27 જુલાઈ, 2021

ધોરણ 8 ગુજરાતી કાવ્ય 5 તને ઓળખું છું ,મા (સ્વાધ્યાય)

* સમાનાર્થી શબ્દો 
 ( 1 ) મારગ = પથ , રસ્તો
 (2 ) અભાગી = કમનસીબ , દુર્ભાગી
 ( 3 ) સદા = હંમેશ , સર્વદા
 ( 4 ) સ્મરણ = સ્મૃતિ , યાદ
 ( 5 ) લ્હેરખી = લહેર , તરંગ 
( 6 ) તીરથ = તીર્થ , ધામ
 ( 7 ) સમુદ્ર = સાગર , દરિયો
 ( 8 ) આકાશ = ગંગન , નભ 
( 9) શશી = ચંદ્ર , મયંક
 ( 10 ) રાત્રિ = રજની , નિશા 
 (11) તરણા=તૃણ, તણખલું
             ********************

વિરુદ્ધાર્થી શબ્દ લખો :

 ( 1 ) અભાગી x સુભાગી , સદ્ ભાગી

 ( 2 ) સ્મરણ x વિસ્મરણ
         
             ************

*શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો:

1.)ઉનાળાની ગરમ હવા : લૂ
2)' કુશળ રહો 'એવો ભાવ સૂચવનારો ઉદગાર : ખમ્મા
3) આંગળીના છેડાનો ભાગ :ટેરવું 
4) પવિત્ર જગ્યા કે વ્યક્તિ ની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે: પરકમ્મા ,પરિક્રમા
       
             ************
*રૂઢિપ્રયોગ નો અર્થ લખો:

1) છૂ થવું  : ગાયબ થવુ, દૂર થવુંં
                 
                 ***************


                 ***********


[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો :
(1) કવિ માની મમતા કયા કયા પ્રસંગ અનુભવે છે ?

જ. કવિને જયારે સંકટ કે મુશ્કેલીઓ આવે છે. સગા-સ્નેહીઓ એમને હડસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે ફેંકી ડે ત્યારે એમની માની મમતા એમને ટેકો આપે છે .



(2) તમને તમારી માતા ગમે છે. એનાં કારણો કે પ્રસંગો જણાવો.

જ. મને મારી માતા બહુ ગમે છે. માતા હમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે. મારુ સતત ધ્યાન રાખે છે. કોઈ મારી પર ગુસ્સો કરે કે ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરિક્ષાની તૈયારી માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું સમયે પરીક્ષા પૂર્ણ કરી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને અઘરા લગતા વિષયને સરસ રીતે સમજાવીને મારો આત્મવિશ્વાસ વધારે છે.



(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો ?

જ. મોટો થઈને હું મારી માતાનું સ્વાસ્થયનું ધ્યાન રાખીશ સેવાચાકરી કરીશ, મંદિરે લઈ જઈશ તીર્થયાત્રાઓ કરાવીશ. ભજન માટે સીડી પ્લેયર લાવીશ. લોકગીતની સીડી લાવી આપીશ અને કોઈ વાતનું દુ:ખ ન પડે એનું ધ્યાન રાખીશ ઉપરાંત જીવન શાંતિ અને આનંદથી પસાર થાય એનું હું સતત ઘ્યાન રાખીશ.



(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે ? શા માટે ?

જ. પરકમ્મા મંદિરની તીર્થસ્થાનની નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં ઈશ્વરની મુર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હદયમાં શાંતિ થાય છે આપના સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.

                     ***********

 નીચેના પ્રશ્નોના એક - એક વાક્યમાં ઉત્તર લખો

 ( 1 ) માની મમતાને ન પામી શકનાર માટે કવિ ક્યો શબ્દ વાપરે છે ? 
જ : માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી " શબ્દ વાપરે છે .  

( 2 ) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે ? 
જ: કવિના જીવનમાં જ્યારે અનેક સંકટ આવે છે અને એની વેદના તે- સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે 

( 3 ) ‘ એકલવાયું વરસે છે ચોમાસું ' , એવું કવિ ક્યા સંદર્ભે ક્યું છે ? 
જ : સંતાનો દૂર હોય ત્યારે એક્લવાયું જીવન વ્યતીત કરતી માની માંગને . આંસુ નહિ , પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે . એ સંદર્ભમાં એકલરણ વરસે છે ચોમાસું ” એમ કવિ કહે છે . 

( 4 ) કવિ માતાની પરકમ્મા ક્વી રીતે કરે છે ? 
જ : માતાનું પ્રત્યેક અરણ એ તીર્થ છે , એમ માનીને કવિ માતા મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે . 

( 5 ) કવિની પીડા કેવી રીતે દૂર થાય છે ? 
જ : જ્યારે કવિને માની દસે આંગળીઓનાં ટેરવાનો સ્પર્શ થાય છે ત્યારે ,  કવિની પીડા પળવારમાં દૂર થઈ જાય છે .


                      **********

[Q - 2]. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :
(1) તરણા પેઠે ચાવે ..............................તારી મમતાના ટેકે .

A. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ ઉપેક્ષા કરે પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનુ બાલ મળે છે. તારી દાસે આંગળીઓના ટેરવાનો સ્પર્શ મને થાય ત્યારે મારી વેદના પળવારમાં અદ્રશ્ય થઈ જાય છે.



(2) ઘરથી જાઉં દૂર ................કરું પરકમ્મા ..........

A. હું ઘરથી ભલે દૂર હોઉ છતાં તું મારી આંખ સામેજ હોય છે. તેવો કોણ અભાગી હશે કે જે મા ને આ રીતે સદાયે ન પામતો હોય મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું.
                       ************

 ‘માં’ વિશે ની આની કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો :


 જ. 
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે –ચાર તુજ થી
થયે જુદા, તોયે મુજ હદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તુ નવ કદીયે હું દૂર ચસવા
દઉં ચારે માટે વિકટ પથમાં તું જ સઘળું .
હજી તારી કાયા મુજનયન સામે ઝળહળે
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે
અને ગાળે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા.
નથી ઝાખી યૈ કૈ કઈ સહજ વાગે છ બદલી.
                                                     
                                        -મણિલાલ દેસાઈ
                      ************


21 જુલાઈ, 2021

કાયવરોહણ શકિપીઠ

દરેક હિંદુ એ એક્વાર તો કાશી ની મુલાકાત લેવી જ જોઈએ તેવું મનાય છે. પરંતુ કાશી તો ઠેઠ ઉત્તર પ્રદેશ માં આવેલું છે. બહુ ઓછા ને ખબર હશે કે કાશી ના જેવું માહાત્મ્ય ધરાવતું બીજું કાશી ગુજરાત માં આવેલું છે. આ સ્થળનું નામ "કાયવરોહણ"છે. વડોદરા જિલ્લામાં આવેલા વડોદરા થી ભરૂચ જતાં હાઇવે પર પોર નામ નું ગામ છે. ત્યાંથી કાયવરોહણ માત્ર 9 કિમિ દૂર છે. વડોદરા થી તે 32 કિમિ છે.

મહાતીર્થ:

સત્યયુગમાં આ સ્થળ ઇચ્છાપૂરી ત્રેતાયુગ માં માયાપુરી,દ્વાપરમાં મેધાવતી અને કલિયુગ માં કાયવરોહણ તરીકે ઓળખાય છે. ભારત ના68 મહત્વના તીર્થં સ્થાનોમાં કાયવરોહણ ની ગણના થાય છે. રામાવતાર સમયમાં મહર્ષિ વિશ્વામિત્ર એ આ યાત્રાસ્થળને કાશી માં પલટી નાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભગવાન ની ઈચ્છા ન હોવાથી તેમ કરવામાં તેમને પુરી સફળતા મળી નહોતી.આમ છતાં તેનું મહત્વ કાશી જેવું રહ્યું.મહર્ષિ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રનું અનુસાર

18 જુલાઈ, 2021

ધોરણ 7. પાઠ 3 પરીક્ષા

1. નીચેના શબ્દોની જોડણી સુધારો : (સાચી જોડણી)

 ( 1 ) વીંજણો 
( 2 ) રૂપેરી
 ( 3 ) શિષ્યવૃત્તિ 
( 4 ) વિદ્યાધિકારી 
( 5 ) દીવો 
( 6 ) મૂંઝવણ / મુઝવણ 
( 7 ) પરીક્ષા 
( 8 ) વિદ્યાર્થી
 ( 9 ) ઇન્સ્પેક્ટર 

2. નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 
( 1 ) સૂર્ય = રવિ , ભાનું 
( 2 ) ધરતી = જમીન , પૃથ્વી 
( 3 ) ઉંબી = કણસલું , ડૂડું 
( 4 ) ગાય = ધેનુ , સુરભિ 
( 5 ) હાથ = કર , બાહુ 
( 6 ) પક્ષી = પંખી , વિહગ
 ( 7 ) શાળા = વિદ્યાલય , નિશાળ
 ( 8 ) વાયરો = પવન , સમીર

 3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : 

( 1 ) ગરીબ x શ્રીમંત 
( 2 ) પહેલો x છેલ્લો 
( 3 ) પોતીકા X પારકા 
( 4 ) મંજૂર x નામંજૂર 
( 5 ) દૂર x નજીક
 ( 6 ) જાણે x અજાણે
 ( 7 ) આનંદ x શોક
 ( 8 ) ડાહ્યું x ગાંડું 
( 9 ) શક્તિ x અશક્તિ 

4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી , તેનો વાક્યપ્રયોગ કરોઃ
 ( 1 ) પગ ઉપાડવા – ઝડપથી ચાલવું 
વાક્ય : નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા . 
( 2 ) ટાપસી પૂરવી – ચાલતી વાતને ટેકો આપવો .
વાક્યઃ મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી . 
( 3 ) પાટી મેલાવવી – દોટ મુકાવવી
 વાક્ય : દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેલાવી .    
( 4 ) હાથમાં હોવું – કબજામાં હોવું , પોતાના આધીન હોવું વાક્ય : દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી . 
( 5 ) તાનમાં હોવું - આનંદમાં હોવું
 વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિજય આજે તાનમાં હતો .
 ( 6 ) નાક રહેવું – આબરૂ જળવાવી 
વાક્યઃ સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું . 
( 7 ) કાપલો કાઢી નાખવો – બધું જ ખાઈ જવું , સફાયો કરવો .
વાક્યઃ ગાય ખેતરમાં પેસી જાય તો ઊભા મોલનો કાપલો કાઢી નાખે .
 ( 8 ) માઝા મૂક્વી – મર્યાદા બહાર જવું 
વાક્ય : દરિયો ક્યારેય પણ પોતાની માઝા મૂકતો નથી . 
( 9 ) મૂઠીઓ વાળવી – ઘેટ મૂકવી 
વાક્ય : કૂતરું પાછળ પડતાં છોકરાએ મૂઠીઓ વાળી . 

5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક - એક શબ્દ લખો: 

( 1 ) ગાયોનું ટોળું – ધણ 
( 2 ) ખેતરના છેડા પરની ખેડ્યા વિનાની જમીન - શેઢો
 ( 3 ) પગથી ચાલવાનો સાંકડો રસ્તો - પગદંડી , કેડી
 ( 4 ) તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય - શિષ્યવૃત્તિ
 ( 5 ) સહજમાં ભૂકો થઈ જાય એવો માટીનો ગઠ્ઠો – ઢેફુ
              
                     ***********



પ્ર  - 1. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.

(1) તમે પરીક્ષા આપવા જય રહયા છો અને રસ્તામાં ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યકિતને જુઓ તો તમે શું કરશો?

જ. હું પરીક્ષા આપવા જતો હોઉ ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ વ્યકિતને જોઉ તો બીજાને મદદ માટે બોલાવી 108 એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરું તે વ્યક્તિના પરિવારજનો ને જાણ કરું.



(2) ઈન્સ્પેકટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઈન્સ્પેકટરે આ બાબત નાં સમજીને તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોટ તો શું થાત ? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે ? શા માટે ?

જ. મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા માટે ઈન્સ્પેકટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો જો ઈન્સ્પેકટરે માનવતા ન રાખી હોત તો તેને પરીક્ષામાં બેસવા નાં દીધો હોત તો પણ મહાદેવને સંતોષ થાત કે તેને પાક થી ઊભરાતા ખેતરને બચાવ્યા તેનો ગાયને હાંકી કાઢવાનો નિર્ણય સાચો મને લાગે છે કારણ કે મહાદેવમાં પરોપકારનું ગુણ છે ને તેના આવા સારા ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો.



(3) પાઠમાં ઉતર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગ હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી-કાઢો અને લખો.

જ. અમારા ઝાલાવાડી બોલીના શબ્દો
‘અટાણે – અત્યારે , કેદુના – ક્યારના , નકરું – માત્ર , માંથે – પહેલા , ઓરો –પાસે ,
વયો ગિયો – જતો રહયો , કઈરું – કયું , ભેળો – સાથે , વીવા – વિવાહ , કળશો – લોટો
ગગા –દીકરા



(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો કરીથી લખો.
પ્રશ્ન – પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી હાંકી લાવી મેલી મેલીને ખુશાલમાના ખેતર માં જ મેલવી? ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

. પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ ઓનો બીકણ જીવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાકનારું તો છે નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યુ છે એટલે થી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી ? ને પરોપકારી મહાદેવ રડતો ગયો માથા ઉપર આવતા આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.
    આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠ માં વપરાયેલા શબ્દોવાળો ? શા માટે ? સરખામણી કરો.
   આમ કરવાથી ભાષાની સુંદરતા ઓવી થઈ જાય છે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી લખેલો ફકરો મને નથી ગમતો કારણ કે પાઠ માં વપરાયેલા શબ્દો ભાવ ને સરળ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.


(5) નીચેના ફકરો વાંચો વિરામ ચિહનો વિના તમને એ તે અધૂરો લાગે છે ? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામ ચિહનો મૂકો અને ફરી વાંચો.

         ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું બૂમ પાડી કહવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાકશે એટલમાં તો કાપલો કાઢી નાખશે ને.
   મહાદેવ શંકા સામે દફતર ઘર્યુ લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને

જ. ગામ તરફ તેને નજર દોડવી. દૂર કોઈ માણસ ને જોયું. બૂમ પાડી ને કહેવા લાગ્યો: ‘એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય –‘ ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખાશને?
   મહાદેવે શંકા સામે દફતર ઘર્યુ, ‘લે શંકા ગાયને હું હાંકતો આવું.’
   શંકાએ દફતર લીધું યાદ આપ્યું. તારે લ્યાં પરીક્ષા છે ને-‘



(6) પાઠમા મહાદેવ ગાઈને બીજા કોઈના ખેતરમાં ના મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું ? શા માટે ?

જ. મહાદેવ ગાયને ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવ ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી ગોટ તો તે ફરી થી કોઈના ખેતરમાં પાકને નુકશાન કરત મહાદેવ માનવતાનું કામ કર્યું તેથી મને ગમ્યું.



(7) ઈન્સ્પેકટર સાહેબનો ક્યો ગુણ તમને ગમ્યો ? શા માટે ?

જ. ઈન્સ્પેકટર સાહેબે પરીક્ષાના સમય કરતાં મહાદેવની માનવતા ને વધારે ગમ્યો. જો આવા સાહેબો સારા હોયતો જ ભારત દેશ આગળ વધી શકે.



(8) નીચેના વાક્યોને બદલે પાઠમા વપરાયેલા વાક્યો લખો.

જ. 1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ના થાય.
ઉતર- પાઠમા – આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !
2. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી.
ઉતર- જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.
3. ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.
ઉતર- ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !
4. ગામની આબરૂ સચવાશે.
ઉતર- આપના ગામનું નાક રહશે. 

              ***************
નીચેના પ્રશ્નો ના  ઉત્તર એક  લીટીમાં આપો : 

 ( ૧ ) નટુના ‘ બાપા શું હતા ?
ઉ. નટુ ના બાપા હેડ માસ્ટર હતા
 ( ૨ ) કોના મામા મામલતદાર હતા ?
 ઉ. બચુડાના મામા મામલતદાર હતા •
 ( ૩ ) વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા ? 
ઉ. વિદ્યાધિકારીના હેડક્લાર્ક  ધનશંકર ના માસા હતા.
( ૫) મહાદેવે મિત્રોની કઇ વાત મંજૂર રાખી ? 
ઉ. મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજુર રાખી .
 ( ૬ ) મહાદેવ ' ખાઈ જવાની ’ એવું કોને જોઈને બોલી ઊઠે છે ? 
ઉ: મહાદેવ ' ખાઈ જવાની ’ એવું ગાયને જોઈને બોલી ઊઠે છે . 
( ૭ ) મહાદેવના પગ જમીન સાથે કેમ જડાઈ ગયા ? 
ઉ : ગાય ખેતરનો પાક ખાઈ જશે , એવું લાગતાં મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા . 
                   **************
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
 ( 1 ) ‘ પરીક્ષા ' પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે ? 
A. શરદ B. વસંત C. પાનખર D. વર્ષા
 ( 2 ) મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું ?
 A. વસંતનો પવન B. શરદનો પવન C. પાનખરનો પવન D. સોની 
 ( 3 ) મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ ? 
A. મોલ જોઈને B. ઝાડનાં ઝુંડ જોઈને C. ઉંબીઓ જોઈને D. મોલ ખાતી ગાયને જોઈને
 ( 4 ) મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું ?
 A. શંકરને B. નારજીકાકાને C. ખુશાલમાને D. માસીને
 ( 5 ) ગામમાંથી લોકોનાં હળ માગીને કોણે ખેતર વવરાવ્યું હતું ? 
A. મહાદેવે B. ખુશાલમાએ .. કાકાએ D. નારજીકાકાએ
 ( 6 ) ‘ અહીં છીંડામાં મરને ' – એવું મહાદેવ કોને કહે છે ? A. ગાયને B. શંકરને C. બકરીને D , બળદને
 ( 7 ) મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? 
A. ઇન્સ્પેક્ટરે B , માસીએ C. શંકરે D. નારજીકાકાએ
 ( 8 ) મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો ?
 A. માનવતાવાદી B. ખારીલો C. ક્રૂર D. દયાળુુ

( 9 ) મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો ? 
A , ધૂળથી B , આસુથી C. કીચડથી D , પાપથી
 ( 10 ) ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ 
કર્યો ?
 A. આચાર્યને B , પટાવાળાને C. શિક્ષકને D. સુપરવાઇઝરને 
( 11 ) શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા 
હતા ? 
A , આઠ B. દસ C. બાર D. છ

                        ***************

 

17 જુલાઈ, 2021

ટૂંક નોધ લખો :રવિશંકર મહારાજ , પ્રશ્નોનાં ઉતર લખો.

*ટૂંક નોધ લખો:  

*રવિશંકર વ્યાસ*

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં  બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા તરફથી મહારાજને સત્યનિષ્ઠા, નિર્ભયતા અને કોઈનુંય કામ કરી છૂટવાની તત્પરતાના અને માતા તરફથી ધાર્મિકતા અને કરકસરના ગુણો વારસામાં મળ્યા હતા. મહારાજનો અભ્યાસ ગુજરાતી છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. 

     તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.

       નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું . ઉપરાંત  બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

                     *************



પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
.



(1) રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી ?

જ. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી-ચાવીને ખાવાની આરોગ્યની ચાવી નું શિક્ષણ એ બાળપણથી જ પામ્યાં હતા દિન દુખી પ્રત્યેની લાગણીવાળું હૈયું બાળપણથી જ મળ્યું હતું. આ સંસ્કારે તેમના પર અસર કરી હતી.



(2) મૂકસેવક મહારાજે લોકસેવકના કયા-કયા કાર્યો કર્યા ?

જ. મૂક સેવક મહારાજે ગામડે-ગામડે જય ગંદકી દૂર કરી ગરીબાઈ દૂર કરી લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવ્યા લોકોને સારું જીવન જીવવાની સલાહ આપી વરસાદમાં ગામને બચાવ્યો. લોકોને બચાવ્યો તેમજ પડતાં મકાનને ટેકો દીધો. વળી ચોરોને સમજાવ્યા સારા રસ્તે વાળ્યા બહારવટિયાઓને સમજાવી દેશના હિત માટે લગાડ્યા. જે જગ્યાએ રોગ ફાટી નીકળ્યા હતા ત્યાં પહોંચી મહારાજે ડોક્ટરોની વ્યવસ્થા કરી લોકોને રોગમાંથી બચાવ્યા દુષ્કાળમાં કૂવાને બોરિંગ કરાવ્યા ને લોકોને પીવાનું અપાવ્યું. અને હુલ્લડમાં લોકોને સમજાવ્યા તોફાન ન કરવા સલાહ આપી તેમજ મરેલાના અગ્નિ સંસ્કાર પણ તેમણે જ કર્યા. આમ મૂક સેવક મહારાજ સાચા અર્થમાં લોક સેવક હતાં.



(3) રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો ?

જ. રવિશંકર મહારાજનાં કાર્યોથી સમાજના લોકોને ખૂબ મોટો લાભ થયો. સમાજના લોકોમાં ગરીબાઈ દૂર થઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિ આવી. વળી ચોર-લુટારા સારા ને સત્યને માર્ગે વળ્યા. લોકોમાં અજ્ઞાન દૂર થયો. તેમજ સારું જીવન જીવવાની પ્રેરણા મળી લોકોને પીવાનું પાણી મળવા લાગ્યું. લોકો ભેદભાવ વગર શાંતિથી જીવન જીવવા લાગ્યા. આમ રવિશંકર મહારાજનાં કામોથી લોકોને ખૂબ સારો ફાયદો થયો.



(4) રવિશંકર મહારાજની હિંમતનાં દર્શન કયા પ્રસંગમાં થાય છે ?

જ. ઈ.સ 1941 અને ઈ.સ. 1946 માં અમદાવાદમાં હુલ્લડ થયા કાપાકાપી ચાલતી હતી. એ વખતે મહારાજ કર્યા વગર સૂમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા જે લોકો હુલ્લડમાં મૃત્યુ પામ્યાં તેમના શબને મહારાજ જાતે જ અગ્નિસંસ્કાર કરતાં આ પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે.



(5) રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?

જ. સાદાં વસ્ત્રો પહેરવા સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો .

(6) મહારાજ શબ્દના જુદા-જુદા અર્થ લખો ?

જ. 1. મહારાજ એટલે – યજમાનવૃતી કરનાર ગોર મહારાજ.
2. મહારાજ એટલે – મોટા રાજા
3. મહારાજ એટલે – સંત સાધુ
4. મહારાજ એટલે – રસોઇયો



(7) દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ – આ શબ્દો સાથે-સાથે કેમ લખાય છે ?

જ. જે શબ્દ સામાસિક હોય તે ભેગા લખાય માટે દિવસ રાત અંધશ્રદ્ધા ઝાડા ઊલટી જીવનધર્મ આ સામાસિક શબ્દ છે આથી ભેગા લખાય છે.

                      **********

12 જુલાઈ, 2021

ધોરણ.8 ગુજરાતી પાઠ.3 જુમો ભિસ્તી

 *નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

(1) શ્રીમંત
A. ધનવાન, અમીર


(2) દુર્ગંધ
A. બદબૂ, વાસ


(3) કર્કશ
A. કઠોર, તીણો


(4) આનંદ
A. ખુશી, હર્ષ


(5) ગદબ
A. રજકો


(6) હાંડલી
A. હાંલ્લી, માટલી

                 
*************

પ્રશ્નો ના જવાબ લખો

પ્ર. જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા ?

 જ. જુમો અને વેણુ દિવસ દરમિયાન આ પ્રવુતી કરતાં હતા. જુમો વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના પાંચ વાગ્યે નીકળી પડતો બધે પાણી આપ્યા પછી જુમો અને વેણુ બંને પાછા વળતાં. જુમો રસ્તામાંથી ગાજર ને ટામેટાં કે ભાજી પોતાના શાક માટે અને વેણુ માટે ગદબ ખરીદતો. વેણુ ગદબ ખાતો. પછી જુમો સાંજ સુધી હોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીંચીને ઊંઘી જતો અથવા જાગતો પડ્યો રહેતો. સાંજે વેણુ અને જુમો નદી કાંઠા સુધી ફરવા નીકળતા અને પાછા વળતા.

પ્ર. જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા?

 જ. જુમાએ સૌપ્રથમ વેણુના ફસાયેલા પગને આમ તેમ મરડીને કાઢવાનો પ્રયત્ન કર્યો. પછી રસ્તા જતાં બે યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ એ યુવાનોએ તેને ફાટકવાળા પાસે જવાનું કહ્યું. એવામાં ટ્રેનનો સિગ્નલ મળ્યો. તેણે ફાટકવાળાને વિનંતી કરી. પણ અંદરથી ‘ઘેર કોઈ માણસ નથી.’ એવો જવાબ મળતા જુમો નિરાશ થઈ ગયો. આમ, વેણુને બચાવવા અનેક પ્રયત્નો કર્યા.

પ્ર. વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો.

 A. છેલ્લા વાક્યમાં જુમો એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ....! વેણુ....! વેણુ....!’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. આ વાક્યમાં એકબીજાનો પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે.

[Q - 2]. નીચેના પ્રશ્નોનાં ઉત્તર વિચારીને લખો.

(1) જુમાની જગ્યાએ તમે હો તો શું કરો ?
A. જુમાની જગ્યાએ જો હું હોત તો પાટા ઉપર ઊભા રહીને હાથ ઊંચા કરીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કરત.


(2) શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત ?
A. પેલા બે યુવાન મિત્રો એ જો વેણુના ફસાયેલા પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા તો ફાટકવાળાએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત.



(3) તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો ?
A. મને ગમતું પ્રાણી ગાય છે તેને હું લીલા ઘાસનો ચારો તથા ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને માટે છાપરાની વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે કે તુરત જ ઉપચાર કરાવું છું. રોજ સાંજે તેણે ફરવા લઈ જાઉં છું. હું ગાઈને ખૂબ વહાલ કરું છું.


(4) આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તો તે માટેના કારણો આપો.
A. વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખવાના કારણો મૂંગું પશુ વેણુને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. પણ જુમાની વાણીમાં પ્રગટતો પ્રેમને એ સમજી શકે છે. વેણુ અંત સમયે જુમાને માથું મારીને પટથી દૂર ફેકીને બચાવે છે. એ જુમા પ્રત્યેની વેણુની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાને છે. એ દ્રષ્ટિએ આ વાર્તાનું શીર્ષક ‘વેણુ’ રાખીએ તે ઉચિત ગણાય.
      
                   ***************


* ટૂંક નોધ લખો:

1) જુમો ભિસ્તી
જુમો ભિસ્તી જન્મ્યો ત્યારે ઘરમાં શ્રીમંતાઈ હતી. ઘરમાં તે લાડ થી એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. એ હાથી પર બેસીને પરણવા નીકળેલો .તેની શ્રીમંતાઈ ના  વખતમાં એને અનેક મિત્રો હતા પણ અચાનક એ ભિખારી થઈ ગયો.  એ ઝૂપડામાં રહેવા લાગ્યો. એક ફાટેલ તૂટેલ સાદડી પર બેસી હોકો ગગડાવતો .આવા સમયે એના મિત્રો પણ એને છોડી ગયા, પણ એણે બાળપણમાં શોખની ખાતર પાડો વેણું જ જીવનભર એની સાથે રહ્યો. 
   જુમો પોતાની આ પરિસ્થિતિમાં પણ નિરાંત ખુશ રહેતો હતો. સવાર -સાંજ ફરવા જવું અને મશક લઇ કામ કરવું એ તેનો નિત્યક્રમ હતો.તેને કોઈ વાતનો અફસોસ નહોતો. પોતાના મિત્ર સાથે સુખેથી દિવસો પસાર કરતો હતો .અંતમાં મિત્ર માટે જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે .આમ , મૂકપશુ અને માનવ પ્રેમનું જુમો ભિસ્તી જાગતું ઉદાહરણ છે.

૨) વેણું :
વેણું એટલે પાડો. જુમા ભિસ્તીએ બાળપણમાં શોખ ખાતર પાડેલા પાડા નું નામ વેણુ હતું. પાડા નું નામ વેણુ જુમાના કોઈ મિત્રે પાડ્યું હતું. જુમો વેણુ નો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મસક મુકવા માટે કરતો. સાંજ પડ્યે જુમો અને વેણુ ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વેણુનો  જ્યારે રેલવેના બે પાટા વચ્ચે પગ ફસાયો ત્યારે જુમો ઘણા બધાની મદદ માગે છે. પણ કોઈ મદદે ન આવ્યું. છેવટે ટ્રેન આવવાના સમયે તેને બાથ ભરી મોતને ભેટવા જુમો તૈયાર થયો. પરંતુ અબોલ જીવે મિત્રતા નિભાવતા જુમો ભિસ્તીને પોતાનું માથું મારીને પાટાથી દૂર ફેંકી દીધો. જુમો બચી ગયો પરંતુ વેણુ મોતને ભેટ્યો .
     આમ ,જુમો અને વેણુની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી. માલિક નું ઋણ મૂકપશુ તેમનો જીવ બચાવી ઉતારી દે છે .આ રીતે વેણુનુ પાત્ર મૂકપશુનુ  હોવા છતાં વાચકના દિલમાં ઉડી છાપ છોડી દે છે.


11 જુલાઈ, 2021

વર્ષાનો વૈભવ/વર્ષાઋતુ


ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે . સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે . લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે . ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે . પશુ , પક્ષી , માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે . અચાનક વર્ષનું આગમન થાય છે અને ગ્રીષ્મઋતુ ધીરે ધીરે વિદાય લે છે . 
    વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે . વીજળીના ચમકારો , વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે . વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે . બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે . મોર કળા કરે છે , નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે . કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે . દેડકાં ' ડ્રાંઉ ’ .. ' ડ્રાઉ ' .. કરીને વર્ષાનું સ્વાગત કરે છે . ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે . વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે . પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘ કાગડો ’ થઈ જાય છે . વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે . ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે . જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે . 

     ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે . તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે . થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે .  ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે . 
      વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ . રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશચતુર્થી , સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે . પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે . આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે . 
 વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે . નદીઓમાં ભયંકર પૂર આવે છે . ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે . જાનમાલનું ભારે નુકસાન થાય છે . વર્ષા નું આ રૌદ્ર સ્વરૂપ છે . વર્ષાઋતુ માં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી , ધાસચારો થતો નથી , પાણીની ભયંકર તંગી પડે   છે . તેને ‘ દુષ્કાળ ' કહે છે . 
 
    વર્ષાઋતુ માં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે . માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે . તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે .    

     વર્ષાઋતુમાં અનાજ પાકે છે . ધાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે . તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે . એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં  છે . કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે . કવિઓએ      વર્ષાઋતુને      ‘ ઋતુઓની રાણી ’ કહીને આવકારી છે . 
       
                         **************

5 જુલાઈ, 2021

પાઠ 2 દ્વીદલ *સ્વાઘ્યાય*


*શબ્દાર્થ:

શિલ્પી- કારીગર

સ્તંભ-.  થાંભલો

 નિશબ્દ- શબ્દ વિનાની, શાંત

 મંજૂરી -પરવાનગી

 લોન- લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન ,હરિયાળી

 આજીજી- વિનંતી

 બિરદાવવું- ગુણગાન કે સ્તુતિ કરવી

              ***************** 
પ્રશ્ન: સાચો વિકલ્પ લખો:

(1) શિલ્પી આરસપહાણના પથ્થર માંથી કોની મૂર્તિ ઘડી રહ્યો હતો?
( C) ભગવાન

( 2 ) મૂર્તિમાં કઈ જગ્યાએ એક નાનો ઘસરકો થઈ ગયો હતો ? 
 ( D ) નાકે પાસે 

( 3 ) મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની હતી ?
 ( A ) સ્તંભ પર 
 
( 4 ) યુવકે દુકાનદાર પાસે કયો ફોન વાપરવાની મંજૂરી માંગી ?
  ( D ) પબ્લિક ફોન

 ( 5 ) યુવક ફોન પર સ્ત્રી પાસે કયું કામ કરવાની પરવાનગી માગતો હતો . 
 ( C ) લૉન કાપવાની 

( 6 ) યુવક દુકાનમાંથી બહાર જવાની તૈયારી કરતો હતો તે વખતે તેને કોણે બોલાવ્યો ?
  ( B ) દુકાનદારે 
 
( 7 ) દુકાનદાર યુવકની કઈ રીતને બિરદાવતો રહ્યો ? 
 ( D ) સ્વમૂલ્યાંકનની
 
( 8 ) ‘ આજીજી ' શબ્દનો અર્થ શો થાય ? 
 ( B ) વિનંતી 

( 9 ) ‘ નુકસાન ’ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય ? 
 ( D ) ફાયદો

 ( 10 ) શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી શું ઘડી રહ્યો હતો ? 
 ( B ) મૂર્તિ
 
               *****************



વિરુદ્ધાર્થી શબ્દો લખો

1. જાણ × અજાણ
2. જવાબ × સવાલ
3. નીરસ × રસવાળું
4. નુકસાન × ફાયદો
5. ધ્યાન × બેધ્યાન
6. પરદેશ × સ્વદેશ
7. સંતોષ × અસંતોષ
          
               *************

નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) માણસે બીજી મુર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?

જ. માણસે પૂછ્યું કે આ મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે ત્યારે શિલ્પીએ ના પાડી અને એક મુર્તિ તૈયાર હતી ને શિલ્પી બીજી મુર્તિ બનાવી રહયો હતો એટલે માણસના આશ્ચર્યનો પાર ન રહયો કે એક મુર્તિની સ્થાપના કરવાની છે પણ બે મુર્તિ કેમ ?



(2) શિલ્પીએ પહેલી મુર્તિ પડતી કેમ મૂકી ?

જ. પહેલી મુર્તિ ઘડવામાં શિલ્પીથી એક ભૂલ થઈ મૂર્તિનાં નાક પાસે એક નાનકડો ઘસરકો થયો.આમ ખંડિત મૂર્તિની સ્થાપના ન કરાય તેથી પહેલી મુર્તિ શિલ્પીએ પડતી મૂકી.



(3) સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?

જ. કારણ કે સ્ત્રી પાસે જે માણસ કામ કરતો હતો તેનાથી સ્ત્રીને સંતોષ હતો તેનું કામ સ્ત્રીને ગમતું હતું આથી સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાથી ના પાડી.



(4) સ્ત્રીનો જવાન સાંભળી યુવક કેમ ખુશ થયો ?

જ. સ્ત્રીને યુવકે અડધા પગારમાં કામ કરવાની અને વધારાનું કામ કરવા કહયું છતાં સ્ત્રીએ યુવકને નોકરી આપવાની ના પાડી આથી યુવકને પૂરી ખાતરી થઈ કે સ્ત્રી તેના કામથી પૂર્ણ સંતોષ પામી છે આમ સ્વ-મૂલ્યાંકન ની પરીક્ષામાં પોતે સફળ રહયો આથી યુવક ખુશ થયો.



(5) સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?

જ. સ્વ- પોતે મૂલ્યાંકન પરીક્ષા પોતે જ પોતાની પરીક્ષા કરવી એટલે સ્વ- મૂલ્યાંકન હા મે પણ મૂલ્યાંકન કરેલું છે હું પોતે જ લેખિત કસોટી લઈને સ્વ- મૂલ્યાંકન કરું છુ .

              *********************