એક દરમાં ૨૦૦ પ્રકારની કીડીઓ રહે છે, સંયુક્ત હુમલો કરતી કીડીઓ ઝેરી જીવાણુઓનો ખાત્મો બોલાવે છે
ખેતીમાં કીડીઓના ઉપયોગની મહત્ત્વતા સમજાવવાની જરૂર છે: રાસાયણિક ખાતર વગર થતા પાકમાં કીડીઓની મહત્ત્વની ભૂમિકા
ફળો બગાડતા જીવાણુઓને વેઇપર પ્રકારની કીડીઓ ભગાડે છે: વિદેશમાં મોકલાતા મેંગોજેવા ફળોને બગાડતી 'ફ્રૂટ-ફલાઈસ'ને ભગાડે છે
એટલું નિશ્ચિત છે કે વહેલા-મોડા કેમીકલવાળી જંતુ-નાશક દવાઓ બંધ થઇ જશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા જોઇએ તો ૧૯૯૮થી ૨૦૧૩નો સમયગાળો એટલે કે માત્ર ૧૫ વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે.
આની પાછળનું એકમાત્ર કારણ એ છે કે આવા રાસાયણિક ખાતરો વેચવાનું લાયસન્સ આપનારા અને તે વેચનારા બંને પૈસો કમાવવાના આશયથી આ ઝેરી રસાયણો વેચીને કેમીકલ પ્રદૂષણ ફેલાવે છે જેના કારણે કિસાનો તેમજ ગ્રાહકોના મોત થાય છે.
આપણે સલામત અને આરોગ્યને નુકસાન ના કરે એવા રસાયણો વાળી નવી ટેકનોલોજી વસાવીને જમીનને નુકસાન કરતા જીવાણુઓને ભગાડવાની જરૂર છે. પૃથ્વી પરનું સૌથી નાનું બુધ્ધિશાળી પ્રાણી એટલે કિડી !! આ સુપર પ્રાણી જમીનને નુકસાન કરતા પ્રાણીઓને નિયંત્રણમાં લાવવા મોટી મદદ કરે છે.
જમીનને નુકસાન કરતા જીવાણુઓને નિયંત્રણમાં રાખવા બાયોલોજીકલ કન્ટ્રોલ અસરકારક સાબિત થઇ રહ્યો છે. છેલ્લા ૧૦૦ વર્ષથી આ સંશોધન અસરકારક હોવા છતાં લોકો આ કુદરતી શસ્ત્રને વાપરતા નથી.
હવે આપણે સમજવું જોઇએ કે જમીનને નુકસાન કરતા તત્વોને અટકાવવા જોઇએ. એક જ દરમાં કીડીની ૨૦૦ પ્રકારની કીડીઓ હોય છે. જમીન બગાડતા તત્વોની આસપાસ આ કીડીઓ રહેતી હોય છે. તે પરાગરજને ફેરવે પણ છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. તે દર વર્ષે લાખો ટન જમીનને વાયુ મિશ્રિત બનાવે છે. કુદરતી રીસાયકલીંગ સિસ્ટમમાં તેનો મહત્વનો ફાળો હોય છે.
કેટલાક જંતુશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ અનુસાર તેમણે જમીનને બગાડતા જંતુઓનો સામનો કરતા તત્વોનો કે તેને બગાડતા રસાયણોનો ઉપયોગ કરવો જોઇએ.
આ કીડીઓ જંતુનાશક દવાઓના કારણે અદ્રશ્ય થઇ રહી છે જેના કારણે જમીનને નુકસાન કરતા કેમીકલ તત્વો પાકનો નાશ કરી રહ્યા છે. બાયોલોજીક નિયંત્રણ માટે કીડીનો ઉપયોગ થવો જોઇએ એમ કૃષિ વિષયક મેગેઝીનોમાં માંડ એક ટકો ઉલ્લેખ હોય છે.
અરહસ યુનિવર્સિટીના જંતુશાસ્ત્રી ડૉ. જોઆચીમ ઑફન બર્ગે છેલ્લા એક દાયકાથી કીડીઓ પર અભ્યાસ કર્યો હતો. જર્નલ ઓફ એપ્લાઇડ ઈકોલોજીમાં તેમણે કીડીઓ પરના પોતાના ૭૦ સાયન્ટીફીક પેપર રજૂ કર્યા હતા. આ પેપરમાં તેમણે જમીનને નુકસાન કરતા તત્વોને કીડી કેવી રીતે દૂર કરશે તે બતાવ્યું છે. આ કીડીઓ અસરકારક તેમજ સસ્તો ઉપાય છે એમ આ પેપર્સમાં જણાવાયું છે.
ઑફન બર્ગના જણાવ્યા અનુસાર કીડીઓ સંયુક્ત ભાવનાથી કામ કરે છે અને અસરકારક શિકારી હોય છે. જ્યારે કીડીને કોઇ શિકાર નજર પડે છે કે તરત જ દરમાં રહેતી કીડીઓને બહાર બોલાવવા ખાસ પ્રકારની સ્મેલ છોડે છે. આ લોકો સાથે મળીને મોટા કદના અળસીયા પ્રકારના જીવાણુઓ મારી શકે છે.
વેવર પ્રકારની (આઇસોફાયલા) કીડીઓ બોલ પ્રકારના ગોળ દર બનાવે છે. આ કીડીઓ ઝાડ પર રહે છે. નજીકના પાંદડા અને ફૂલનું તે અન્ય જીવાતથી રક્ષણ કરે છે.
દરેક ખેડૂતોએ જંગલમાંથી કીડીઓના દર ઉઠાવી લાવીને તેમના ખેતરના ઝાડ પર એક ઉપરથી ખુલ્લી પ્લાસ્ટીક બેગમાં લટકાવવા જોઈએ. તે નવા માળા બાંધે એટલે તેમના દરની આસપાસ ખાંડનું પાણી છાંટવું જોઈએ. જેથી તે નવા દર બાંધી શકે જ્યારે તે નવા દર બાંધે એટલે કિસાને તેમના દરની પાસે વાંસના ટુકડા બાંધીને તેમને નીચે જમીન પર ઉતારવાની સવલત કરી આપવી જોઈએ.
ત્યારબાદ કીડીઓ વિસ્તરે જાય છે. જો દુકાળ જેવી સ્થિતિ હોય તો જુની પ્લાસ્ટીકની બોટલમાં પાણી મુકવું. આ કીડીઓ વિવિધ દરમાં રહેતી હોવાથી જ્યારે જંતુનાશક દવાનો છંટકાવ થાય છે ત્યારે તે બચી શકે છે.
ચીનના એક આદીકાળ જુના ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે જીઆઓઝી ગામના લોકો કીડીઓને સંવનનથી ભૂખી રાખતા હતા. અને આવી સેક્સ ભૂખી કીડીઓને એક પાંદડા ભરેલા બોક્સમાં રાખીને વેચતા હતા. દક્ષિણમાં ઓરેન્જના ઝાડ પર જો કીડીઓ ના હોય તો એક પણ કૃપ જંતુઓના હુમલાથી બચતું નથી.
ભારત અને ચીનમાં બાયોલોજીકલ કંટ્રોલ ખૂબ મોડે-મોડે શરૂ થયો હતો. ચીન અને બર્મા (મ્યાનમાર)માં ખેડૂતોને કીડીઓના દર વેચવાની પ્રથા છે. કાજુ અને કેરીનો સારો પાક લેવા ઝાડ પર કીડીઓ હોવી જરૂરી છે.
બેનીન, બર્કીના ફાસો, માલી જેવા આફ્રિકી દેશોમાં પણ કાજુ-કેરીના ઝાડ પર કીડીઓ છોડાય છે. ફ્રુટ-ફલાઇસ (ફળો પર બેસતી માખી)ના કારણે થતું નુકશાન કીડીઓના કારણે ઓછું થાય છે.
ખેડૂતો કહે છે કે જે ઝાડ પર કીડીઓ હોય છે ત્યાં સાપ પણ નથી આવતો. તાજેતરમાં પશ્ચિમ આફ્રિકાથી યુરોપ જતાં મેંગો, લીંબું જેવા ફળો બગડે ના એટલે વૅવર કીડીનો ઉપયોગ કરાય છે. તેના ઉપયોગ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. ઓરેન્જને સાચવવા કીડીઓની મદદ લેવાય છે. જે ખેડૂત કીડીઓનો ઉપયોગ કરે છે તેને જંતુનાશક દવાઓના ઉપયોગની જરૂર નથી પડતી. મકાઈ અને શેરડીના પાક માટે જમીનમાં રહેતી કીડીઓનો ઉપયોગ થાય છે.
શિયાળામાં સફરજનના પાક માટે પણ કીડીઓનો ઉપયોગ થાય છે. કેટલીક કીડીઓ એન્ટીબાયોટીક્લ પેદા કરી શકતી હોઈ તે મહત્ત્વની બની જાય છે. ૧૯૫૨માં જંતુ શાસ્ત્રી સ્વાન્ઝીએ ઝાંઝીબારમાં લીલા નાળીયેર પર થતા ગમીંગ નામના રોગ પર સંશોધન કર્યું હતું. આ એક એવા પ્રકારના 'જીવાણુ' હતા કે જે નાળીયેરની છાલમાં ઘુસીને પાણી બગાડતા હતા.
આ બગને મારવા 'ઓસીઓફાયલા લોંગીન્ડા' નામની લાલ મોટી કીડી અસરકારક સાબિત થઈ હતી. કોકાના પ્લાંટેશનમાં પણ લાલ મોટી કીડી ખૂબ ઉપયોગી બની હતી. 'ઓસીઓ ફાયલા સ્મરાગડીના' પ્રકારની કીડીઓ કાજુનો પાક બગડતો અટકાવે છે. યુકોલીપ્ટસના ઝાડના રક્ષણ માટે પણ વેઇપર પ્રકારની કીડીઓ વપરાય છે.
યુરોપના જંગલોમાં ફોર્મીકા પ્રકારની કીડીઓ છોડવા બચાવે છે. જર્મની તેનો ઉપયોગ ૧૯મી સદીથી કરે છે. કીડીઓનો વિસ્તાર વધવા દેવો જોઈએ. ખેડૂતોને તાલીમ આપતી સંસ્થાઓએ કીડીઓના મહત્તમ ઉપયોગ અંગે સમજાવવું જોઈએ. કૃષિ યુનિવર્સિટીએ પણ કોલેજના અભ્યાસક્રમમાં કીડીના ઉપયોગનું ચેપ્ટર ઉમેરવું જોઈએ.
પશ્ચિમ આફ્રિકામાં 'વૅવર ઍન્ટ હસબંડરી'નામનો વિષય ભણાવાય છે. આપણે શા માટે આવું નથી કરતા ?
સંવેદના - મેનકા ગાંધી
સૌજન્ય:ગુજરાત સમાચાર