31 જાન્યુ, 2021

14.સારા અક્ષર ( ધોરણ 6 -ગુજરાતી)


*વિરુદ્ધાર્થી શબ્દ લખો : 

( 1 ) લીસું X ખરબચડું
 ( 2 ) અણિયાળી x બુઠ્ઠી
 ( 3 ) મોંધું x સસ્તુ , સોંઘું
 ( 4 ) ધીરજ x અધીરાઈ
*******************

સાચી જોડણી લખો

( 1 ) હાર્દિક
 ( 2 ) ખડિયો 
   ( 3 ) કેળવણી 
( 4 ) વર્તુળ 
***************
નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો
( 1 ) મસ્ત = સરસ , સુંદર 
( 2 ) કાયમ = નિત્ય , હંમેશાં 
( 3 ) ગરબડ = અવ્યવસ્થા , ગોટાળો
 ( 4 ) બહુ = ખૂબ , પુષ્કળ 
( 5 ) રીત = પદ્ધતિ , ઢબ
 ( 6 ) શરમ = સંકોચ , ક્ષોભ
**************
 નીચેના શબ્દસમૂહ માટે એક - એક શબ્દ આપો : 

( 1 ) સહેલાઈથી તૂટી જાય તેવું – બટકણું
( 2 ) બૉલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી – રીફિલ 
( 3 ) સ્વચ્છ , સુંદર લખાણ – સુલેખન 
( 4 ) શાહી રાખવાનું પાત્ર -દવાત , ખડિયો
*****************
 નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો 
( 1 ) “ અરે વાહ ! તારી નોટનાં પાનાં કેવાં મસ્ત છે ! '
 ઉત્તર : આ વાક્ય હાર્દિક મેહુલને કહે છે ( 2 ) “ બધા ભિલ્લુ પણ નક્કી થઈ ગયા છે . બધા તમારી વાટ જુએ છે . ” 
ઉત્તર : આ વાક્ય સોનલ મેહુલને કહે છે ( 3 ) “ મારા અક્ષર ગમે તેના પર લખું પણ સરસ આવે છે . ” 
ઉત્તર : આ વાક્ય સોનલ હાર્દિકને કહે છે
( 4 ) “ કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે . ”
 ઉત્તર : આ વાક્ય અશરફના પિતાજી અશરફને કહે છે . 
( 5 ) “ અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો , અક્ષર સારા જ આવે . ” 
ઉત્તર : આ વાક્ય રાધા હાર્દિકને કહે છે .
( 6 ) “ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે . 
ઉત્તર ઃ આ વાક્ય ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે .
*************
અભ્યાસ

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો

( 1 ) સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે , તે બાબતે હાર્દિક શું માને છે ? 
ઉત્તર : સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે , તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટનાં પાનાં લીસાં અને સરસ છે . 
( 2 ) “ ચારજો’ને બદલે ક્યો શબ્દ 
વંચાયો ?
 ઉત્તર : ‘ ચારજો’ને બદલે ‘ મારજો ' શબ્દ વંચાયો .
 ( 3 ) “ મારી નોટનાં પાનાં લીસાં છે ' એવું કોણ કહે છે ? 
ઉત્તર : ‘ મારી નોટનાં પાનાં લીસાં છે ' – એવું મેહુલ કહે છે . 
( 4 ) સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે ? 
ઉત્તર : સોનલના પપ્પા તેને માટે સસ્તી નોટ લાવી આપે છે .
( 5 ) અશરફ કલમને શેમાં બોળવાનું 
કહે છે ? 
ઉત્તર : અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે . 
( 6 ) “ ઓડનું ચોડ વેતરાઈ જવું 
એટલે શું ? 
ઉત્તર : ‘ ઓડનું ચોડ વેતરાઈ જવું ' એટલે વિચિત્ર કે કંઈને બદલે કંઈ થઈ જવું . 
( 7 ) સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી ? 
ઉત્તર : સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી કે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું .
************************

સ્વાધ્યાય

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ઃઃ
 ( 1 ) બધાં બાળકો મેહુલની નોટ કેમ જોતાં હતાં ?
 ઉત્તર : મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો . એટલા માટે બધાં બાળકો મેહુલની નોટ જોતાં હતાં .
 ( 2 ) સોનલના સારા અક્ષર આવે છે , તેનું ક્યું કારણ રાધા આપે છે ? 
ઉત્તર ઃ સોનલના સારા અક્ષર આવે છે તેનું કારણ આપતાં રાધા કહે છે કે , સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે . 
( ૩ ) ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે ? ઉત્તર : ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે , “ ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે . ' 
( 4 ) કલમથી કેવી રીતે લખાય છે ? 
ઉત્તર ઃ ક્લમને દવાત ( શાહીના ખડિયા ) માં બોળીને લખાય છે . 
( 5 ) ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના ક્યા ફાયદા બતાવ્યા ?
 ઉત્તર : ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા :  પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહિ . ઇન્ડિપેનની માફક શાહી ભરવાની કડાકૂટ
નહિ . હાથ ગંદા થવાનો કોઈ ડર નહિ અને રીફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની .
***************



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો