સમાનાર્થી શબ્દો
પૃથ્વી- ધરતી
આભ-નભ
મિત્ર-ભેરુ
પંથ -રસ્તો
ઔષધિ-દવા
સુવાસિત - સુગંધિત
વિરોધી શબ્દો
આભ ×ધરતી
પાપ×-પુણ્ય
મિત્ર ×દુશ્મન
ફાયદો × નુકસાન
વેર×મૈત્રી
સુખીયા × દુઃખિયા
લાંબો× ટુકો
પ્રેમ ×તિરસ્કાર
શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો
૧) લખવાનું કામ કરનારો માણસ
લહિયો
૨) શાસ્ત્રમાં નિષ્ણાંત પુરુષ
પંડિત
૩)કાયમથી ચાલ્યું આવતું
સનાતન
રૂઢિપ્રયોગ નો અર્થ
૧)જાત ઘસવી -બીજા માટે દુઃખ વેઠવા
*શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો
(લહિયો, દુઃખ , ઔષધ, આભ, ધૂપ)
જવાબ- આભ, ઔષધ, દુઃખ , ધૂપ, લહિયો
અભ્યાસના પ્રશ્નોત્તર
પ્રશ્ન સાચો વિકલ્પ નીચે લખો :
( 1 ) ‘ આપ સમો નહિ મિત્ર ' એટલે .
જ.( ગ ) આપબળ
( 2 ) ‘ વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં ' - આ પંક્તિમાં તોલ ' શબ્દનો ગ અર્થ કે છે .
જ.( ઘ ) કિંમત
( 3 ) મૈત્રીભાવ સનાતન ' એટલે
જ. ( ખ ) સૌની સાથે હળીમળીને રહેવું ,
( 4 ) વિચારવિસ્તાર એટલે
જ.( ક ) સમજપૂર્વક વિચારને વિસ્તારવો .
*************
પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક - એક વાક્યમાં આપો :
( 1 ) મિત્ર કેવો હોવો જોઈએ ?
ઉત્તર : મિત્ર પોતાના જેવો જ હોવો જોઈએ .
( 2 ) આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ ?
ઉત્તર : આપણે બીજા સાથે પ્રેમથી વર્તવું જોઈએ
( 3 ) મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે ?
ઉત્તર : વેરભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછો થતાં નથી , ઊલટાનાં વધે છે મૈત્રીભાવ જ વેરભાવને દૂર કરે છે તે જ સર્વ દુઃખોનું ઔષધ છે .
( 4 ) સંત પુરુષોનું જીવન કેવું હોય છે ?
ઉત્તર : સંત પુરુષોનું જીવન ધૂપ જેવું જીવે છે તે પોતે દુઃખ વેઠી ને બીજાને સુખ આપે છે.
( 5 ) મીઠી વાણી માટે કોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે ?
ઉત્તર : મીઠી વાણી માટે પોપટ અને કોયલનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
( 6 ) સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે ?
ઉત્તર : જેમ ધૂપસળી પોતાની જાતને બાળી બધુંજ સુવાસિત કરે છે ,તેમ સંતો પોતે દુઃખ સહન કરીને અન્યને સુખી કરે છે .
************
સ્વાધ્યાયના પ્રશ્નો
પ્રશ્ન . નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) આપણ જાતે કામ કરવાથી એ ફાયદો થાય છે ?
ઉત્તર : જે પારકી આશા છો , પોતાનાં કામ જાતે જ કરે છે તેનાં દર વધે છે , તેને નિરાશા અનુભવવી પડતી નથી . પોતે નિષ્ફળ જાય તો એના કારણો દૂર કરીને સફળ થઈ શકે છે ,
( 2 ) જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે ?
ઉત્તર : જીવન અનેક વિષમતાનો , વેરઝેર , કાવાદાવા તેમજ દુઃખો થી ભરેલું છે . કાદવથી કાદવ ધોઈ શકાય નહી , જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિઃસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે .
******************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો