5 એપ્રિલ, 2021

18. સુભાષિત

 

સમાનાર્થી શબ્દો

પૃથ્વી- ધરતી 
આભ-નભ 
મિત્ર-ભેરુ
 પંથ -રસ્તો 
ઔષધિ-દવા 
સુવાસિત - સુગંધિત 


વિરોધી શબ્દો 
 આભ ×ધરતી 
પાપ×-પુણ્ય 
મિત્ર ×દુશ્મન 
ફાયદો × નુકસાન 
વેર×મૈત્રી
સુખીયા × દુઃખિયા
 લાંબો× ટુકો 
પ્રેમ ×તિરસ્કાર

શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો
૧) લખવાનું કામ કરનારો માણસ 
લહિયો 
૨) શાસ્ત્રમાં નિષ્ણાંત પુરુષ 
પંડિત 
૩)કાયમથી ચાલ્યું આવતું 
સનાતન 

રૂઢિપ્રયોગ નો અર્થ 

૧)જાત ઘસવી -બીજા માટે દુઃખ વેઠવા
 
*શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો
  (લહિયો, દુઃખ , ઔષધ, આભ, ધૂપ)
 જવાબ-  આભ, ઔષધ, દુઃખ , ધૂપ, લહિયો 



અભ્યાસના પ્રશ્નોત્તર 

પ્રશ્ન  સાચો વિકલ્પ   નીચે લખો :
 ( 1 ) ‘ આપ સમો નહિ મિત્ર ' એટલે .
 
જ.( ગ ) આપબળ

 ( 2 ) ‘ વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં ' - આ પંક્તિમાં તોલ ' શબ્દનો ગ અર્થ કે છે .
જ.( ઘ ) કિંમત
 
( 3 ) મૈત્રીભાવ સનાતન ' એટલે
જ. ( ખ ) સૌની સાથે હળીમળીને રહેવું
 
( 4 ) વિચારવિસ્તાર એટલે 
જ.( ક ) સમજપૂર્વક વિચારને વિસ્તારવો . 
                    
                    *************

 પ્રશ્ન  નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક - એક વાક્યમાં આપો :
 ( 1 ) મિત્ર કેવો હોવો જોઈએ ?

 ઉત્તર : મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ .
( 2 ) આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ ?

 ઉત્તર : આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ 
( 3 ) મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે ? 

ઉત્તર : વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછો થતાં નથી , ઊલટાનાં વધે છે મૈત્રીભાવ જ વેરભાવને દૂર કરે છે તે જ સર્વ દુઃખોનું ઔષધ છે .

( 4 ) સંત પુરુષોનું જીવન કેવું હોય છે ? 
ઉત્તર : સંત પુરુષોનું જીવન ધૂપ જેવું જીવે છે તે પોતે દુઃખ વેઠી ને બીજાને સુખ આપે છે.
( 5 ) મીઠી વાણી માટે કોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે ?
 ઉત્તર : મીઠી વાણી માટે પોપટ અને કોયલનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
 ( 6 ) સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે ? 
ઉત્તર : જેમ ધૂપસળી પોતાની જાતને બાળી બધુંજ સુવાસિત કરે છે ,તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે . 
                     ************
સ્વાધ્યાયના પ્રશ્નો

પ્રશ્ન . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો
( 1 ) આપણ  જાતે કામ કરવાથી એ ફાયદો થાય છે ? 
ઉત્તર : જે પારકી આશા છો , પોતાનાં કામ જાતે જ કરે છે તેનાં દર વધે છે , તેને નિરાશા અનુભવવી પડતી નથી . પોતે નિષ્ફળ જાય તો એના કારણો દૂર કરીને સફળ થઈ શકે છે , 
( 2 ) જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે ? 
ઉત્તર : જીવન અનેક વિષમતાનો , વેરઝેર , કાવાદાવા તેમજ દુઃખો થી ભરેલું   છે . કાદવથી કાદવ ધોઈ શકાય નહી , જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિઃસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે . 
                    
                        ******************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો