंढ रहा है , पर बहुत ढूंढने के बाद
भी उसे कुछ नहीं मिलता ,

👉👉 हमारी ख़ुशी दूसरों की ख़ुशी में छिपी हुई है।

👌👉 जब हम औरों को उनकी खुशियां देना सीख जायेंगे
👌👉तो अपने आप ही हमें हमारी खुशियां मिल जाएँगी।
और यही मानव-
जीवन का उद्देश्य भी है !!!
 🙏🏼🙏🏼

28 મે, 2021

આ નાનકડી ટ્રિકથી તમાકુનું વ્યસન છોડાવો

વિશ્વભરમાં 31 મે ના રોજ ટોબેકો એટલે વિશ્વ તમાકુ દિવસ મનાવવામાં આવે છે. અનો મતલબ એમ થાય છે કે, લોકો તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય અને તેમના આરોગ્યને નુકશાન પહોચાડે તેવી વસ્તુ થી દુર રહે. આ દિવસની શરૂઆત વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કરવામાં આવી હતી. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગુટકા, પાન, તમાકુ અથવા બીડી અને સિગારેટનો નશો એ તમને મૃત્યુ તરફ ધકેલી શકે છે, એટલા માટે તમારે આવી હાનીકારક વસ્તુ થી દુર રહેવું જોઈએ.

વિશ્વ તમાકુ દિવસ ઉજવવા નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, લોકો ધૂમ્રપાનથી થતા નુકસાનને લઈને જાગૃત થાય. કેમ કે ધૂમ્રપાન કરવાથી કેન્સરનું જોખમ રહે છે, આ લીટીઓ તમાકુ અને સિગારેટ ના પેકેટ ઉપર ચેતવણી રૂપ તરીકે લખેલી હોવા છતાં લોકો આ હાનીકારક વસ્તુનું સેવન કરતા રહે છે, જે તમને ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે.
અમે તમને આવી જ કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ, જેના પગલે તમે ધૂમ્રપાનના વ્યસનથી છૂટકારો મેળવી શકો છો.

1. તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો
ધૂમ્રપાનના વ્યસનથી બચવા માટે વ્યસ્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ તમે તમારા દિવસની શરૂઆત નાસ્તા, વર્કઆઉટ, યોગ અને કામથી કરી શકો છે. અને ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળી શકાય.

2. જ્યારે મો માં કઇક ચાવવાની ઈચ્છા થાય ત્યારે શું કરવું
ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરતી વખતે, મોંમાં કંઈક ચાવવાની ઇચ્છા હોય છે. આવી સ્થિતિમાં, તમે સલાડ નો ડબ્બો તમારી સાથે રાખી શકો છો. ધૂમ્રપાન કરવાની ઇચ્છાને ટાળવા માટે તમે ચીન્ગમ પણ ચાવી શકો છો. વળી, ઇલાયચી અથવા વરિયાળી ચાવવાથી પણ ધૂમ્રપાન છોડવાની ઇચ્છા માં મદદ મળે છે.

3. મધ પીવો
જો તમારે પણ ધૂમ્રપાન કરવાની આદત છોડવી હોય તો તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં વિટામિન, ઉત્સેચકો અને પ્રોટીન હોય છે, જે તમને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.

3. અજમો
અજમો મોઢામાં રાખો, પછી તમે ધીમે ધીમે તેની ટેવ ગુમાવશો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ધૂમ્રપાન કરવાનું મન થાય, ત્યારે તમે તમારા મો માં અજમો નાખો અને તેને વચ્ચેથી ચાવો, જેથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે.

4. અશ્વગંધા અને શતાવરીનો છોડ
આ બંને ઔષધિઓ ઘણા રોગો સામે લડવામાં મદદગાર સાબિત થઈ છે. તમાકુ અથવા ધૂમ્રપાનનું નિયમિત સેવન કરવાથી શરીરમાં નિકોટિન જેવા ઝેરી તત્વ એકઠા થાય છે, પરંતુ અશ્વગંધા અને શતાવરી જેવી ઔષધિ શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે.

5. ફળો ખાવાનું શરૂ કરો
વિટામિન સી થી ભરપુર ફળો ખાવાનું શરૂ કરો. નારંગી, લીંબુ, આમળા અને જામફળ અને સફરજન વગેરે ખાવાથી તમે તમાકુની આદતથી છૂટકારો મેળવી શકો છો.

12 મે, 2021

गिलोय एक चमत्कारी बेल

💐 *गिलोय के चमत्कारी गुण*💐. ✍🏻...गिलोय एक ही ऐसी बेल है, जिसे आप *सौ मर्ज की एक दवा* कह सकते हैं। इसलिए इसे संस्कृत में *अमृता* नाम दिया गया है। कहते हैं कि देवताओं और दानवों के बीच समुद्र समंथन के दौरान जब *अमृत* निकला और इस *अमृत की बूंदें जहां-जहां छलकीं, वहां-वहां गिलोय की उत्पत्ति हुई*।

✍🏻...इसका वानस्पिक नाम (Botanical name) टीनोस्पोरा कॉर्डीफोलिया (tinospora cordifolia है। इसके *पत्ते पान के पत्ते* जैसे दिखाई देते हैं और *जिस पौधे पर यह चढ़ जाती है, उसे मरने नहीं देती*। इसके बहुत सारे लाभ आयुर्वेद में बताए गए हैं, जो न केवल आपको सेहतमंद रखते हैं, बल्कि आपकी सुंदरता को भी निखारते हैं। आइए जानते हैं *गिलोय के फायदे*…

(1) गिलोय बढ़ाती है शरीर की *रोग प्रतिरोधक* क्षमता :-

गिलोय एक ऐसी बेल है, जो व्यक्ति की *रोग प्रतिरोधक* क्षमता को बढ़ा कर उसे बीमारियों से दूर रखती है। इसमें भरपूर मात्रा में *एंटीऑक्सीडेंट्स* होते हैं, जो शरीर में से *विषैले पदार्थों* को बाहर निकालने का काम करते हैं। यह खून को साफ करती है, बैक्टीरिया से लड़ती है। *लिवर और किडनी* की अच्छी देखभाल भी *गिलोय* के बहुत सारे कामों में से एक है। ये दोनों ही अंग खून को साफ करने का काम करते हैं।

(2) - *ठीक करती है बुखार* :-

अगर किसी को *बार-बार बुखार* आता है तो उसे *गिलोय* का सेवन करना चाहिए। गिलोय हर तरह के बुखार से लडऩे में मदद करती है। इसलिए *डेंगू के मरीजों* को भी गिलोय के सेवन की सलाह दी जाती है। डेंगू के अलावा *मलेरिया, स्वाइन फ्लू* में आने वाले बुखार से भी गिलोय छुटकारा दिलाती है।


(3) - *मधुमेह के रोगियों* के लिए :-

गिलोय एक *हाइपोग्लाइसेमिक एजेंट* है यानी यह खून में *शर्करा* की मात्रा को कम करती है। इसलिए इसके सेवन से खून में शर्करा की मात्रा कम हो जाती है, जिसका फायदा टाइप टू डायबिटीज के मरीजों को होता है।

(4) - *पाचन शक्ति बढ़ाती है* :- 

यह बेल पाचन तंत्र के सारे कामों को भली-भांति संचालित करती है और *भोजन के पचने* की प्रक्रिया में मदद कती है। इससे व्यक्ति कब्ज और पेट की दूसरी गड़बडिय़ों से बचा रहता है।

(5) - *कम करती है "स्ट्रेस"* :- 

*गलाकाट प्रतिस्पर्धा* के इस दौर में *तनाव या स्ट्रेस* एक बड़ी समस्या बन चुका है। *गिलोय एडप्टोजन* की तरह काम करती है और मानसिक तनाव और चिंता (एंजायटी) के स्तर को कम करती है। इसकी मदद से न केवल *याददाश्त* बेहतर होती है बल्कि *मस्तिष्क* की कार्यप्रणाली भी दुरूस्त रहती है और *एकाग्रता* बढ़ती है।

(6) - *बढ़ाती है आंखों की रोशनी* :-

गिलोय को पलकों के ऊपर लगाने पर आंखों की रोशनी बढ़ती है। इसके लिए आपको गिलोय पाउडर को पानी में गर्म करना होगा। जब पानी अच्छी तरह से ठंडा हो जाए तो इसे पलकों के ऊपर लगाएं।

(7) - *अस्थमा में भी फायदेमंद* :-

मौसम के परिवर्तन पर खासकर सर्दियों में *अस्थमा* के मरीजों को काफी परेशानी होती है। ऐसे में अस्थमा के मरीजों को नियमित रूप से गिलोय की मोटी डंडी चबानी चाहिए या उसका जूस पीना चाहिए। इससे उन्हें काफी आराम मिलेगा।

(8) - *गठिया में मिलेगा आराम* :-

गठिया यानी *आर्थराइटिस* में न केवल जोड़ों में दर्द होता है, बल्कि चलने-फिरने में भी परेशानी होती है। गिलोय में *एंटी आर्थराइटिक* गुण होते हैं, जिसकी वजह से यह जोड़ों के दर्द सहित इसके कई लक्षणों में फायदा पहुंचाती है।

(9) - *अगर हो गया हो एनीमिया* :-

भारतीय महिलाएं अक्सर एनीमिया यानी खून की कमी से पीड़ित रहती हैं। इससे उन्हें हर वक्त *थकान और कमजोरी* महसूस होती है। गिलोय के सेवन से शरीर में *लाल रक्त कणिकाओं* की संख्या बढ़ जाती है और *एनीमिया* से छुटकारा मिलता है।

(10) - *बाहर निकलेगा कान का मैल* :-

कान का जिद्दी मैल बाहर नहीं आ रहा है तो थोड़ी सी गिलोय को पानी में पीस कर उबाल लें। ठंडा करके छान के कुछ बूंदें कान में डालें। एक-दो दिन में सारा मैल अपने आप बाहर जाएगा।

(11) - *कम होगी पेट की चर्बी* :- 

गिलोय शरीर के *उपापचय (मेटाबॉलिजम)* को ठीक करती है, सूजन कम करती है और *पाचन शक्ति बढ़ाती है*। ऐसा होने से पेट के आस-पास चर्बी जमा नहीं हो पाती और आपका *वजन कम* होता है।

(12) - *यौनेच्छा बढ़ाती है गिलोय* :- 

आप बगैर किसी दवा के *यौनेच्छा* बढ़ाना चाहते हैं तो गिलोय का सेवन कर सकते हैं। गिलोय में यौनेच्छा बढ़ाने वाले गुण पाए जाते हैं, जिससे *यौन संबंध* बेहतर होते हैं।

(13) - *खूबसूरती बढ़ाती है गिलोय* :- 

गिलोय न केवल सेहत के लिए बहुत फायदेमंद है, बल्कि यह त्वचा और बालों पर भी चमत्कारी रूप से असर करती है….

(14) - *जवां रखती है गिलोय* :- 

गिलोय में *एंटी एजिंग* गुण होते हैं, जिसकी मदद से *चेहरे से काले धब्बे, मुंहासे, बारीक लकीरें और झुर्रियां* दूर की जा सकती हैं। इसके सेवन से आप *ऐसी निखरी और दमकती त्वचा* पा सकते हैं, जिसकी कामना हर किसी को होती है। अगर आप इसे त्वचा पर लगाते हैं तो घाव बहुत जल्दी भरते हैं। त्वचा पर लगाने के लिए गिलोय की *पत्तियों को पीस कर पेस्ट बनाएं*। अब एक बरतन में थोड़ा सा नीम या अरंडी का तेल उबालें। गर्म तेल में पत्तियों का पेस्ट मिलाएं। ठंडा करके घाव पर लगाएं। इस पेस्ट को लगाने से त्वचा में कसावट भी आती है।

(15) - *बालों की समस्या भी होगी दूर* :-

अगर आप बालों में *ड्रेंडफ, बाल झडऩे या सिर की त्वचा* की अन्य समस्याओं से जूझ रहे हैं तो *गिलोय* के सेवन से आपकी ये समस्याएं भी दूर हो जाएंगी।

🌷 *गिलोय का प्रयोग ऐसे करे*🌷:-

अब आपने गिलोय के फायदे जान लिए हैं, तो यह भी जानिए कि गिलोय को इस्तेमाल कैसे करना है…

(1) - *गिलोय जूस* :- 

गिलोय की डंडियों को छील लें और इसमें पानी मिलाकर मिक्सी में अच्छी तरह पीस लें। छान कर सुबह-सुबह *खाली पेट पीएं*। अलग-अलग ब्रांड का गिलोय जूस भी बाजार में उपलब्ध है।

(2) - *काढ़ा बनाकर* :-

चार इंच लंबी गिलोय की डंडी को छोटा-छोटा काट लें। इन्हें कूट कर एक कप *पानी में उबाल लें*। पानी आधा होने पर इसे छान कर पीएं। *अधिक फायदे के लिए आप इसमें लौंग, अदरक, तुलसी भी डाल सकते हैं*।

(3) - *पाउडर बनाकर ले* :- 

यूं तो *गिलोय पाउडर बाजार* में उपलब्ध है। आप इसे घर पर भी बना सकते हैं। इसके लिए गिलोय की डंडियों को धूप में अच्छी तरह से सुखा लें। सूख जाने पर मिक्सी में पीस कर पाउडर बनाकर रख लें।

(4) - *गिलोय वटी* :-

बाजार में *गिलोय की गोलियां यानी टेबलेट्स* भी आती हैं। अगर आपके घर पर या आस-पास ताजा गिलोय उपलब्ध नहीं है तो आप इनका सेवन करें।

(5) - *साथ में अलग-अलग बीमारियों में आएगी काम गिलोय* :-

अरंडी यानी कैस्टर के तेल के साथ गिलोय मिलाकर लगाने से गाउट(जोड़ों का गठिया) की समस्या में आराम मिलता है।इसे अदरक के साथ मिला कर लेने से *रूमेटाइड आर्थराइटिस* की समस्या से लड़ा जा सकता है।चीनी के साथ इसे लेने से *त्वचा और लिवर* संबंधी बीमारियां दूर होती हैं। *आर्थराइटिस* से आराम के लिए इसे *घी* के साथ इस्तेमाल करें।कब्ज होने पर *गिलोय में गुड़* मिलाकर खाएं।

*साइड इफेक्ट्स का रखें ध्यान* :- 

*वैसे तो गिलोय को नियमित रूप से इस्तेमाल करने के कोई गंभीर दुष्परिणाम अभी तक सामने नहीं आए हैं* लेकिन चूंकि *यह खून में शर्करा की मात्रा कम करती है। इसलिए इस बात पर नजर रखें कि ब्लड शुगर जरूरत से ज्यादा कम न हो जाए*। 

*गर्भवती और स्तनपान कराने वाली महिलाओं को गिलोय के सेवन से बचना चाहिए*। :-

*पांच साल से छोटे बच्चों को गिलोय का प्रयोग ना करने दें* आप.

एक निवेदन :- अभी वर्षाऋतु का समय एक माह शेष है । अपने घर में, बड़े गमले या आंगन में जंहा भी उचित स्थान हो गिलोय की बेल अवश्य लगायें एवं स्वजनों को भी देवें। यह *बहु उपयोगी वनस्पति ही नही बल्कि आयुर्वेद का अमृत और ईश्वरीय वरदान हैं*।। 🙏 *आपका भाई ,मित्र*🙏 👏 *महेंद्र सिंह सिसोदिया इछावर*👏 🙏 *योग शिक्षक* एवं *जिला अध्यक्ष पतंजलि योग समिति जिला सीहोर (म.प्र.)* मोबाईल नंबर *9826717374 - / - 9200367524*
(Whattsapp group massege)

27 એપ્રિલ, 2021

કઈ વેક્સિન સારી છે? દરેક સવાલ ના જવાબ અહી થી સરળતાથી મળી જાય છે.

*વોટસઅપ ગ્રૂપ મા આવેલ એ તમારા માટે બ્લોગ માં મુકવામાં આવ્યો છે.
તારીખ : ૨૬-૪-૨૦૨૧
*કઇ વેક્સિન સારી એના માટે સેમીનાર યોજાયો પુરૂ વાંચજો*

તારીખ ૨૨-૪-૨૦૨૧ ના રોજ અંગ્રેજી ન્યુઝ પેપર *ટાઇમ્સ ઓફ ઈન્ડિયા* માં આવેલ લેખનો *ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે* જે આપ સૌ મિત્રોને લાભદાયી રહેશે.  

સવાલ : *કઈ વેક્સિન સારી છે ? કોવાકશીન* કે *કોવિશિલ્ડ* ?
જવાબ : બંને વેક્સિનો ક્ષુષ્મ સંશોધનમાંથી પસાર થઈ છે અને બંને અસરકારક છે. દરેક નાગરિકે આ બે વેકસીનમાંથી કોઈપણ એક મુકાવવી જરૂરી છે કે જેથી તેઓ ગંભીર બીમારી અને કોવિડથી થતાં મૃત્યુ અટકાવી શકાય.

સવાલ : *શું હું એક ડોઝ કોવાકશીન વેક્સિન અને બીજો ડોઝ કોવિશિલ્ડ વેક્સિનનો લઈ શકું* ?
જવાબ : ના. બંને ડોઝ કોઈપણ એક જ વેક્સિનના લેવા. 

સવાલ : *શું હાર્ટની બાયપાસ સર્જરી કરી હોય તો તે દર્દીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : હા.

સવાલ : *શું આ વેક્સિન લીધા પછી કોવિડ-૧૯ થઈ શકે* ?
જવાબ : આ માટે અમારી પાસે ભારતમાં ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ યુ. એસ. એજન્સી “સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ” ના જણાવ્યા મુજબ *૯૯.૯૯%* આ વેક્સિન લીધા પછી આ રોગનો ચેપ લાગતો નથી.

સવાલ : *જે દર્દીઓને એલર્જી થતી હોય તેવા દર્દીઓ શું આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : તમારા ડોક્ટરનો સંપર્ક કરો. એલર્જી જુદી, જુદી પ્રકારની હોય છે. જો તમોને પહેલાં એલર્જી થઈ હોય તો વેક્સિન મુકાવવા માટે હોસ્પિટલમાં જાઓ. જો કોઈ રીએક્શન થાય તો તેઓ તમારી સંભાળ લેશે. 
સવાલ : *વેક્સિન મુકાવ્યા પછી શું લક્ષણો દેખાય છે* ?
જવાબ : તાવ આવવો, શરીરમાં દુખાવો થવો અને થકાન લાગવી. આ બધુ થાય તો એક પેરાસેટિમોલ ટેબ્લેટ લેવી. આ લક્ષણોમાંથી ફક્ત ૨ કે ૩ દિવસમાં મુક્ત થઈ જશો. કોઈ મોટી માઠી અસર થતી નથી. કોઈક વાર જ્યાં વેક્સિન મુકાવી હોય તે પોઈન્ટ ઉપર થોડી લાલાશ અને થોડું દર્દ થઈ શકે છે.  

સવાલ : *મેં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય અને મારા પરિવારમાં કોઈને કોવિડ-૧૯ થાય તો શું કરવું*? બીજા ડોઝ માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ ?
જવાબ : બીજો ડોઝ તેના મૂકવાના સમય પ્રમાણે લઈ લેવો.

સવાલ : *જે દર્દીઓને પહેલે કોઈ બીમારી થઈ હોય તેવા દર્દીઓ આ વેક્સિન મુકાવી શકે ખરા* ?  
જવાબ : હા, મુકાવી શકે. 

સવાલ : *શું આ વેક્સિન મુકાવવા પહેલાં કોઈ ટેસ્ટ લેવી આવશ્યક છે* ?
જવાબ : ના, કોઈ જરૂર નથી. માત્ર ભારત દેશમાંજ નહીં પરંતુ આખી દુનિયામાં કોઈપણ જાતની ટેસ્ટ લેવી જરૂરી નથી. પરંતુ જો તમોને કોવિડ-૧૯ના લક્ષણો હોય તો વેક્સિન મુકાવવા પહેલાં ટેસ્ટ કરાવવી જોઈએ. 

સવાલ : શું વેક્સિનનો પહેલો ડોઝ જે જગ્યાએ લીધો હોય તે જ જગ્યાએ બીજો ડોઝ લેવો જોઈએ ?
જવાબ : *ના. તમે કોઈપણ જગ્યાએ બીજો ડોઝ લઈ શકો છો.* 

સવાલ : *શું કોવિડ-૧૯ વેક્સિન મને બીજો કોઈ ચેપ લગાવી શકે* ?
જવાબ : ચોક્કસ નહીં. ભારત દેશની કોઈપણ વેક્સિન જીવતા વાઇરસ ધરાવતી હોતી નથી માટે તે કોવિદ-૧૯ નો ચેપ લગાવી શકે નહીં. પરંતુ, તમે વેક્સિન લીધા પછી કોઈપણ જાતની ખોટી હિમ્મત બતાવશો નહીં અને સાવચેતીના દરેક પગલાં લેશો જેવા કે, માસ્ક પહેરવું અને બીજા વ્યક્તિથી થોડું દૂર રહી ડિસ્ટન્સ જાળવવું. 

સવાલ : પહેલા ડોઝ અને બીજા ડોઝની દવામાં શું કોઈ ફરક છે ?
જવાબ : ના.

સવાલ : *વેક્સિન લેતા પહેલાં શું મારે મારી લોહી પાતળું કરવાની દવા જે હું હમેશાં લઈ રહ્યો છે તે બંધ કરવી જોઈએ* ?      
જવાબ : ના
સવાલ : *અગર જો મને વેક્સિનનો બીજો ડોઝ લેવા પહેલાં કોવિડ-૧૯ થાય તો મારે શું કરવું* ?
જવાબ : તમો કોવિડ-૧૯ માંથી સારા થયા પછી એક કે બે અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો. અગર જો તમોને વેક્સિનના પ્રથમ ડોઝ લેવા પહેલાં કોવિડ-૧૯ થાય તો ૨૮ દિવસ પછી પૂરેપૂરા સ્વસ્થ થયા બાદ વેક્સિનનો ડોઝ લેવો. 

સવાલ : *શું ગર્ભવતી સ્ત્રીઓ કે પોતાના નાના બાળકને દૂધ પીવરાવતી સ્ત્રીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : ના. આ સલાહભર્યું નથી. 

સવાલ : *શું હાર્ટના દર્દીઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : હા.

સવાલ : *મેં વેક્સિનનો એક ડોઝ લીધો અને પછી મને કોવિડ-૧૯ થાય તો પૂરેપૂરા સ્વસ્થ થયા પછી મારે ફક્ત વેક્સિનનો બીજો ડોઝ જ લેવો કે ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા ?*
જવાબ : તમારે ફક્ત બીજો ડોઝ જ લેવો. ફરીથી વેક્સિનના બે ડોઝ લેવા નહીં.

સવાલ : *જે દર્દીને કેન્સર થયું હોય તે દર્દી આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : હા. આગળની કોઈપણ માંદગી હોય તો પણ દર્દી આ વેક્સિન લઈ શકે છે.

સવાલ : *વેક્સિનનો બીજો ડોઝ મુકવ્યા પછી મને પગમાં દર્દ થાય છે શું વેક્સિન મુકાવ્યા પછી આ પ્રમાણે દર્દ થાય છે ?*
જવાબ : તમારા ડોક્ટરનો સંપર્ક કરો. પગમાં દર્દ થવાના ઘણા કારણો હોય છે.

સવાલ : *શું આ વેક્સિન આપના શરીરમાં જે રોગ-પ્રતિરક્ષા (ચેપમુક્તિ)ના એંટીબોડીઝ ઉત્પન્ન કરે છે તે શરીરમાં બીજા વાઇરસનો પણ પ્રતિકાર કરે છે ?*
જવાબ: ના. આ બીજા રોગોના પ્રતિકાર માટે વેક્સિન નથી. 

સવાલ : *મારા પિતાજી વેક્સિનનો બીજો ડોઝ લેતા ગભરાય છે. શું એક ડોઝ લીધો છે તે ચાલશે* ?
જવાબ : આ વેક્સિનની પૂરેપુરી અસર તમે તેના બે ડોઝ લીધા પછી બે અઠવાડીયા બાદ થાય છે. એક ડોઝ લેવો પૂરતો નથી. 

સવાલ : *આપના શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે, શું તે આ વેક્સિન લીધા પછી નાશ પામે છે* ?
જવાબ : ના. આ વેક્સિન તમારા શરીરમાં નવા એંટીબોડીઝ ઉમેરવાનું કામ કરે છે. શરીરમાં જે કુદરતી એંટીબોડીઝ છે તેને કોઈ વાંધો નહીં આવશે અને તમારી રોગ-પ્રતિરક્ષામાં કોઈપણ જાતનો વાંધો નહીં આવશે. 

સવાલ : *હું કોવિડ-19 માંથી સારો થયો છું. મારા શરીરમાં એંટીબોડીઝ ઉપલબ્ધ છે. શું હું વેક્સિન નહીં લઇશ તો ચાલશે ?*
જવાબ : ના. એંટીબોડીઝ લાંબો સમય સુધી શરીરમાં રહેતા નથી. માટે આ વેક્સિન મુકાવવું અગત્યનું છે.

સવાલ : *અગર જો વેક્સિનના બીજા ડોઝ મુકાવવામાં મોડું થઈ જાય તો વાંધો નહીં ?*
જવાબ : કોઈ વાંધો નહીં. તમારા સમય પ્રમાણે બીજો ડોઝ લઈ શકો છો. પરંતુ ચાર અઠવાડીયા કે છ થી આંઠ અઠવાડીયા પછી વેક્સિનનો બીજો ડોઝ લેવો જરૂરી છે. વેક્સિનનો બીજો ડોઝ લેવો જ જોઈએ. 

સવાલ : *મારા પિતાજીને હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને હાર્ટનો પ્રોબ્લેમ છે. શું તેઓ આ વેક્સિન લઈ શકે* ?
જવાબ : હા. આવા દર્દીઓને કોવિડ-19 થાય તો ખતરારૂપ છે માટે તેઓએ જરૂરથી આ વેક્સિનના બે ડોઝ લેવા જોઈએ.

સવાલ : *વેક્સિનનો એક ડોઝ વિદેશમાં લીધો છે અને શું હવે બીજો ડોઝ ભારતમાં લઈ શકાય* ?
જવાબ : હા. જે વેક્સિન વિદેશમાં મૂકી તે જ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ હોય અને મુકાતી હોય તો.

સવાલ : *વેક્સિન મુકાવ્યા પછી કોઈપણ સાઈડ-ઇફેક્ટ નહીં થાય તો શું એમ માનવું કે આ વેક્સિન આપણને અસરકારક છે* ?
જવાબ : હા....
🙏🌱🙏🌱🙏🌱🙏

23 એપ્રિલ, 2021

काल का इशारा


एक चतुर व्यक्ति को काल से बहुत डर लगता था, एक दिन उसे चतुराई सूझी और काल को अपना मित्र बना लिया।
उसने अपने मित्र काल से कहा- मित्र, तुम किसी को भी नहीं छोड़ते हो, किसी दिन मुझे भी गाल में धर लोगो!
काल ने कहा- ये मृत्यु लोक है. जो आया है उसे मरना ही है सृष्टि का यह शाश्वत नियम है इसलिए मैं मजबूर हूं, पर तुम मित्र हो इसलिए मैं जितनी रियायत कर सकता हूं करूंगा ही मुझसे क्या आशा रखते हो साफ-साफ कहो
व्यक्ति ने कहा- मित्र मैं इतना ही चाहता हूं कि आप मुझे अपने लोक ले जाने के लिए आने से कुछ दिन पहले एक पत्र अवश्य लिख देना ताकि मैं अपने बाल- बच्चों को कारोबार की सभी बातें अच्छी तरह से समझा दूं और स्वयं भी भगवान भजन में लग जाऊं।
काल ने प्रेम से कहा- यह कौन सी बड़ी बात है, मैं एक नहीं आपको चार पत्र भेज दूंगा चिंता मत करो चारों पत्रों के बीच समय भी अच्छा खासा दूंगा ताकि तुम सचेत होकर काम निपटा लो।
मनुष्य बड़ा प्रसन्न हुआ सोचने लगा कि आज से मेरे मन से काल का भय भी निकल गया, मैं जाने से पूर्व अपने सभी कार्य पूर्ण करके जाऊंगा तो देवता भी मेरा स्वागत करेंगे।
दिन बीतते गये आखिर मृत्यु की घड़ी आ पहुंची काल अपने दूतों सहित उसके समीप आकर बोला- मित्र अब समय पूरा हुआ मेरे साथ चलिए मैं सत्यता और दृढ़तापूर्वक अपने स्वामी की आज्ञा का पालन करते हुए एक क्षण भी तुम्हें और यहां नहीं छोड़ूंगा।
मनुष्य के माथे पर बल पड़ गए, भृकुटी तन गयी और कहने लगा- धिक्कार है तुम्हारे जैसे मित्रों पर मेरे साथ विश्वासघात करते हुए तुम्हें लज्जा नहीं आती?

तुमने मुझे वचन दिया था कि लेने आने से पहले पत्र लिखूंगा. मुझे बड़ा दुःख है कि तुम बिना किसी सूचना के अचानक दूतों सहित मेरे ऊपर चढ़ आए. मित्रता तो दूर रही तुमने अपने वचनों को भी नहीं निभाया।
काल हंसा और बोला- मित्र इतना झूठ तो न बोलो. मेरे सामने ही मुझे झूठा सिद्ध कर रहे हो मैंने आपको एक नहीं चार पत्र भेजे आपने एक भी उत्तर नहीं दिया।
मनुष्य ने चौंककर पूछा – कौन से पत्र? कोई प्रमाण है? मुझे पत्र प्राप्त होने की कोई डाक रसीद आपके पास है तो दिखाओ।

काल ने कहा – मित्र, घबराओ नहीं, मेरे चारों पत्र इस समय आपके पास मौजूद हैं।

मेरा पहला पत्र आपके सिर पर चढ़कर बोला, आपके काले सुन्दर बालों को पकड़ कर उन्हें सफ़ेद कर दिया और यह भी कहा कि सावधान हो जाओ, जो करना है कर डालो।
नाम, बड़ाई और धन-संग्रह के झंझटो को छोड़कर भजन में लग जाओ पर मेरे पत्र का आपके ऊपर जरा भी असर नहीं हुआ।
बनावटी रंग लगा कर आपने अपने बालों को फिर से काला कर लिया और पुनः जवान बनने के सपनों में खो गए आज तक मेरे श्वेत अक्षर आपके सिर पर लिखे हुए हैं।
कुछ दिन बाद मैंने दूसरा पत्र आपके नेत्रों के प्रति भेजा. नेत्रों की ज्योति मंद होने लगी।
फिर भी आंखों पर मोटे शीशे चढ़ा कर आप जगत को देखने का प्रयत्न करने लगे दो मिनिट भी संसार की ओर से आंखे बंद करके, ज्योतिस्वरूप प्रभु का ध्यान मन में नहीं किया
इतने पर भी सावधान नहीं हुए तो मुझे आपकी दीनदशा पर बहुत तरस आया और मित्रता के नाते मैंने तीसरा पत्र भी भेजा।
इस पत्र ने आपके दांतो को छुआ, हिलाया और तोड़ दिया।
आपने इस पत्र का भी जवाब न दिया बल्कि नकली दांत लगवाये और जबरदस्ती संसार के भौतिक पदार्थों का स्वाद लेने लगे।
मुझे बहुत दुःख हुआ कि मैं सदा इसके भले की सोचता हूँ और यह हर बात एक नया, बनावटी रास्ता अपनाने को तैयार रहता है।
अपने अन्तिम पत्र के रूप में मैंने रोग- क्लेश तथा पीड़ाओ को भेजा परन्तु आपने अहंकार वश सब अनसुना कर दिया।
जब मनुष्य ने काल के भेजे हुए पत्रों को समझा तो फूट-फूट कर रोने लगा और अपने विपरीत कर्मो पर पश्चाताप करने लगा उसने स्वीकार किया कि मैंने गफलत में शुभ चेतावनी भरे इन पत्रों को नहीं पढ़ा
मैं सदा यही सोचता रहा कि कल से भगवान का भजन करूंगा, अपनी कमाई अच्छे शुभ कार्यो में लगाऊंगा, पर वह कल नहीं आया।
काल ने कहा – आज तक तुमने जो कुछ भी किया, राग-रंग, स्वार्थ और भोगों के लिए किया, जान-बूझकर ईश्वरीय नियमों को तोड़कर जो काम करता है, वह अक्षम्य है।
मनुष्य को जब अपनी बातों से काम बनता नज़र नहीं आया तो उसने काल को करोड़ों की सम्पत्ति का लोभ दिखाया।
काल ने हंसकर कहा- मित्र यह मेरे लिए धूल से अधिक कुछ भी नहीं है। धन-दौलत, शोहरत, सत्ता ये सब लोभ संसारी लोगो को वश में कर सकता है मुझे नहीं।

मनुष्य ने पूछा- क्या कोई ऐसी वस्तु नहीं जो तुम्हें भी प्रिय हो जिससे तुम्हें लुभाया जा सके ऐसा कैसे हो सकता है!
काल ने उत्तर दिया- यदि तुम मुझे लुभाना ही चाहते थे तो सच्चाई और शुभ कर्मो का धन संग्रह करते यह ऐसा धन है जिसके आगे मैं विवश हो सकता था, अपने निर्णय पर पुनर्विचार को बाध्य हो सकता था पर तुम्हारे पास तो यह धन धेले भर का भी नहीं है।
तुम्हारे ये सारे रूपए-पैसे, जमीन-जायदाद, तिजोरी में जमा धन-संपत्ति सब यहीं छूट जाएगा, मेरे साथ तुम भी उसी प्रकार निवस्त्र जाओगे जैसे कोई भिखारी की आत्मा जाती है।
काल ने जब मनुष्य की एक भी बात नहीं सुनी तो वह हाय-हाय करके रोने लगा।

सभी सम्बन्धियों को पुकारा परन्तु काल ने उसके प्राण पकड़ लिए और चल पड़ा अपने गन्तव्य की ओर,
काल ने कितनी बड़ी बात कही, एक ही सत्य है जो अटल है वह है कि हम एक दिन मरेेंगे जरूर, हम जीवन में कितनी दौलत जमा करेंगे, कितनी शोहरत पाएंगे, कैसी संतान होगी यह सब अनिश्चित होता है, समय के गर्भ में छुपा होता है.
परंतु हम मरेगे एक दिन बस यही एक ही बात जन्म के साथ ही तय हो जाती है। ध्रुव सत्य है मृ्त्यु काल कभी भी दस्तक दे सकता है। प्रतिदिन उसकी तैयारी करनी होगी।
समय के साथ उम्र की निशानियों को देख कर तो कम से कम हमें प्रभु परमेश्वर की याद में रहने का अभ्यास करना चाहिए और अभी तो कलयुग का अन्तिम समय है इस में तो हर एक को चाहे छोटा हो या बड़ा सब को प्रभु परमेश्वर की याद में रहकर ही कर्म करने हैं।

14 એપ્રિલ, 2021

डॉ बाबासाहब अंबेडकर

डॉ बाबासाहब अंबेडकर 9 भाषाएँ जानते थे।
1) मराठी (मातृभाषा)
2) हिन्दी
3) संस्कृत
4) गुजराती
5) अंग्रेज़ी
6) पारसी
7) जर्मन
😎 फ्रेंच
9) पाली

 उन्होंने पाली व्याकरण और शब्दकोष (डिक्शनरी) भी लिखी थी, जो महाराष्ट्र सरकार ने "Dr.Babasaheb Ambedkar Writing and Speeches Vol.16 "में प्रकाशित की हैं।

🔹 बाबासाहब अंबेडकर जी ने संसद में पेश किए हुए विधेयक

1) महार वेतन बिल
2) हिन्दू कोड बिल
3) जनप्रतिनिधि बिल
4) खोती बिल
5) मंत्रीओं का वेतन बिल
6) मजदूरों के लिए वेतन (सैलरी) बिल
7) रोजगार विनिमय सेवा
😎 पेंशन बिल
9) भविष्य निर्वाह निधी (पी.एफ्.)

🔹 बाबासाहब के सत्याग्रह (आंदोलन)

1) महाड आंदोलन 20/3/1927
2) मोहाली (धुले) आंदोलन 12/2/1939
3) अंबादेवी मंदिर आंदोलन 26/7/1927
4) पुणे कौन्सिल आंदोलन 4/6/1946
5) पर्वती आंदोलन 22/9/1929
6) नागपूर आंदोलन 3/9/1946
7) कालाराम मंदिर आंदोलन 2/3/1930
😎 लखनौ आंदोलन 2/3/1947
9) मुखेड का आंदोलन 23/9/1931

🔹बाबासाहब अंबेडकर द्वारा स्थापित सामाजिक संघटन

1) बहिष्कृत हितकारिणी सभा - 20 जुलै 1924
2) समता सैनिक दल - 3 मार्च 1927

🔹राजनीतिक संघटन
1) स्वतंत्र मजदूर पार्टी - 16 अगस्त 1936
2) शेड्युल्ड कास्ट फेडरेशन- 19 जुलै 1942
3) रिपब्लिकन पार्टी ऑफ इंडिया- 3 अक्तूबर 1957

🔹धार्मिक संघटन
1) भारतीय बौद्ध महासभा - 
4 मई 1955

🔹शैक्षणिक संघटन
1) डिप्रेस क्लास एज्युकेशन सोसायटी- 14 जून 1928
2) पीपल्स एज्युकेशन सोसायटी- 8 जुलै 1945
3) सिद्धार्थ काॅलेज, मुंबई- 20 जून 1946
4) मिलींद काॅलेज, औरंगाबाद- 1 जून 1950

🔹अखबार, पत्रिकाएँ
1) मूकनायक- 31 जनवरी 1920
2) बहिष्कृत भारत- 3 अप्रैल 1927
3) समता- 29 जून 1928
4) जनता- 24 नवंबर 1930
5) प्रबुद्ध भारत- 4 फरवरी 1956

🔹बाबासाहब अंबेडकर जी ने अपने जिवन में विभिन्न विषयों पर 527 से ज्यादा भाषण दिए।

🔹बाबासाहब अंबेडकर को प्राप्त सम्मान

1) भारतरत्न
2) The Greatest Man in the World (Columbia University)
3) The Universe Maker (Oxford University)
4) The Greatest Indian (CNN IBN & History Tv

🔹बाबासाहब अंबेडकर जी इनकी
निजी किताबें (उनके पास थी)
1) अंग्रेजी साहित्य- 1300 किताबें
2) राजनिती- 3,000 किताबें
3) युद्धशास्त्र- 300 किताबें
4) अर्थशास्त्र- 1100 किताबें
5) इतिहास- 2,600 किताबें
6) धर्म- 2000 किताबें
7) कानून- 5,000 किताबें
😎 संस्कृत- 200 किताबें
9) मराठी- 800 किताबें
10) हिन्दी- 500 किताबें
11) तत्वज्ञान (फिलाॅसाफी)- 600 किताबें
12) रिपोर्ट- 1,000
13) संदर्भ साहित्य (रेफरेंस बुक्स)- 400 किताबें
14) पत्र और भाषण- 600
15) जिवनीयाँ (बायोग्राफी)- 1200
16) एनसाक्लोपिडिया ऑफ ब्रिटेनिका- 1 से 29 खंड
17) एनसाक्लोपिडिया ऑफ सोशल सायंस- 1 से 15 खंड
18) कैथाॅलिक एनसाक्लोपिडिया- 1 से 12 खंड
19) एनसाक्लोपिडिया ऑफ एज्युकेशन
20) हिस्टोरियन्स् हिस्ट्री ऑफ दि वर्ल्ड- 1 से 25 खंड
21) दिल्ली में रखी गई किताबें-
बुद्ध धम्म, 
पालि साहित्य, 
मराठी साहित्य- 2000 किताबें
22) बाकी विषयों की 2305 किताबें

🔹बाबासाहब जब अमेरिका से भारत लौट आए तब एक बोट दुर्घटना में उनकी सैंकडो किताबें समंदर मे डूबी।

🔹बाबासाहब अंबेडकर जी
1) महान समाजशास्त्री
2) महान अर्थशास्त्री
3) संविधान शिल्पी
4) आधुनिक भारत के मसिहा
5) इतिहास के ज्ञाता और रचियाता
6) मानवंशशास्त्र के ज्ञाता
7) तत्वज्ञानी (फिलाॅसाॅफर)
😎 दलितों के और महिला अधिकारों के मसिहा
9) कानून के ज्ञाता (कानून के विशेषज्ञ)
10) मानवाधिकार के संरक्षक
11) महान लेखक
12) पत्रकार
13) संशोधक
14) पाली साहित्य के महान अभ्यासक (अध्ययनकर्ता)
15) बौध्द साहित्य के अध्ययनकर्ता
16) भारत के पहले कानून मंत्री
17) मजदूरों के मसिहा
18) महान राजनितीज्ञ
19) विज्ञानवादी सोच के समर्थक
20) संस्कृत और हिन्दू साहित्य के गहन अध्ययनकर्ता थे।

🔹बाबासाहब अंबेडकर की कुछ विशेषताएँ

1) पाणी के लिए आंदोलन करनेवाले विश्व के पहल महापुरुष

2) लंदन विश्वविद्यालय के पुरे लाईब्ररी के किताबों की छानबीन कर उसकी
जानकारी रखनेवाले एकमात्र महामानव

3) लंदन विश्वविद्यालय के 200 छात्रों में नंबर 1 का छात्र होने का सम्मान प्राप्त होनेवाले पहले भारतीय

4) विश्व के छह विद्वानों में से एक

5) विश्व में सबसे अधिक पुतले बाबासाहब अंबेडकर जी के हैं।

6) लंदन विश्वविद्यालय मे डी.एस्.सी.
यह उपाधी पानेवाले पहले और आखिरी भारतीय

7) लंदन विश्वविद्यालय का 8 साल का पाठ्यक्रम 3 सालों मे पूरा
करनेवाले महामानव

🔹बाबासाहब अंबेडकर जी के वजह से ही भारत में "रिजर्व बैंक" की स्थापना हुईं।

बाबासाहब अंबेडकर जी ने अपने डाॅक्टर ऑफ सायंस के लिए ' दि प्राॅब्लेम ऑफ रूपी' यह शोध प्रबंध लिखा था।

The facts about Dr Ambedkar which every INDIAN should proud of....

1. Most talented person in the world which has mastery over 64 subjects ,highest in the world ,according to Cambridge university, England 2011.

2. Prof. Amartya sen, 6th Indian to get prestigious Nobel prize winning economist, claims, "Dr. B. R. Ambedkar is my father in Economics."

3. He was the First Law Minister of India who resigned only when his noble "Hindu code bill " a women Right for indian women was opposed by the parliament. The same law took years to passed by the same parliament. But none of women organisation talks about it. For three years, he fought to get the bill passed. It spoke of giving back dignity to indian women and giving equal rights to boys and girls. Because of this all the woman of any cast enjoying the liberty n power.

4.The Reserve bank of India (RBI ),formed in 1935,was based on the ideas that Dr. Babasaheb presented to the Hilton young commission.
He also asked for the Insurance to every Indian.

5. Dr. Ambedkar was the creator of Damodar valley project, Hirakud project, The son river valley project. In 1945, under the chairmanship of Dr. Ambedkar, it was decided to invest in the potential benefits of controlling the Mahanadi for multi- purpose use. This was the first project to be completed in time and money.

6. Dr. Ambedkar emphasised on the significance and need for the "Grid System " which is still working successfully even today. If today power engineers are going abroad for training, the credit goes to Dr. Ambedkar .

7.He who as a leader of labour Department formulated the policy to trained best engineers overseas.
Saviour of labours, brought 8 hours of duty for labours in India. Dr. Ambedkar changed the working time from 12 hours to 8 hours in 1942 which became a light for workers in India.

8. Dr. Ambedkar established "Central Technical Power Board " (CTPB) for power system development., hydro power station sites, hydro electric shurveys, analysing problem of electricity generation and thermal power station investigation.

9. Dr. Ambedkar set up the Central Water Irrigation and Navigation Commission (CWINC) in March 1944. IF our house's are illuminated today and if our field are green , its because of Dr.N Ambedkar ’s stellar role in the planning projects on which rest a major part of India's economy today.

10. Dr Ambedkar was one who advocates NADI JODO abhiyan which is implimenting now but other aspect of agriculture where he advocates nationalisation of agriculture by mass agriculture which is still to happen.

11.If it was not Dr. Ambedkar ’s vision one can imagine the situation of electric supply, irrigation and development of India.

12. When second world war was ended, there were many challenges for India, such as re-establishing the economy, including improvement in agriculture, development of industries, rehabilitation and redeployment of defence services etc. For this reconstruction committee council (RCC ) was established.
Dr. Ambedkar was a member of RCC and was assigned the role of President of "Policy committee for " Irrigation and Power. "

13. Dr. Ambedkar had suggested division of Madhya Pradesh into northern and southern state's. He had also suggested division of Bihar split into two, with Patna and Ranchi as the capitals way back in 1955 for better development of these state's. After almost 45 years both states were divided and Chhattisgarh and Jharkhand were formed in the year 2000.

14. Dr. Ambedkar is " Champion of women's Rights in India ". He strived hard for liberation and empowerment of Indian women and framed many laws for labours and also for women's in India like 
*Women labour welfare fund 
*Dearness allowances
*ESI
*Provident fund act
*Women and child labour protection act
*Maternity benefit for women labour bill
*Divorce act
*Right to Property
*Leave benefit to piece workers
*Revision of scale of pay for Employees
* Restoration of ban on women
working underground in mines etc. 

15. Dr. Ambedkar was instrumental in bringing about several labour reforms, including establishment of the " EMPLOYMENT EXCHANGE IN INDIA ".

16. The man who started the provision for a finance commission every five year in the constitution was none other than Dr. Ambedkar

17. The original source of references for all the 13 finance commission reports of India are based on Dr. Ambedkar’a PhD. Thesis, "The Evolution of Provincial Finance of British in India ".

18. Dr. Ambedkar is 1st PhD. in Economics and 1st Double Doctorate in Economics in South Asia

19. Dr Ambedkar faught for the rights of the deprived section i.e. OBC, SC-ST for whole life and give them justice by giving them RESERVATION to OBC, SC-ST in the constitution  in article 340 and 341.

20 . Dr. Ambedkar 

* India’s first Law Minister

*Only an Indian whose photo in London museum along with Karl Marx .

* Chief Architect of Indian constitution

*India’s greatest brilliant lawyer

*1st Man who against directly about ’ Cunning ’ and ’ Seasonal Politician’ of Religious right wings and congress.

*1st Man who fired the inhuman stupid mythology of Hindu Code Book so up called ’ MANUSMRUTI’ in publicly.

*Revolutionary and a Revivalist for Our Indian origin BUDDHISM in India again.

* Father of millions suffering and deprived.

*Dr.Ambedkar incorporated The wheel of Dhamma also known as Asoka Chakra in the Indian national flag and the Lions from an Asoka pillar at Sarnath was adopted as National Emblem. 

*1st Indian who graduated DSc in Economics

*Dr. Ambedkar is declared as ’ THE GREATEST INDIAN EVER’ by CNN IBN & HISTORY TV 18 CHANNEL. .

Dr. B. R. AMBEDKAR’S EDUCATIONAL QUALIFICATIONS:::

* 1st person who passed 10th Matriculation from Depressed Class in India .

* B. A. POLITICS & ECONOMICS Bombay University in 1912
*M. A . ECONOMICS for his thesis on ’ANCIENT INDIAN COMMERCE ’, AMERICA IN 1915
*PhD ( Economics - The Evolution of provincial finance in British India ) in Columbia University, America in 1917 
*DSc - ( Thesis - PROBLEM OF RUPEE’ ) London school of Economics in 1920
* Bar at Law from Gray’s Inn in London 1924
*LLD - ( Honours) Columbia University, New york for his achievements, Leadership And authoring ’ The CONSTITUTION OF INDIA’
*D.Litt - Honoured by Osmania university also 
* MSc- London * 
Political Economics-Germany

* 1st PhD in Economics & 1st double Doctorate in Economics in south Asia.

Dr. Ambedkar, GREATEST
* Constitutionalist
* Revolutionary
* Bodhisattva
* A Parliamentarian
* Economist
* Sociologist
* Great Politician
* Indian Jurist
* Buddhist Activist
* Philosopher
* Thinker
* Anthropologist
* Historian
* Orator
* Prolific Writer
* Social Reformer and many more.....

So proud to be INDIAN and say JAI BHIM JAI BHARAT.

Bharat Mata Ki Jai

5 એપ્રિલ, 2021

18. સુભાષિત

 

સમાનાર્થી શબ્દો

પૃથ્વી- ધરતી 
આભ-નભ 
મિત્ર-ભેરુ
 પંથ -રસ્તો 
ઔષધિ-દવા 
સુવાસિત - સુગંધિત 


વિરોધી શબ્દો 
 આભ ×ધરતી 
પાપ×-પુણ્ય 
મિત્ર ×દુશ્મન 
ફાયદો × નુકસાન 
વેર×મૈત્રી
સુખીયા × દુઃખિયા
 લાંબો× ટુકો 
પ્રેમ ×તિરસ્કાર

શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો
૧) લખવાનું કામ કરનારો માણસ 
લહિયો 
૨) શાસ્ત્રમાં નિષ્ણાંત પુરુષ 
પંડિત 
૩)કાયમથી ચાલ્યું આવતું 
સનાતન 

રૂઢિપ્રયોગ નો અર્થ 

૧)જાત ઘસવી -બીજા માટે દુઃખ વેઠવા
 
*શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો
  (લહિયો, દુઃખ , ઔષધ, આભ, ધૂપ)
 જવાબ-  આભ, ઔષધ, દુઃખ , ધૂપ, લહિયો 



અભ્યાસના પ્રશ્નોત્તર 

પ્રશ્ન  સાચો વિકલ્પ   નીચે લખો :
 ( 1 ) ‘ આપ સમો નહિ મિત્ર ' એટલે .
 
જ.( ગ ) આપબળ

 ( 2 ) ‘ વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં ' - આ પંક્તિમાં તોલ ' શબ્દનો ગ અર્થ કે છે .
જ.( ઘ ) કિંમત
 
( 3 ) મૈત્રીભાવ સનાતન ' એટલે
જ. ( ખ ) સૌની સાથે હળીમળીને રહેવું
 
( 4 ) વિચારવિસ્તાર એટલે 
જ.( ક ) સમજપૂર્વક વિચારને વિસ્તારવો . 
                    
                    *************

 પ્રશ્ન  નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક - એક વાક્યમાં આપો :
 ( 1 ) મિત્ર કેવો હોવો જોઈએ ?

 ઉત્તર : મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ .
( 2 ) આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ ?

 ઉત્તર : આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ 
( 3 ) મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે ? 

ઉત્તર : વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછો થતાં નથી , ઊલટાનાં વધે છે મૈત્રીભાવ જ વેરભાવને દૂર કરે છે તે જ સર્વ દુઃખોનું ઔષધ છે .

( 4 ) સંત પુરુષોનું જીવન કેવું હોય છે ? 
ઉત્તર : સંત પુરુષોનું જીવન ધૂપ જેવું જીવે છે તે પોતે દુઃખ વેઠી ને બીજાને સુખ આપે છે.
( 5 ) મીઠી વાણી માટે કોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે ?
 ઉત્તર : મીઠી વાણી માટે પોપટ અને કોયલનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
 ( 6 ) સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે ? 
ઉત્તર : જેમ ધૂપસળી પોતાની જાતને બાળી બધુંજ સુવાસિત કરે છે ,તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે . 
                     ************
સ્વાધ્યાયના પ્રશ્નો

પ્રશ્ન . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો
( 1 ) આપણ  જાતે કામ કરવાથી એ ફાયદો થાય છે ? 
ઉત્તર : જે પારકી આશા છો , પોતાનાં કામ જાતે જ કરે છે તેનાં દર વધે છે , તેને નિરાશા અનુભવવી પડતી નથી . પોતે નિષ્ફળ જાય તો એના કારણો દૂર કરીને સફળ થઈ શકે છે , 
( 2 ) જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે ? 
ઉત્તર : જીવન અનેક વિષમતાનો , વેરઝેર , કાવાદાવા તેમજ દુઃખો થી ભરેલું   છે . કાદવથી કાદવ ધોઈ શકાય નહી , જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિઃસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે . 
                    
                        ******************

3 એપ્રિલ, 2021

વેક્સીન એટલે શું

૧. *વેક્સીન શું છે.? એ કેવી રીતે બને?* 

૨. *વેક્સીન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે.?* 

 *૩. શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે.?* 

 *૪. શું વેક્સીન લેવી જોઈએ.?* 

 *૫. શું વેક્સીન લીધા બાદ પણ કોરોના થઈ શકે.?* 

 *૬. વેક્સીન વિશેની અફવાઓ.* 

           ◆●◆●◆●
(૧.) વેક્સીન શું છે.?
- સરળ શબ્દોમાં કહું તો કોઈ વાઇરસ અથવા બેક્ટેરિયાનો નિષ્ક્રિય અથવા મૃત અવતાર એટલે વેક્સીન. જી હા... હાલમાં કોરોનાની વેક્સીન જે લોકો લઈ રહ્યા છે એ બીજું કશું નથી પણ કોરોનાના જ જીવાણુ છે પણ એ મૃત છે અથવા એને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે જે રોગ અને હાનિ ફેલાવે છે. જ્યારે વેક્સીનમાં રહેલા કોરોનાની રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ / નિષ્ક્રિય કરી દેવામાં આવી છે માટે વેકસીનમાં જે કોરોના જીવાણુંના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે.

- એ કઈ રીતે બને છે.?
જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી આવા વાઇરસને અલગ તારવવામાં ( આઇસોલેટ ) આવે છે. બાદમાં નિયત તાપમાને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાઇરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઈન્જેક્શનમાં લેવામાં આવે છે. આ થઈ વેક્સીન.

★■◆★■◆
(૨) વેક્સીન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે.?
- આપણાં શરીરમાં મુખ્ય છે રક્ત / લોહી. આ લોહીમાં આપણાં ત્રણ સૈનિકો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, (RBC જે ફેફસાને ઑક્સિજન પૂરું પાડે છે) બીજા છે શ્વેતકણો (WBC જે રોગો સામે રક્ષણ કરે છે.) અને ત્રીજા છે ત્રાકકણો ( Pletellets જે લોહી જામવાની ક્રિયામાં અલગ અલગ રીતે મદદ કરે છે.)

હવે સંપૂર્ણ ખેલ રોગપ્રતિકારક શક્તિ નો છે. આ રોગપ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ.! સેનામાં જેમ એરફોર્સ, નેવી અને આર્મી છે બસ એવું જ.!

જેમ દેશમાં આતંકવાદી ઘૂસપેઠ કરે ત્યારે સૈનિકો એમને મારીને તગેડી મૂકે બસ એવું જ કામ આપણાં શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણાં શરીરના ખરા સૈનિકો છે.😎

√~ શરીરમાં જ્યારે વાઇરસનો ચેપ લાગે ત્યારે આપણાં સૈનિક એવા શ્વેતકણો લડવા પહોંચી જાય છે. આપણાં શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા/ વાઇરસ / વેક્સીનમાં રહેલો મૃત જીવાણું બધું જ એક આતંકવાદી માફક છે. જેની સામે લડવા શ્વેતકણો પહોંચી જાય છે.

~√ જ્યારે કોઈપણ વાઇરસનો ચેપ લાગે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણાં શ્વેતકણો પડકાર આપે છે. એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આપણાં આ શ્વેત-સૈનિકો ખૂબ જ ઇન્ટેલીજન્ટ છે! એ લડતા લડતા શત્રુને (વાઇરસને) મેમરીમાં યાદ રાખી લે છે. એની વર્તણુક , એણે કરેલ નુકસાન , એની લડત બધી જ માહિતી એ ભેગી કરીને આપણાં ડિફેન્સ સિસ્ટમ એટલે કે રોગો સામે લડતા રોગપ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને અનુરૂપ એન્ટિબૉડી તૈયાર કરે છે.

~√ હવે વેક્સીન પર આવીએ.

★■◆★■◆
(૩.) શું વેક્સીનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે.?
~ જવાબ છે હા.! પણ હકીકતમાં એ વેક્સીનની આડઅસર છે જ નહીં. 

√~ ઉપર વર્ણવ્યું એમ જ્યારે વેક્સીનમાં રહેલ મૃત વાઇરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય ત્યારે આપણું શરીર- શ્વેતકણો એને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ / કળતર / દુઃખાવો.

વાસ્તવમાં વેક્સીન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી પણ આવકાર્ય પ્રક્રિયા છે જે સૂચવે છે કે વેક્સીન અસર કરી રહી છે અને શરીરે એને યોગ્ય રિસ્પોન્સ / પ્રતિભાવ આપ્યો છે.

~√ વેક્સીન લીધાના ચાર છ કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં? કળતર થશે કે નહીં? આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સીનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સીન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવવું નહિ. એ શરીરમાં થતી હકારાત્મક પ્રતિક્રિયા છે.

★■◆★■◆★■◆
(૪.) શું વેક્સીન લેવી જોઈએ.?
~ જવાબ છે સ્પષ્ટ 'હા'.

જો ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સીન લઈ શકે છે. જેમને હાઇ બ્લડ પ્રેશર , ડાયાબીટીસ, થાઈરોઈડ હોય એમણે ડોક્ટરને બતાવી એમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સીન લઈ લેવાય જેથી જો કોરોનાની ઝપેટમાં આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય. વેક્સીન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી અને સર્વાઇવલ સહેલું રહે છે. હેરાન ઓછું થવું પડે.

(૫.) શું વેક્સીન લીધા બાદ પણ કોરોના થઈ શકે.?
~ જવાબ છે "હા". 
આ વેક્સીન છે, અમરત્વનું વરદાન નથી! સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજવ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે. આજ વેક્સીન લીધી અને આજ જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સીન લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બનતા આશરે પંદર થી પચાસ દિવસ લાગી શકે. માટે વેક્સીન લીધા બાદ પણ જો સાવચેતી ન રાખીએ દોઢ-બે મહિનામાં કોરોના થઈ શકે. 

વેક્સીનનો મજબૂત ફાયદો એ કે જો એ લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે. એ ઉપરાંત નાનપણથી ઓરી અછબડા, હડકવા વગેરે જેવી કેટલીય વેક્સીન આપણે લઈને વ્હાલા.... સામાન્ય જીવન જીવીએ છીએ. વેક્સીનનો ફાયદો છે, નુકસાની નથી.

√ બીજું કે હાલમાં વેક્સીન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સીન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યા સુધીમાં કોરોના જોડે જીવવું એટલું સામાન્ય લાગશે કે એકસમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરૂરી હતું. હાલમાં કોઈ અન્ય દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સીન થકી જ બચી શકાય એમ છે.

(૬.) વેક્સીનની અફવાઓ.
~ આપણી તુચ્છ વોટ્સએપ-ફોરવર્ડયા-યુનિવર્સિટીમાં હમણાં બે મેસેજ વાંચ્યા. જેમાં એક હતો વેક્સીન એ નપુંસક કરી દેવાનું કાવતરું છે. અને બીજું હતું વેકસીનમાં એન્ટી-હિન્દૂ દ્રવ્ય છે..બ્લા.. બ્લા.. બ્લા.. 🙄😡😡
હદ છે સાલાઓ.. આવા અભણ લબાડ પોતે તો કશું વિજ્ઞાન ભણ્યા સમજ્યા ન હોય. ન તો તસ્દી લીધી હોય જાતે જાણવાની. આવા હરામ હાડકાંના બનેલા અભણ અંગુઠા છાપ ઠોબરાવના લીધે જ દેશ વિજ્ઞાનને સમજવામાં અને અપનાવવામાં પાછળ રહ્યો. વોટ્સએપ પર જ્યારે વેક્સીન વિશે ખોટી અફવાઓ વાંચું ત્યારે હસવું કે રડવું એ જ ખબર ન પડે.

 ~√ સાયન્સનો વિદ્યાર્થી રહ્યો છું અને આજીવન રહીશ. સાયન્સ ભણ્યો પણ છું અને ભણાવું પણ છું એટલે આવા ગપ્પા વાંચ્યા બાદ જ નક્કી કરેલું કે ભલે લાંબી પોસ્ટ થાય. કોઈ વાંચે કે ન વાંચે પણ સત્ય કહેવાવુ જોઈએ. વેક્સીન પાછળનું ખરું વિજ્ઞાન આમ લોકો વચ્ચે વહેંચાવું જોઈએ. બસ એ જ હેતુથી આ લખ્યું.


વ્હોટસએપ પરથી

- કમલેશ ઓઝા

1 એપ્રિલ, 2021

વિદ્યાર્થી અને પરીક્ષા એક બીજા ના પૂરક બનીએ

 પેરેન્ટ્સ જરા સંભાલ કે ... 
- તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા , એકાંત , શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો . - સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો . - વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં . તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે , તેથી વધુ આશા ન રાખો . - બાળકને વારંવાર ટોક - ટોક ન કરો . - નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો . - બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો . - તેના માર્ગદર્શક બનો , મિત્ર બનો .


हर कामयाबी पर आपका नाम होगा , आपके हर कदम पर दुनिया का सलाम होगा । मुश्किलों का सामना हिम्मत से करना , उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा । 

વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
 - ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો . - મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો . - આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે . - વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો . આખું વર્ષ મહેનત કરી છે , તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો . - અનેક પરીક્ષાઓ આપી છે , તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો . પરીક્ષા આપો . હસતાં ... હસતાં ... - છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો . - ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો . - શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો . - પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો , જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે . - રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં . – પરીક્ષામાં મોડા ન પડાય , માંદા ન પડાય , રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો . - ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો . 

પરીક્ષા અગાઉ

- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો. - નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.

- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો, - મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો..

- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.

- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.

- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચન અને 10 મિનિટનો બ્રેક લો.

- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બેંક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.

- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું

પુનરાવર્તન કરો. મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે. - પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

પરીક્ષાના દિવસે ...
 - પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં . - પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે . - પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ , પેન , પેન્સિલ , રબર , સ્કેલ , પારદર્શક પંડ , પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં . - રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે .

પ્રશ્નપત્ર લખતી વખતે...

- ઉત્તરવહીમાં માત્ર નૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.

- પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.

- પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા, પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.

- પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.

પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો.

બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો. - ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયા છોડીને લખવાનું રાખો.

સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ sal.

- અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.

સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.

પરીક્ષા પછીનો ઍક્શન પ્લાના

- ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.

ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે

વિચારવું જોઈએ.

- વૅકેશનનો દુરુપયોગ ન કરતાં કયૂટર, અંગ્રેજી, અક્ષર સુધારણા પ્રકારના કોર્ષ કરી આત્મવિકાસ કરવો.

- વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ. - જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી

મેળવો.

- જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો. - કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.

- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે

જ નિર્ણય લેવો યોગ્ય રહેશે. સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.....