6 ઑક્ટો, 2018

ઝેરી જીવાણુઓ સામે બાયોલોજીકલ શસ્ત્ર... ''કીડી''


એક દરમાં ૨૦૦ પ્રકારની કીડીઓ રહે છે, સંયુક્ત હુમલો કરતી કીડીઓ ઝેરી જીવાણુઓનો ખાત્મો બોલાવે છે

ખેતીમાં કીડીઓના ઉપયોગની મહત્ત્વતા સમજાવવાની જરૂર છે: રાસાયણિક ખાતર વગર થતા પાકમાં કીડીઓની મહત્ત્વની ભૂમિકા

ફળો બગાડતા જીવાણુઓને  વેઇપર પ્રકારની કીડીઓ ભગાડે છે: વિદેશમાં મોકલાતા મેંગોજેવા ફળોને બગાડતી 'ફ્રૂટ-ફલાઈસ'ને ભગાડે છે

એટલું નિશ્ચિત છે કે વહેલા-મોડા કેમીકલવાળી જંતુ-નાશક દવાઓ બંધ થઇ જશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા જોઇએ તો ૧૯૯૮થી ૨૦૧૩નો સમયગાળો એટલે કે માત્ર ૧૫ વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે.

આની પાછળનું એકમાત્ર કારણ એ છે કે આવા રાસાયણિક ખાતરો વેચવાનું લાયસન્સ આપનારા અને તે વેચનારા બંને પૈસો કમાવવાના આશયથી આ ઝેરી રસાયણો વેચીને કેમીકલ પ્રદૂષણ ફેલાવે છે જેના કારણે કિસાનો તેમજ ગ્રાહકોના  મોત થાય છે.

આપણે સલામત અને આરોગ્યને નુકસાન ના કરે એવા રસાયણો વાળી નવી ટેકનોલોજી વસાવીને જમીનને નુકસાન કરતા જીવાણુઓને ભગાડવાની જરૂર છે. પૃથ્વી પરનું સૌથી નાનું બુધ્ધિશાળી પ્રાણી એટલે કિડી !! આ સુપર પ્રાણી જમીનને નુકસાન કરતા પ્રાણીઓને નિયંત્રણમાં લાવવા મોટી મદદ કરે છે.

જમીનને નુકસાન કરતા જીવાણુઓને નિયંત્રણમાં રાખવા બાયોલોજીકલ કન્ટ્રોલ અસરકારક સાબિત થઇ રહ્યો છે. છેલ્લા ૧૦૦ વર્ષથી આ સંશોધન અસરકારક હોવા છતાં લોકો આ કુદરતી શસ્ત્રને વાપરતા નથી. 

હવે આપણે સમજવું જોઇએ કે જમીનને નુકસાન કરતા તત્વોને અટકાવવા જોઇએ. એક જ દરમાં કીડીની ૨૦૦ પ્રકારની કીડીઓ હોય છે. જમીન બગાડતા તત્વોની આસપાસ આ કીડીઓ રહેતી હોય છે. તે પરાગરજને ફેરવે પણ છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. તે દર વર્ષે લાખો ટન જમીનને વાયુ મિશ્રિત બનાવે છે. કુદરતી રીસાયકલીંગ સિસ્ટમમાં તેનો મહત્વનો ફાળો હોય છે. 

કેટલાક જંતુશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ અનુસાર તેમણે જમીનને બગાડતા જંતુઓનો સામનો કરતા તત્વોનો કે તેને બગાડતા  રસાયણોનો ઉપયોગ કરવો જોઇએ.

આ કીડીઓ જંતુનાશક દવાઓના કારણે અદ્રશ્ય થઇ રહી છે જેના કારણે જમીનને નુકસાન કરતા કેમીકલ તત્વો પાકનો નાશ કરી રહ્યા છે. બાયોલોજીક નિયંત્રણ માટે કીડીનો ઉપયોગ થવો જોઇએ એમ કૃષિ વિષયક મેગેઝીનોમાં માંડ એક ટકો ઉલ્લેખ હોય છે.

અરહસ યુનિવર્સિટીના જંતુશાસ્ત્રી ડૉ. જોઆચીમ ઑફન બર્ગે છેલ્લા એક દાયકાથી કીડીઓ પર અભ્યાસ કર્યો હતો. જર્નલ ઓફ એપ્લાઇડ ઈકોલોજીમાં તેમણે કીડીઓ પરના પોતાના ૭૦ સાયન્ટીફીક પેપર રજૂ કર્યા હતા. આ પેપરમાં તેમણે જમીનને નુકસાન કરતા તત્વોને કીડી કેવી રીતે દૂર કરશે તે બતાવ્યું છે. આ કીડીઓ અસરકારક તેમજ સસ્તો ઉપાય છે એમ આ પેપર્સમાં જણાવાયું છે.

ઑફન બર્ગના જણાવ્યા અનુસાર કીડીઓ સંયુક્ત ભાવનાથી કામ કરે છે અને અસરકારક શિકારી હોય છે. જ્યારે કીડીને કોઇ શિકાર નજર પડે છે કે તરત જ દરમાં રહેતી કીડીઓને બહાર બોલાવવા ખાસ પ્રકારની સ્મેલ છોડે છે. આ લોકો સાથે મળીને મોટા કદના અળસીયા પ્રકારના જીવાણુઓ મારી શકે છે. 

વેવર પ્રકારની (આઇસોફાયલા) કીડીઓ બોલ પ્રકારના ગોળ દર બનાવે છે. આ કીડીઓ ઝાડ પર રહે છે. નજીકના પાંદડા અને ફૂલનું તે અન્ય જીવાતથી રક્ષણ કરે છે. 

દરેક ખેડૂતોએ જંગલમાંથી કીડીઓના દર ઉઠાવી લાવીને તેમના ખેતરના ઝાડ પર એક ઉપરથી ખુલ્લી પ્લાસ્ટીક બેગમાં લટકાવવા જોઈએ. તે નવા માળા બાંધે એટલે તેમના દરની આસપાસ ખાંડનું પાણી છાંટવું જોઈએ. જેથી તે નવા દર બાંધી શકે જ્યારે તે નવા દર બાંધે એટલે કિસાને તેમના દરની પાસે વાંસના ટુકડા બાંધીને તેમને નીચે જમીન પર ઉતારવાની સવલત કરી આપવી જોઈએ.

ત્યારબાદ કીડીઓ વિસ્તરે જાય છે. જો દુકાળ જેવી સ્થિતિ હોય તો જુની પ્લાસ્ટીકની બોટલમાં પાણી મુકવું. આ કીડીઓ વિવિધ દરમાં રહેતી હોવાથી જ્યારે જંતુનાશક દવાનો છંટકાવ થાય છે ત્યારે તે બચી શકે છે.

ચીનના એક આદીકાળ જુના ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે જીઆઓઝી ગામના લોકો કીડીઓને સંવનનથી ભૂખી રાખતા હતા. અને આવી સેક્સ ભૂખી કીડીઓને એક પાંદડા ભરેલા બોક્સમાં રાખીને વેચતા હતા. દક્ષિણમાં ઓરેન્જના ઝાડ પર જો કીડીઓ ના હોય તો એક પણ કૃપ જંતુઓના હુમલાથી બચતું નથી.

ભારત અને ચીનમાં બાયોલોજીકલ કંટ્રોલ ખૂબ મોડે-મોડે શરૂ થયો હતો. ચીન અને બર્મા (મ્યાનમાર)માં ખેડૂતોને કીડીઓના દર વેચવાની પ્રથા છે. કાજુ અને કેરીનો સારો પાક લેવા ઝાડ પર કીડીઓ હોવી જરૂરી છે.

બેનીન, બર્કીના ફાસો, માલી જેવા આફ્રિકી દેશોમાં પણ કાજુ-કેરીના ઝાડ પર કીડીઓ છોડાય છે. ફ્રુટ-ફલાઇસ (ફળો પર બેસતી માખી)ના કારણે થતું નુકશાન કીડીઓના કારણે ઓછું થાય છે.

ખેડૂતો કહે છે કે જે ઝાડ પર કીડીઓ હોય છે ત્યાં સાપ પણ નથી આવતો. તાજેતરમાં પશ્ચિમ આફ્રિકાથી યુરોપ જતાં મેંગો, લીંબું જેવા ફળો બગડે ના એટલે વૅવર કીડીનો ઉપયોગ કરાય છે. તેના ઉપયોગ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. ઓરેન્જને સાચવવા કીડીઓની મદદ લેવાય છે. જે ખેડૂત કીડીઓનો ઉપયોગ કરે છે તેને જંતુનાશક દવાઓના ઉપયોગની જરૂર નથી પડતી. મકાઈ અને શેરડીના પાક માટે જમીનમાં રહેતી કીડીઓનો ઉપયોગ થાય છે.

શિયાળામાં સફરજનના પાક માટે પણ કીડીઓનો ઉપયોગ થાય છે. કેટલીક કીડીઓ એન્ટીબાયોટીક્લ પેદા કરી શકતી હોઈ તે મહત્ત્વની બની જાય છે. ૧૯૫૨માં જંતુ શાસ્ત્રી સ્વાન્ઝીએ ઝાંઝીબારમાં લીલા નાળીયેર પર થતા ગમીંગ નામના રોગ પર સંશોધન કર્યું હતું. આ એક એવા પ્રકારના 'જીવાણુ' હતા કે જે નાળીયેરની છાલમાં ઘુસીને પાણી બગાડતા હતા.

 આ બગને મારવા 'ઓસીઓફાયલા લોંગીન્ડા' નામની લાલ મોટી કીડી અસરકારક સાબિત થઈ હતી. કોકાના પ્લાંટેશનમાં પણ લાલ મોટી કીડી ખૂબ ઉપયોગી બની હતી. 'ઓસીઓ ફાયલા સ્મરાગડીના' પ્રકારની કીડીઓ કાજુનો પાક બગડતો અટકાવે છે. યુકોલીપ્ટસના ઝાડના રક્ષણ માટે પણ વેઇપર પ્રકારની કીડીઓ વપરાય છે.

યુરોપના જંગલોમાં ફોર્મીકા પ્રકારની કીડીઓ છોડવા બચાવે છે. જર્મની તેનો ઉપયોગ ૧૯મી સદીથી કરે છે. કીડીઓનો વિસ્તાર વધવા દેવો જોઈએ. ખેડૂતોને તાલીમ આપતી સંસ્થાઓએ કીડીઓના મહત્તમ ઉપયોગ અંગે સમજાવવું જોઈએ. કૃષિ યુનિવર્સિટીએ પણ કોલેજના અભ્યાસક્રમમાં કીડીના ઉપયોગનું ચેપ્ટર ઉમેરવું જોઈએ.

પશ્ચિમ આફ્રિકામાં 'વૅવર ઍન્ટ હસબંડરી'નામનો વિષય ભણાવાય છે. આપણે શા માટે આવું નથી કરતા ?

સંવેદના - મેનકા ગાંધી

સૌજન્ય:ગુજરાત સમાચાર

Truecallerમાંથી પોતાનો નંબર કાઢી નાંખવો છે? આ રહી PROCESS

 આપણે ઓળખતા નથી હોતા. તેથી કોણે કૉલ કર્યો એ જાણવા લોકો એમને સામેથી ફોન કરતા હોય છે. પરંતુ હવે અનનૉન નંબરથી આવેલા કૉલ વિશે જાણવા માટે Truecallerની મદદ પણ લેવામાં આવે છે. Truecaller એક એવી એપ છે જે તમને અજાણ્યાં ફોન નંબરને ઓળખવામાં મદદ કરે છે.

ઘણીવાર Truecaller યૂઝર્સ પોતાનો ડેટા ડિલીટ કરવા માગે છે પણ કરી નથી શકતાં. ખરેખર તો આ ડેટા ડિલીટ કરવાનું બહુ સરળ છે. બસ થોડી ટિપ્સ ફોલો કરીને નંબર અને ડેટાને ડિલીટ કરી શકાય છે. અહીં એની પ્રોસેસ સમજાવી છે.

- સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં Truecaller એપ ડાઉનલોડ કરીને ખોલો. યૂઝરે એપમાં પોતાના એકાઉન્ટથી લૉગ ઇન કરવાનું રહેશે. એકવાર લૉગ ઇન થઈ ગયા પછી તમારે Truecallerના સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં જઈને એકાઉન્ટમાં ડિએક્ટિવેટનું ઓપ્શન દેખાય એટલે એના પર ક્લિક કરો.

- એ પછી યુઝર્સે www.truecaller.com/unlisting લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં પોતાના દેશનું નામ સિલેક્ટ કરીને પોતાનો ફોન નંબર નાંખો. એ પછી કેપ્ચા નાંખો. આમ કરવાથી Truecallerમાંથી તમારો નંબર દૂર થઈ દશે. ઉલ્લેખનીય છે કે કંપની ફોન નંબર દૂર કરવા માટે 24 કલાકનો સમય લે છે.

સ્ત્રીઓ પોતાના ડાયેટમાં લે આ ન્યૂટ્રીશસ ફૂડ, નહી થાય હેલ્થ પ્રોબ્લેમ્સ

શરીર છે તો શારીરિક તકલીફો પણ રહેવાની જ છે. તેમાંય સ્ત્રીઓ પોતાની હેલ્થને લઇને વધારે લાપરવાહ હોય છે. પરંતુ જો સ્ત્રીઓ તેમના રોજિંદા ડાયેટમાં ન્યૂટ્રીશસ ફૂડ આઈટમનો સમાવેશ કરી લે તો ઘણી તકલીફોને દૂર થઇ શકે છે.

આ પદાર્થોને દરેક વયજૂથની મહિલા પોતાના ડાયેટમાં લઇ શકે છે. અહીં એવા જ કેટલાક પદાર્થો વિશે વાત કરવામાં આવી છે.

સ્ત્રીઓમાં ઉંમરના દરેક તબક્કે શારીરિક ફેરફારો આવતાં હોય છે. એ જ કારણ છે કે ઉંમરના દરેક તબક્કે એમને અલગ-અલગ પ્રકારના આહારની જરૂર પડે છે.

પીરિયડસ, પ્રેગ્નન્સી, મેનોપોઝના ફેઝમાં એમને વધારે પોષણની જરૂર હોય છે. આવા સમયે એમનો ખોરાક એવો હોવો જોઈએ જે એમની પોષણની જરૂરીયાતોને પૂર્ણ કરે છે. આ પદાર્થો ભાવે કે ના ભાવે એનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ખજૂર
ખજૂર, આયરન અને પોટેશિયમનો સારો સોર્સ છે. સાથે જ એનાથી મહિલાઓમાં લેક્ટેશન ઇમ્પ્રૂવ થવાથી પૂરતા પ્રમાણમાં દૂધ આવે છે અને બાળકને ફીડિંગ કરાવવામાં તકલીફ નથી પડતી. રોજે બે કે ત્રણ ખજૂર ખાવાથી મહિલાઓની ફર્ટિલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે.

તલ
સ્ત્રીઓ માટે કાળા અને સફેદ એમ બંને તલ ખૂબ જ લાભદાયી છે. એના લાડુ બનાવીને ખાઓ, કાચા ખાઓ કે પછી શાકમાં નાંખીને ખાવ પણ ખાઓ જરૂર. તેમાં પ્રચૂર પ્રમાણમાં રહેલું આયરન અને ફૉલિક એસિડ સ્ત્રીઓને એનિમિયા સામે રક્ષણ પૂરું પાડે છે. સાથે જ તેમાં રહેલું નાયસિન, બૅડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. તલમાં રહેલાં કેલ્શિયમ અને ઝિંક હાડકાઓના ઘનત્વને વધારે છે અને પ્રી કે પોસ્ટ મેનોપોઝના સમયમાં થતાં ઑસ્ટિયોપોરોસિસથી બચાવે છે.

પપૈયુ
સ્લિમ અને ફિટ રહેવાની ઇચ્છા કઇ સ્ત્રીને નથી હોતી. રોજે એક બાઉલ પપૈયુ ખાવાથી પાતળા થવું શક્ય બને છે. વાત એમ છે કે એમાં રહેલાં ફાઈબર્સ પેટ ભરાઈ જવાનો અહેસાસ જલદી કરાવી દે છે અને એનાથી એકસ્ટ્રા ફેટ પણ બર્ન થાય છે. પીરિયડસના દુખાવાને પણ એ ઘટાડે છે. એક અભ્યાસ મુજબ તો પપૈયુ યુવાન સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. જો કે સગર્ભા સ્ત્રીઓએ ક્યારેય પપૈયુ ના ખાવું જોઈએ.

સ્ટ્રોબેરી
ક્વરસેટિન, લ્યૂટિન, જિક્સૈથિન, ઇલૈજિક એસિડ, કીંપફેરોલ અને એન્થોસાયનિન જેવા એન્ટીઑક્સીડન્ટસથી ભરપૂર સ્ટ્રૉબેરી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે અને મધ્યમ વયજૂથની મહિલાઓના હાર્ટને  ડેમેજ થતા અટકાવે છે. આ ફળમાં રહેલા બાયોટિન વાળ અ નખને મજબૂત બનાવે છે. સાથે જ આલ્ફા હાઈડ્રોક્સી એસિડ ડેડ સ્કિનને રિમૂવ કરે છે.

બ્રોકોલી
રોજે અડધો કપ બ્રોકોલી કાચી, બાફેલી કે શેલો ફ્રાઈ કરીને ખાવાથી બ્રેસ્ટ, ઓવેરિયન અને યૂટેરિન કેન્સરનુ જોખમ ખાસ્સું ઓછુ થઇ જાય છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ બ્રોકોલીમાં રહેલાં એન્ટીઑક્સીડન્ટ ઇસોથિયો સાઈનેટ શરીરમાંથી એકસ્ટ્રા ઇસ્ટ્રોજન હાર્મોનને કાઢી નાંખે છે. સાથે જ એમાં રહેલાં વિટામિન સી, એમિનો એસિડ અને સલ્ફર શરીરના ડિટૉક્સીફિકેશનમાં મદદ કરે છે. એટલું જ નહીં આ ગુણકારી શાકમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.

જાણો... કેળાની છાલના ફાયદા

આપણા વડીલો હંમેશાથી કહેતા આવ્યા છે કે ફળોને હંમેશા એમની છાલ સાથે જ ખાવા જોઈએ પરંતુ આપણામાંથી કેટલા લોકો એમની વાતને માનતા હશે એ ચર્ચાનો વિષય છે. 

તેમાંય કેળાની વાત આવે તો તો છાલ ખાવાનો કોઈ વિચાર પણ ના કરે પરંતુ જો તમે પણ એવુ જ કરતા હોવ તો આ લેખ અવશ્ય વાંચી લો કારણ કે તમે જે વસ્તુને ફેંકી રહ્યાં છો એમાં ગુણોનો ભંડાર છે અને એની ખાસિયતથી તમે અજાણ છો.

કેળાની છાલ તમારા શરીરને પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રીએન્ટ્સ આપવાની સાથે વજન પણ ઘટાડે છે. હા, કેળુ એક એવુ ફળ છે. જેમાં પ્રચુર માત્રામાં વિટામિન બી-6, બી-12 તેમજ મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. તે ફાઈબરનો સારો સ્ત્રોત છે. જે તમારી પાચનક્રિયાને સરખી કરવામાં મદદરૂપ થાય છે.

જાણો... કેળાની છાલના ફાયદા

- કેળાની છાલમાં વિટામિન-એની હાજરી જોવા મળે છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરીને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

- કેળાની છાલમાં રહેલું લુટીન આંખમાં મોતિયો આવતા રોકે છે.

- કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડન્ટ હોવાની સાથે સાથે વિટામિન બી અને વિટામીન બી-6 હોય છે.

- એમાં ઓગળનારા અને ના ઓગળનારા ફાઈબર હોય છે. જે પાચન ક્રિયાનું કામ ધીમું કરીને શરીરમાંથી કોલેસ્ટેરોલને ઘટાડે છે.

- કેળાની છાલ ખાવાથી તમારા શરીરને જરૂરી પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે.

- કેળાની છાલ ખાવાથી તમે પોટેશિયમ અને મેગ્નેશિયમ મેળવી શકો છો, જે બ્લડ પ્રેશરને જાળવી રાખવામાં મદદ કરે છે.

- કેટલાક અભ્યાસ કહે છે કે છાલમાં રહેલો સેરોટોનિન નામનો પદાર્થ ડિપ્રેશનને કાબૂમાં રાખીને તેમને ખુશ રાખે છે. આ સિવાય તેમાં રહેલું ડોપામાઈન હૃદયના ધબકારાને કંટ્રોલમાં રાખીને કિડનીમાં લોહીનો પ્રવાહ જાળવી રાખે છે.

- જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેવાં કેળાની છાલ ખાવી જોઈએ. આ કેળુ પાકેલું હોવું જોઈએ કે કાચુ હોવું જોઈએ. જાપાની સાયન્ટિફિક રિસર્ચનું કહેવું છે કે પીળી છાલમાં એન્ટી કેન્સર ગુણ હોય છે, જે વ્હાઈટ બ્લડ સેલ્સને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. જો તમારે આહારમાં કેળાની લીલી છાલ લેવી હોય તો એને નરમ કરવા માટે એને 10 મિનિટ ઉકાળો. એ પછી એનો ઉપયોગ કરો.

એક અભ્યાસ મુજબ લીલી છાલમાં ટ્રિપટોફન નામનો પદાર્થ હોય છે, જે એક એમિનો એસિડ છે. જેના લીધે રાતે સારી ઊંઘ આવે છે.

5 ઑક્ટો, 2018

વજન ઘટાડવું હોય તો આ હેલ્થ ડ્રિંક્સની લો મદદ


વજન ઘટાડવાની વાત આવે ત્યારે મગજમાં સૌથી પહેલો વિચાર ડાઈટિંગ કરવાનો જ આવે છે પરંતુ ડાયેટિંગમાં માત્ર ખાવાની વસ્તુઓ પર જ નહીં પણ કેટલીક પીવાની વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

ઘણાં શરબત એવાં હોય છે જે આપણાં મેટાબોલિઝમને નિયંત્રણમાં રાખે છે, જેથી ભૂખ ઓછી લાગે છે. જો કે એ જાણવું બહુ જરૂરી છે કે તમારે કયું શરબત પીવું જોઈએ કારણ કે કેટલાંક શરબત વજન વધારે છે તો કેટલાક શરબત વજન ઘટાડે છે.

લીંબુ, મધ અને પાણી

વજન ઘટાડવા માટે સૌથી વધારે અને સૌથી પહેલા આની જ સલાહ આપવામાં આવે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરીને રોજે સવારે પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

લીંબુ અને કૉફી

કૉફીમાં વજન ઘટાડવાના ગુણ રહેલા છે. બ્લેક કૉફીની સાથે લીંબુનો રસ મિક્સ કરીને એક્સર્સાઈઝ કરતાં પહેલા પીઓ. આનાથી મેટાબોલિઝમ સુધરે છે.

હળદરવાળું દૂધ

શરદીમાં રાહત આપતું હળદરવાળું દૂધ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. એ સીધા એ જીન પર કામ કરે છે જે શરીરમાં ફેટ જમા થતાં રોકે છે. એનાથી શરીર પર સોફ્ટ થાય છે. 

આદૂ, લીંબુ અને પાણી

પેટની ચરબી ઘટાડવામાં આદુ બહુ લાભદાયી છે. આદુમાં જિનજેરોલ્સ, બીટા-કેરોટિન અને કૈફિક એસિડ હોય છે. તદુપરાંત એમાં એન્ટી-ઑક્સીડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી પ્રોપર્ટીઝ હોય છે.

કોકમનો જ્યૂસ

સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં સ્વાદ વધારવામાં વપરાતી આ વસ્તુ વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે. કોકમને આખી રાત પાણીમાં પલાળો અને સવારે એને ઉકાળી લો. સવારે જ્યૂસ પી લો.

જીરાનું પાણી

જીરાનું પાણી શરીરમાં ગરમી પેદા કરે છે. તેથી જ આને પીવામાં સાવચેતી રાખવી જોઈએ કે તે વધારે પ્રમાણમાં ના પીવાઈ જાય. એક ચમચી જીરાને પાણીમાં ઉકાળીને પીવો.

એલોવેરા જ્યૂસ

બજારમાં ઘણી બ્રાન્ડના એલોવેરા જ્યૂસ મળે છે. તેમાં વિટામિન એ અને સી હોય છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

પાણી અને એપલ સીડનો સરકો

એપલ સીડનો સરકો એક પ્રકારનું એસિડ હોય છે. તે શરીરમાં એક નિયંત્રણ બનાવે છે. એક ચમચી સરકાને થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને રોજે સવારે પીવાથી વજનમાં ઘટાડો થાય છે.

છાશ

છાશ ગરમીથી છુટકારો મેળવવાનો એક સારો ઉપાય છે. એમાં રહેલાં પ્રોટીનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. છાશમાં શુદ્ધ પ્રોટીન હાજર હોય છે. દિવસ દરમિયાન ભૂખ લાગે તો તળેલી વસ્તુઓ ખાવાને બદલે છાશ પીવી જોઈએ.

ઇલાયચી પાણી

ઇલાયચીનું પાણી વજન ઘટાડવામાં અક્સીર સાબિત થાય છે પણ એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આને પીવાથી ના માત્ર વજન ઉતરે છે પણ ત્વચાનો નિખાર પણ વધે છે. 

સૌજન્ય: ગુજરાત સમાચાર

ઈન્ટરનેટ વિના કરી શકાશે Mail, જાણો Gmailના 5 નવાં ફિચર્સ


ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગમાં જીમેલના આ નવા ફિચર્સ વિશે ઘણુ બધુ જણાવ્યુ છે. જે તમારે પણ જાણી લેવું જોઈએ, જેથી ઈમેલ્સનું મેનેજમેન્ટ કરવાનું આપણાં સૌ માટે સરળ બની જાય.

1. ઈન્ટરનેટ વિના પણ કરી શકાશે જીમેલનો ઉપયોગ

જી હા, આ ચોંકાવનારી સગવડ જીમેલ પોતાના યુઝર્સને આપી રહ્યું છે. તમે ઓફિસમાં હોવ કે ઘરની બહાર ગમે ત્યાં હોવ જો તમારે જીમેલ વાપરવું હોય તો તમારે જીમેલ એકાઉન્ટમાં ઓફલાઈન મોડ એક્ટિવેટ કરી દેવો. આ માટે એકાઉન્ટ લોગ ઈન કર્યા પછી આ લિંક પર જાઓ - https://mail.google.com/mail/u/0/#settings/offline અથવા તો જીમેલમાં ગિયાર આઈકૉન પર ક્લિક કરીને સેટિંગ્સ અને પછી ઓફલાઈન મોડમાં જાઓ.

આ મોડને એક્ટિવેટ કર્યાં પછી તમે ઈન્ટરનેટ વગર પણ ઇમેલનો યૂઝ કરી શકશો. આ માટે તમારે તમારા બ્રાઉઝરમાં mail.google.com લિંક પર બુકમાર્ક કરી લેવું જોઈએ. આ મોડથી મોકલવામાં આવેલો કોઈપણ નવો મેલ કે રિપ્લાય ઇન્ટરનેટથી કનેક્ટ થતાં જ આપમેળે સેન્ડ થઈ જશે.

2. જીમેલ કહેશે કે કયા મેલ છે ઈમ્પોર્ટટન્ટ

જીમેલનું આ નવું ફિચર મશીન લર્નિંગ પ્રોગ્રામના આધારે યુઝર્સની હેબિટ કે ખાસ કોન્ટેક્ટના ઈમેલ પર નવું હાઈલાઈટર બનાવી દેશે. જેથી ઈનબૉક્સ પર જતાં જ યુઝરને ખ્યાલ આવી જશે કે એણે કયો મેલ પહેલા વાંચવો જોઈએ કે એનો રિપ્લાય આપવો જોઈએ. જો તમારી પાસે એને વાંચવાનો કે રિપ્લાય આપવાનો ટાઈમ ના હોય તો એ મેલને મોબાઈલ એલાર્મની જેમ થોડાં સમયે સ્નૂઝ કરી શકો છો.

3. સ્માર્ટ કંપોઝ ફિચરથી ઈમેલ લખવાનું અને રિપ્લાય આપવાનું સહેલું થઈ જશે

જીમેલનું આ નવું ફિચર તાત્કાલિક રિપ્લાય માટે સુપર છે. મેલ બૉક્સમાં તમને નવો મેલ લખવા માટે સ્માર્ટ કંપોઝ અને રિપ્લાય માટે સ્માર્ટ રિપ્લાય એમ બે ઓપ્શન દેખાશે. આના થકી ગૂગલ AIનો ઉપયોગ કરીને તમને લખાણ માટેના વાક્યો પણ સજેસ્ટ કરશે.

4. ઈનબૉક્સને બંધ કર્યા વિના બીજા કામો કરી શકાશે

આ નવા ફિચરની ખાસિયત એ છે કે તેમાં તમે મેલ વાંચતી વખતે અચાનક કોઈ કામ યાદ આવે તો વાંચનને છોડીને કેલેન્ડરથી લઇને ગૂગલની બીજી તમામ સર્વિસિસનો ઉપયોગ કરી શકશો. મહત્વની વાત એ છે કે આ બીજી સર્વિસિસનો ઉપયોગ કર્યાં છતાં તમારું ઇનબૉક્સ એમને એમ ઓપન રહેશે.

5. તમારી અંગત માહિતી રહેશે સુરક્ષિત

તમારામાંથી કોઈ એવું નહીં હોય જેમને ક્યારેય સ્પેમ મેલ કે વાયરસ એટેચમેન્ટવાળા ઇમેલ્સ ના આવ્યાં હોય. આવામાં ગૂગલ હવે યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને દમદાર એલર્ટ મેસેજ આપશે. એટલે કે જો કોઈ સ્પેમ, પિશિંગ ઇમેલ કે વાયરસ એટેચમેન્ટ મેલ ખોલવાનો ટ્રાય કરો તો ગૂગલ પેજ પર લાલ રંગનો એલર્ટ મેસેજ દેખાશે, જેથી તમે એ મેલના જોખમથી બચી શકો.

સૌજન્ય:ગુજરાત સમાચાર

નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી શક્તિ- ઉપાસનાનો મહિમા

યોગવશિષ્ઠ મહારામાયણમાં ' શક્તિ' વિશે કહેવાયું છે- ' સર્વશક્તિ યુક્ત બ્રહ્મ બધાનો ઇશ્વર છે. જે શક્તિ દ્વારા તે પ્રકટ થવા માગે છે તે દૃષ્ટિગોચર થઈ જાય છે. તે પરમ આકાશ (અનંત તત્વ) જેને મેં ચેતન સ્વરૂપ (બ્રહ્મ) દર્શાવ્યું છે, શિવ પણ કહેવાય છે. તે સનાતન છે. એમની મનોમયી સ્પન્દ શક્તિ (ક્રિયા શક્તિ)ને એમનાથી અભિન્ન સમજો. 

તે બ્રહ્મની સ્પન્દ શક્તિ રૂપી ઇચ્છા જ દૃશ્યમાન પદાર્થોનો વિસ્તાર કરે છે. હે રામ ! તે પરમેશ્વરી શિવેચ્છા જે અનાદિ સ્પંદન શક્તિ છે. 

તે પ્રકૃતિ અને જગન્માયા પણ કહેવાય છે. એટલા માટે જગતના બધા પદાર્થ શિવ-શક્તિના કોશમાં રહેલા છે. બધા સત્ય છે અને પરમ તત્વ (શિવ) એમનો આત્મા છે. એના સિવાય બીજું શું કહી શકાય ?'

એકવાર ભગવાન શંકરે જ પાર્વતીને કહ્યું હતું - ' શક્તિ' વિના મહેશાનિ સદાહં શવરૂપક:।

શક્તિ યુક્તો યદા દેવી શિવોડહં સર્વકામદ: ।।

હે મહેશ્વરી ! (તમારી) શક્તિ વિના હું હમેશાં શબ (શવ) સમાન જ છું, હું જ્યારે (તમારી) શક્તિથી યુક્ત હોઉં છું ત્યારે જ બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર 'શિવ'રૂપ રહું છું. એ રીતે શ્રી દેવી ભાગવતમાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે- ' બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે આ વાત લોકપ્રસિધ્ધ છે. 

પરંતુ તમારી ઇચ્છાથી જ અમારામાં શક્તિ આવે છે. ત્યારે જ અમે આ કાર્ય કરવામાં સમર્થ બનીએ છીએ.' બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું રૂપ ધારણ કરી તમે જે જગતની રચના કરો છો તે સંપૂર્ણ ચરાચર જગત તમે જ બની જાઓ છો. તમે તમારી રૂચિને અનુરૂપ કૂતુહલથી વિવિધ રૂપ ધારણ કરી લીલા વિલાસ કરો છો અને શાંતિ થઈ જાઓ છો.'

એ રીતે ભગવતી ઉમા સ્વયં કહે છે- ' હું બધા જ દેવોમાં વિભિન્ન નામ ધારણ કરીને રહું છું. હું જ શક્તિ રૂપે પરાક્રમ કરું છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌબેરી, નારસિંહી અને વાસવી- બધી શક્તિઓ હું જ છું.' ' હે બ્રહ્માજી ! જો હું કોઈને ત્યજી દઉં તો તે કોઈ ક્રિયા કરવા સમર્થ ના રહે. 

તે હલનચલન કરવા  કે શ્વાસ લેવાય સમર્થ ન રહે. મારા શક્તિ તત્વથી પૃથક થઈ જાય તો શિવજી પણ દૈત્યોને મારવા સમર્થ ન રહે. હું કોઈપણ માનવીના શરીરથી અળગી થઈ જઉં તો એને ' શક્તિહીન' તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એને 'રુદ્રહીન' કે 'વિષ્ણુહીન' કહીને બોલાવતું નથી ! એટલા માટે મને શક્તિને જ બધાની સત્તા, ક્રિયાશીલતા અને સિદ્ધિઓનું એકમાત્ર કારણ સમજો.

હે બ્રહ્માજી ! જ્યારે તમે સૃષ્ટિના સર્જનની ઇચ્છા કરો છો તે વખતે જ્યારે હું સાથ આપું છું ત્યારે જ તમે જગતની રચના કરી શકો છો. એ જ રીતે વિષ્ણુ, શિવ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, યમ, ત્વષ્ટા, વરુણ અને વાયુ બધા મારી શક્તિના સહયોગથી જ સફળતા પામે છે. પૃથ્વી શક્તિથી યુક્ત હોય છે. ત્યારે જ તે સ્થિર રહીને બધાને ધારણ કરી શકે છે શક્તિ ન રહે તો તે એક પરમાણુને પણ ધારણ ન કરી શકે.'

શિવ- શક્તિ સદા સંયુકત છે. શિવ પરમ બ્રહ્મ વિના શક્તિ કંઈ ન કરી શકે અને શક્તિ (ઉર્જા) વિના શિવ કંઈ ન કરી શકે. એટલે જ અર્ધનારીશ્વરનું રૂપ અસ્તિત્વમાં આવ્યું છે. સત્, ચિત્, આનંદ ઇશ્વરના આ ત્રણ રૂપોમાં આનંદ સ્વરૂપ, સામ્યાવસ્થા, અક્ષુબ્ધ ભાવ ભગવાન શિવનું છે. મનુષ્ય પણ ઇશ્વરનો અંશ છે એટલે એનામાં પણ આ ત્રણ સ્વરૂપ વિદ્યમાન છે. એનું સ્થૂળ શરીર એ સત્નો અંશ છે એની બાહ્ય ચેતના એ ચિત્ તત્વનો અંશ છે. 

જ્યારે આ બન્ને મળીને પરમાત્માના સ્વરૂપની પૂર્ણ ઉપલબ્ધિ કરાવે છે. ત્યારે તેને આનંદ અંશની અનુભૂતિ થાય છે. બીજી રીતે જોઈએ તો ઇશ્વરનું સત્સ્વરૂપ એમનું માતૃસ્વરૂપ છે અને ચિત્સ્વરૂપ પિતૃસ્વરૂપ છે. ત્રીજું આનંદ સ્વરૂપ એ છે જેમાં માતૃભાવ અને પિતૃભાવ બન્નેનું પૂર્ણરૂપે સામંજસ્ય થઈ જાય છે. 

શિવ અને શક્તિ બન્ને મળીને અર્ધનારીશ્વર રૂપમાં આપણી આગળ પ્રકટ થાય છે. એમાં સત્- ચિત્ની સાથે એમના આનંદરૂપના પણ દર્શન થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને ઇશ્વરની પ્રતિકૃતિ છે. સ્ત્રી એમનું સદ્રૂપ છે. તો પુરુષ ચિદ્રૂપ છે. બન્ને એકમેક વિના અધૂરા છે. જ્યારે એ બન્ને પૂર્ણરૂપે મળીને એક થાય છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. અર્ધનારીશ્વરનો આવો અદ્ભુત મહિમા છે. ઉમા મહેશ્વર, ઇશ્વર- પાર્વતી, અર્ધનારીશ્વર, ગણ- ગૌરિ વગેરે સ્વરૂપોની સાધના કરવા પાછળ આ અર્થ છૂપાયેલો છે.
સૌજન્ય:ગુજરાત સમાચાર