6 ઑક્ટો, 2018

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો


 1.    ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.     

                                          - અખો     

2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

         પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    

                            - હરજી લવજી દામાણી    

3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  

                                         - કવિ કલાપી   

4.    યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.  

                          - કવિ નર્મદ     

5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  

                                              - શેખાદમ આબુવાલા    

6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો

         એને આવકારો મીઠો આપજે રે......    

                             - દુલા કાગ    

7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;

        આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. 

                                          - મકરંદ દવે   

 

8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    

                         - સુન્દરમ્ 

   

9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   

                                        - અરદેશર ખબરદાર    

10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.    

                                                           - કવિ નર્મદ    

11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી મુકું ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.                                                                                               - પ્રેમાંનદ 

 

12.    ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ

                   નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત.       

                                - કવિ અરદેશર ખબરદાર

13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    

                                              - ઉમાશંકર જોશી    

14.    ધન્હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   

                                                 - ન્હાનાલાલ    

15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

           પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.   

                                              - કલાપી 

   

16.    જનનીની જોડ સખી! 

            નહિ જડે રે લોલ!    

                  - કવિ બોટાદકર     

17.    રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.    

                                                - મીરાંબાઈ     

18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,

             ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.               

                                        - કરસનદાસ માણેક 

19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !

             સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !              

                                    - ઝવેરચંદ મેધાણી 

20.    રે પંખીડા! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,

                 શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.          

                                                -  કવિ કલાપી 

21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  

                                                       - દલપતરામ 

22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.     

                                                  - કવિ કલાપી 

23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.          

                                                               - બરકત વિરાણી 

24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

          થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            

                                  - અમૃત ધાયલ     

25.    ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;

           બહુ આપી દીધું નાથ, જા, ચોથું નથી માગવું.          

                                     - ઉમાશંકર જોશી 

26.    સિંહને શસ્ત્ર શાં! અને વીરને મુત્યુ શાં!         

                          - કવિ ન્હાનાલાલ

27.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.

                             - ચંદ્રકાન્ત શેઠ

28.    મંગલ મંદિર ખોલો! દયામય મંગલ મંદિર ખોલો!     

 - નરસિંહરાવ દિવેટિયા 

29.     મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        

                            - રાવજી પટેલ 

30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.            

                     - ઉમાશંકર જોશી 

31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી

               એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            

                                             - ન્હાનાલાલ 

32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, 

        સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે. 

                                   - કલાપી      

 

33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                 

                       - નરસિંહ મહેતા 

34.    એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ....        

                                                  - અખો 

35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને. 

                                             - પ્રીતમ 

36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,            

                       - દયારામ   

 

37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....               

                        - ગંગાસતી     

38.    વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું, 

                                 - દયારામ  

 

39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   

                      - દલપતરામ     

40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...   

                     - નરસિંહરાવ દિવેટિયા

41.    નિશાન ચૂફ માફ, નહી નીચું નિશાન..     

                               - બ.ક.ઠાકર    

42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.

                              - કરસનદાસ માણેક 

43.    માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે,      

                    - પન્નાલાલ પટેલ 

 મારી

44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, 

                              - રાજેન્દ્ર શાહ

45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,  

         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, 

               એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા, 

                                         - હરીન્દ્ર દવે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો