7 જાન્યુ, 2022

એરંડાના ઘરેલું ઉપચાર અને વનસ્પતિ પરિચય



એરંડા (castor )ના ઘરેલું ઉપચાર અને વનસ્પતિ પરિચય
કબજિયાત અને આમવાત નું ઉત્તમ ઔષધ :એરંડા

 # એરંડાના ઘરેલું ઉપચાર અને વનસ્પતિ પરિચય


           એરંડાનો છોડ વિશ્વના શૂષ્ક અને અર્ધશૂષ્ક પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. ભારત એ મુખ્ય ઉત્પાદક દેશ છે, તેના પછી ચીન, બ્રાઝિલ અને થાઈલેન્ડનો ક્રમ આવે છે.
            ભારતમાં, તેનો ખરીફ પાક લેવામાં આવે છે, જુલાઈ અને ઓગસ્ટમાં ઉગાડાય છે, જ્યારે તેના પાકની આવકો ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી રહે છે. ભારતમાં સ્થાનિક ઉત્પાદનના લગભગ 80 ટકા જેટલા હિસ્સા સાથે ગુજરાત મુખ્ય ઉત્પાદક રાજ્ય છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનનો ક્રમ આવે છે. આ ત્રણેય રાજ્યોમાં ભારતમાં લગભગ 96 ટકા જેટલું એરંડાનું ઉત્પાદન કરે છે.


         ભારત એ વૈશ્વિક સ્તરે એરંડા ઉત્પાદનમાં અગ્રણી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એરંડા તેલના વેપારમાં પ્રભુત્વ ધરાવે છે, આ કોમોડિટીની કુલ વૈશ્વિક માગના લગભગ 80 ટકા જરૂરિયાત ભારત પૂરી કરે છે. ચીન અને બ્રાઝિલ તેના અન્ય ઉત્પાદકો છે. ચીન, યુએસ, ઈયૂ, જાપાન એ ભારતીય એરંડા તેલના મુખ્ય આયાતકારો છે.

એરંડિયા નો પાક વર્ષાઋતુ માં લેવામાં આવે છે. એરંડા ના મૂળ , તેની છાલ, તેના પાંદડા, અને બી તેમજ તેનું તેલ એટલે કે દિવેલ પણ ઉપયોગી છે. આ સઘળી વસ્તુઓ વિવિધ પ્રકાર ની ઔષધિ બનવામાં ઉપયોગ માં લેવા માં આવે છે. ઘણા રોગો ને ઘરગથ્થું રીતે મટાડવા માટે આ વસ્તુ ઓ નો ઉપયોગ થાય છે.


                  # એરંડાના ગુણધર્મો #
     એરંડાના મુખ્યત્વે બે પ્રકાર છે : સફેદ એરંડા અને લાલ એરંડા છે.
           સફેદ એરંડા સ્વાદ માં તીખા, તીક્ષ્ણ, મધુર, કટુ, ગરમ, જડ તથા સ્વાદુ છે. કોઢ, બાદી , ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિ વગેરે રોગો ને નાથવા માટે તેનો ઉપયોગ થાય છે.

લાલ એરંડાં સ્વાદે તૂરા , રસકાળે તીખા , લઘુ અને કડવા હોય છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે.વળી રક્તદોષ તથા પિત્તને વધારે છે. એરંડાના બીજ અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મળભેદક અને લઘુ છે. તથા ગુલ્મ, શૂળ, કફ, યકૃત, વાયુનો નાશ કરે છે.


           એરંડા નું તેલ એટલે કે દિવેલ મધુર, ઉષ્ણ, ગુરુ, રૃચિકર, સ્નિગ્ધ અને કડવું છે તથા બદ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજવર અને કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરે છે.દિવેલ એ એન્ટિઈમફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવતા પદાર્થ તરીકે ઓળખાય છે.
          ઘણા વર્ષોથી લોકો ઘર માં અનેક સમસ્યાઓના નિવારણ માટે દિવેલ નો ઉપયોગ કરતાં આવ્યા છે. આથી દિવેલ ને આપણે બધા રોગો ની એક દવા એમ પણ બહુનામ આપી શકીએ.
     એરંડા ઘા રૂઝવા માટે નું ઉત્તમ ઔષધ છે.


  # એરંડાના ઘરેલું ઉપચાર અને ઔષઘી પ્રયોગ #

1.પગ ના તળિયે દિવેલ ની માલિશ કરવાથી ચશ્મા ના નંબર ઉતારવા માં મદદ મળે છે અને મગજ ની ગરમી ઓછી થાય છે.

2. આંખ નું તેજ વધારવા તેમજ નંબર ઘટાડવા નિયમિત આંખ માં દિવેલ આંજવું જોઈએ.

3.જો તમે કબજિયાત દૂર કરવા માટે દવા શોધી રહ્યા છો તો દિવેલ તમને ખૂબ મદદ કરશે.કબજિયાત દૂર કરવા માટે દિવેલ શ્રેષ્‍ઠ છે.


4.માથા ના દુખાવા અને શરદી માટે દિવેલ ઉપયોગ માં લેવામાં આવે છે.આ માટે નાક માં દેવેલ ના ટીપા નાખવાથી રાહત થાય છે.

5.મરડા ના દર્દી માટે તો દિવેલ અમૃત સમાન છે. મરડાના દર્દી રોજ દિવેલ પીવે તો તેનાથી મરડો મટે છે.

6.સગર્ભા માટે દિવેલનો જુલાબ ઉત્તમ છે. તે આંતરડાં એકદમ સ્વસ્થ અને મુલાયમ રાખે છે. પ્રસુતિ વખતે સગર્ભાને દિવેલ પાવાથી મળના વેગ સાથે ગર્ભાશય પણ વેગીલું બની પ્રસવ જલદી થાય છે


7.વાળ માટે નું તેલ ઘરે બંનવતા હોવ તો તેલ બનાવવામાં દિવેલ પણ ઉમેરવું. જેથી વાળ લાંબા, કાળા થશે અને મગજને શક્તિ મળશે.

8.જો દર્દી ને સૂકી ઉધરસ આવતી હોય તો તેને દિવેલમાં સહેજ સંચળ નાખી રોજ રાત્રે લેવું.

8.સ્તનમાં દુધનો ભરાવો થઇ થતી ગાંઠ અને દુઃખાવામાં એરંડાનાં પાનને તવી પર ગરમ કરી શેક કરવાથી ફાયદો થાય છે

9.જો તમને નખ વારંવાર તૂટી જવાની સમસ્યા સતાવતી હોય ,નખ સૂકા પડી જતાં હોય , નખ માં ફૂગ ને લીધે ઈન્ફેકશન હોય તેવા કિસ્સામાં પણ એરંડિયા થી મસાજ કરવાથી ફાયદો થાય છે


10.શરીર પર એરંડિયા ની માલિશ થી ચામડી ની રૂક્ષતા, ઉઝરડા, ત્વચામાં ચીરા પડવા જેવી તકલીફ મટાડી શકાય છે.

11.એરંડા તેલ ત્વચાની નમી જાળવી રાખવામાં મદદ કરે છે. એરંડાનું તેલ ત્વચા માટે સાર તરીકે કામ કરે છે, જેથી શુષ્ક ત્વચામાં ભેજનો અભાવ ન રહે.

12.ગર્ભાવસ્થા પછી સ્ટ્રેચ માર્ક દૂર કરવા માટે પણ એરંડાનું તેલ અસરકારક છે. એરંડા તેલને થોડા દિવસો સુધી માલિશ કરવાથી નિશાન દૂર થાય છે.


13.એરંડા તેલથી રોજ વાળની ​​માલિશ કરવાથી વાળ સુંદર, જાડા અને નરમ બને છે, તેનાથી વાળનો વિકાસ પણ વધે છે.

14.વજન ઓછું કરવા માટે સવારે એક ચમચી એરંડા તેલનું સેવન સવારે ખાલી પેટે કરો, આને કારણે પાચક શક્તિ પણ બરાબર થાય છે અને મેટાબોલિઝમ પણ વધે છે.

15.એરંડા તેલથી માલિશ કરવાથી નાના બાળકોની ત્વચા સ્પષ્ટ અને નરમ બને છે, આ ઉપરાંત તેનામાં એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ બાળકની ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.


        મિત્રો એરંડા નો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીશું અને આ બધા પ્રયોગો જાણી સમજીને આપણા શરીરની તાસીર એટલે કે કફ- પિત્ત અને વાયુ ત્રીદોષની તાસિરની ઓળખીને જો કરીશું તો આપણે સો ટકા લાભ મળશે.

          આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો