🔉મોટા ભાગ ના લોકો ને જવાબ હશે કે લાભદાયક છે
તો હા એ લાભદાયક છે પણ કોના માટે?? એ વિચાર્યું છે ક્યારેય??
🔉ચાલો આજે જરા સાચા જ્ઞાન તરફ જઈએ અને જાણીએ કે ફણગાવેલા કઠોળ શું છે શરીર માં જઈ શું કરે અને કોણે ખાવા જોઈએ....
🔉આજકાલ ડાયેટ ફૂડ અને ન્યુટ્રીશન ફૂડ ના ટ્રેડ ના કારણે ઘણા બધા લોકો ફણગાવેલા કઠોળ એટલે કે sprouts ખાવા લાગ્યા છે. એમાં પણ ઘણાતો મગ ,ચણા ,મઠ બધા જ ધાન્યો ભેગા કરી ને નાસ્તા માં લે છે.
🔉એવી માન્યતા છે કે sprouts માં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ વધુ પ્રમાણ માં હોય છે એ સાચી વાત છે પણ શું એ પ્રોટીન ને પચાવી શકે એવી પાચનશક્તિ તમારા શરીર પાસે છે?
▶️એટલે વધુ પ્રમાણ માં અથવા તો નિયમિત ફણગાવેલા કઠોળ ખાવાથી શરીર માં પ્રોટીન વધે છે અને બેઠાડુ જીવનશૈલી હોવાથી એ પ્રોટીન, કાર્બોહઇડ્રેટસ ને પચવા માટે શરીર સક્ષમ નથી. જેથી એ પચ્યા વગર નું પ્રોટીન અને કાર્બોહઇડ્રેટસ ના લીધે યુરિક એસિડ વધે છે અને એ સાંધા માં જમા થઈ અને ગાઉટ, ડાયાબિટસ , સાંધા ના દુખાવા વધે છે.
▶️ફણગાવેલા કઠોળ કોણ લઈ શકે??
જે નિયમિત કસરત કરતાં હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતાં હોય, અને ખેડૂત વર્ગ કે જે રોજ મજૂરી કરતાં હોય એમની પ્રોટીન પચાવી શકવાની શકિત વધુ હોય છે. જેથી એવા લોકો ખાય શકે.
🌿આયુર્વેદ અપનાવો શરીર બચવો🌿
ડાયેટ ફૂડ કે ન્યુટ્રીશન ફૂડ નહી પણ શરીર એને પચાવી શકે એવો આહાર લો.🚫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો