6 સપ્ટે, 2020

નિબંધ: રવિશંકર મહારાજ


રવિશંકર મહારાજનો જન્મ ઈ. સ. 1884 ના ફેબ્રુઆરીની પચીસમી તારીખે એમના મોસાળ રઢું ગામમાં થયો હતો. એમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એમનાં માતા ભણ્યા ન હતા.

બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતુ હતા. કામ કરવામાં તે જરા પણ આળસ ન કરતા, તેઓ ખેતીનું બધું કામ ઉમંગથી કરતા. મહોલ્લામાં કોઈ પડોશીના ‘કાગળ લખવો હોય તો તે હોશે હોશે લખી આપતા અને ટપાલપેટીમાં નાખી આવતા, તે તેની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા. તે કુશળ તરવૈયા પણ હતા. એક વાર તેમને વાત્રક નદીના પૂરમાં તણાતા ત્રણ યુવાનોને બચાવ્યા હતા.
   મોટા થતાં રવિશંકર મહારાજ ગાંધીજીના રંગે રંગાયા. મહારાજ રવિશંકર મહારાજ લોકસેવક વરેલા ગુજરાતના મહાન નેતા હતા, મૂંગા મોઢે સેવા કરવી એ તેમનો જીવન ધર્મ હતો, સાચા અર્થમાં તે લોકસેવક હતા. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશસેવા અને લોક સેવાનાં કાર્યોમાં અર્પણ કરી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કર્યું. તેમણે બહારવટિયાઓને સુધારવાનું કાર્ય કર્યું. ગુજરાતમાં કે દેશના કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીઓમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય કે કોમી રમખાણ થયું હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે પહોંચી જતા.

રવિશંકર મહારાજ સાદું જીવન જીવતા. તો ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવતા. ટૂંકું ધોતિયું, કેડિયું અને ટોપી એ એમનો પહેરવેશ.ખભે લટકતી થેલી માં તે બે જોડી કપડાં રાખતા, મોટે ભાગે પગે ચાલીને તે ગામેગામ ફરતા અને લોકસેવા નાં કામ કરતા.
 રવિશંકર મહારાજ પોતાના કાર્ય કદી જાહેરાત કરતા નહિ. આથી તેઓ ‘મૂકસેવક' કહેવાય. ગુજરાત તેમને ‘પૂજ્ય દાદા’ના વહાલસોયા નામથી ઓળખે છે. તેમણે સો વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું.


  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો