1 ડિસે, 2020

💎 કાનની પીડા ઘરેલુ નુસ્ખા 💎

⭐️ તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.

⭐️ આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી સણકા મટે છે.

⭐️ મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

⭐️ તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે.

⭐️ તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.

⭐️ કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતા હોય તો તે મટે છે.

⭐️ વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.

⭐️ તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા ઉપર લેપ કરવાથી સોજો મટે છે.

⭐️ કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાનાં તેલનાં ટીપાં નાખવાથી તે મરી જાય છે.

⭐️ સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત નાખવાથી બહેરાશ મટે છે.

⭐️ કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગાય હોય તો તે મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.

⭐️ કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.

⭐️ કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુઃખાવો અને સણકા મટે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો