શારીરિક થાક દૂર થાય અને રોજિંદા કામ માટે શક્તિ જળવાઈ રહે તે માટે ચરક સંહિતામાં શ્રમહર દ્રવ્યોની એક સૂચિ આપેલી છે. આ દસ દ્રભોના નામ આ પ્રમાણે છે. (૧) દ્રાક્ષ (૨) ખજૂર (૩) ચારોલી (૪) બોર (૫) દાડમ (૬) અંજીર (૭) ફાલસા (૮) શેરડી (ગોળ, સાકર) (૯) જવ અને (૧૦) પૌષ્ટિક શાલિ
(ચોખા). આમાંથી અનુકૂળ આવે તે. નિયમિત રીતે લેવાથી થાક ઊતરી જાય છે, એજ રીતે ચરક સંહિતામાં બળવર્ધક દસ દ્રવ્યોની પણ એક સૂચિ આપી છે જેમાં કૌચાં, શતાવરી, અશ્રગંધા, અતિબલા (ખપાટ) અને બોર વગેરેનો સમાવેશ થાય છે.
વય:સ્થાપન એટલે કે યુવાનીને ટકાવી રાખનારા જે દસ દ્રવ્યો છે તેમાં આમળાં (આંબળા), ગળો, જીવંતી (ડોડી-ખરખોડી), હરડે અને રાસ્ના જેવા દ્રવ્યો મુખ્ય છે. જેઠીમધમાં 'જીવનીય' ગુણ મહત્ત્વનો છે. જીવનીય એટલે કે પ્રજીવક તત્ત્વોથી (વિટામિન્સથી) ભરપૂર.
પ્રાણ ધારણ માટે જે તત્ત્વો જરૂરી છે તે બધા 'જીવનીય' દ્રવ્યોમાં હોય છે. ચરકે ગાયના દૂધને જીવનીય
દ્રવ્યોમાં શ્રેષ્ઠ કહ્યું છે. કેમકે તેમાં સાથે. ધાતુના સારરૂપ 'ઓજ'ને વધારનારા ગુણો છે.
ગાયનું દૂધ જીવનીય દ્રવ્યોમાં શ્રેષ્ઠ છે. એટલુંજ નહીં પણ એ એક ઉત્તમ 'રસાયન' પણ છે. પરંતુ આજે
સસ્તું, શુદ્ધ, સાચું દૂધ સૌને મળે છે જ ક્યાં ? સરકાર પેટ્રોલની જેટલી ચિંતા કરે છે એથી અડધી ચિંતા પણ સમાજમાં સાચા, શુદ્ધ અને સત્વયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે એ માટે કરતી હોય તો ?
આયુર્વેદમાં 'અષ્ટવર્ગ' નામથી ઓળખાતા આઠ દ્રવ્યોની સૂચિ પણ આપવામાં આવી છે. જેમાં કાકોલી, ક્ષીર કાકોલી, મેદા, મહામેદા, જીવક, ત્રકષભક, ત્રઠધ્ધ, વૃદ્ધિ... એમ આઠ દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ આઠ દ્રવ્યોમાં પ્રચૂર માત્રામાં જીવનીય અને રસાયન ગુણ ભરેલા છે. 'રસાયન' શબ્દ પણ આયુર્વેદનો આગવો છે. જે દ્રવ્ય વૃદ્ધાવસ્થા અને વ્યાધિને શરીરમાં પ્રવેશતા અટકાવે તે 'રસાયન'.
અહીં એક એવો યોગ હું આપવા માગું છું જેમાં રસાયન, જીવનીય, શ્રમહર (થાક ઉતારનાર), બળવર્ધક, વીર્યવર્ધક, યુવાનીને ટકાવી રાખનાર અને મેધા તથા બુદ્ધિને વધારી માનસિક થાક ઉતારનાર દ્રવ્યોનો સુંદર સંયોગ થયો છે. આવા વીંસ દ્રવ્યોનું ચૂર્ણ બનાવી અથવા તો ટીકડી પાડી વાપરી શકાય છે. લોક હિતાર્થે આ અનુભૂત યોગ એની અંદર પડતા દ્રવ્યોની સુચી સાથે અહીં આપેલ છે. દ્રવ્યોના નામ આ પ્રમાણે છે. (૧) અશ્રગંધા (૨) શતાવરી (૩) જેઠીમધ (૪) બ્રાહમી (૫) શંખાવલી (૬) હરડે (૭) સફેદ મૂસળી (૮) સાલમપંજા (પંજાબી સાલમ) (૯) કૌચાં (૧૦) નાગબલા (ગંગેટી) (૧૧) અતિબલા (ખપાટ) (૧૨) ગળો (૧૩) આમળાં (૧૪) પુનર્નવા (૧૫) વિદારીકંદ (૧૬) જીવંતી (ડોડી-ખરખોડી) (૧૭) જટામાંસી (૧૮) સૂંઠ (૧૯) મરી અને (૨૦) પીપર. આ વીસ દ્રવ્ય સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી લેવું. સવાર-સાંજ આમાંથી પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ અથવા બેથી ત્રણ ટીકડી ગળી જઈ ઉપર ગળ્યા દૂધમાં ચમચી થી મેળવીને પીવાથી આખો દિવસ સ્ફૂર્તિ અને શક્તિનો અનુભવથાય છે.
શરીર દુર્બળ અને પાતળું હોય તો પણ આ ઔષધના સેવનથી બળ અને વજનની વૃદ્ધિ થાય છે. સ્ત્રી-પુરુષ, બાળક, યુવાન કે વૃદ્ધ એમ બધા માટે આ ઔષધ ઉપયોગી છે. પરણેલા કે નહીં પરણેલા... દરેકને શક્તિ અને સ્ફર્તિનો અનુભવ આપે છે. શરીરમાં સાતે ધાતુની વૃદ્ધિ કરે છે. જાતીય જીવનને સંતોષકારક અને તૃપ્તિદાયી બનાવે છે. યાદ શકિત તથા બુદ્ધિને વધારે છે. જે લોકો માનસિક શ્રમ કરે છે તેને થાકના અનુભવ વિના કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.
જે લોકો આ બધા દ્રો મેળવી ન શકે કે આર્થિક રીતે પોસાય તેવું ન હોય તે માત્ર અશ્ચગંધા, શતાવરી, જેઠીમધ અને બ્રાહ્મી આ ચાર દ્રવ્યોનું મિશ્રણ કરી સવારસાંજ એક એક ચમચી પાણી સાથે ફાકી જાય તો પણ દિવસભર શક્તિ અને સ્ફર્તિનો અનુભવ થશે.
આયુર્વેદમાં શક્તિવર્ધક ઔષધોનો તો પાર નથી. [શિયાળામાં અને બારેમાસ લઈ શકાય તેવા પુષ્કળઔષધો સંહિતા ગ્રંથોમાં આપેલા છે. જેમાં ચ્યવનપ્રાશ અવલેહ, મેઘ રસાયન, કૌચાંપાક, સુવર્ણ વસંત- માલતી, સુવર્ણ મકર ધ્વજવટી વગેરે મુખ્ય છે.
જમ્યા બાદ માત્ર અશ્રગંધારિષ્ટ, દશમૂલારિષ્ટ કે દ્રાક્ષાસવ લેવામાં આવે તો પણ દિવસભર સ્ફર્તિ જળવાઈ રહે છે. જેમનું વજન વધારે હોય તેમણે અશ્રગંધારિષ્ટ કે અશ્ચગંધા અવલેહ ન લેવા.
આયુર્વેદમાં 'બલ્યચૂર્ણ' નામે એક બળવર્ધક ઔષધયોગ પણ આપેલો છે, જાતીય શક્તિ જળવાઈ રહે તે માટે કૌચાં, સફેદ મૂસળી, વિદારીકંદ, શતાવરી, અશ્વગંધા અને સાલમપંજા સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી સવારસાંજ તેમાંથી એક એક ચમચી ગળ્યા દૂધ સાથે લેવું.
આહારમાં ઘી, દૂધ, અડદ, માખણ, કેળા, સાકર અને ફળ ફળાદિનો ઉપયોગ વધારવો. રસાયન ચૂર્ણ, નારસિંહ ચૂર્ણ કે અશ્ચગંધાદિ ચૂર્ણ જેવા ઔષધો નિયમિત રીતે લેવાથી સ્ફર્તિ અને જાતીય શક્તિ કાયમ માટે જળવાઈ રહે છે.
જેમની પાસે સમજ છે તે પોતાનાં દૈનિક જીવનને એવી રીતે ગોઠવી શકે કે શરીર તથા મનને શ્રમ સાથે આરામ પણ મળી શકે. એકનું એક કામ શરીર અને મનને થક્વી નાખે છે. જેમાંથી આનંદ મળે તે કામ કરવાથી થાક ઓછો લાગે છે. આપણા કામને ઢસરડાની જેમ કરવાને બદલે આનંદપૂર્વક, તલ્લીન થઈને કરીએ તો થાક લાગતો નથી.
જો આ માહિતી આપને સારી લાગી હોય તો કોમેંટ બોક્સમા "જય આર્યુવેદ" અવશ્ય લખો.
સૌજન્ય :- આયુર્વેદિક જીવનશૈલી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો