લોકો એટલી હદે ડરી જાય છે કે જાણે યમરાજ નો પાડો છૂટ્યો..
આ ડર અમારી આજીવિકા ઉપરાંત વધારાની આવકનું સાધન છે..
ડરો નહીં.સાવચેત રહો.
ડેન્ગ્યુ 100 %જીવલેણ નથી.બહુ ઓછા કેશ માં ક્રિટિકલ કેશ મા જાન નું જોખમ હોય..
ડેન્ગ્યુ માં ખાસ પ્લેટલેટ એટલે કે ત્રાક કણો ઘટે.રકત ની પ્રોફાઈલ માં બ્લડ ના ઘટકો નો ઘટાડો આવે.
બોનમેરો યાની અસ્થિ મજ્જા માં વિકૃતિ આવવાથી રક્ત ના તમામ ઘટકો ના ઉત્પાદન માં ઘટાડો નોંધાય.
પણ પ્લેટલેટ નું આયુસ્ય ઓછું હોય એટલે ઝડપ થી ઓછા થાય.(કુદરતે એટલે એને લાખો ની સંખ્યામાં આપ્યા છે.)પ્લેટલેટ લોહી ને ગંઠાઈ જાવા મદદ રૂપ છે.જ્યારે શરીર અંદર કે બહાર ઘાવ થાય રક્ત ઓપન રૂટ માં વહન પામે ત્યારે આ પ્લેટલેટ ચોખાના દાણા માંથી મમરા બને તેમ ફૂલી જાય ને માર્ગ માં ગોઠવાઈ ને જાળું બનાવે..(જે ખેડૂત ખેતી કરતો હોય તેને ખ્યાલ આવે. જેમકે કચરો.સોઠીકડાં વગેરે પાણી ની નળી ના આગળ ના ભાગ માં ભરાય..પછી તેમાં પાંદડા અને બીજો જીનો કચરો ભરાઈ ને પાણી ની નાળ ને બંધ કરે...
શહેરી જનો ...જેમ ચોમાસા માં ગટર ના ઢકના ખુલ્લા હોય તેમ કચરો ભરાય પછી પ્લાસ્ટિક વગેરે ભરાઈ ને બંધ થાય તેમ .)
આ જાળ માં બીજા લોહીના ઘટક ફસાઈ જાય ને આઅવરોધ થવાથી લોહી વહેતુ બંધ થાય
પછી.વહાઈટ બલ્ડ સેલ યાની સ્વેત કણો ઘટે.
ને છેવટે રક્ત કણો..
પણ મોટા ભાગ ના કેશ માં રક્ત કણો ઘટવા ની નોબત આવે તે પહેલાં શરીર અપને આપ બધું સરખું કારી લે છે.
હવે પ્લેટલેટ ઘટે તો કોઈ અસમાન તૂટી પડતું નથી..હા લોહીને ગઠન યાની જામી જવાની ઘટના બંધ થાય.જરૂર પડે અલગ થી તાજા પ્લેટલેટ ચડાવી શકાય..
એક વખત ઘટ્યા પછી જ્યારે વધે ત્યારે સડસડાટ વધી જાય.
જેવો તાવ અવવો બંધ થાય .. કે 24 કલાક માં વધવા લાગે મોટા ભાગે..
તો શું કરવું...
પુષ્કળ પ્રવાહી લો..
ખાસ કાલી દ્રાક્ષ ..ધાણા..વરિયાળી. નું શરબત...
બકરી નું દૂધ.
પપીતાં ના પાંદડા નો રસ.
ગિલોય નો રસ.
ફ્રુટ જ્યુસ.
દાડમ ઉત્તમ.
કિવી.સંતરા મોસંબી. પાઈનેપલ નો જ્યુસ.
મગનું પાણી.
બાફેલા મગ.
જાવાળું..
દાળ ભાત જેવા હલકા ખોરાક..
(કેમકે પથારી માં રહેવાનું હોવાથી પાચન ઓછું થાય.ને જ્વર માં પછી મંદાગ્નિ હોય..એટલે ભોજન માં ખાસ ધ્યાન રાખવું.)
જોરથી ખાસવું નહીં.
નાક ને જોર પૂર્વક ખનખેરવું નહીં.
ખાસ સૂચના..
મળત્યાગ વખતે ખૂબ જોર ના કરવું.
કબજિયાત જેવું લાગે તો તમારા ચિકિસ્તક ની સલાહ લેવી.
હરફર વખતે શરીર ના કોઈ અવયવ ને ચોટ ના લાગે.
ઔષધ..
સાચી ને સારી.ગિલોય ઘનવટી.
કે શમશની વટી.
2..2..2..ગોળી લેવી..
તાંબા નો જૂનો સિકો સાફ કરી.તેને લાલચોળ જેવો તપાવી પાણી માં છમકારવી..
તે પાણી પીવું...આખો દિવસ..
તમારા ચિકિસ્તક ને વફાદાર રહી..ને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો.
વૈદ્ય જીતુભાઇ.ડીસા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો