*જોડણી સુધારો: (અઘરા શબ્દો)
( 1 ) વિદ્યાર્થી ( 2 ) ભૂગોળ
( 3 ) સમિતિ
( 4 ) દરિયાવદિલ
( 5 ) વૃંદાવન
( 6 ) પૌરાણિક
( 7 ) પ્રાચીન
( 8 ) દ્વારકા
( 9 ) પ્રતિનિધિ
( 10 ) વરુણ
*******************
* નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
( 1 ) નજર = દષ્ટિ , લક્ષ
( 2 ) કુદરત = નિસર્ગ , પ્રકૃતિ
( 3 ) સ્થળ = જગા , સ્થાન
( 4 ) પર્વત = પહાડ , ગિરિ
( 5 ) અંજલિ = ખોબો , પોશ
( 6 ) મુગ્ધ = મોહક , સુંદર
****************************
* વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) અમી x ઝેર
( 2 ) જન્મ X મૃત્યુ
( 3 ) માન x અપમાન
( 4 ) ઉદાર x કંજૂસ
( 5 ) શાપ ૪ આશીર્વાદ
( 6 ) શરૂઆત x અંત
( 7 ) વિશાળ x સાંકડું
( 8 ) સૂર્યોદય x સૂર્યાસ્ત
( 9 ) પુરાતન x આધુનિક
* નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
( 1 ) કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ –પ્રતિનિધિ
( 2 ) પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો – અવતાર
( 3 ) ગોળાકાર મેજ ઉપર સૌ પક્ષો સાથે બેસીને ચર્ચા - વિચારણા કરે તેવું સભા - ગોળમેજી પરિષદ
( 4 ) વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો - વહાણવટું
( 5 ) દરિયાઓની મુસાફરી કરનાર – દરિયાખેડુ , વહાણવટી , ખલાસી
( 6 ) સત્યના પાલનનો આગ્રહ , સવિનય ભંગની લડત - સત્યાગ્રહ
***********************
* નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) વર્ગશિક્ષક સોમનાથભાઈએ ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી ? એ સમિતિમાં વર્ગના કયા વિદ્યાર્થીઓ હતા ? ઉત્તર : વર્ગશિક્ષક સોમનાથભાઈએ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી . એ સમિતિમાં વર્ગનાં રેવતી , વરુણ અને સિક્યુ આ ત્રણ વિદ્યાર્થીઓ હતા .
( 2 ) છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો ?
ઉત્તર : છેલ્લે આબુ - અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો .
( 3 ) ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કર્યું ગીત ગાયેલું ?
ઉત્તર : ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે ‘ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! ' ગીત ગાયેલું .
( 4 ) સોમનાથનું પ્રભાસક્ષેત્ર કઈ વિશેષતા ધરાવે છે ?
ઉત્તર : સોમનાથનું પ્રભાતક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે . આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે .
( 5 ) વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો .
ઉત્તર : વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર- અલંગ છે .
******************************
* પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી ? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી ?
ઉત્તર : પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી : ‘ રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની સિન્ધના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી . ’ આ પંક્તિઓ , વર્ગના પ્રતિનિધિ સિંધુ ને, એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી .
( 2 ) સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું ?
ઉત્તર : પ્રવાસસમિતિએ કચ્છનું માંડવી , સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું .
( 3 ) માધવપુરનું વર્ણન પાઠ આધારે કરો . ઉત્તર : માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે . સદીઓ જૂનાં આંબલી , રાયણ , પપૈયાં તથા નારિયેળીનાં પુષ્કળ ઝાડ અહીં છે . તાજામાજા પોપટ છે . માધવપુરનો મેળો જાણીતો છે . અહીં રુમણિ અને શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે . ભાદર , ઓઝત અને મધુવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે , આખા ઘેડવિસ્તારને એ હરિયાળો અને ફળદ્રુપ રાખે છે . અહીંનો દરિયાકિનારો વિશાળ ને સ્વચ્છ છે . તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે . લોકો અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જાય છે .
( 4 ) ‘ દ્વારકા ’ સ્થળ વિશે ચાર - પાંચ વાક્ય લખો .
ઉત્તર : દ્વારકા જામનગર જિલ્લાના ઓખા તાલુકાનું મુખ્ય મથક છે . તે સમુદ્રમાર્ગ ભારતમાં પ્રવેશવાનું દ્વાર – ‘ ગેટ વે ઑફ ઇન્ડિયા ! ' હતું . આદિશંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા ચાર મઠોમાં દ્વારકાના શારદાપીઠનો મઠ પણ છે . અહીં દ્વારકાધીશ મંદિર અને રુકિમણીના મંદિર ઉપરાંત ઘણાં મંદિરો છે .
( 5 ) આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં ક્યાં ક્યાં સ્થળોનો ઉલ્લેખ થયો છે ?
ઉત્તર : 'સાગરકાંઠા નો પ્રવાસ' પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં માંડવી , માધવપુર , તીથલ , સોમનાથ , દ્વારકા , ભવનાથ , ચોરવાડ , પોરબંદર , ધોલેરા - લોથલ , મણાર - અલંગ , દીવ - દાંડી તથા જામનગર જેવાં સ્થળોનો ઉલ્લેખ થયો છે .
********************************
* નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :
( 1 ) ‘ સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે . ”
ઉત્તર : આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે .
( 2 ) ‘ લોથલ અને તીથલને કશો સંબંધ ખરો ? '
ઉત્તર : આ વાક્ય વરુણ બોલે છે ને શિક્ષક સોમનાથને કહે છે .
( 3 ) ‘ ઓ લાલ , મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ ... !!
ઉત્તર : આ પંક્તિ વર્ગ સમક્ષ સિંધુ ગાય છે.
***************************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો