5 નવે, 2018

अति महत्वपूर्ण बातें


🌿🌸  🌸🌿

🌸1. घर में सेवा पूजा करने वाले जन भगवान के एक से अधिक स्वरूप की सेवा पूजा कर सकते हैं ।

🌸2. घर में दो शिवलिंग की पूजा ना करें तथा पूजा स्थान पर तीन गणेश जी नहीं रखें।

🌸3. शालिग्राम जी की बटिया जितनी छोटी हो उतनी ज्यादा फलदायक है।

🌸4. कुशा पवित्री के अभाव में स्वर्ण की अंगूठी धारण करके भी देव कार्य सम्पन्न किया जा सकता है।

🌸5. मंगल कार्यो में कुमकुम का तिलक प्रशस्त माना जाता हैं।

🌸6.  पूजा में टूटे हुए अक्षत के टूकड़े नहीं चढ़ाना चाहिए।

🌸7. पानी, दूध, दही, घी आदि में अंगुली नही डालना चाहिए। इन्हें लोटा, चम्मच आदि से लेना चाहिए क्योंकि नख स्पर्श से वस्तु अपवित्र हो जाती है अतः यह वस्तुएँ देव पूजा के योग्य नहीं रहती हैं।

🌸8. तांबे के बरतन में दूध, दही या पंचामृत आदि नहीं डालना चाहिए क्योंकि वह मदिरा समान हो जाते हैं।

🌸9. आचमन तीन बार करने का विधान हैं। इससे त्रिदेव ब्रह्मा-विष्णु-महेश प्रसन्न होते हैं।

🌸10.  दाहिने कान का स्पर्श करने पर भी आचमन के तुल्य माना जाता है।

🌸11. कुशा के अग्रभाग से दवताओं पर जल नहीं छिड़के।

🌸12. देवताओं को अंगूठे से नहीं मले।

🌸13. चकले पर से चंदन कभी नहीं लगावें। उसे छोटी कटोरी या बांयी हथेली पर रखकर लगावें।

🌸15. पुष्पों को बाल्टी, लोटा, जल में डालकर फिर निकालकर नहीं चढ़ाना चाहिए।

🌸16. श्री भगवान के चरणों की चार बार, नाभि की दो बार, मुख की एक बार या तीन बार आरती उतारकर समस्त अंगों की सात बार आरती उतारें।

🌸17. श्री भगवान की आरती समयानुसार जो घंटा, नगारा, झांझर, थाली, घड़ावल, शंख इत्यादि बजते हैं उनकी ध्वनि से आसपास के वायुमण्डल के कीटाणु नष्ट हो जाते हैं। नाद ब्रह्मा होता हैं। नाद के समय एक स्वर से जो प्रतिध्वनि होती हैं उसमे असीम शक्ति होती हैं।

🌸18. लोहे के पात्र से श्री भगवान को नैवेद्य अपर्ण नहीं करें।

🌸19. हवन में अग्नि प्रज्वलित होने पर ही आहुति दें।

🌸20. समिधा अंगुठे से अधिक मोटी नहीं होनी चाहिए तथा दस अंगुल लम्बी होनी चाहिए।

🌸21. छाल रहित या कीड़े लगी हुई समिधा यज्ञ-कार्य में वर्जित हैं।

🌸22.  पंखे आदि से कभी हवन की अग्नि प्रज्वलित नहीं करें।

🌸23. मेरूहीन माला या मेरू का लंघन करके माला नहीं जपनी चाहिए।

🌸24.  माला, रूद्राक्ष, तुलसी एवं चंदन की उत्तम मानी गई हैं।

🌸25. माला को अनामिका (तीसरी अंगुली) पर रखकर मध्यमा (दूसरी अंगुली) से चलाना चाहिए।

🌸26.जप करते समय सिर पर हाथ या वस्त्र नहीं रखें।

🌸27. तिलक कराते समय सिर पर हाथ या वस्त्र रखना चाहिए।

🌸28. माला का पूजन करके ही जप करना चाहिए।

🌸29. ब्राह्मण को या द्विजाती को स्नान करके तिलक अवश्य लगाना चाहिए।

🌸30. जप करते हुए जल में स्थित व्यक्ति, दौड़ते हुए, शमशान से लौटते हुए व्यक्ति को नमस्कार करना वर्जित हैं।

🌸31.  बिना नमस्कार किए आशीर्वाद देना वर्जित हैं।

🌸32.  एक हाथ से प्रणाम नही करना चाहिए।

🌸33.  सोए हुए व्यक्ति का चरण स्पर्श नहीं करना चाहिए।

🌸34. बड़ों को प्रणाम करते समय उनके दाहिने पैर पर दाहिने हाथ से और उनके बांये पैर को बांये हाथ से छूकर प्रणाम करें।

🌸35. जप करते समय जीभ या होंठ को नहीं हिलाना चाहिए। इसे उपांशु जप कहते हैं। इसका फल सौगुणा फलदायक होता हैं।

🌸36. जप करते समय दाहिने हाथ को कपड़े या गौमुखी से ढककर रखना चाहिए।

🌸37. जप के बाद आसन के नीचे की भूमि को स्पर्श कर नेत्रों से लगाना चाहिए।

🌸38. संक्रान्ति, द्वादशी, अमावस्या, पूर्णिमा, रविवार और सन्ध्या के समय तुलसी तोड़ना निषिद्ध हैं।

🌸39. दीपक से दीपक को नही जलाना चाहिए।

🌸40. यज्ञ, श्राद्ध आदि में काले तिल का प्रयोग करना चाहिए, सफेद तिल का नहीं।

🌸41. शनिवार को पीपल पर जल चढ़ाना चाहिए। पीपल की सात परिक्रमा करनी चाहिए। परिक्रमा करना श्रेष्ठ है, किन्तु रविवार को परिक्रमा नहीं करनी चाहिए।

🌸42. कूमड़ा-मतीरा-नारियल आदि को स्त्रियां नहीं तोड़े या चाकू आदि से नहीं काटें। यह उत्तम नही माना गया हैं।

🌸43. भोजन प्रसाद को लाघंना नहीं चाहिए।

🌸44.  देव प्रतिमा देखकर अवश्य प्रणाम करें।

🌸45. किसी को भी कोई वस्तु या दान-दक्षिणा दाहिने हाथ से देना चाहिए।

🌸46. एकादशी, अमावस्या, कृृष्ण चतुर्दशी, पूर्णिमा व्रत तथा श्राद्ध के दिन क्षौर-कर्म (दाढ़ी) नहीं बनाना चाहिए ।

🌸47. बिना यज्ञोपवित या शिखा बंधन के जो भी कार्य, कर्म किया जाता है, वह निष्फल हो जाता हैं।

🌸48. यदि शिखा नहीं हो तो स्थान को स्पर्श कर लेना चाहिए।

🌸49. शिवजी की जलहारी उत्तराभिमुख रखें ।

🌸50. शंकर जी को बिल्वपत्र, विष्णु जी को तुलसी, गणेश जी को दूर्वा, लक्ष्मी जी को कमल प्रिय हैं।

🌸51. शंकर जी को शिवरात्रि के सिवाय कुंुकुम नहीं चढ़ती।

🌸52. शिवजी को कुंद, विष्णु जी को धतूरा, देवी जी  को आक तथा मदार और सूर्य भगवानको तगर के फूल नहीं चढ़ावे।

🌸53 .अक्षत देवताओं को तीन बार तथा पितरों को एक बार धोकर चढ़ावंे।

🌸54. नये बिल्व पत्र नहीं मिले तो चढ़ाये हुए बिल्व पत्र धोकर फिर चढ़ाए जा सकते हैं।

🌸55. विष्णु भगवान को चांवल, गणेश जी  को तुलसी, दुर्गा जी और सूर्य नारायण  को बिल्व पत्र नहीं चढ़ावें।

🌸56. पत्र-पुष्प-फल का मुख नीचे करके नहीं चढ़ावें, जैसे उत्पन्न होते हों वैसे ही चढ़ावें।

🌸57.  किंतु बिल्वपत्र उलटा करके डंडी तोड़कर शंकर पर चढ़ावें।

🌸58. पान की डंडी का अग्रभाग तोड़कर चढ़ावें।

🌸59. सड़ा हुआ पान या पुष्प नहीं चढ़ावे।

🌸60. गणेश को तुलसी भाद्र शुक्ल चतुर्थी को चढ़ती हैं।

🌸61. पांच रात्रि तक कमल का फूल बासी नहीं होता है।

🌸62. दस रात्रि तक तुलसी पत्र बासी नहीं होते हैं।

🌸63. सभी धार्मिक कार्यो में पत्नी को दाहिने भाग में बिठाकर धार्मिक क्रियाएं सम्पन्न करनी चाहिए।

🌸64. पूजन करनेवाला ललाट पर तिलक लगाकर ही पूजा करें।

🌸65. पूर्वाभिमुख बैठकर अपने बांयी ओर घंटा, धूप तथा दाहिनी ओर शंख, जलपात्र एवं पूजन सामग्री रखें।

🌸66.  घी का दीपक अपने बांयी ओर तथा देवता को दाहिने ओर रखें एवं चांवल पर दीपक रखकर प्रज्वलित करें।
🌿🌸आप सभी के श्री चरणों में प्रार्थना है अगर हो सके तो और लोगों को भी  आप इन महत्वपूर्ण बातों से अवगत करा सकते हैं 🌸🌿जय जय श्री राधे 👏🌸🌿.

6 ઑક્ટો, 2018

Gpsc exam material

GPSC exam preparation

1. શ્રી અરવિંદ ઘોષે ક્યાં પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? 
   Ans. ભવાની મંદિર

2. શ્રી અરવિંદ ઘોષનાં ક્રાંતિકારી વિચારોને વાચા આપનાર સામાયિક હતું? 
   Ans. દક્ષિણા 

3. મેડમ ભિખાઈજી કામાએ ક્યાં દેશમાં હિંદનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? 
   Ans. જર્મની 

4. 'ખિલાફત આંદોલનને હિંદનાં રાષ્ટ્રીય આંદોલન જોડવામાં આવ્યું તે એક મોટી ભૂલ હતી.' આ વિધાન 
ટાંકનાર ભારતનાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. એમ. સી. ચાગલા 

5. ઓપરેશન ફલડ શેની સાથે જોડાયેલું છે? 
   Ans. દૂધ ઉત્પાદન 

6. ભારતમાં સૌથી વધુ વરસાદ મેળવતું ક્ષેત્ર મોનસરિમ કયા રાજ્યમાં આવેલું છે? 
   Ans. મેઘાલય 

7. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી કઈ નદીનાં કિનારે આવેલી હતી? 
   Ans. કૃષ્ણા 

8. કયો દેશ ઔધોગિક ક્રાંતિની માતૃભૂમિ બન્યો? 
   Ans. ઈંગ્લેન્ડ 

9. 'અકિંચન' શબ્દનો સમાનાર્થી 
   Ans. ગરીબ 

10. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું ઝંપીશ.' આ વિધાન કહેનાર? 
   Ans. બાળ ગંગાધર તિલક 

11. 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ? 
   Ans. બીટ ધિ પ્લાસ્ટિક 

12. શૂરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 
   Ans. નર્મદા 

13. ગુજરાતનું સૌથી મોટું સરોવર 
   Ans. નળ સરોવર 

14. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? 
   Ans. વલસાડ 

15. ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે? 
   Ans. નડિયાદ 

16. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? 
   Ans. ગિરનાર તળેટી 

17. ગુજરાતમાં સાધુઓનું પિયર
   Ans. જુનાગઢ 

18. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. વડનગર 

19. ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? 
   Ans. કચ્છ 

20. ખોડિયાર બંધ કઈ નદી પર છે? 
   Ans. શેત્રુંજી 

21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? 
   Ans. વડોદરા 

22. ગુજરાતની પૂર્વ - પશ્ચિમની લંબાઈ કેટલી? 
   Ans. 500 કિ.મી. 

23. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે?
   Ans. વડનગર 

24. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? 
   Ans. પોરબંદર 

25. ગુજરાતની કુંવારિકા નદીઓ 
   Ans. બનાસ, સરસ્વતી, રૂપેણ 

26. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો 
   Ans. કચ્છ 

27. ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? 
   Ans. સાબરમતી 

28. તેન તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. ડભોઇ 

29. ગુજરાતમાં સાત નદીઓનો સંગમ ક્યાં સ્થળે થાય છે? 
   Ans. વૌઠા 

30. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? 
   Ans. જામનગર 

31. પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે?
   Ans. લાલા લજપતરાય 

32. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? 
   Ans. વિનોબા ભાવે 

 33. કઈ ગુજરાતી નવલકથા 1857નાં સંગ્રામનાં અનુસંધાનમાં લખાઈ છે? 
   Ans. ભારેલો અગ્નિ 

34. ચાફેકર બંધુઓ તરીકે કોણ ઓળખાય છે? 
   Ans. દતાત્રેય અને બાલકૃષ્ણ 

35. કયા ક્રાંતિકારી નેતા પાછળથી મહર્ષિ તરીકે ઓળખાયા? 
   Ans. અરવિંદ ઘોષ 

36. 'આનંદમઠ' પુસ્તકનાં રચયિતા? 
   Ans. બંકિમચંદ્ર ચેટરજી 

37. 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' કોની પંક્તિ છે? 
   Ans. રામપ્રસાદ બિસ્મિલ 

38. ગુજરાતનાં કયા ક્રાંતિકારી 'ડુંગળીચોર' તરીકે ઓળખાય છે? 
   Ans. મોહનલાલ પંડ્યા 

39. 'અભિનવ ભારત' name ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી? 
   Ans. વીર સાવરકર 

40. 'કેશરી' શબ્દનો સમાનાર્થી? 
   Ans. સિંહ 

41. 1857નાં સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક શું હતું? 
   Ans. કમળ અને રોટી 

42. મુંબઈમાં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? 
   Ans. ડી. કે. કેર્વ 

43. 'કેશરી' અને 'મરાઠ' સામયિકોની શરૂઆત કોણે કરી હતી? 
   Ans. બાળગંગાધર તિલક 

44. 'શિવાજી ઉત્સવ' અને 'ગણેશોત્સવ'ની શરૂઆત કોને કરાવી? 
   Ans. બાળગંગાધર તિલક 

45. ભારતનાં પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. હરિલાલ કણીયા 

46. દેશનાં બંધારણીય વડા કોણ છે? 
   Ans. રાષ્ટ્રપતિ 

47. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં રહેલ દોડતો આખલો શેનું સૂચન કરે છે? 
   Ans. કઠિન પરિશ્રમ 

48. ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? 
   Ans. ત્રણ સ્તર 

49. ભારતનાં પ્રથમ નાગરિક કોણ છે? 
   Ans. રાષ્ટ્પતિ 

50. ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિનું નામ? 
   Ans. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

51. 'સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ' ક્યાં આવેલું છે? 
   Ans. અમદાવાદ 

52. ગુજરાતમાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. ક્યાં આવેલું છે? 
   Ans. વડોદરા 

53. ગુજરાત રાજ્યની સરહદો અન્ય કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? 
   Ans. ત્રણ 

54. સરસ્વતી નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? 
   Ans. મુક્તેશ્વર 

55. ગુજરાતનો કયો મેળો ગધેડાની લે-વેચ માટે પ્રસિદ્ધ છે? 
   Ans. વૌઠા 

56. ગુજરાતનું પ્રથમ ટેલીવિઝન કેન્દ્ર કયું છે? 
   Ans. પીજ 

57. 'કલ્પસર' શું છે? 
   Ans. ખંભાતનાં અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના 

58. સમગ્ર વિશ્વમાં ઘુડખર નામનું પ્રાણી ફક્ત કઈ જગ્યાએ જોવા મળે છે? 
   Ans. કચ્છનાં નાના રણમાં 

59. પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલ છે? 
   Ans. સિદ્ધપુર 

60. ભરૂચ પાસે નર્મદા નદી પર કયો બ્રીજ આવેલો છે? 
   Ans. ગોલ્ડન બ્રીજ 

61. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયનાં સ્થાપક કોણ હતા? 
   Ans. પં. મદનમોહન માલવિયા 

62. આપણા બંધારણનાં કયા આર્ટીકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે? 
   Ans. 17 

63. ભારતે ઈ.સ. 1975માં છોડેલા સૌપ્રથમ ઉપગ્રહનું નામ? 
   Ans. આર્યભટ્ટ 

64. હિંદ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું?
   Ans. આચાર્ય વિનોબા ભાવે 

65. 'વાંસદા' રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે?
   Ans. નવસારી 

66. ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ કોણ હતા? 
   Ans. શ્રીમદ રાજચંદ્ર 

67. કોનાં પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? 
   Ans. લોર્ડ મેકાલો 

68. અંગ્રેજોએ પોતાનું પ્રથમ વ્યાપારી કેન્દ્ર કયા શહેરમાં સ્થાપ્યું હતું? 
   Ans. સુરત 

69. સતીપ્રથા પર પ્રતિબંધ કોણે મુકાવ્યો હતો? 
   Ans. રાજા રામમોહન રાય 

70. આપણા દેશનાં વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? 
   Ans. આયોજનપંચ 

71. વડોદરા કઈ નદીનાં કિનારે આવેલું છે? 
   Ans. વિશ્વામિત્રી

72. કઈ નદી કર્કવૃતને બે વખત છેડે છે?
   Ans. મહી 

73. કઈ નદીને સૂર્યપુત્રી નદી તરીકે ઓળખવામાં આવે છે? 
   Ans. તાપી 

74. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક? 
   Ans. રાજપીપળા

75. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? 
   Ans. મહેસાણા 

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો


 1.    ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.     

                                          - અખો     

2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

         પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    

                            - હરજી લવજી દામાણી    

3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  

                                         - કવિ કલાપી   

4.    યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.  

                          - કવિ નર્મદ     

5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  

                                              - શેખાદમ આબુવાલા    

6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો

         એને આવકારો મીઠો આપજે રે......    

                             - દુલા કાગ    

7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;

        આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. 

                                          - મકરંદ દવે   

 

8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    

                         - સુન્દરમ્ 

   

9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   

                                        - અરદેશર ખબરદાર    

10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.    

                                                           - કવિ નર્મદ    

11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી મુકું ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.                                                                                               - પ્રેમાંનદ 

 

12.    ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ

                   નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત.       

                                - કવિ અરદેશર ખબરદાર

13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    

                                              - ઉમાશંકર જોશી    

14.    ધન્હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   

                                                 - ન્હાનાલાલ    

15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

           પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.   

                                              - કલાપી 

   

16.    જનનીની જોડ સખી! 

            નહિ જડે રે લોલ!    

                  - કવિ બોટાદકર     

17.    રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.    

                                                - મીરાંબાઈ     

18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,

             ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.               

                                        - કરસનદાસ માણેક 

19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !

             સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !              

                                    - ઝવેરચંદ મેધાણી 

20.    રે પંખીડા! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,

                 શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.          

                                                -  કવિ કલાપી 

21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  

                                                       - દલપતરામ 

22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.     

                                                  - કવિ કલાપી 

23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.          

                                                               - બરકત વિરાણી 

24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

          થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            

                                  - અમૃત ધાયલ     

25.    ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;

           બહુ આપી દીધું નાથ, જા, ચોથું નથી માગવું.          

                                     - ઉમાશંકર જોશી 

26.    સિંહને શસ્ત્ર શાં! અને વીરને મુત્યુ શાં!         

                          - કવિ ન્હાનાલાલ

27.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.

                             - ચંદ્રકાન્ત શેઠ

28.    મંગલ મંદિર ખોલો! દયામય મંગલ મંદિર ખોલો!     

 - નરસિંહરાવ દિવેટિયા 

29.     મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        

                            - રાવજી પટેલ 

30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.            

                     - ઉમાશંકર જોશી 

31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી

               એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            

                                             - ન્હાનાલાલ 

32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, 

        સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે. 

                                   - કલાપી      

 

33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                 

                       - નરસિંહ મહેતા 

34.    એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ....        

                                                  - અખો 

35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને. 

                                             - પ્રીતમ 

36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,            

                       - દયારામ   

 

37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....               

                        - ગંગાસતી     

38.    વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું, 

                                 - દયારામ  

 

39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   

                      - દલપતરામ     

40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...   

                     - નરસિંહરાવ દિવેટિયા

41.    નિશાન ચૂફ માફ, નહી નીચું નિશાન..     

                               - બ.ક.ઠાકર    

42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.

                              - કરસનદાસ માણેક 

43.    માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે,      

                    - પન્નાલાલ પટેલ 

 મારી

44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, 

                              - રાજેન્દ્ર શાહ

45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,  

         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, 

               એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા, 

                                         - હરીન્દ્ર દવે 

શું વૃક્ષો રડે છે ?.. હા તેને કોઇ કાપે તો રડે છે !!

- દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના અભાવે વૃક્ષો તંગ સ્થિતિમાં જીવે છે; વૃક્ષો પાણી માટે સાદ પાડે છે..

- મૂળિયામાંથી રીંગોનો વૃક્ષો 'સ્ટ્રો' તરીકે ઉપયોગ કરે છે

- મધમાખી ફૂલો પાસેથી પરાગરજ લેતા પહેલાં કૉમ્યુનિકેશન કરે છે:અવાજ સાંભળવાનો ડીવાઇસ..

- યુકેલિપ્ટ્સના ઝાડમાંથી આવતો અવાજ સાંભળવા બ્રિટનના રૉયલ બૉટોનીકલ ક્યૂ ગાર્ડનમાં હેડ ફોન અપાય છે
-હવામાન પ્રમાણે વૃક્ષોનો અવાજ બદલાય છે

શું વૃક્ષો રડે છે ? જવાબમાં 'હા' છે. જ્યારે તે પાણી માટે ઝૂરે છે ત્યારે તે કણસે છે અને અવાજ કરે છે. કમનસીબે આપણે આ અવાજ સાંભળી શકતા નથી. કેમ કે તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય છે. જે આપણે સાંભળી શકતા નથી. જો કે હવે વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે કે વૃક્ષો આપણી મદદ માગવા રડે છે !!

એવું નથી કે માત્ર પાણીની ડીમાન્ડ માટે તે રડે છે પણ તે ભયથી રડે છે, દુખાવાથી રડે છે, ઠંડી લાગવાથી રડે છે.
વૃક્ષો ખુબ ઉંચા હોઈ આ ટયુબોએ પાણી ઉપર સુધી પહોંચાડવા ખુબ જોર લગાવવું પડે છે. જેમ કે નીચે મુકેલા પાણીના ગ્લાસમાં થોડું પાણી હોય અને તેને ઉપર સુધી પહોંચાડવામાં જેટલું જોર લગાવવું પડે એટલું જોર ટયુબો કરે છે. દરેક પાંદડા કે ડાળી સુધી પાણી પહોંચાડવા વધુ પ્રેસર કરવું પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના ઝાડ નીચે પાણી ઓછું હોય છે. જ્યારે મૂળીયામાંની ટયુબો તે ખેંચે છે ત્યારે અંદર હવાના પરપોટા આવી જાય છે જે સમગ્ર ટયુબોને કામ કરતી અટકાવી દે છે. કેમ કે તે પરપોટાથી જામ થઇ જાય છે.

ફિઝીક્સ વિજ્ઞાાની એલેકઝાંડર પોનોમારકીનોના નેતૃત્વ હેઠળ ફ્રાંસની ગ્રેનાબલ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓની ટીમે વિવિધ અવાજો જુદા પાડીને પ્રયોગ કર્યા હતા. (હકીકતે તો વૃક્ષને જ્યારે કાપવામાં આવે છે ત્યારે પણ તે રડે છે, જો કે આ બાબતના પ્રચારથી વૃક્ષ કાપવાના ધંધા પર મોટો ફટકો પડી શકે છે)

ઝાડ પાણી કેવી રીતે પીવે છે ? તેના લાંબા મૂળીયા 'સ્ટ્રો' સમાન હોય છે. આ મૂળીયામાં ખાસ પ્રકારની ગૂંચડાવાળી ટયુબ જેવા રેસા હોય છે. આવા રેસા-ટયુબને ઝાયલેમ કહે છે જે પાણીને ખેંચીને પાંદડા તેમજ ડાળીઓ સુધી પહોંચાડે છે.

આ સ્થિતિને કેવીએશન (પોલાણનો અવાજ) કહે છે. જેના કારણે કેટલાંક વૃક્ષ લીલોતરી ગુમાવે છે તો કેટલાંક સૂકાઇને મોતને ભેટે છે.

સીધી ભાષામાં લખીએ તો વૃક્ષના મૂળીયા-થડનું મુખ્ય કામ પાણીનું ઉપર તરફ વહન કરવાનું છે. જ્યારે પાણી ખેંચવા જોર કરતી વખતે વૃક્ષ તંગ સ્થિતિ અનુભવે છે. આ સ્થિતિમાં તેની વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અટકી જાય છે.
કેવીયેશનનો અવાજ માઇક્રોફોન પકડી શકે છે. જ્યારે વૃક્ષને ઓછું પાણી મળે છે ત્યારે કેવીએશનનો અવાજ વધે છે અને મૂળીયાની પેશીઓમાં બબલ વધે છે. પાણીની અછત વખતે વૃક્ષોના અવાજના મોજાં તીવ્ર બને છે.

વિચારો કે કોઈ એવું ડીવાઇસ હોય કે જે વૃક્ષ સાથે બાંધેલું હોય અને તેને પાણી જોઈએ ત્યારે અવાજ કરે ! અવાજ એક સંશોધન માટે એરીઝોનાના જીવશાસ્ત્રીઓની બે કંપનીઓએ ઓછી કિંમતનું એકોસ્ટીક ડીટેકટર વિકસાવ્યું હતું. જેનાથી વૃક્ષો સાથે વાત થઇ શકે છે. આપણે ઇચ્છીએ કે તે લોકો એવી લેંગવેજનું કોડીંગ કરે કે જેનાથી વૃક્ષો ઠંડી કે ગરમી અંગે બોલે તો સમજી શકાય.

બ્રિટનના રોયલ બોટોનીકલ કયૂ ગાર્ડનમાં મુલાકાતીઓને હેડફોન આપીને યુકેલીપ્ટસના ઝાડમાંથી આવતી ધુ્રજારી સંભળાવવામાં આવે છે. નેચરલ એન્વાયોર્નમેન્ટ રિસર્ચ કાઉન્સીલે આ પ્રોજેક્ટને ફંડ આપ્યું છે. વૃક્ષોની વિવિધ જાતિઓ વચ્ચેના અવાજમાં થતા ફેરફાર પર પણ સંશોધન ચાલે છે. મૂળીયા મારફતે કયું વૃક્ષ વધુ પાણી ખેંચે છે તે પર પણ સંશોધનો શરૃ થયા છે.

નેચર મેગેઝીને નોંધ્યું છે કે સખત વરસાદવાળા વિસ્તારમાં કે રણ પ્રદેશમાંના વૃક્ષો વચ્ચેના ભેદ પારખવા માટે પણ સંશોધનો ચાલે છે. પાઇન ટ્રી જેવી કેટલીક જાતો ડગલસ ફલાય પર સંશોધન ચાલે છે. વૃક્ષની સ્થિતિ પરથી તેને મળતા પાણીનું પ્રમાણ નક્કી થઈ શકે છે એમ મનાય છે.

દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના વૃક્ષો ગજબની સહનશક્તિ બતાવે છે. તે થોડા પાણીથી જીવીત રહે છે. કેટલાંક તો પાણી વિના પણ લાંબુ ખેંચે છે. તે પોતાની ચયાપચનની શક્તિ પણ પાણીના અભાવના કારણે બદલી નાંખે છે. જોકે જ્યારે પાણી મળે છે ત્યારે તે પોતાની સુકાયેલી નસો ફરી પુનર્જીવીત કરી શકતા નથી એટલે સુકાઇ જાય છે. વૃક્ષનું સુકાઇ જવું એટલે મોતને ભેટવું. કેટલાંક વૃક્ષોની નસો પાણી મળવાથી ફરી સક્રીય થઇ જાય છે.

ઍલેક્સ મૅટકાફ નામના આર્ટીસ્ટે વૃક્ષોનો અવાજ સાંભળી શકાય એવું ડીવાઇસ બનાવ્યું હતું.

 તો પછી વૃક્ષો કેવો અવાજ કરે છે ? જ્યારે બાળક આ અવાજ સાંભળે છે ત્યારે તેને મોટરબાઇક કે તોફાની પવનનો અવાજ લાગે છે. પરંતુ જ્યારે તેને ધ્યાનથી સાંભળવામાં આવે ત્યારે તે ટીક.. ટીક જેવો અવાજ કરે છે. એકવાર તમે તેને સાંભળવાનું શરૃ કરો તો તેને અવગણી ના શકો !! આ ટીક.. ટીક અવાજ વૃક્ષ પાણી પીવે તેનો છે. તેના મૂળીયામાં આવેલી રીંગો મારફતે તે પાણી પીવે છે.

મૅટકાફનું ડીવાઇસ ત્યારે અવાજ કરે છે કે જ્યારે વૃક્ષમાં કાણું પાડવામાં આવે છે ત્યારે પણ તે અવાજ કરે છે. ત્યારબાદ આ ડીવાઇસને મોડીફાઇડ કરીને તેમાં એમ્પલીફાઇડ કરીને અવાજ ૩૩ ગણો વધારાયો હતો, તેમજ આજુબાજુનો બીનજરૃરી અવાજ પણ અટકાવાયો હતો. જેમ હવામાન બદલાતું હતું એમ અવાજ પણ બદલાતો હતો.

બાયોલોજીસ્ટ જેક સ્કલ્ટએ અને લૅન બૅલ્ડવીને તો તેમના સંશોધનમાં એટલે સુધી લખ્યું છે કે કોઇ પોતાને ખાય કે પોતાને ત્યાં માળો બાંધે તે વૃક્ષને નથી ગમતું. વૃક્ષ એ એકદમ ધીમું પ્રાણી કહી શકાય. પ્રાણી અને એ બંનેમાં તફાવત એ છે કે જ્યારે કોઇ તેના પર હુમલો કરે ત્યારે તે ભાગી શકતું નથી.

ઘણાં ઉદાહરણો એવા છે કે જેમાં જીવાણુઓ અને વૃક્ષ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. ટોમેટો કે અન્ય ફુલો પરથી પરાગરજ લેતી વખતે મધમાખી તેમની સાથે કોમ્યુનિકેટ કરે છે.

 વિજ્ઞાાનીઓ હવે બે વૃક્ષોના મૂળીયા વચ્ચે જમીનની અંદર થતા કોમ્યુનિકેશન પર સંશોધન કરે છે. જે રીતે આપણે ઈન્ટરનેટના માળખા દ્વારા મેસેજ મોકલીએ છીએ એમ જમીનમાંના મૂળીયા ફંગસ મારફતે મેસેજ મોકલે છે.

પ્રાણીઓ અને વૃક્ષોનો અવાજ સાંભળીને સમજી શકાય એવા સંશોધનો થાય ત્યાં સુધી હું જીવતી રહીશ એવી મને શ્રધ્ધા છે. આ સંશોધન ખૂબ મહત્વના બની રહેશે.

સંવેદના મેનકા ગાંધી

સૌજન્ય:ગુજરાત સમાચાર