14 સપ્ટે, 2018

શું હોય છે હિંદી દિવસ પર? હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

આજે એટલે કે 14 સપ્ટેમ્બરને ભારતમા હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. હિંદી એક એવી ભાષા છે જેને દુનિયાભરના 258 મિલિયન લોકો બોલે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેવનાગરીમાં લખેલી હિંદીને ભારતની અધિકૃત ભાષા તરીકે અપનાવી હતી.ગાંધીજીએ હિંદીને જનમાનસની ભાષા કહી

હાલમાં ભારતમાં 22 ભાષાઓ છે જેમાંથી બે ભાષાઓને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા મળેલી છે. અંગ્રેજી અને હિંદી. વર્ષ 1918 માં ગાંધીજીએ હિંદી સાહિત્ય સંમેલનમાં હિંદી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા કહ્યુ હતુ. તેને ગાંધીજીએ જનમાનસની ભાષા પણ કહી હતી.

શું હોય છે હિંદી દિવસ પર?

હિંદી દિવસ પર હિંદી પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના હેતુસર ભાષા સમ્માનની શરૂઆત કરવામાં આવી છે. આ સમ્માન પ્રતિવર્ષ દેશના એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે જન-જનમાં હિંદી ભાષાના પ્રયોગ અને ઉત્થાન માટે વિશેષ યોગદાન આપ્યુ છે. આના માટે સમ્માન સ્વરૂપ એક લાખ એક હજાર રૂપિયા આપવામાં આવે છે.

ખાસ વાતો

બોલનારા લોકોની સંખ્યા અનુસાર અંગ્રેજી અને ચીની ભાષા બાદ સમગ્ર દુનિયામાં ચોથી સૌથી મોટી ભાષા છે. પરંતુ તેને સારી રીતે સમજવા, વાંચવા અને લખનારાની સંખ્યા બહુ ઓછી છે. આ જ કારણે એવા લોકો જે હિંદીનું જ્ઞાન ધરાવે છે કે હિંદી ભાષા જાણે છે, તેમને હિંદી પ્રત્યે પોતાનો કર્તવ્ય બોધ કરાવવા માટે આ દિવસને હિંદી દિવસ રૂપે મનાવવામાં આવે છે. જેથી તે બધા પોતાના કર્તવ્યનું પાલન કરીને હિંદી ભાષાને ભવિષ્યમાં વિલુપ્ત થતાં બચાવી શકે.

સૌજન્ય:
Oneindia gujarati
(Website)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો