- તમારા બાળકને વાંચવા માટે યોગ્ય જગ્યા , એકાંત , શાંતિવાળું વાતાવરણ મળે તેવી વ્યવસ્થા કરો . - સંબંધીઓ શુભેચ્છાઓ આપવા જઈને વિદ્યાર્થીનો સમય ન બગાડે તેની કાળજી રાખો . - વધુ પડતી અપેક્ષાઓનું બિનજરૂરી ભારણ બાળક પર નાખશો નહીં . તમારા બાળકની ક્ષમતા તમે જાણો છે , તેથી વધુ આશા ન રાખો . - બાળકને વારંવાર ટોક - ટોક ન કરો . - નેગેટિવ બાબતો વારંવાર કહી તેને માનસિક ત્રાસ ન આપો . - બાળકને ખોટા પ્રશરાઈઝ ના કરો . - તેના માર્ગદર્શક બનો , મિત્ર બનો .
हर कामयाबी पर आपका नाम होगा , आपके हर कदम पर दुनिया का सलाम होगा । मुश्किलों का सामना हिम्मत से करना , उम्मीद है एकदिन वक्त भी आपका गुलाम होगा ।
વિદ્યાર્થીમિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરો . - મહેનતનો બીજો કોઈ શોર્ટકટ નથી – આ બાબત સમજી અને સ્વીકારી લો . - આયોજનપૂર્વકની ચોક્કસ દિશામાં કરેલી મહેનત જ સફળતા અપાવશે . - વિનમ્ર બની તમારામાં રહેલી ઉણપોને દૂર કરો અને તેને દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહો . આખું વર્ષ મહેનત કરી છે , તો પરીક્ષાના દિવસો દરમિયાન ખોટા ઉજાગરા ન કરો . - અનેક પરીક્ષાઓ આપી છે , તો પરીક્ષાનો ખોટો ડર ન રાખો . પરીક્ષા આપો . હસતાં ... હસતાં ... - છેલ્લા સમયે IMP ક્યાંથી મળશે તેમાં સમય વ્યતિત ન કરતાં પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરો . - ગોખણપટ્ટી કરવાને બદલે સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરો . - શક્ય હોય તો એકાંતમાં મોટેથી વાંચો . - પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટિસ કરો , જેથી વધુ યાદ રહેશે અને લખવાની ઝડપ વધશે . - રિસિપ્ટનું ક્યારેય પણ લેમિનેશન કરાવવું નહીં . – પરીક્ષામાં મોડા ન પડાય , માંદા ન પડાય , રિસિપ્ટ ખોવાઈ ન જાય તેની તકેદારી રાખો . - ટાઈમટેબલમાં ગેરસમજ ન થાય તેની કાળજી રાખો .
પરીક્ષા અગાઉ
- ભણવા માટે ટાઈમ ટેબલ બનાવો. - નોટ્સ, ચાર્ટ, ડાયાગ્રામનું પુનરાવર્તન કરો.
- પાઠયપુસ્તકના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોને સૌ પ્રથમ ન્યાય આપો, - મહત્ત્વના મુદ્દાઓને હાઈટલાઈટ કરીને રાખો અને સતત તેનું પુનરાવર્તન અને મનન કરો..
- રિવીઝન કરતી વખતે દરેક બાબતને પૂરેપૂરી ન વાંચતા મહત્ત્વના મુદ્દાઓ પર નજર ફેરવો.
- સવારના સમયે આછા સૂર્યપ્રકાશમાં બેસીને વાંચવું ફાયદાકારક રહેશે.
- દરેક પ્રકરણને એક કલાકના સમયમાં સેટ કરો, જેમાં 45 મિનિટ વાચન અને 10 મિનિટનો બ્રેક લો.
- પરીક્ષા સમયે બધું ભૂલી જવાશે તેવો ડર મનમાંથી કાઢી નાંખો, બેંક માઈન્ડમાં બધું સ્ટોર હોય જ છે.
- નજીકના દિવસોમાં નવું વાંચન કરવાને બદલે અગાઉ વાંચન કર્યું હોય તેનું
પુનરાવર્તન કરો. મોડી રાત સુધી વાંચવાને બદલે વહેલી સવારનું વાંચન યોગ્ય રહેશે. - પરીક્ષા અગાઉ અને પરીક્ષા વખતે ખાવામાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.
પરીક્ષાના દિવસે ...
- પરીક્ષા આપવા જતાં પહેલાં ઈષ્ટદેવ તેમજ વડીલ સભ્યોના આશીર્વાદ લેવાનું ચૂકશો નહીં . - પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા સ્થળે ઓછામાં ઓછા એક કલાક પહેલાં અને અન્ય દિવસોમાં અડધા કલાક પહેલાં પહોંચવું યોગ્ય રહેશે . - પરીક્ષા માટે જરૂરી રિસીપ્ટ , પેન , પેન્સિલ , રબર , સ્કેલ , પારદર્શક પંડ , પારદર્શક પાણીની બોટલ વગેરે લેવાનું ભૂલશો નહીં . - રિસીપ્ટની ઝેરોક્ષ કઢાવી ઘરના સભ્યોને માલુમ હોય તેવી જગ્યાએ રાખવી આકસ્મિક પરિસ્થિતિમાં મદદરૂપ બનશે .
પ્રશ્નપત્ર લખતી વખતે...
- ઉત્તરવહીમાં માત્ર નૂ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો પેન્સિલનો ઉપયોગ કરી શકાય.
- પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાં ઉત્તરવહી પરની તમામ વિગતો ભરવાનું કાર્ય પૂર્ણ કરો.
- પ્રશ્નપત્ર જોઈને ગભરાઈ ન જવા, પ્રશ્નોની ભાષા બદલી હોઈ શકે, ધીરજપૂર્વક પ્રશ્ન વાંચો અને આવતા પ્રશ્નને સૌ પ્રથમ લખો.
- પ્રશ્નપત્ર એક વાર વાંચી લો અને આવડતા પ્રશ્નના જવાબો પહેલાં લખો. જવાબ લખવામાં ટાઈમ લિમીટ બાંધો.
પ્રશ્નને યોગ્ય રીતે વાંચો અને તેને અનુરૂપ મુદ્દાસર જવાબ આપો.
બિનજરૂરી અને યોગ્ય ન હોય તેવું લખાણ લખી ખોટા પાના ન ભરશો. - ઉત્તરવહીમાં યોગ્ય હાંસીયા છોડીને લખવાનું રાખો.
સવાલનો બરાબર સમજો, વિચારો અને ત્યાર બાદ મુદ્દાસર લખવાનું શરૂ sal.
- અઘરો લાગતો તેમજ ના આવડતા પ્રશ્નોના પણ જવાબ લખવા જોઈએ. કોઈ પણ સવાલ છોડવા ન જોઈએ. એક વાર લખવાનું શરૂ કરશો એટલે બધું યાદી આવવા લાગશે.
સ્વચ્છતા જાળવો. બિનજરૂરી ચેકચાક ન કરો.
પરીક્ષા પછીનો ઍક્શન પ્લાના
- ધો. 10 ના વિદ્યાર્થીઓએ વાલી સાથે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ લેવા બાબતે નિખાલસ ચર્ચા કરવી જોઈએ.
ધો. 12 ના વિદ્યાર્થીઓએ ત્યાર બાદ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિશે
વિચારવું જોઈએ.
- વૅકેશનનો દુરુપયોગ ન કરતાં કયૂટર, અંગ્રેજી, અક્ષર સુધારણા પ્રકારના કોર્ષ કરી આત્મવિકાસ કરવો.
- વર્તમાનપત્રમાં આવતાં શૈક્ષણિક સમાચારો નિયમિત રીતે વાંચવા જોઈએ. - જે તે અભ્યાસક્રમ બાબતે તેની માન્યતા પ્રાપ્ત વેબસાઈટ પરથી માહિતી
મેળવો.
- જો લાગુ પડતું હોય તો શિષ્યવૃત્તિ અંગેની વિવિધ જાહેરાતો અને વેબસાઈટનો ઉપયોગ કરો. - કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં હાલની પરિસ્થિતિની સાથે તે કોર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સ્થિતિ કેવી હશે તેને અનુરૂપ નિર્ણય લેવો યોગ્ય રહેશે.
- તમારા અન્ય મિત્રોનું આંધળું અનુકરણ ન કરતાં પોતાની ક્ષમતાને આધારે
જ નિર્ણય લેવો યોગ્ય રહેશે. સર્વે પરીક્ષાર્થી મિત્રોને પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરી શકો તે માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો