ધીરુભાઈ પરીખ
g4 : 31-8-1933
ધીરુભાઈ ઇશ્વરલાલ પરીખ નો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા-સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમાં રસના ક્ષેત્રો છે. 'કુમાર' તેમજ “કવિલોક' જેવી પ્રતિકૃતિ સામયિકો અને તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ “અંગ પચીસી' તેમજ હાઈકુસંગ્રહ ‘અગિયા' પણ તમને નોંધપાત્ર પ્રકાશનો છે.
પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવનકાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે.
મહારાજ અને વળી સેવક ? મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે ? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ, નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય ? હા, આ નવાઈ પમાડે તેવી, પણ ખરી વાત છે. લોકોના હૃદય પર તેની સત્તા ચાલે એવા છે આ મહારાજ.
આ મહારાજા તમે નથી ઓળખતા ? લો, તો હું એનું નામ કર્યું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજીયે ઓળખાણ ના પડી ? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે ? અરે, એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમનાં લોકહિતનાં કાર્યોથી, એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકો જ તમને ‘મહારાજ નું બિરુદ આપ્યું છે. એમ, એ ‘મહારાજ' તરીકે પ્રસિદ્ધ થયા. આ ‘મહારાજ' એટલે જ ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ, લોકો એમને ‘રવિશંકર દાદા' પણ કહેતા.
રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રીના રોજ થયો હતો. ઈ. સ. 1884 ના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખે ખેડા જિલ્લાના ૨ ગામે જન્મેલા રવિશંકર પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાની અને માતા પાસેથી ખૂબ ચાવીચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો