5 ઑક્ટો, 2018

વજન ઘટાડવું હોય તો આ હેલ્થ ડ્રિંક્સની લો મદદ


વજન ઘટાડવાની વાત આવે ત્યારે મગજમાં સૌથી પહેલો વિચાર ડાઈટિંગ કરવાનો જ આવે છે પરંતુ ડાયેટિંગમાં માત્ર ખાવાની વસ્તુઓ પર જ નહીં પણ કેટલીક પીવાની વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

ઘણાં શરબત એવાં હોય છે જે આપણાં મેટાબોલિઝમને નિયંત્રણમાં રાખે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. જો કે એ જાણવું બહુ જરૂરી છે કે તમારે કયું શરબત પીવું જોઈએ કારણ કે કેટલાંક શરબત વજન વધારે છે તો કેટલાક શરબત વજન ઘટાડે છે.

લીંબુ, મધ અને પાણી

વજન ઘટાડવા માટે સૌથી વધારે અને સૌથી પહેલા આની જ સલાહ આપવામાં આવે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને રોજે સવારે પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

લીંબુ અને કૉફી

કૉફીમાં વજન ઘટાડવાના ગુણ રહેલા છે. બ્લેક કૉફીની સાથે લીંબુનો રસ મિક્સ કરીને એક્સર્સાઈઝ કરતાં પહેલા પીઓ. આનાથી મેટાબોલિઝમ સુધરે છે.

હળદરવાળું દૂધ

શરદીમાં રાહત આપતું હળદરવાળું દૂધ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એ સીધા એ જીન પર કામ કરે છે જે શરીરમાં ફેટ જમા થતાં રોકે છે. એનાથી શરીર પર સોફ્ટ થાય છે. 

આદૂ, લીંબુ અને પાણી

પેટની ચરબી ઘટાડવામાં આદુ બહુ લાભદાયી છે. આદુમાં જિનજેરોલ્સ, બીટા-કેરોટિન અને કૈફિક એસિડ હોય છે. તદુપરાંત એમાં એન્ટી-ઑક્સીડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી પ્રોપર્ટીઝ હોય છે.

કોકમનો જ્યૂસ

સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં સ્વાદ વધારવામાં વપરાતી આ વસ્તુ વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે. કોકમને આખી રાત પાણીમાં પલાળો અને સવારે એને ઉકાળી લો. સવારે જ્યૂસ પી લો.

જીરાનું પાણી

જીરાનું પાણી શરીરમાં ગરમી પેદા કરે છે. તેથી જ આને પીવામાં સાવચેતી રાખવી જોઈએ કે તે વધારે પ્રમાણમાં ના પીવાઈ જાય. એક ચમચી જીરાને પાણીમાં ઉકાળીને પીવો.

એલોવેરા જ્યૂસ

બજારમાં ઘણી બ્રાન્ડના એલોવેરા જ્યૂસ મળે છે. તેમાં વિટામિન એ અને સી હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

પાણી અને એપલ સીડનો સરકો

એપલ સીડનો સરકો એક પ્રકારનું એસિડ હોય છે. તે શરીરમાં એક નિયંત્રણ બનાવે છે. એક ચમચી સરકાને થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને રોજે સવારે પીવાથી વજનમાં ઘટાડો થાય છે.

છાશ

છાશ ગરમીથી છુટકારો મેળવવાનો એક સારો ઉપાય છે. એમાં રહેલાં પ્રોટીનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. છાશમાં શુદ્ધ પ્રોટીન હાજર હોય છે. દિવસ દરમિયાન ભૂખ લાગે તો તળેલી વસ્તુઓ ખાવાને બદલે છાશ પીવી જોઈએ.

ઇલાયચી પાણી

ઇલાયચીનું પાણી વજન ઘટાડવામાં અક્સીર સાબિત થાય છે પણ એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આને પીવાથી ના માત્ર વજન ઉતરે છે પણ ત્વચાનો નિખાર પણ વધે છે. 

સૌજન્ય: ગુજરાત સમાચાર

ઈન્ટરનેટ વિના કરી શકાશે Mail, જાણો Gmailના 5 નવાં ફિચર્સ


ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગમાં જીમેલના આ નવા ફિચર્સ વિશે ઘણુ બધુ જણાવ્યુ છે. જે તમારે પણ જાણી લેવું જોઈએ, જેથી ઈમેલ્સનું મેનેજમેન્ટ કરવાનું આપણાં સૌ માટે સરળ બની જાય.

1. ઈન્ટરનેટ વિના પણ કરી શકાશે જીમેલનો ઉપયોગ

જી હા, આ ચોંકાવનારી સગવડ જીમેલ પોતાના યુઝર્સને આપી રહ્યું છે. તમે ઓફિસમાં હોવ કે ઘરની બહાર ગમે ત્યાં હોવ જો તમારે જીમેલ વાપરવું હોય તો તમારે જીમેલ એકાઉન્ટમાં ઓફલાઈન મોડ એક્ટિવેટ કરી દેવો. આ માટે એકાઉન્ટ લોગ ઈન કર્યા પછી આ લિંક પર જાઓ - https://mail.google.com/mail/u/0/#settings/offline અથવા તો જીમેલમાં ગિયાર આઈકૉન પર ક્લિક કરીને સેટિંગ્સ અને પછી ઓફલાઈન મોડમાં જાઓ.

આ મોડને એક્ટિવેટ કર્યાં પછી તમે ઈન્ટરનેટ વગર પણ ઇમેલનો યૂઝ કરી શકશો. આ માટે તમારે તમારા બ્રાઉઝરમાં mail.google.com લિંક પર બુકમાર્ક કરી લેવું જોઈએ. આ મોડથી મોકલવામાં આવેલો કોઈપણ નવો મેલ કે રિપ્લાય ઇન્ટરનેટથી કનેક્ટ થતાં જ આપમેળે સેન્ડ થઈ જશે.

2. જીમેલ કહેશે કે કયા મેલ છે ઈમ્પોર્ટટન્ટ

જીમેલનું આ નવું ફિચર મશીન લર્નિંગ પ્રોગ્રામના આધારે યુઝર્સની હેબિટ કે ખાસ કોન્ટેક્ટના ઈમેલ પર નવું હાઈલાઈટર બનાવી દેશે. જેથી ઈનબૉક્સ પર જતાં જ યુઝરને ખ્યાલ આવી જશે કે એણે કયો મેલ પહેલા વાંચવો જોઈએ કે એનો રિપ્લાય આપવો જોઈએ. જો તમારી પાસે એને વાંચવાનો કે રિપ્લાય આપવાનો ટાઈમ ના હોય તો એ મેલને મોબાઈલ એલાર્મની જેમ થોડાં સમયે સ્નૂઝ કરી શકો છો.

3. સ્માર્ટ કંપોઝ ફિચરથી ઈમેલ લખવાનું અને રિપ્લાય આપવાનું સહેલું થઈ જશે

જીમેલનું આ નવું ફિચર તાત્કાલિક રિપ્લાય માટે સુપર છે. મેલ બૉક્સમાં તમને નવો મેલ લખવા માટે સ્માર્ટ કંપોઝ અને રિપ્લાય માટે સ્માર્ટ રિપ્લાય એમ બે ઓપ્શન દેખાશે. આના થકી ગૂગલ AIનો ઉપયોગ કરીને તમને લખાણ માટેના વાક્યો પણ સજેસ્ટ કરશે.

4. ઈનબૉક્સને બંધ કર્યા વિના બીજા કામો કરી શકાશે

આ નવા ફિચરની ખાસિયત એ છે કે તેમાં તમે મેલ વાંચતી વખતે અચાનક કોઈ કામ યાદ આવે તો વાંચનને છોડીને કેલેન્ડરથી લઇને ગૂગલની બીજી તમામ સર્વિસિસનો ઉપયોગ કરી શકશો. મહત્વની વાત એ છે કે આ બીજી સર્વિસિસનો ઉપયોગ કર્યાં છતાં તમારું ઇનબૉક્સ એમને એમ ઓપન રહેશે.

5. તમારી અંગત માહિતી રહેશે સુરક્ષિત

તમારામાંથી કોઈ એવું નહીં હોય જેમને ક્યારેય સ્પેમ મેલ કે વાયરસ એટેચમેન્ટવાળા ઇમેલ્સ ના આવ્યાં હોય. આવામાં ગૂગલ હવે યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને દમદાર એલર્ટ મેસેજ આપશે. એટલે કે જો કોઈ સ્પેમ, પિશિંગ ઇમેલ કે વાયરસ એટેચમેન્ટ મેલ ખોલવાનો ટ્રાય કરો તો ગૂગલ પેજ પર લાલ રંગનો એલર્ટ મેસેજ દેખાશે, જેથી તમે એ મેલના જોખમથી બચી શકો.

સૌજન્ય:ગુજરાત સમાચાર

નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી શક્તિ- ઉપાસનાનો મહિમા

યોગવશિષ્ઠ મહારામાયણમાં ' શક્તિ' વિશે કહેવાયું છે- ' સર્વશક્તિ યુક્ત બ્રહ્મ બધાનો ઇશ્વર છે. જે શક્તિ દ્વારા તે પ્રકટ થવા માગે છે તે દૃષ્ટિગોચર થઈ જાય છે. તે પરમ આકાશ (અનંત તત્વ) જેને મેં ચેતન સ્વરૂપ (બ્રહ્મ) દર્શાવ્યું છે, શિવ પણ કહેવાય છે. તે સનાતન છે. એમની મનોમયી સ્પન્દ શક્તિ (ક્રિયા શક્તિ)ને એમનાથી અભિન્ન સમજો. 

તે બ્રહ્મની સ્પન્દ શક્તિ રૂપી ઇચ્છા જ દૃશ્યમાન પદાર્થોનો વિસ્તાર કરે છે. હે રામ ! તે પરમેશ્વરી શિવેચ્છા જે અનાદિ સ્પંદન શક્તિ છે. 

તે પ્રકૃતિ અને જગન્માયા પણ કહેવાય છે. એટલા માટે જગતના બધા પદાર્થ શિવ-શક્તિના કોશમાં રહેલા છે. બધા સત્ય છે અને પરમ તત્વ (શિવ) એમનો આત્મા છે. એના સિવાય બીજું શું કહી શકાય ?'

એકવાર ભગવાન શંકરે જ પાર્વતીને કહ્યું હતું - ' શક્તિ' વિના મહેશાનિ સદાહં શવરૂપક:।

શક્તિ યુક્તો યદા દેવી શિવોડહં સર્વકામદ: ।।

હે મહેશ્વરી ! (તમારી) શક્તિ વિના હું હમેશાં શબ (શવ) સમાન જ છું, હું જ્યારે (તમારી) શક્તિથી યુક્ત હોઉં છું ત્યારે જ બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર 'શિવ'રૂપ રહું છું. એ રીતે શ્રી દેવી ભાગવતમાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે- ' બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે આ વાત લોકપ્રસિધ્ધ છે. 

પરંતુ તમારી ઇચ્છાથી જ અમારામાં શક્તિ આવે છે. ત્યારે જ અમે આ કાર્ય કરવામાં સમર્થ બનીએ છીએ.' બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું રૂપ ધારણ કરી તમે જે જગતની રચના કરો છો તે સંપૂર્ણ ચરાચર જગત તમે જ બની જાઓ છો. તમે તમારી રૂચિને અનુરૂપ કૂતુહલથી વિવિધ રૂપ ધારણ કરી લીલા વિલાસ કરો છો અને શાંતિ થઈ જાઓ છો.'

એ રીતે ભગવતી ઉમા સ્વયં કહે છે- ' હું બધા જ દેવોમાં વિભિન્ન નામ ધારણ કરીને રહું છું. હું જ શક્તિ રૂપે પરાક્રમ કરું છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌબેરી, નારસિંહી અને વાસવી- બધી શક્તિઓ હું જ છું.' ' હે બ્રહ્માજી ! જો હું કોઈને ત્યજી દઉં તો તે કોઈ ક્રિયા કરવા સમર્થ ના રહે. 

તે હલનચલન કરવા  કે શ્વાસ લેવાય સમર્થ ન રહે. મારા શક્તિ તત્વથી પૃથક થઈ જાય તો શિવજી પણ દૈત્યોને મારવા સમર્થ ન રહે. હું કોઈપણ માનવીના શરીરથી અળગી થઈ જઉં તો એને ' શક્તિહીન' તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એને 'રુદ્રહીન' કે 'વિષ્ણુહીન' કહીને બોલાવતું નથી ! એટલા માટે મને શક્તિને જ બધાની સત્તા, ક્રિયાશીલતા અને સિદ્ધિઓનું એકમાત્ર કારણ સમજો.

હે બ્રહ્માજી ! જ્યારે તમે સૃષ્ટિના સર્જનની ઇચ્છા કરો છો તે વખતે જ્યારે હું સાથ આપું છું ત્યારે જ તમે જગતની રચના કરી શકો છો. એ જ રીતે વિષ્ણુ, શિવ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, યમ, ત્વષ્ટા, વરુણ અને વાયુ બધા મારી શક્તિના સહયોગથી જ સફળતા પામે છે. પૃથ્વી શક્તિથી યુક્ત હોય છે. ત્યારે જ તે સ્થિર રહીને બધાને ધારણ કરી શકે છે શક્તિ ન રહે તો તે એક પરમાણુને પણ ધારણ ન કરી શકે.'

શિવ- શક્તિ સદા સંયુકત છે. શિવ પરમ બ્રહ્મ વિના શક્તિ કંઈ ન કરી શકે અને શક્તિ (ઉર્જા) વિના શિવ કંઈ ન કરી શકે. એટલે જ અર્ધનારીશ્વરનું રૂપ અસ્તિત્વમાં આવ્યું છે. સત્, ચિત્, આનંદ ઇશ્વરના આ ત્રણ રૂપોમાં આનંદ સ્વરૂપ, સામ્યાવસ્થા, અક્ષુબ્ધ ભાવ ભગવાન શિવનું છે. મનુષ્ય પણ ઇશ્વરનો અંશ છે એટલે એનામાં પણ આ ત્રણ સ્વરૂપ વિદ્યમાન છે. એનું સ્થૂળ શરીર એ સત્નો અંશ છે એની બાહ્ય ચેતના એ ચિત્ તત્વનો અંશ છે. 

જ્યારે આ બન્ને મળીને પરમાત્માના સ્વરૂપની પૂર્ણ ઉપલબ્ધિ કરાવે છે. ત્યારે તેને આનંદ અંશની અનુભૂતિ થાય છે. બીજી રીતે જોઈએ તો ઇશ્વરનું સત્સ્વરૂપ એમનું માતૃસ્વરૂપ છે અને ચિત્સ્વરૂપ પિતૃસ્વરૂપ છે. ત્રીજું આનંદ સ્વરૂપ એ છે જેમાં માતૃભાવ અને પિતૃભાવ બન્નેનું પૂર્ણરૂપે સામંજસ્ય થઈ જાય છે. 

શિવ અને શક્તિ બન્ને મળીને અર્ધનારીશ્વર રૂપમાં આપણી આગળ પ્રકટ થાય છે. એમાં સત્- ચિત્ની સાથે એમના આનંદરૂપના પણ દર્શન થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને ઇશ્વરની પ્રતિકૃતિ છે. સ્ત્રી એમનું સદ્રૂપ છે. તો પુરુષ ચિદ્રૂપ છે. બન્ને એકમેક વિના અધૂરા છે. જ્યારે એ બન્ને પૂર્ણરૂપે મળીને એક થાય છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. અર્ધનારીશ્વરનો આવો અદ્ભુત મહિમા છે. ઉમા મહેશ્વર, ઇશ્વર- પાર્વતી, અર્ધનારીશ્વર, ગણ- ગૌરિ વગેરે સ્વરૂપોની સાધના કરવા પાછળ આ અર્થ છૂપાયેલો છે.
સૌજન્ય:ગુજરાત સમાચાર

20 સપ્ટે, 2018

જાણો વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું


જાણો વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું

આજે આપણે અહીં વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવવાની અસાધારણ યુક્તિ સાથે છીએ. તમારા ફોલ્ડર્સને છુપાવી રાખવા અને તેને અદૃશ્ય બનાવવું હોય તો અમે ચાર અસરકારક પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે જે આજે તમે અમલમાં મૂકી શકો છો. તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં અદૃશ્ય ફોલ્ડર કેવી રીતે બનાવવું તે જાણવા માટે લેખ તપાસો.

આજે આપણે અહીં વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવવાની અસાધારણ યુક્તિ સાથે છીએ. ચોક્કસપણે, તમે તમારા ઓએસમાં આ ફોલ્ડર બનાવી શકો છો. આ ફોલ્ડર તમને તમારા સંવેદી ડેટા પર ગોપનીયતા આપી શકે છે, જે તમે ફોલ્ડરમાં સંગ્રહિત કરી શકો છો જે તમને ભાગ્યેજ ઍક્સેસ કરી શકે છે. તેથી આગળ વધવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.

વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું

પદ્ધતિ ખૂબ સંચાલિત છે અને આની મદદથી તમે અદ્રશ્ય ફોલ્ડર બનાવી શકો છો અને જ્યારે પણ તમે તમારી ફાઇલને ઍક્સેસ કરવા માંગો છો ત્યારે તમે તેને દૃશ્યક્ષમ બનાવી શકો છો જે તમારી ગોપનીયતાની બાંયધરી આપે છે અને વ્યક્તિગત ફોલ્ડર તરીકે કાર્ય કરશે.

પદ્ધતિ 1: વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવો

સ્ટેપ 1. સૌ પ્રથમ, કોઈપણ ડ્રાઇવમાં નવું ફોલ્ડર બનાવો જ્યાં તમે ઇનવિઝિબલ ફોલ્ડર બનાવવા માંગો છો.

સ્ટેપ 2. હવે ફોલ્ડર પર રાઈટ ક્લિક કરો અને પ્રોપર્ટી પસંદ કરો અને કસ્ટમાઇઝ ટેબ હેઠળ ટેબ બદલો આયકન પસંદ કરો અને તમારા ફોલ્ડર માટે ખાલી આયકન પસંદ કરો.

સ્ટેપ 3. હવે ફોલ્ડરનું નામ બદલો, પહેલાથી જ બધા ટેક્સ્ટને સાફ કરો અને હવે 060 ના આંકડાકીય કીબોર્ડ ટાઇપ કરીને ALT બટન દબાવો.

સ્ટેપ 4. હવે ફોલ્ડર ઇનવિઝિબલ થઈ જશે અને ફક્ત તમે તે ફોલ્ડર વિશે જાણશો અને તમે ત્યાં તમારી વ્યક્તિગત ફાઇલોને સાચવવા માટે ફક્ત તે જ ઍક્સેસ કરી શકો છો.

પદ્ધતિ 2: ફોલ્ડર બનાવવું અને તે આંતરિક રૂપે છુપાવી રહ્યું છે

આ પદ્ધતિમાં, તમે ફાઇલ પ્રકારનું નામ બદલવાનું કે બદલવાનું નથી. આ સુવિધા વિન્ડોઝમાં પોતે જ શરૂ કરવામાં આવી છે, તે ઘણાં માટે ખૂબ અજાણ છે. તો આ ઉપયોગી રીતને અનુસરો જે તમારું ફોલ્ડર કોઈ સમયમાં છુપાવશે ન

જાણો વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું

આજે આપણે અહીં વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવવાની અસાધારણ યુક્તિ સાથે છીએ. તમારા ફોલ્ડર્સને છુપાવી રાખવા અને તેને અદૃશ્ય બનાવવું હોય તો અમે ચાર અસરકારક પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે જે આજે તમે અમલમાં મૂકી શકો છો. તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં અદૃશ્ય ફોલ્ડર કેવી રીતે બનાવવું તે જાણવા માટે લેખ તપાસો.

આજે આપણે અહીં વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવવાની અસાધારણ યુક્તિ સાથે છીએ. ચોક્કસપણે, તમે તમારા ઓએસમાં આ ફોલ્ડર બનાવી શકો છો. આ ફોલ્ડર તમને તમારા સંવેદી ડેટા પર ગોપનીયતા આપી શકે છે, જે તમે ફોલ્ડરમાં સંગ્રહિત કરી શકો છો જે તમને ભાગ્યેજ ઍક્સેસ કરી શકે છે. તેથી આગળ વધવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.

વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું

પદ્ધતિ ખૂબ સંચાલિત છે અને આની મદદથી તમે અદ્રશ્ય ફોલ્ડર બનાવી શકો છો અને જ્યારે પણ તમે તમારી ફાઇલને ઍક્સેસ કરવા માંગો છો ત્યારે તમે તેને દૃશ્યક્ષમ બનાવી શકો છો જે તમારી ગોપનીયતાની બાંયધરી આપે છે અને વ્યક્તિગત ફોલ્ડર તરીકે કાર્ય કરશે.

પદ્ધતિ 1: વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવો

સ્ટેપ 1. સૌ પ્રથમ, કોઈપણ ડ્રાઇવમાં નવું ફોલ્ડર બનાવો જ્યાં તમે ઇનવિઝિબલ ફોલ્ડર બનાવવા માંગો છો.

સ્ટેપ 2. હવે ફોલ્ડર પર રાઈટ ક્લિક કરો અને પ્રોપર્ટી પસંદ કરો અને કસ્ટમાઇઝ ટેબ હેઠળ ટેબ બદલો આયકન પસંદ કરો અને તમારા ફોલ્ડર માટે ખાલી આયકન પસંદ કરો.

સ્ટેપ 3. હવે ફોલ્ડરનું નામ બદલો, પહેલાથી જ બધા ટેક્સ્ટને સાફ કરો અને હવે 060 ના આંકડાકીય કીબોર્ડ ટાઇપ કરીને ALT બટન દબાવો.

સ્ટેપ 4. હવે ફોલ્ડર ઇનવિઝિબલ થઈ જશે અને ફક્ત તમે તે ફોલ્ડર વિશે જાણશો અને તમે ત્યાં તમારી વ્યક્તિગત ફાઇલોને સાચવવા માટે ફક્ત તે જ ઍક્સેસ કરી શકો છો.

પદ્ધતિ 2: ફોલ્ડર બનાવવું અને તે આંતરિક રૂપે છુપાવી રહ્યું છે

આ પદ્ધતિમાં, તમે ફાઇલ પ્રકારનું નામ બદલવાનું કે બદલવાનું નથી. આ સુવિધા વિન્ડોઝમાં પોતે જ શરૂ કરવામાં આવી છે, તે ઘણાં માટે ખૂબ અજાણ છે. તો આ ઉપયોગી રીતને અનુસરો જે તમારું ફોલ્ડર કોઈ સમયમાં છુપાવશે નહીં.

સ્ટેપ 1. તમે છુપાવવા માંગતા હો તે ફોલ્ડરને પસંદ કરો. તેના પર રાઈટ-ક્લિક કરો અને પ્રોપર્ટીના વિકલ્પને પસંદ કરો જે પોપઅપના છેલ્લા છેલ્લા ભાગમાં સ્થિત છે.

સ્ટેપ 2. હવે તમે પ્રોપર્ટીઝના સામાન્ય ટેબમાં "એટ્રિબ્યુટ્સ" નો વિકલ્પ જોઈ શકો છો. "રીડ ઓન્લી" ને પસંદ ન કરો અને "હિડન" ના વિકલ્પને પસંદ કરો અને "એપ્લાય" અને પછી 'ઑકે' પર ક્લિક કરો

સ્ટેપ 3. ફોલ્ડર ગાયબ થઈ જશે. તે અદૃશ્ય કરતાં વધુ છે, જ્યાં સુધી તમે તેને પાછું લાવશો નહીં ત્યાં સુધી તમે ફરી ફોલ્ડર જોશો નહીં. ચાલો જાણીએ કે તેને કેવી રીતે પાછું લાવવું.

છુપાવેલા ફોલ્ડરને કેવી રીતે લાવવું?

સ્ટેપ 1. ઓર્ગેનાઈઝ માટે જાઓ અને પછી "ફોલ્ડર અને સર્ચ ઓપશન" પર ક્લિક કરો.

સ્ટેપ 2. તમે ત્યાં ફોલ્ડર વિકલ્પો જોઈ શકો છો, તમારે "જનરલ" ટૅબની બાજુમાં ફક્ત "જુઓ" ટેબ પર ક્લિક કરવાની જરૂર છે. તમે ત્યાં "હિડન ફાઇલ્સ અને ફોલ્ડર" વિકલ્પ જોશો, હવે "છુપાયેલા ફાઇલો અને ફોલ્ડર્સ બતાવો" વિકલ્પને બદલો અને લાગુ કરો અને પછી "ઑકે" પર ક્લિક કરો.

સ્ટેપ 3. એકવાર તમે ઓર્ગેનાઈઝ સેવ કરી લો. તમે તમારા છુપાયેલા ફોલ્ડરને હવે જોઈ શકશો, તમે માત્ર વાંચવા માટેના ફીચરને બદલી શકો છો.

પદ્ધતિ 3: ફ્રી હાઇડ ફોલ્ડર પસંદ કરો

સ્ટેપ 1. તમારે તમારા કમ્પ્યુટર પર ફ્રી છુપાવો ફોલ્ડર ડાઉનલોડ કરવાની અને તેને ઇન્સ્ટોલ કરવાની જરૂર છે.

સ્ટેપ 2. ઇન્સ્ટોલ થઈ જાય તે પછી સૉફ્ટવેર ખોલશે અને તમે નીચે જેવી સ્ક્રીન જોશો.

સ્ટેપ 3. હવે તમે "ઍડ" પર ક્લિક કરી લો તે પછી "ઍડ કરો" ને ક્લિક કરવું પડશે તમારે તમારે છુપાવવા માટે જરૂરી ફોલ્ડરને બ્રાઉઝ કરવાની જરૂર છે.

સ્ટેપ 4. હવે ઓકે ક્લિક કરો અને તમે જોશો કે તમારું ફોલ્ડર છુપાશે.

સ્ટેપ 5. હવે જો ફોલ્ડરને અનહાઇડ કરવાની જરૂર હોય તો સૉફ્ટવેર ખોલો અને ફોલ્ડર પર ક્લિક કરો અને "અનહાઇડ" પસંદ કરો.

માય લોકબોક્સનો ઉપયોગ કરવો

માય લોકબોક્સ શ્રેષ્ઠ અને આકર્ષક વિન્ડોઝ ટૂલ છે જે વપરાશકર્તાઓને તેમના કમ્પ્યુટર ફોલ્ડર્સને લૉક અને હાઇડ કરી દે છે. ટૂલ ખૂબ નાના કદમાં ઉપલબ્ધ છે અને તે તમારા મોટાભાગના RAM અને CPU સ્રોતોનો ઉપયોગ કરતું નથી. વપરાશકર્તાઓને ફક્ત ટૂલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની અને પાસવર્ડ બનાવવાની જરૂર છે.

વિન્ડોઝ પર લોકબોક્સ સેટ કર્યા પછી, ટૂલ તમને તે ફોલ્ડર પસંદ કરવા માટે કહેશે જે તમે છુપાવવા માંગો છો. વપરાશકર્તાઓને ફોલ્ડરમાં બ્રાઉઝ કરવાની જરૂર છે અને પછી 'લૉક' બટન પર ટેપ કરો. ટૂલ ફોલ્ડરને છુપાવશે જે તેને સંપૂર્ણપણે અદ્રશ્ય બનાવે છે.

છુપાયેલા ફોલ્ડરને પાછા લાવવા માટે, ટૂલ પસંદ કરો, ફોલ્ડર પસંદ કરો અને પછી 'અનલૉક' પર ફક્ત ટેપ કરો. આ છુપાવેલું ફોલ્ડર પાછું લાવશે. તેથી, સાધન ખરેખર વાપરવા માટે ખૂબ જ સરળ છે અને તે તમારા ફોલ્ડર્સને અદૃશ્ય બનાવે છે.

વિન્ડોઝમાં ઇનવિઝિબલ ફોલ્ડર્સ કેવી રીતે બનાવવું તે માટેની પ્રક્રિયા છે. આ દ્વારા, તમે તમારા પસંદ કરેલા કોઈપણ ડ્રાઇવમાં સરળતાથી ઇનવિઝિબલ ફોલ્ડર્સ બનાવી શકો છો અને કોઈ પણ છુપાયેલા ફોલ્ડરમાં એમ્બેડ કરીને તમારા વ્યક્તિગત ડેટાને સજ્જડ કરી શકો છો. આશા છે કે તમે પોસ્ટને પસંદ કરો, તેને તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં.

14 સપ્ટે, 2018

ભારત રત્ન મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની જયંતી 15 સપ્ટેમ્બરના રોજ આખા દેશમાં એંજિનિયર્સ ડે મતલબ અભિયંતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિવારે ગૂગલે ભારતીય વિકાસના જનક મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની 157મી જયંતી પર ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. 

ભારત રત્ન મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની જયંતી 15 સપ્ટેમ્બરના રોજ આખા દેશમાં એંજિનિયર્સ ડે મતલબ અભિયંતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિવારે ગૂગલે ભારતીય વિકાસના જનક મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની 157મી જયંતી પર ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. 

વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ મૈસૂર (કર્ણાટક)ના કોલાર જીલ્લાના ચિક્કાબલ્લાપૂર તાલુકામાં થયો હતો. વિશ્વેશ્વરૈયા ભારતના જાણીતા સફળ એંજિનિયર વિદ્વાન હતા. 1955માં તેમને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યુ. દક્ષિણ ભારતના મૈસૂર, કર્ણાટકને એક વિકસિત અને સમુદ્ધશાળી ક્ષેત્ર બનાવવામાં એમવીનુ અભૂતપૂર્વ યોગદાન છે. 

 

તેમના પિતાનુ નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનુ નામ વેંકાચમ્મા હતુ. પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. વિશ્વેશ્વરૈયા ઈમાનદારી, ત્યાગ, મહેનત વગેરે જેવા ગુણોથી ભરપૂર હતા. તેમનુ કહેવુ હતુ કાર્ય જે પણ હોય પણ તે આ ઢંગથી કરવામાં આવ્યા હોય કે તે બીજા કાર્યથી શ્રેષ્ઠ હોય.  એટલુ જ નહી તેઓ મૈસૂરના 19મા દિવાન (1912-1918) પણ રહ્યા. 

શું હોય છે હિંદી દિવસ પર? હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરીમાં લખેલી હિંદીને ભારતની અધિકૃત ભાષા તરીકે અપનાવી હતી.ગાંધીજીએ હિંદીને જનમાનસની ભાષા કહી

હાલમાં ભારતમાં 22 ભાષાઓ છે જેમાંથી બે ભાષાઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મળેલી છે. અંગ્રેજી અને હિંદી. વર્ષ 1918 માં ગાંધીજીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા કહ્યુ હતુ. તેને ગાંધીજીએ જનમાનસની ભાષા પણ કહી હતી.

શું હોય છે હિંદી દિવસ પર?

હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

ખાસ વાતો

બોલનારા લોકોની સંખ્યા અનુસાર અંગ્રેજી અને ચીની ભાષા બાદ સમગ્ર દુનિયામાં ચોથી સૌથી મોટી ભાષા છે. પરંતુ તેને સારી રીતે સમજવા, વાંચવા અને લખનારાની સંખ્યા બહુ ઓછી છે. આ જ કારણે એવા લોકો જે હિંદીનું જ્ઞાન ધરાવે છે કે હિંદી ભાષા જાણે છે, તેમને હિંદી પ્રત્યે પોતાનો કર્તવ્ય બોધ કરાવવા માટે આ દિવસને હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. જેથી તે બધા પોતાના કર્તવ્યનું પાલન કરીને હિંદી ભાષાને ભવિષ્યમાં વિલુપ્ત થતાં બચાવી શકે.

સૌજન્ય:
Oneindia gujarati
(Website)

13 સપ્ટે, 2018

343 દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

મેડિકલ સ્ટોર પર માથાનો દુઃખાવો, શરદી, ડાયેરિયા, પેટનો દુઃખાવો જેવી 300થી વધુ દવાઓ હવે નહીં મળશે. કેન્દ્ર સરકારે આ દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી દવાઓમાં કેટલીક દવાઓ એવી છે, જેનાં નામ દરેકને ખબર છે. આ દવાઓ ડૉક્ટરનાં પ્રિસ્ક્રીપ્શન વિના પણ સરળતાથી મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. આ દવાઓનો વ્યવસાય આશરે 4 હજાર કરોડ રૂપિયાનો છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) છે.

દેશમાં આ દવાઓની આશરે 6 હજાર કરોડથી વધુ બ્રાન્ડ છે, જેમાં સેરિડોન, ડીકોલ્ડ, ફેન્સિડિલ, જિંટાપ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ પગલાંથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઈઝર જેવી ઘણી ફાર્મા કંપનીઓને મોટો ફટકો લાગ્યો છે.
આ લિસ્ટમાં 343 દવાઓનો સમાવેશ થાય છે, જેને એબોટ, પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યૂપીન જેવી દવા નિર્માતા કંપનીઓ બનાવે છે. ડ્રગ ટેકનોલોજી એડવાઈઝરી બોર્ડ (DATB)ને મંત્રાલયને આ પ્રકારની સિફારિશ કરી છે. DATBએ સુપ્રિમ કોર્ટ દ્વારા ગત વર્ષે આપવામાં આવેલા આદેશનાં આધારે આ નિર્ણય આપ્યો છે. હવે, સરકારે તેને બેન કરવાની સૂચના આપી છે. જોકે, લાગે છે કે ઘણી કંપનીઓ સરકારનાં આ આદેશને કોર્ટમાં પણ પડકાર આપી શકે છે.
આ 343 દવાઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મેડિકલ સ્ટોર પર તેનું વેચાણ ગેરકાયદેસર ગણાશે. જો કોઈ મેડિકલ સ્ટોર પર આ દવાઓનું વેચાણ કરવામાં આવશે તો ડ્રગ ઈન્સપેક્ટર પોતાનાં તરફથી જે-તે મેડિકલ સ્ટોર સંચાલકની વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી શકે છે.

Sources
Khabar chhe.com
(Website)

IIM અમદાવાદે આ બાબતમાં લંડનની બિઝનેસ સ્કૂલને પણ પાછળ છોડી દીધી

ચોથા ક્રમે છે. અમદાવાદ, બેંગ્લોર અને કોલકાતાની ભારતીય મેનેજમેન્ટ સંસ્થા આ મામલામાં ક્રમશઃ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. અહીંથી ભણીને નીકળનારા વિદ્યાર્થીઓ દુનિયાની અન્ય મેનેજમેન્ટ સંસ્થાઓનાં વિદ્યાર્થીઓની સરખામણીમાં વધુ વેતન મેળવે છે.

દુનિયાની સૌથી નામી મેનેજમેન્ટ સ્કૂલ્સમાં સામેલ લંડનની બિઝનેસ સ્કૂલ આ યાદીમાં 10માં નંબર પર છે. તમામ કારણોમાં કદાચ એક કારણ આ પણ છે કે વિદેશી શિક્ષણ સંસ્થાઓ પરથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહ ઓછો થઈ રહ્યો છે. મંગળવારે રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, બ્રિટનની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

બ્રિટનની માઈગ્રેશન એડવાઈઝરી કમિટીનાં રિપોર્ટ અનુસાર, ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. તેમાં વિદ્યાર્થીઓનું સ્પોન્સર લાઈસન્સ પૂરું થવું, કોર્સ પૂર્ણ થયા બાદ નોકરીની ઓફરમાં બદલાવ અને ભારતીય મીડિયામાં બ્રિટનની શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિકૂળ રિપોર્ટીંગ મોટું કારણ છે. આ ઉપરાંત, ફાયનાન્સિયલ ટાઈમ્સનો રિપોર્ટ પણ મહત્ત્વનાં કારણોમાં સામેલ થઈ શકે છે કે જ્યારે આપણાં દેશમાં જ સારી શિક્ષણ સંસ્થાઓ છે તો પછી વિદેશ શા માટે જવું?

ભારતની મેનેજમેન્ટ સ્કૂલમાંથી પાસઆઉટ વિદ્યાર્થીઓ વિશ્વની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે. IIM કોલકાતામાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા ઈન્દિરા નૂઈ પેપ્સીકોનાં CEO છે. ભારતીય રિઝર્વ બેંકનાં પૂર્વ ગવર્નર અને વર્તમાનમાં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર ઓફ ફાયનાન્સ રઘુરામ રાજને પણ IIM અમદાવાદમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. એક્સિસ બેંકનાં CEO શિખા શર્માએ પણ IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત, IIMમાંથી પાસઆઉટ ઘણી મોટી હસ્તીઓ ભારતીય અને વિદેશી કંપનીઓનો કારભાર સંભાળી રહ્યાં છે.

Source:khabarchhe.com
(Website)