6 ઑક્ટો, 2018

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો


 1.    ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.     

                                          - અખો     

2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,

         પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    

                            - હરજી લવજી દામાણી    

3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  

                                         - કવિ કલાપી   

4.    યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.  

                          - કવિ નર્મદ     

5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  

                                              - શેખાદમ આબુવાલા    

6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો

         એને આવકારો મીઠો આપજે રે......    

                             - દુલા કાગ    

7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;

        આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. 

                                          - મકરંદ દવે   

 

8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    

                         - સુન્દરમ્ 

   

9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   

                                        - અરદેશર ખબરદાર    

10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.    

                                                           - કવિ નર્મદ    

11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી મુકું ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.                                                                                               - પ્રેમાંનદ 

 

12.    ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ

                   નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત.       

                                - કવિ અરદેશર ખબરદાર

13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    

                                              - ઉમાશંકર જોશી    

14.    ધન્હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   

                                                 - ન્હાનાલાલ    

15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,

           પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.   

                                              - કલાપી 

   

16.    જનનીની જોડ સખી! 

            નહિ જડે રે લોલ!    

                  - કવિ બોટાદકર     

17.    રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.    

                                                - મીરાંબાઈ     

18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,

             ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.               

                                        - કરસનદાસ માણેક 

19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !

             સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !              

                                    - ઝવેરચંદ મેધાણી 

20.    રે પંખીડા! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,

                 શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.          

                                                -  કવિ કલાપી 

21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  

                                                       - દલપતરામ 

22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.     

                                                  - કવિ કલાપી 

23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.          

                                                               - બરકત વિરાણી 

24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

          થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            

                                  - અમૃત ધાયલ     

25.    ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;

           બહુ આપી દીધું નાથ, જા, ચોથું નથી માગવું.          

                                     - ઉમાશંકર જોશી 

26.    સિંહને શસ્ત્ર શાં! અને વીરને મુત્યુ શાં!         

                          - કવિ ન્હાનાલાલ

27.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.

                             - ચંદ્રકાન્ત શેઠ

28.    મંગલ મંદિર ખોલો! દયામય મંગલ મંદિર ખોલો!     

 - નરસિંહરાવ દિવેટિયા 

29.     મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        

                            - રાવજી પટેલ 

30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.            

                     - ઉમાશંકર જોશી 

31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી

               એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            

                                             - ન્હાનાલાલ 

32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, 

        સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે. 

                                   - કલાપી      

 

33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                 

                       - નરસિંહ મહેતા 

34.    એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ....        

                                                  - અખો 

35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને. 

                                             - પ્રીતમ 

36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,            

                       - દયારામ   

 

37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....               

                        - ગંગાસતી     

38.    વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું, 

                                 - દયારામ  

 

39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   

                      - દલપતરામ     

40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...   

                     - નરસિંહરાવ દિવેટિયા

41.    નિશાન ચૂફ માફ, નહી નીચું નિશાન..     

                               - બ.ક.ઠાકર    

42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.

                              - કરસનદાસ માણેક 

43.    માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે,      

                    - પન્નાલાલ પટેલ 

 મારી

44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, 

                              - રાજેન્દ્ર શાહ

45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,  

         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, 

               એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા, 

                                         - હરીન્દ્ર દવે 

શું વૃક્ષો રડે છે ?.. હા તેને કોઇ કાપે તો રડે છે !!

- દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના અભાવે વૃક્ષો તંગ સ્થિતિમાં જીવે છે; વૃક્ષો પાણી માટે સાદ પાડે છે..

- મૂળિયામાંથી રીંગોનો વૃક્ષો 'સ્ટ્રો' તરીકે ઉપયોગ કરે છે

- મધમાખી ફૂલો પાસેથી પરાગરજ લેતા પહેલાં કૉમ્યુનિકેશન કરે છે:અવાજ સાંભળવાનો ડીવાઇસ..

- યુકેલિપ્ટ્સના ઝાડમાંથી આવતો અવાજ સાંભળવા બ્રિટનના રૉયલ બૉટોનીકલ ક્યૂ ગાર્ડનમાં હેડ ફોન અપાય છે
-હવામાન પ્રમાણે વૃક્ષોનો અવાજ બદલાય છે

શું વૃક્ષો રડે છે ? જવાબમાં 'હા' છે. જ્યારે તે પાણી માટે ઝૂરે છે ત્યારે તે કણસે છે અને અવાજ કરે છે. કમનસીબે આપણે આ અવાજ સાંભળી શકતા નથી. કેમ કે તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય છે. જે આપણે સાંભળી શકતા નથી. જો કે હવે વિજ્ઞાાનીઓએ શોધી કાઢ્યું છે કે વૃક્ષો આપણી મદદ માગવા રડે છે !!

એવું નથી કે માત્ર પાણીની ડીમાન્ડ માટે તે રડે છે પણ તે ભયથી રડે છે, દુખાવાથી રડે છે, ઠંડી લાગવાથી રડે છે.
વૃક્ષો ખુબ ઉંચા હોઈ આ ટયુબોએ પાણી ઉપર સુધી પહોંચાડવા ખુબ જોર લગાવવું પડે છે. જેમ કે નીચે મુકેલા પાણીના ગ્લાસમાં થોડું પાણી હોય અને તેને ઉપર સુધી પહોંચાડવામાં જેટલું જોર લગાવવું પડે એટલું જોર ટયુબો કરે છે. દરેક પાંદડા કે ડાળી સુધી પાણી પહોંચાડવા વધુ પ્રેસર કરવું પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના ઝાડ નીચે પાણી ઓછું હોય છે. જ્યારે મૂળીયામાંની ટયુબો તે ખેંચે છે ત્યારે અંદર હવાના પરપોટા આવી જાય છે જે સમગ્ર ટયુબોને કામ કરતી અટકાવી દે છે. કેમ કે તે પરપોટાથી જામ થઇ જાય છે.

ફિઝીક્સ વિજ્ઞાાની એલેકઝાંડર પોનોમારકીનોના નેતૃત્વ હેઠળ ફ્રાંસની ગ્રેનાબલ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓની ટીમે વિવિધ અવાજો જુદા પાડીને પ્રયોગ કર્યા હતા. (હકીકતે તો વૃક્ષને જ્યારે કાપવામાં આવે છે ત્યારે પણ તે રડે છે, જો કે આ બાબતના પ્રચારથી વૃક્ષ કાપવાના ધંધા પર મોટો ફટકો પડી શકે છે)

ઝાડ પાણી કેવી રીતે પીવે છે ? તેના લાંબા મૂળીયા 'સ્ટ્રો' સમાન હોય છે. આ મૂળીયામાં ખાસ પ્રકારની ગૂંચડાવાળી ટયુબ જેવા રેસા હોય છે. આવા રેસા-ટયુબને ઝાયલેમ કહે છે જે પાણીને ખેંચીને પાંદડા તેમજ ડાળીઓ સુધી પહોંચાડે છે.

આ સ્થિતિને કેવીએશન (પોલાણનો અવાજ) કહે છે. જેના કારણે કેટલાંક વૃક્ષ લીલોતરી ગુમાવે છે તો કેટલાંક સૂકાઇને મોતને ભેટે છે.

સીધી ભાષામાં લખીએ તો વૃક્ષના મૂળીયા-થડનું મુખ્ય કામ પાણીનું ઉપર તરફ વહન કરવાનું છે. જ્યારે પાણી ખેંચવા જોર કરતી વખતે વૃક્ષ તંગ સ્થિતિ અનુભવે છે. આ સ્થિતિમાં તેની વોટર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અટકી જાય છે.
કેવીયેશનનો અવાજ માઇક્રોફોન પકડી શકે છે. જ્યારે વૃક્ષને ઓછું પાણી મળે છે ત્યારે કેવીએશનનો અવાજ વધે છે અને મૂળીયાની પેશીઓમાં બબલ વધે છે. પાણીની અછત વખતે વૃક્ષોના અવાજના મોજાં તીવ્ર બને છે.

વિચારો કે કોઈ એવું ડીવાઇસ હોય કે જે વૃક્ષ સાથે બાંધેલું હોય અને તેને પાણી જોઈએ ત્યારે અવાજ કરે ! અવાજ એક સંશોધન માટે એરીઝોનાના જીવશાસ્ત્રીઓની બે કંપનીઓએ ઓછી કિંમતનું એકોસ્ટીક ડીટેકટર વિકસાવ્યું હતું. જેનાથી વૃક્ષો સાથે વાત થઇ શકે છે. આપણે ઇચ્છીએ કે તે લોકો એવી લેંગવેજનું કોડીંગ કરે કે જેનાથી વૃક્ષો ઠંડી કે ગરમી અંગે બોલે તો સમજી શકાય.

બ્રિટનના રોયલ બોટોનીકલ કયૂ ગાર્ડનમાં મુલાકાતીઓને હેડફોન આપીને યુકેલીપ્ટસના ઝાડમાંથી આવતી ધુ્રજારી સંભળાવવામાં આવે છે. નેચરલ એન્વાયોર્નમેન્ટ રિસર્ચ કાઉન્સીલે આ પ્રોજેક્ટને ફંડ આપ્યું છે. વૃક્ષોની વિવિધ જાતિઓ વચ્ચેના અવાજમાં થતા ફેરફાર પર પણ સંશોધન ચાલે છે. મૂળીયા મારફતે કયું વૃક્ષ વધુ પાણી ખેંચે છે તે પર પણ સંશોધનો શરૃ થયા છે.

નેચર મેગેઝીને નોંધ્યું છે કે સખત વરસાદવાળા વિસ્તારમાં કે રણ પ્રદેશમાંના વૃક્ષો વચ્ચેના ભેદ પારખવા માટે પણ સંશોધનો ચાલે છે. પાઇન ટ્રી જેવી કેટલીક જાતો ડગલસ ફલાય પર સંશોધન ચાલે છે. વૃક્ષની સ્થિતિ પરથી તેને મળતા પાણીનું પ્રમાણ નક્કી થઈ શકે છે એમ મનાય છે.

દુકાળગ્રસ્ત વિસ્તારોમાંના વૃક્ષો ગજબની સહનશક્તિ બતાવે છે. તે થોડા પાણીથી જીવીત રહે છે. કેટલાંક તો પાણી વિના પણ લાંબુ ખેંચે છે. તે પોતાની ચયાપચનની શક્તિ પણ પાણીના અભાવના કારણે બદલી નાંખે છે. જોકે જ્યારે પાણી મળે છે ત્યારે તે પોતાની સુકાયેલી નસો ફરી પુનર્જીવીત કરી શકતા નથી એટલે સુકાઇ જાય છે. વૃક્ષનું સુકાઇ જવું એટલે મોતને ભેટવું. કેટલાંક વૃક્ષોની નસો પાણી મળવાથી ફરી સક્રીય થઇ જાય છે.

ઍલેક્સ મૅટકાફ નામના આર્ટીસ્ટે વૃક્ષોનો અવાજ સાંભળી શકાય એવું ડીવાઇસ બનાવ્યું હતું.

 તો પછી વૃક્ષો કેવો અવાજ કરે છે ? જ્યારે બાળક આ અવાજ સાંભળે છે ત્યારે તેને મોટરબાઇક કે તોફાની પવનનો અવાજ લાગે છે. પરંતુ જ્યારે તેને ધ્યાનથી સાંભળવામાં આવે ત્યારે તે ટીક.. ટીક જેવો અવાજ કરે છે. એકવાર તમે તેને સાંભળવાનું શરૃ કરો તો તેને અવગણી ના શકો !! આ ટીક.. ટીક અવાજ વૃક્ષ પાણી પીવે તેનો છે. તેના મૂળીયામાં આવેલી રીંગો મારફતે તે પાણી પીવે છે.

મૅટકાફનું ડીવાઇસ ત્યારે અવાજ કરે છે કે જ્યારે વૃક્ષમાં કાણું પાડવામાં આવે છે ત્યારે પણ તે અવાજ કરે છે. ત્યારબાદ આ ડીવાઇસને મોડીફાઇડ કરીને તેમાં એમ્પલીફાઇડ કરીને અવાજ ૩૩ ગણો વધારાયો હતો, તેમજ આજુબાજુનો બીનજરૃરી અવાજ પણ અટકાવાયો હતો. જેમ હવામાન બદલાતું હતું એમ અવાજ પણ બદલાતો હતો.

બાયોલોજીસ્ટ જેક સ્કલ્ટએ અને લૅન બૅલ્ડવીને તો તેમના સંશોધનમાં એટલે સુધી લખ્યું છે કે કોઇ પોતાને ખાય કે પોતાને ત્યાં માળો બાંધે તે વૃક્ષને નથી ગમતું. વૃક્ષ એ એકદમ ધીમું પ્રાણી કહી શકાય. પ્રાણી અને એ બંનેમાં તફાવત એ છે કે જ્યારે કોઇ તેના પર હુમલો કરે ત્યારે તે ભાગી શકતું નથી.

ઘણાં ઉદાહરણો એવા છે કે જેમાં જીવાણુઓ અને વૃક્ષ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. ટોમેટો કે અન્ય ફુલો પરથી પરાગરજ લેતી વખતે મધમાખી તેમની સાથે કોમ્યુનિકેટ કરે છે.

 વિજ્ઞાાનીઓ હવે બે વૃક્ષોના મૂળીયા વચ્ચે જમીનની અંદર થતા કોમ્યુનિકેશન પર સંશોધન કરે છે. જે રીતે આપણે ઈન્ટરનેટના માળખા દ્વારા મેસેજ મોકલીએ છીએ એમ જમીનમાંના મૂળીયા ફંગસ મારફતે મેસેજ મોકલે છે.

પ્રાણીઓ અને વૃક્ષોનો અવાજ સાંભળીને સમજી શકાય એવા સંશોધનો થાય ત્યાં સુધી હું જીવતી રહીશ એવી મને શ્રધ્ધા છે. આ સંશોધન ખૂબ મહત્વના બની રહેશે.

સંવેદના મેનકા ગાંધી

સૌજન્ય:ગુજરાત સમાચાર

ઝેરી જીવાણુઓ સામે બાયોલોજીકલ શસ્ત્ર... ''કીડી''


એક દરમાં ૨૦૦ પ્રકારની કીડીઓ રહે છે, સંયુક્ત હુમલો કરતી કીડીઓ ઝેરી જીવાણુઓનો ખાત્મો બોલાવે છે

ખેતીમાં કીડીઓના ઉપયોગની મહત્ત્વતા સમજાવવાની જરૂર છે: રાસાયણિક ખાતર વગર થતા પાકમાં કીડીઓની મહત્ત્વની ભૂમિકા

ફળો બગાડતા જીવાણુઓને  વેઇપર પ્રકારની કીડીઓ ભગાડે છે: વિદેશમાં મોકલાતા મેંગોજેવા ફળોને બગાડતી 'ફ્રૂટ-ફલાઈસ'ને ભગાડે છે

એટલું નિશ્ચિત છે કે વહેલા-મોડા કેમીકલવાળી જંતુ-નાશક દવાઓ બંધ થઇ જશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા જોઇએ તો ૧૯૯૮થી ૨૦૧૩નો સમયગાળો એટલે કે માત્ર ૧૫ વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે.

આની પાછળનું એકમાત્ર કારણ એ છે કે આવા રાસાયણિક ખાતરો વેચવાનું લાયસન્સ આપનારા અને તે વેચનારા બંને પૈસો કમાવવાના આશયથી આ ઝેરી રસાયણો વેચીને કેમીકલ પ્રદૂષણ ફેલાવે છે જેના કારણે કિસાનો તેમજ ગ્રાહકોના  મોત થાય છે.

આપણે સલામત અને આરોગ્યને નુકસાન ના કરે એવા રસાયણો વાળી નવી ટેકનોલોજી વસાવીને જમીનને નુકસાન કરતા જીવાણુઓને ભગાડવાની જરૂર છે. પૃથ્વી પરનું સૌથી નાનું બુધ્ધિશાળી પ્રાણી એટલે કિડી !! આ સુપર પ્રાણી જમીનને નુકસાન કરતા પ્રાણીઓને નિયંત્રણમાં લાવવા મોટી મદદ કરે છે.

જમીનને નુકસાન કરતા જીવાણુઓને નિયંત્રણમાં રાખવા બાયોલોજીકલ કન્ટ્રોલ અસરકારક સાબિત થઇ રહ્યો છે. છેલ્લા ૧૦૦ વર્ષથી આ સંશોધન અસરકારક હોવા છતાં લોકો આ કુદરતી શસ્ત્રને વાપરતા નથી. 

હવે આપણે સમજવું જોઇએ કે જમીનને નુકસાન કરતા તત્વોને અટકાવવા જોઇએ. એક જ દરમાં કીડીની ૨૦૦ પ્રકારની કીડીઓ હોય છે. જમીન બગાડતા તત્વોની આસપાસ આ કીડીઓ રહેતી હોય છે. તે પરાગરજને ફેરવે પણ છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. તે દર વર્ષે લાખો ટન જમીનને વાયુ મિશ્રિત બનાવે છે. કુદરતી રીસાયકલીંગ સિસ્ટમમાં તેનો મહત્વનો ફાળો હોય છે. 

કેટલાક જંતુશાસ્ત્રીઓએ કરેલા અભ્યાસ અનુસાર તેમણે જમીનને બગાડતા જંતુઓનો સામનો કરતા તત્વોનો કે તેને બગાડતા  રસાયણોનો ઉપયોગ કરવો જોઇએ.

આ કીડીઓ જંતુનાશક દવાઓના કારણે અદ્રશ્ય થઇ રહી છે જેના કારણે જમીનને નુકસાન કરતા કેમીકલ તત્વો પાકનો નાશ કરી રહ્યા છે. બાયોલોજીક નિયંત્રણ માટે કીડીનો ઉપયોગ થવો જોઇએ એમ કૃષિ વિષયક મેગેઝીનોમાં માંડ એક ટકો ઉલ્લેખ હોય છે.

અરહસ યુનિવર્સિટીના જંતુશાસ્ત્રી ડૉ. જોઆચીમ ઑફન બર્ગે છેલ્લા એક દાયકાથી કીડીઓ પર અભ્યાસ કર્યો હતો. જર્નલ ઓફ એપ્લાઇડ ઈકોલોજીમાં તેમણે કીડીઓ પરના પોતાના ૭૦ સાયન્ટીફીક પેપર રજૂ કર્યા હતા. આ પેપરમાં તેમણે જમીનને નુકસાન કરતા તત્વોને કીડી કેવી રીતે દૂર કરશે તે બતાવ્યું છે. આ કીડીઓ અસરકારક તેમજ સસ્તો ઉપાય છે એમ આ પેપર્સમાં જણાવાયું છે.

ઑફન બર્ગના જણાવ્યા અનુસાર કીડીઓ સંયુક્ત ભાવનાથી કામ કરે છે અને અસરકારક શિકારી હોય છે. જ્યારે કીડીને કોઇ શિકાર નજર પડે છે કે તરત જ દરમાં રહેતી કીડીઓને બહાર બોલાવવા ખાસ પ્રકારની સ્મેલ છોડે છે. આ લોકો સાથે મળીને મોટા કદના અળસીયા પ્રકારના જીવાણુઓ મારી શકે છે. 

વેવર પ્રકારની (આઇસોફાયલા) કીડીઓ બોલ પ્રકારના ગોળ દર બનાવે છે. આ કીડીઓ ઝાડ પર રહે છે. નજીકના પાંદડા અને ફૂલનું તે અન્ય જીવાતથી રક્ષણ કરે છે. 

દરેક ખેડૂતોએ જંગલમાંથી કીડીઓના દર ઉઠાવી લાવીને તેમના ખેતરના ઝાડ પર એક ઉપરથી ખુલ્લી પ્લાસ્ટીક બેગમાં લટકાવવા જોઈએ. તે નવા માળા બાંધે એટલે તેમના દરની આસપાસ ખાંડનું પાણી છાંટવું જોઈએ. જેથી તે નવા દર બાંધી શકે જ્યારે તે નવા દર બાંધે એટલે કિસાને તેમના દરની પાસે વાંસના ટુકડા બાંધીને તેમને નીચે જમીન પર ઉતારવાની સવલત કરી આપવી જોઈએ.

ત્યારબાદ કીડીઓ વિસ્તરે જાય છે. જો દુકાળ જેવી સ્થિતિ હોય તો જુની પ્લાસ્ટીકની બોટલમાં પાણી મુકવું. આ કીડીઓ વિવિધ દરમાં રહેતી હોવાથી જ્યારે જંતુનાશક દવાનો છંટકાવ થાય છે ત્યારે તે બચી શકે છે.

ચીનના એક આદીકાળ જુના ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે જીઆઓઝી ગામના લોકો કીડીઓને સંવનનથી ભૂખી રાખતા હતા. અને આવી સેક્સ ભૂખી કીડીઓને એક પાંદડા ભરેલા બોક્સમાં રાખીને વેચતા હતા. દક્ષિણમાં ઓરેન્જના ઝાડ પર જો કીડીઓ ના હોય તો એક પણ કૃપ જંતુઓના હુમલાથી બચતું નથી.

ભારત અને ચીનમાં બાયોલોજીકલ કંટ્રોલ ખૂબ મોડે-મોડે શરૂ થયો હતો. ચીન અને બર્મા (મ્યાનમાર)માં ખેડૂતોને કીડીઓના દર વેચવાની પ્રથા છે. કાજુ અને કેરીનો સારો પાક લેવા ઝાડ પર કીડીઓ હોવી જરૂરી છે.

બેનીન, બર્કીના ફાસો, માલી જેવા આફ્રિકી દેશોમાં પણ કાજુ-કેરીના ઝાડ પર કીડીઓ છોડાય છે. ફ્રુટ-ફલાઇસ (ફળો પર બેસતી માખી)ના કારણે થતું નુકશાન કીડીઓના કારણે ઓછું થાય છે.

ખેડૂતો કહે છે કે જે ઝાડ પર કીડીઓ હોય છે ત્યાં સાપ પણ નથી આવતો. તાજેતરમાં પશ્ચિમ આફ્રિકાથી યુરોપ જતાં મેંગો, લીંબું જેવા ફળો બગડે ના એટલે વૅવર કીડીનો ઉપયોગ કરાય છે. તેના ઉપયોગ માટે ખેડૂતોને તાલીમ પણ અપાય છે. ઓરેન્જને સાચવવા કીડીઓની મદદ લેવાય છે. જે ખેડૂત કીડીઓનો ઉપયોગ કરે છે તેને જંતુનાશક દવાઓના ઉપયોગની જરૂર નથી પડતી. મકાઈ અને શેરડીના પાક માટે જમીનમાં રહેતી કીડીઓનો ઉપયોગ થાય છે.

શિયાળામાં સફરજનના પાક માટે પણ કીડીઓનો ઉપયોગ થાય છે. કેટલીક કીડીઓ એન્ટીબાયોટીક્લ પેદા કરી શકતી હોઈ તે મહત્ત્વની બની જાય છે. ૧૯૫૨માં જંતુ શાસ્ત્રી સ્વાન્ઝીએ ઝાંઝીબારમાં લીલા નાળીયેર પર થતા ગમીંગ નામના રોગ પર સંશોધન કર્યું હતું. આ એક એવા પ્રકારના 'જીવાણુ' હતા કે જે નાળીયેરની છાલમાં ઘુસીને પાણી બગાડતા હતા.

 આ બગને મારવા 'ઓસીઓફાયલા લોંગીન્ડા' નામની લાલ મોટી કીડી અસરકારક સાબિત થઈ હતી. કોકાના પ્લાંટેશનમાં પણ લાલ મોટી કીડી ખૂબ ઉપયોગી બની હતી. 'ઓસીઓ ફાયલા સ્મરાગડીના' પ્રકારની કીડીઓ કાજુનો પાક બગડતો અટકાવે છે. યુકોલીપ્ટસના ઝાડના રક્ષણ માટે પણ વેઇપર પ્રકારની કીડીઓ વપરાય છે.

યુરોપના જંગલોમાં ફોર્મીકા પ્રકારની કીડીઓ છોડવા બચાવે છે. જર્મની તેનો ઉપયોગ ૧૯મી સદીથી કરે છે. કીડીઓનો વિસ્તાર વધવા દેવો જોઈએ. ખેડૂતોને તાલીમ આપતી સંસ્થાઓએ કીડીઓના મહત્તમ ઉપયોગ અંગે સમજાવવું જોઈએ. કૃષિ યુનિવર્સિટીએ પણ કોલેજના અભ્યાસક્રમમાં કીડીના ઉપયોગનું ચેપ્ટર ઉમેરવું જોઈએ.

પશ્ચિમ આફ્રિકામાં 'વૅવર ઍન્ટ હસબંડરી'નામનો વિષય ભણાવાય છે. આપણે શા માટે આવું નથી કરતા ?

સંવેદના - મેનકા ગાંધી

સૌજન્ય:ગુજરાત સમાચાર

Truecallerમાંથી પોતાનો નંબર કાઢી નાંખવો છે? આ રહી PROCESS

 આપણે ઓળખતા નથી હોતા. તેથી કોણે કૉલ કર્યો એ જાણવા લોકો એમને સામેથી ફોન કરતા હોય છે. પરંતુ હવે અનનૉન નંબરથી આવેલા કૉલ વિશે જાણવા માટે Truecallerની મદદ પણ લેવામાં આવે છે. Truecaller એક એવી એપ છે જે તમને અજાણ્યાં ફોન નંબરને ઓળખવામાં મદદ કરે છે.

ઘણીવાર Truecaller યૂઝર્સ પોતાનો ડેટા ડિલીટ કરવા માગે છે પણ કરી નથી શકતાં. ખરેખર તો આ ડેટા ડિલીટ કરવાનું બહુ સરળ છે. બસ થોડી ટિપ્સ ફોલો કરીને નંબર અને ડેટાને ડિલીટ કરી શકાય છે. અહીં એની પ્રોસેસ સમજાવી છે.

- સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં Truecaller એપ ડાઉનલોડ કરીને ખોલો. યૂઝરે એપમાં પોતાના એકાઉન્ટથી લૉગ ઇન કરવાનું રહેશે. એકવાર લૉગ ઇન થઈ ગયા પછી તમારે Truecallerના સેટિંગમાં જવું પડશે. સેટિંગમાં જઈને એકાઉન્ટમાં ડિએક્ટિવેટનું ઓપ્શન દેખાય એટલે એના પર ક્લિક કરો.

- એ પછી યુઝર્સે www.truecaller.com/unlisting લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં પોતાના દેશનું નામ સિલેક્ટ કરીને પોતાનો ફોન નંબર નાંખો. એ પછી કેપ્ચા નાંખો. આમ કરવાથી Truecallerમાંથી તમારો નંબર દૂર થઈ દશે. ઉલ્લેખનીય છે કે કંપની ફોન નંબર દૂર કરવા માટે 24 કલાકનો સમય લે છે.

સ્ત્રીઓ પોતાના ડાયેટમાં લે આ ન્યૂટ્રીશસ ફૂડ, નહી થાય હેલ્થ પ્રોબ્લેમ્સ

શરીર છે તો શારીરિક તકલીફો પણ રહેવાની જ છે. તેમાંય સ્ત્રીઓ પોતાની હેલ્થને લઇને વધારે લાપરવાહ હોય છે. પરંતુ જો સ્ત્રીઓ તેમના રોજિંદા ડાયેટમાં ન્યૂટ્રીશસ ફૂડ આઈટમનો સમાવેશ કરી લે તો ઘણી તકલીફોને દૂર થઇ શકે છે.

આ પદાર્થોને દરેક વયજૂથની મહિલા પોતાના ડાયેટમાં લઇ શકે છે. અહીં એવા જ કેટલાક પદાર્થો વિશે વાત કરવામાં આવી છે.

સ્ત્રીઓમાં ઉંમરના દરેક તબક્કે શારીરિક ફેરફારો આવતાં હોય છે. એ જ કારણ છે કે ઉંમરના દરેક તબક્કે એમને અલગ-અલગ પ્રકારના આહારની જરૂર પડે છે.

પીરિયડસ, પ્રેગ્નન્સી, મેનોપોઝના ફેઝમાં એમને વધારે પોષણની જરૂર હોય છે. આવા સમયે એમનો ખોરાક એવો હોવો જોઈએ જે એમની પોષણની જરૂરીયાતોને પૂર્ણ કરે છે. આ પદાર્થો ભાવે કે ના ભાવે એનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ખજૂર
ખજૂર, આયરન અને પોટેશિયમનો સારો સોર્સ છે. સાથે જ એનાથી મહિલાઓમાં લેક્ટેશન ઇમ્પ્રૂવ થવાથી પૂરતા પ્રમાણમાં દૂધ આવે છે અને બાળકને ફીડિંગ કરાવવામાં તકલીફ નથી પડતી. રોજે બે કે ત્રણ ખજૂર ખાવાથી મહિલાઓની ફર્ટિલિટી પણ ઇમ્પ્રૂવ થાય છે.

તલ
સ્ત્રીઓ માટે કાળા અને સફેદ એમ બંને તલ ખૂબ જ લાભદાયી છે. એના લાડુ બનાવીને ખાઓ, કાચા ખાઓ કે પછી શાકમાં નાંખીને ખાવ પણ ખાઓ જરૂર. તેમાં પ્રચૂર પ્રમાણમાં રહેલું આયરન અને ફૉલિક એસિડ સ્ત્રીઓને એનિમિયા સામે રક્ષણ પૂરું પાડે છે. સાથે જ તેમાં રહેલું નાયસિન, બૅડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. તલમાં રહેલાં કેલ્શિયમ અને ઝિંક હાડકાઓના ઘનત્વને વધારે છે અને પ્રી કે પોસ્ટ મેનોપોઝના સમયમાં થતાં ઑસ્ટિયોપોરોસિસથી બચાવે છે.

પપૈયુ
સ્લિમ અને ફિટ રહેવાની ઇચ્છા કઇ સ્ત્રીને નથી હોતી. રોજે એક બાઉલ પપૈયુ ખાવાથી પાતળા થવું શક્ય બને છે. વાત એમ છે કે એમાં રહેલાં ફાઈબર્સ પેટ ભરાઈ જવાનો અહેસાસ જલદી કરાવી દે છે અને એનાથી એકસ્ટ્રા ફેટ પણ બર્ન થાય છે. પીરિયડસના દુખાવાને પણ એ ઘટાડે છે. એક અભ્યાસ મુજબ તો પપૈયુ યુવાન સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. જો કે સગર્ભા સ્ત્રીઓએ ક્યારેય પપૈયુ ના ખાવું જોઈએ.

સ્ટ્રોબેરી
ક્વરસેટિન, લ્યૂટિન, જિક્સૈથિન, ઇલૈજિક એસિડ, કીંપફેરોલ અને એન્થોસાયનિન જેવા એન્ટીઑક્સીડન્ટસથી ભરપૂર સ્ટ્રૉબેરી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે અને મધ્યમ વયજૂથની મહિલાઓના હાર્ટને  ડેમેજ થતા અટકાવે છે. આ ફળમાં રહેલા બાયોટિન વાળ અ નખને મજબૂત બનાવે છે. સાથે જ આલ્ફા હાઈડ્રોક્સી એસિડ ડેડ સ્કિનને રિમૂવ કરે છે.

બ્રોકોલી
રોજે અડધો કપ બ્રોકોલી કાચી, બાફેલી કે શેલો ફ્રાઈ કરીને ખાવાથી બ્રેસ્ટ, ઓવેરિયન અને યૂટેરિન કેન્સરનુ જોખમ ખાસ્સું ઓછુ થઇ જાય છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ બ્રોકોલીમાં રહેલાં એન્ટીઑક્સીડન્ટ ઇસોથિયો સાઈનેટ શરીરમાંથી એકસ્ટ્રા ઇસ્ટ્રોજન હાર્મોનને કાઢી નાંખે છે. સાથે જ એમાં રહેલાં વિટામિન સી, એમિનો એસિડ અને સલ્ફર શરીરના ડિટૉક્સીફિકેશનમાં મદદ કરે છે. એટલું જ નહીં આ ગુણકારી શાકમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.