6 ઑક્ટો, 2018

Gpsc exam material

GPSC exam preparation

1. શ્રી અરવિંદ ઘોષે ક્યાં પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? 
   Ans. ભવાની મંદિર

2. શ્રી અરવિંદ ઘોષનાં ક્રાંતિકારી વિચારોને વાચા આપનાર સામાયિક હતું? 
   Ans. દક્ષિણા 

3. મેડમ ભિખાઈજી કામાએ ક્યાં દેશમાં હિંદનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? 
   Ans. જર્મની 

4. 'ખિલાફત આંદોલનને હિંદનાં રાષ્ટ્રીય આંદોલન જોડવામાં આવ્યું તે એક મોટી ભૂલ હતી.' આ વિધાન 
ટાંકનાર ભારતનાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. એમ. સી. ચાગલા 

5. ઓપરેશન ફલડ શેની સાથે જોડાયેલું છે? 
   Ans. દૂધ ઉત્પાદન 

6. ભારતમાં સૌથી વધુ વરસાદ મેળવતું ક્ષેત્ર મોનસરિમ કયા રાજ્યમાં આવેલું છે? 
   Ans. મેઘાલય 

7. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી કઈ નદીનાં કિનારે આવેલી હતી? 
   Ans. કૃષ્ણા 

8. કયો દેશ ઔધોગિક ક્રાંતિની માતૃભૂમિ બન્યો? 
   Ans. ઈંગ્લેન્ડ 

9. 'અકિંચન' શબ્દનો સમાનાર્થી 
   Ans. ગરીબ 

10. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું ઝંપીશ.' આ વિધાન કહેનાર? 
   Ans. બાળ ગંગાધર તિલક 

11. 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ? 
   Ans. બીટ ધિ પ્લાસ્ટિક 

12. શૂરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 
   Ans. નર્મદા 

13. ગુજરાતનું સૌથી મોટું સરોવર 
   Ans. નળ સરોવર 

14. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? 
   Ans. વલસાડ 

15. ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે? 
   Ans. નડિયાદ 

16. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? 
   Ans. ગિરનાર તળેટી 

17. ગુજરાતમાં સાધુઓનું પિયર
   Ans. જુનાગઢ 

18. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. વડનગર 

19. ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? 
   Ans. કચ્છ 

20. ખોડિયાર બંધ કઈ નદી પર છે? 
   Ans. શેત્રુંજી 

21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? 
   Ans. વડોદરા 

22. ગુજરાતની પૂર્વ - પશ્ચિમની લંબાઈ કેટલી? 
   Ans. 500 કિ.મી. 

23. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે?
   Ans. વડનગર 

24. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? 
   Ans. પોરબંદર 

25. ગુજરાતની કુંવારિકા નદીઓ 
   Ans. બનાસ, સરસ્વતી, રૂપેણ 

26. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો 
   Ans. કચ્છ 

27. ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? 
   Ans. સાબરમતી 

28. તેન તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. ડભોઇ 

29. ગુજરાતમાં સાત નદીઓનો સંગમ ક્યાં સ્થળે થાય છે? 
   Ans. વૌઠા 

30. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? 
   Ans. જામનગર 

31. પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે?
   Ans. લાલા લજપતરાય 

32. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? 
   Ans. વિનોબા ભાવે 

 33. કઈ ગુજરાતી નવલકથા 1857નાં સંગ્રામનાં અનુસંધાનમાં લખાઈ છે? 
   Ans. ભારેલો અગ્નિ 

34. ચાફેકર બંધુઓ તરીકે કોણ ઓળખાય છે? 
   Ans. દતાત્રેય અને બાલકૃષ્ણ 

35. કયા ક્રાંતિકારી નેતા પાછળથી મહર્ષિ તરીકે ઓળખાયા? 
   Ans. અરવિંદ ઘોષ 

36. 'આનંદમઠ' પુસ્તકનાં રચયિતા? 
   Ans. બંકિમચંદ્ર ચેટરજી 

37. 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' કોની પંક્તિ છે? 
   Ans. રામપ્રસાદ બિસ્મિલ 

38. ગુજરાતનાં કયા ક્રાંતિકારી 'ડુંગળીચોર' તરીકે ઓળખાય છે? 
   Ans. મોહનલાલ પંડ્યા 

39. 'અભિનવ ભારત' name ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી? 
   Ans. વીર સાવરકર 

40. 'કેશરી' શબ્દનો સમાનાર્થી? 
   Ans. સિંહ 

41. 1857નાં સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક શું હતું? 
   Ans. કમળ અને રોટી 

42. મુંબઈમાં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? 
   Ans. ડી. કે. કેર્વ 

43. 'કેશરી' અને 'મરાઠ' સામયિકોની શરૂઆત કોણે કરી હતી? 
   Ans. બાળગંગાધર તિલક 

44. 'શિવાજી ઉત્સવ' અને 'ગણેશોત્સવ'ની શરૂઆત કોને કરાવી? 
   Ans. બાળગંગાધર તિલક 

45. ભારતનાં પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. હરિલાલ કણીયા 

46. દેશનાં બંધારણીય વડા કોણ છે? 
   Ans. રાષ્ટ્રપતિ 

47. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં રહેલ દોડતો આખલો શેનું સૂચન કરે છે? 
   Ans. કઠિન પરિશ્રમ 

48. ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? 
   Ans. ત્રણ સ્તર 

49. ભારતનાં પ્રથમ નાગરિક કોણ છે? 
   Ans. રાષ્ટ્પતિ 

50. ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિનું નામ? 
   Ans. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

51. 'સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ' ક્યાં આવેલું છે? 
   Ans. અમદાવાદ 

52. ગુજરાતમાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. ક્યાં આવેલું છે? 
   Ans. વડોદરા 

53. ગુજરાત રાજ્યની સરહદો અન્ય કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? 
   Ans. ત્રણ 

54. સરસ્વતી નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? 
   Ans. મુક્તેશ્વર 

55. ગુજરાતનો કયો મેળો ગધેડાની લે-વેચ માટે પ્રસિદ્ધ છે? 
   Ans. વૌઠા 

56. ગુજરાતનું પ્રથમ ટેલીવિઝન કેન્દ્ર કયું છે? 
   Ans. પીજ 

57. 'કલ્પસર' શું છે? 
   Ans. ખંભાતનાં અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના 

58. સમગ્ર વિશ્વમાં ઘુડખર નામનું પ્રાણી ફક્ત કઈ જગ્યાએ જોવા મળે છે? 
   Ans. કચ્છનાં નાના રણમાં 

59. પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલ છે? 
   Ans. સિદ્ધપુર 

60. ભરૂચ પાસે નર્મદા નદી પર કયો બ્રીજ આવેલો છે? 
   Ans. ગોલ્ડન બ્રીજ 

61. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયનાં સ્થાપક કોણ હતા? 
   Ans. પં. મદનમોહન માલવિયા 

62. આપણા બંધારણનાં કયા આર્ટીકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે? 
   Ans. 17 

63. ભારતે ઈ.સ. 1975માં છોડેલા સૌપ્રથમ ઉપગ્રહનું નામ? 
   Ans. આર્યભટ્ટ 

64. હિંદ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું?
   Ans. આચાર્ય વિનોબા ભાવે 

65. 'વાંસદા' રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે?
   Ans. નવસારી 

66. ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ કોણ હતા? 
   Ans. શ્રીમદ રાજચંદ્ર 

67. કોનાં પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? 
   Ans. લોર્ડ મેકાલો 

68. અંગ્રેજોએ પોતાનું પ્રથમ વ્યાપારી કેન્દ્ર કયા શહેરમાં સ્થાપ્યું હતું? 
   Ans. સુરત 

69. સતીપ્રથા પર પ્રતિબંધ કોણે મુકાવ્યો હતો? 
   Ans. રાજા રામમોહન રાય 

70. આપણા દેશનાં વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? 
   Ans. આયોજનપંચ 

71. વડોદરા કઈ નદીનાં કિનારે આવેલું છે? 
   Ans. વિશ્વામિત્રી

72. કઈ નદી કર્કવૃતને બે વખત છેડે છે?
   Ans. મહી 

73. કઈ નદીને સૂર્યપુત્રી નદી તરીકે ઓળખવામાં આવે છે? 
   Ans. તાપી 

74. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક? 
   Ans. રાજપીપળા

75. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? 
   Ans. મહેસાણા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો