24 ઑગસ્ટ, 2021

ધોરણ 6( ગુજરાતી) લેખણ ઝાલી નો રહી


[Q - 1]. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો : 
(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?

A. ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાની આવી છે. કારણ કે કુરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ-પાન વિનાની વેરાન ધરતી આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે.



(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?

A. શેઠ કોઈના માટે ઘસાય એવા ન હોતા એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચે ઉતારી ડેટા. આજે કહળસંગના ગાડામાં શેઠ ક્પાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા પણ કહળસંગને શેઠની વાણીયાવિધા ગમતી નહોતી. આથી કહળસંગ બાચકું લેવાની ના પાડે છે.



(3) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?

A. ગામ આખું અભણ હતું અંગૂઠા છાપ હતું માત્ર હરખચંદ ભણેલા હતા એટલે હરખચંદનો ભાવ પૂછતો હરખચંદ શેઠ ગામના લોકોના કોઈના દસ્તાવેજ લખવાનું ખાતા પાડવાનું સારા-નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપના.



(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?

A. અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડુ સૌ કોઈનું આવવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપની માણસાઈ છે. હરખચંદ શેઠ ! એ પછી સંઘાયે કહળસંગને ઠપકો આપ્યો.

                ****************
[Q - 2]. નીચેનાં વિરામચિહૂનોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
(3) અવતરણચિહૂન

A. “એ .......ઈ...... કહળસંગ ભાઈ !



(1) અર્ધવિરામ

A. આલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે : સમજ્યા ? વાક્ય જ નથી.



(2) ગુરુવિરામ

A. એમનાથી લબડી જવાયું : “માહળા રજપૂતે કરી છે ને કાઈ ?
                      **************

[Q - 3]. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) પાઘડીના જેવો વિસ્તાર

A. પાઘડિપ



(2) મૃત્યુ સમયે લખાતો પત્ર

A. કાળોત્રી



(3) મરણ પછી બારમા દિવસે થતો વિધિ

A. કારજ



(4) માટીની ભીંતનું નાનું ઘર

A. ખોરડું
         
           ***************

[Q - 4]. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
(1) તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.

A. (1) બારમો ચંદ્ર હોવો
(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(3) નાચન જાણે આંગન ટેઢા
(4) ઉતાવળે આંબા ન પાકે
(5) ઘરના ભુવાને ઘરના જાગરીયા
(6) ડુંગરા દુરથી રળિયામણા
(7) મુંડી કરતાં વ્યાજ વહાલું.
               *****************

22 ઑગસ્ટ, 2021

ખંભાતના વાણિયાની વાર્તા

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

*બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે...*
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી  

*✍🏻 બાળકના મન ને* *જાણનારી "માઁ"*
*અને......
ભવિષ્ય જાણનારો "પિતા"*
*આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે*

*બસ એમનો "આદર" કરશો તો*
*"ભગવાન " પાસે તમારે કાંઇ માંગવુ ના પડે*.

🍂🍂🍂🍃🍃🍃🍂🍂🍂

19 ઑગસ્ટ, 2021

જનોઇ બદલવા વિષે


તા.૨૧.૮.૨૧ ના રોજ વ્રતની પૂનમ તેમજ નાળિયેરી પૂનમ અને શ્રવણ નક્ષત્ર હોવાથી જનોઇ શનિવારે બદલવી તેમજ રક્ષાબંધન ૨૨.૮.૨૧ ને રવિવાર ના રોજ છે.આખો દિવસ રાજયોગ હોવાથી આખો દિવસ શુભ છે.
તારીખ : 21-08-2021ને શ્રાવણ સુદ-14 ના દીવસે શ્રવણ નક્ષત્ર સૂર્યોદય થી લઈને સાંજે 8-22 સુધી છે.અને પૂનમ સાંજે 7-02 વાગ્યાથી શરૂ થાય છે.... તો ભૂદેવો ને જનોઈ બદલવા માટે તારીખ 21-08-2021 ને શનિવાર, શ્રવણ નક્ષત્ર નો દિવસ લેવો દરેક રીતે યોગ્ય છે. આ દિવસે સવારે 7-56 થી 9-32 અને બપોરે 12-44 થી 2-20 દરમ્યાન બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ કરવી -  
*🔅જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ 🔅*

 સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને 
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો 
[ ૧ ]  
સંકલ્પ : જમણા હાથમાં જળ રાખવું અને પંચાંગ અનુસાર... યોગ્ય...સંકલ્પ કરીને .....જળ નીચે તરભાણામાં મૂકો.... 

[ ૨ ] 
ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે 
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો 

ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥ 

[ ૩] 
ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો 

[ ૪ ] 
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે 
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા  
- - આવહયામી સ્થાપયામી -- 
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ 

ૐ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવહયામી સ્થાપયામી 
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ આવહયામી સ્થાપયામી 
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી 
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ આવહયામી સ્થાપયામી 
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતૃન આવહયામી સ્થાપયામી 
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી 
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવહયામી સ્થાપયામી 
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ યમામ આવહયામી સ્થાપયામી 
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી 
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી 

[ ૫ ] 
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો 

આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ .... 

[ ૬ ] 
ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો 
અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળા ની જેમ જનોઈ પહેરો 
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી 
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો 

ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત । 
આયુષ્યમગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥ 

[ ૭ ] 
નવી જનોઈ ધારણ થઈ જાય પછી 

સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા - ૐ સૂર્યાય નમઃ ૐ રવિયે નમઃ ૐ ભાસ્કરાય નમઃ 

[ ૮ ] 
ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો 

એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥

જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા 
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી 

[ ૯ ] 
ત્યારબાદ જળની ચમચી ભરી રાખો 
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો 

નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ 
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે 

( નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી ) 

આ વિધિ સંક્ષિપ્ત પૂજા ની છે... બધીજ ખાત્રી કરવા છતાં ગુજરાતી ટાઈપિંગ માં કોઈ મંત્ર કે શબ્દ માં ભૂલ હોય તો.... ક્ષમા યાચના.... જાતે સુધારીને કાર્ય કરી લેવું... 

*"મહાદેવ"હર*

17 ઑગસ્ટ, 2021

ખાવામાં કયું તેલ વાપરવું?


      -દિખાવે પે મત જાવ.. 
  🤫અપની અક્કલ લગાવ...

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું? 

તેમનો જવાબ ખુબ માર્મિક હતો..

 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...
 શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ? 😟 *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં... ☹️
 *ચોખા* ના વળી તેલ નીકળે? 🤫
આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..

*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? 
😪એક વાર ઘાણી માં જઈને જોજો.. ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...
😨 *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે.. 
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..

રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !
દક્ષિણ ભારત માં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

🥓 તો હવે સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે.. 
પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો ...
કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ...

*અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે*...
દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...
મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નુ અને *મગફળીનુ સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો... 
જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા આને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )

ઘણા પાછા એકદમ એડવાન્સ થાય અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાઝુ જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તયાર થાય અને ભુર વા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..

*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?
*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો ... એકલી મજા જ આવશે*...

બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..
અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.. 🙏

5.મહેનતનું મોસમ ( ધોરણ 6) ગુજરાતી


પ્રશ્ન નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે ? શા માટે સાદ કરે ?

જ. ‘સીમ સાદ કરે’ એટલે સીમ ખેડૂતોને બોલાવે છે. વરસાદ વરસ્થા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને બોલાવી રહી છે.



(2) લીંપી- ગુંપી ને ખળા શા માટે કરવા પડે ?

જ. ખેતરમાં લણવાની ક્રિયા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠા કરે છે પાકના દાણા છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખળામાં દાણા સાફ કરે છે. તેથી લીપી-ગુંપીને ખળા તૈયાર કરવા કહે છે.



(3) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?

જ. લણવાની ઋતુ આવી છે પાક તૈયાર થઈ ગયો છે કવિ દાતરડા ને પછેડી લઈ ખેડૂતોને મહેનત કરવા બોલાવે છે. સૌ સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ કહે છે.

પ્રશ્ન. ઊજળું દૂધ જેવુ, લીલું કંચન જેવુ- આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દો શબ્દપ્રયોગો આપો.

1. સફેદ ____જેવું
2. કાળું ____જેવું
3. રાતું ____જેવું
4. મીઠું ____જેવું
5. કડવું ____જેવું
6. કુણું ____જેવું

જવાબ. 1. દૂધ
2. કોલસા
3. રતાશ
4. મધ
5. ઝેર


[પ્ર.]. નીચેના શબ્દોના વાક્યપ્રયોગ કરો :
(1) સીમ

જ. સીમમાં પાક તૈયાર થયેલો જોવા મળે છે.



(2) નદી

જ. અમારા ગામ પાસે એક નદી છે.



(3) આભ

જ. આભમાં સૂર્ય દેખાય છે.



(4) મોલ

જ. મોલ જોઈ ખેડૂત હરખાય છે.



(5) મલક

જ. આપણો મલક મોટો છે.



(6) રળનારો

જ. દરેક ઘરમાં રળનારો માનવ હોય છે ને દેનારો ભગવાન છે.


[પ્ર.]. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ લખો.
(1) સોનાવરણી સીમ બની
        મેહુલિયે કીધી મ્હેર રે .........
જ. આ વરસે વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવી થઈ ગઈ છે.



(2) રંગેસંગે કામ કરીએ
    થાય મલક આબાદ રે ..........
જ. સૌ સાથે મળીને આનંદની મહેનત કરીએ તો આપણો પ્રદેશ આબાદ થાય છે.

6 ઑગસ્ટ, 2021

ધોરણ 8 (ગુજરાતી) એક મુલાકાત

*અઘરા શબ્દો લખો

વિધાનસભા ગૃહ   
પ્રવૃત્તિઓ 
પ્રસન્નતા 
અલ્પાહાર
 કેન્ટીન 
અધ્યક્ષશ્રી
 સ્મૃતિ 
રાષ્ટ્રપિતા
 સુવ્યવસ્થિત
 ગ્રીન સીટી 
પ્રકૃતિ 
વ્યવસાયિક 
સાંસ્કૃતિક 


           ********************

[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?

A. કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.



(2) જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃતિઓ કરશો ?

A. જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારાં વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ-બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.



(3) એક નાગરિક તરીકે તમને રાજયની કઈ બાબતો સારી લાગે છે ?

A. એક નાગરિક તરીકે મને રાજયના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.



(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?

A. 1. જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્યે ઘર પાસે કુંડા મુકવા. 3. ગ્રામપંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા-કોલેજના પટાંગણમાં વિધાર્થીઓએ વૃક્ષોરોપણ કરવું. 5. ગામમાં બાગ-બગીચા કરવા જયા ઝરણા હોય તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.

(5) તમે લીધેલા કોઈએક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.

A. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયાં હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુશિખરથી કુદરતી દર્શયો જોવાનો લહાવો લીધો પછી અદ્ધરદેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી જયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતાં મળેલા ઘનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા કુભારણનના મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.


(6)તમારા વિસ્તારમાં આવેલ જોવા લાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.


 A. ઘૂઘવતાં દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે. ભારતના બાર જયોતિલિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંદર-વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી તે મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મુર્તિ છે ત્યાના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્યશાંતિનો અનુભવ થયો.


                 ****************

[Q - 2]. નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો.
(1) રાજયના કાયદા ઘડનારી સભા

A. વિધાનસભા, ધારાસભ્ય



(2) રાજય કે દેશનું વડું મથક

A. પાટનગર , રાજધાની
                *******************

[Q - 3]. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) (અ) અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃતિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ

A. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃતિ, પ્રવેશ , વ્યવસ્થા, સ્વચ્છ



(1) (બ) પાઠમાં ‘ઈક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિ’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો.

A. 1. સમાજ + ઈક = સામાજિક
2. અર્થ + ઈક = આર્થિક
3. વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક
4. ભૂગોલ + ઈક = ભૌગોલિક
5. સ્વભાવ + ઈક = સ્વાભાવિક
,.            ***************

*
              ***************

*


4.બે ખાનાનો પરિગ્રહ ( ગુજરાતી)ધોરણ 7




શબ્દ - સમજૂતી

 પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું 

નિશ્ચય નિર્ણય 

અસહ્ય સહી ન શકાય તેવું

 ખેવના કાળજી 

ભીડ ગિરદી 

પોસાવું પરવડવું 

સલૂન ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો

 પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે 

પેસેન્જર મુસાફર

 અમૂલ્ય કીંમતી


             ***************




                    *************
                         સ્વાઘ્યાય

*પ્ર. ગાંધીજી વિષે દસ વાક્ય લખો.

 A. મહાત્મા ગાંધીનો જન્મ ઇ.સ . 1869 ના ઓક્ટોમ્બર ની 2 તારીખે પોરબંદરમાં થયો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેરિસ્ટર થવા ઈગ્લેંડ ગયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફિકા ગયા ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિસંક લડત આપી તેમાં તેઓ સફળ થયા અહિસા એ સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઇ.સ. 1947 માં ભારતને આઝાદી અપાવી.


*પ્ર. બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો ? અને પ્રેમને ‘આધળો’ ને બદલે ‘લૂલો’ કહીએ તો ?

 A. ‘લીલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દ છે ‘લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વગરનો જે બચાવ માં કોઈ જ આધાર પુરાવો ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહીં. ‘આંધળો પ્રેમ’ એ પણ રૂઢ થયેલો શબ્દ છે પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શક્તિ નથી તેવો પ્રેમ આમ લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’ના વિશેષણો બદલવાની અર્થ ચોખ્ખો બનતો નથી.


[પ્ર.]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?

A. ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ કરતાં વધારે વાપરવું તેને હિંસા સમજતા હતા. આથી ગાંધીજી મનુબહેન ને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાણું તેમણે પાછું સોપે છે આ પ્રસંગ માંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વઘારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.


 



[Q - 2]. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્ય પ્રયોગ કરો.
(1) ખેવના –

A. કાળજી સારસંભાળ
વાક્ય – ગાંધીજી ભારતીય લોકોની બહુજ ખેવના રાખતા હતા.



(2) હુન્નર –

A. કસબ કારીગરી
વાક્ય – હુન્નર શિખનાર ક્યારેય ભૂખે મારતો નથી.



(3) ભીડ –

A. ગિરદી
વાક્ય – અત્યારે રેલવેમાં ખૂબ ભીડ હોય છે.



(4) સલૂન –

A. ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય – મહારાજા અને અંગ્રેજ અમલદારો સલૂન માં જ મુસાફરી કરતાં.



(5) પ્રાયશ્રિત –

A. પાપ નિવારણ માટેનું તપ
વાક્ય – કાઈ ખોટું કામ થઈ જાયતો આપણે તેનું પ્રાયશ્રિત કરવું જોઈએ.


[Q - 3]. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જ્ગ્યા પૂરો :
(4) મહાદેવ ગાયને હાંકવાં રોકાયો ________એણે પરીક્ષામાં મોડુ થયું.

A. એટલે 


(1) એકમાં સામાન રખાવ્યો ________બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું.

A. અને 


(2) ઈન્સ્પેકટર જોયું ________મહાદેવની આંખમાં આંસુ હતા.

A. તો 


(3) ડોક્ટરે કહયું ________ એણે કસરત કરવી જોઈએ.

A. કે

3 ઑગસ્ટ, 2021

बच्चों की असाधारण परिस्थिति

 अभी उन लोगों के लिए जो बिना बोर्ड परीक्षा के 10वीं या 12वीं कक्षा पूरी करने वाले 2021 बैच के बच्चों को ट्रोल कर रहे हैं और उनका मज़ाक उड़ा रहे हैं, बस आपको बताना चाहते हैं;  ये बच्चे असाधारण परिस्थितियों में जीवित रहे हैं।  उनमें से अधिकांश पूरे साल स्कूल नहीं गए, सीखने के एक नए रूप के अनुकूल हो गए।  अपने परिवार के सदस्यों को बुरी तरह से बीमार पड़ते या मरते हुए देखा।  स्कूलों में अपने आखिरी दिनों की अनमोल यादों को याद किया।  एक ऐसे युग में सख्त क्वारंटाइन से निपटा जब हम सभी हर समय अपने दोस्तों के साथ रहना चाहते हैं।  हर साल जब बोर्ड के नतीजे आते हैं, तो हम चिल्लाते रहते हैं कि 'अंक मायने नहीं रखते और हम सभी जानते हैं कि आधुनिक दुनिया में इन अंकों से वास्तव में बहुत फर्क नहीं पड़ता है।  तो आप पहले से ही तनावग्रस्त बच्चों को क्यों परेशान कर रहे हैं?  उन्हें रहने दो।  सिर्फ इसलिए कि वे केवल अपने प्री-बोर्ड के आधार पर उत्तीर्ण हुए हैं, उनके उज्ज्वल कैरियर की संभावनाओं को कम नहीं करता है।  अपनी क्षमता को परखने का जीवन का अपना तरीका होता है।  आइए इन बच्चों को अपना उचित मौका दें।