30 સપ્ટે, 2021

પ્રેરક પ્રસંગો





વાજિશ્રવા પોતાના પુત્ર નચિકેતા માટે વિશ્વજિત યજ્ઞનું આયોજન કર્યું હતું . આ યજ્ઞમાં વાજિશ્રવાએ પોતાના બધા ધનનું દાન કરી દીધું . છેલ્લે દક્ષિણા માટે વાજિશ્રવા એ ગાયો મંગાવી ત્યારે નચિકેતાએ જોયું કે તે બધી ઘરડી અને દૂધ ન આપે એવી હતી . આથી તેણે પિતાને કહ્યું કે આવું નિરર્થક દાન આપનારને કદાપિ પુણ્ય તથા સ્વર્ગ મળતું નથી . આવું સાંભળીને વાજિશ્રવા ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાના પુત્ર નચિકેતાને જ યમાચાર્યને દાનમાં આપી દીધો . નચિકેતા જ્યારે યમરાજા પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે બેટા ! હું તને સૌંદર્ય , યૌવન , અક્ષય ધન અને બીજા અનેક ભોગો આપું છું , પરંતુ નચિકેતાએ કહ્યું કે જે સુખ ક્ષણિક અને શરીરનો નાશ કરનારું હોય તે લઈને હું શું કરું ? તમે મને આત્મદર્શન કરાવો . જ્યાં સુધી હું પોતાને ન જાણી લઉં ત્યાં સુધી વૈભવવિલાસ વ્યર્થ છે . સાધના માટે જરૂર પ્રબળ જિજ્ઞાસા , સત્યનિષ્ઠા સંકલ્પશક્તિ અને તપશ્ચર્યાનો ભાવ જોઈને યમે નચિકેતાને પંચાગ્નિ વિદ્યા શિખવાડી . એનાથી નચિકેતાએ આત્મસાક્ષાત્કાર કરીને બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું .

પ્રેરક પ્રસંગો

                 પ્રેરક પ્રસંગો

હજરત મહંમદ પયગંબર એક દિવસ ફાતિમાને મળવા તેને ઘેર ગયા . ત્યાં જઈને જોયું કે તેમની પુત્રીએ હાથમાં ચાંદીનાં કડાં પહેર્યા છે અને બારી દરવાજામાં રેશમી પડદા લગાવ્યા છે . એ જોઈને મહંમદ પયગંબર તરત જ પાછા વળી ગયા અને મસ્જિદમાં જઈને રડવા લાગ્યા . પિતા એકાએક પાછા વળી ગયા , તેથી ફાતિમાને નવાઈ લાગી . તેણે પોતાના પુત્રને પાછળ દોડાવ્યો અને કહ્યું કે જા , તપાસ કરી આવ કે તારા નાના ( દાદા ) એકદમ કેમ પાછા જતા રહ્યા . છોકરાએ મસ્જિદમાં જઈને જોયું તો તેઓ બેઠા બેઠા રડી રહ્યા હતા . તેણે એકદમ પાછા વળી જવાનું અને રડવાનું કારણ પૂછ્યું . મહંમદ પયગંબરે કહ્યું કે અહીં ગરીબ અને ભૂખ્યા લોકો વ્યાકુળ થઈને મસ્જિદની સામે બેસીને રડી રહ્યા છે અને બીજી બાજુ મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરીને રેશમી પડદાઓ વચ્ચે મોજ કરી રહી છે . આ જોઈને મને ખૂબ શરમ આવી તથા દુખ થયું એટલે જ હું તરત પાછો વળી ગયો . છોકરાએ ઘેર જઈને પોતાની માતાને આ વાત કહી . આથી ફાતિમાએ તરત જ રેશમી પડદાઓમાં ચાંદીનાં કડાં મૂકીને તેના પિતાને મોકલાવી દીધાં . મહંમદ પયગંબરે તે વેચીને જે પૈસા આવ્યા તેમાંથી ગરીબોને ખાવાનું વહેચ્યું . પછી તેઓ ફાતિમાને ઘેર ગયા અને કહ્યું કે હવે તું મારી સાચી પુત્રી છે . 

26 સપ્ટે, 2021

માનવ શરીર વિશે જાણો

*પિંડે સો બ્રહ્માંડે* 
.
*માનવ શરીર વિશે જાણો*

૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.

૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.

૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.

૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.

૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.

૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.

૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.

૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.

૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.

૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.

૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે. 

૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.

૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.

૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.

૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.

૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.

૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.

૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.

૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે. 

૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.

૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.

૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.

૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.

૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :

૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.

૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.

૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.

૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.

૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.

૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.

૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.

૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.

૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.

૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.

૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.

૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.

૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.

૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.

૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.

૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.

૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.

૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.

૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.

૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.

૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.

૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.

૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.

૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.

૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.

૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.

૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.

૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.

૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.

૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.

૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.

૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.

૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.

૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.

૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.

૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.

૩૭. માણસની આંખો 
૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.

૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.

૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.

૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.

૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.

૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.

૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.

૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.

૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.

૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.

૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.

૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.

૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.

૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.

૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.

૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.
૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.

૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે. 

૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.

૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.

૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.

૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.

૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.

૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.
*પિંડે સો બ્રહ્માંડે*

20 સપ્ટે, 2021

જીવનમાં અતી ઉપયોગી માહીતી

*જીવનમાં અતી ઉપયોગી માહીતી*
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
*મેડીકલ ફીટનેસ :*

*High BP :*
120/80 — Normal
130/85 — Normal (Control)
140/90 — High
150/95 — V.High

*Low BP :*
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
  90/65 — V.Low

*Haemoglobin :*
Male — 13 ~ 17
Female — 11 ~ 15
RBC Count — 4.50 ~ 5.50 (million)

*Pulse(ધબકારા)* 
72 per minute (standard)
60 ~ 80 p.m. (Normal)
40 ~ 180 p.m.(abnormal)

*Temperature :*
98.4 F (Normal)
99.0 F Above (Fever)

*"હાર્ટએટેક અને પાણી”* 
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ક્યારેય આ જાણકારી ન હતી, માહિતી રસપ્રદ છે. 
બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?

*હૃદયરોગનાં Dr એ આપેલ જવાબ :* 
ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

*પાણી પીવા માટેનો યોગ્ય સમય :* 
એક હૃદયરોગનાં Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે :
(1) સવારે ઉઠ્યા પછી 
      ૨ ગ્લાસ પાણી પીવાથી 
      આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા 
      ૧ ગ્લાસ પાણી પીવાથી
      પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા
      ૧ ગ્લાસ પાણી 
      બ્લડ પ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા 
      ૧ ગ્લાસ પાણી પીવાથી 
      સ્ટ્રોક અને હાર્ટએટેકનું 
     જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી 
      પગના સ્નાયુઓ જકડાઈ જતા
      નથી (સાદી રીતે કહીએ તો
      નસ ચઢી જવી) સ્નાયુઓને
      પાણીની જરૂરત હોય છે, અને
      પાણી ના મળે તો તે જકડાઈ
      જાય અને તમે ચીસ પાડીને 
      બેઠા થાવ.

૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે 
      સવારના ૬ થી બપોર સુધીમાં
      વધારે આવે છે જો રાત્રીના
      સમયે હાર્ટએટેક આવે તો તે
      વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય
      બનાવ બન્યો હોય એમ પણ
      સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી
      કોઈ દવા લેતા હોવ તો 
      એ દવા રાતના સમયે લેવી
      જોઈએ. કારણકે એસ્પિરીનની
      અસર ૨૪ કલાક માટે રહેતી હોય
      છે એટલે સવારના સમયે તેની 
      તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના 
      ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે
      છે અને જયારે તે જૂની થાય છે 
      ત્યારે એમાંથી (સરકો)વિનેગર
      જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને 
      મદદરૂપ થશે – 
      BAYER કંપની ક્રિસ્ટલ જેવી
      એસ્પીરીન બનાવે છે જે જીભ
     ઉપર મુકતાજ ઓગળી જાય છે. 
     તે સામાન્ય ગોળી કરતા ઝડપથી
     કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ
     તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય 
      લક્ષણો ડાબા હાથ અને છાતીમાં
      દુખાવા ઉપરાંત પણ કેટલાક 
      લક્ષણો છે જેની માહિતી પણ
      જરૂરી છે જેમ 
      કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
     ઉલટી ઉબકા જેવો અનુભવ થવો,
     ખુબજ પરસેવો થવો. પણ આ
     લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક
      છાતીમાં દુખાવો ના પણ થાય.
      મોટાભાગના (લગભગ ૬૦%) 
      લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
      આવ્યો તો તેઓ જાગ્યા ન હોતા.
      પરંતુ જો તમને છાતીમાં જોરદાર
      દુખાવો ઉપડે તો તેનાથી 
      તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી
     જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો –
      તાત્કાલિક 
      ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને
      થોડાક પાણી સાથે તેને ગળી
      જાવ, પછી ૧૦૮ ને ફોન કરો,
      તમારા પડોશી કે સગા જેઓ 
      નજીક રહેતા હોય તેમનેે ફોન કરો
      અને કહો *“હાર્ટએટેક”* અને 
      એ પણ જણાવો કે તમે 
      ૨ એસ્પીરીન લીધી છે. 
      પછી મુખ્ય દરવાજાની સામે 
      સોફા કે ખુરશીમાં બેસો અને
      તેમના આવવાની રાહ જુઓ – 
      સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબ નું કહેવું છે કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.👆👍🏽👌👌💐

6 સપ્ટે, 2021

एक प्रेरणादायक कहानी

एक प्रेरणादायक कहानी....
______________________________________

 एक अमीर आदमी था। उसने समुद्र मे अकेले घूमने के लिए एक नाव बनवाई।

छुट्टी के दिन वह नाव लेकर समुद्र की सेर करने निकला। आधे समुद्र तक पहुंचा ही था कि अचानक एक जोरदार तुफान आया। उसकी नाव पुरी तरह से तहस-नहस हो गई लेकिन वह लाईफ जैकेट की मदद से समुद्र मे कूद गया। जब तूफान शांत हुआ तब वह तैरता तैरता एक टापू पर पहुंचा लेकिन वहाँ भी कोई नही था। टापू के चारो और समुद्र के अलावा कुछ भी नजर नही आ रहा था। उस आदमी ने सोचा कि जब मैंने पूरी जिदंगी मे किसी का कभी भी बुरा नही किया तो मेरे साथ ऐसा क्यूँ हुआ..?

उस आदमी को लगा कि भगवान ने मौत से बचाया तो आगे का रास्ता भी भगवान ही बताएगा। धीरे धीरे वह वहाँ पर उगे झाड-पत्ते खाकर दिन बिताने लगा।

अब धीरे-धीरे उसकी श्रध्दा टूटने लगी, भगवान पर से उसका विश्वास उठ गया। उसको लगा कि इस दुनिया मे भगवान है ही नही। फिर उसने सोचा कि अब पूरी जिंदगी यही इस टापू पर ही बितानी है तो क्यूँ ना एक झोपडी बना लूँ ......?

फिर उसने झाड की डालियो और पत्तो से एक छोटी सी झोपडी बनाई। उसने मन ही मन कहा कि आज से झोपडी मे सोने को मिलेगा आज से बाहर नही सोना पडेगा। रात हुई ही थी कि अचानक मौसम बदला बिजलियाँ जोर जोर से कड़कने लगी.! तभी अचानक एक बिजली उस झोपडी पर आ गिरी और झोपडी धधकते हुए जलने लगी।

यह देखकर वह आदमी टूट गया आसमान की तरफ देखकर बोला तू भगवान नही, राक्षस है। तुझमे दया जैसा कुछ है ही नही तू बहुत क्रूर है। वह व्यक्ति हताश होकर सर पर हाथ रखकर रो रहा था। कि अचानक एक नाव टापू के पास आई। नाव से उतरकर दो आदमी बाहर आये और बोले कि हम तुमे बचाने आये हैं। दूर से इस वीरान टापू मे जलता हुआ झोपडा देखा तो लगा कि कोई उस टापू पर मुसीबत मे है।

अगर तुम अपनी झोपडी नही जलाते तो हमे पता नही चलता कि टापू पर कोई है। उस आदमी की आँखो से आँसू गिरने लगे।

उसने ईश्वर से माफी माँगी और बोला कि मुझे क्या पता कि आपने मुझे बचाने के लिए मेरी झोपडी जलाई थी.

सीख- दिन चाहे सुख के हों या दुख के, भगवान अपने भक्तों के साथ हमेशा रहते है !!