ઉપરાંત ખાવાં પીવાની તેમજ પરેજીની સલાહ ધ્યાને રાખવાં જરુર થી વાંચવી!
બ્લડપ્રેશર હંમેશાં એક સરખું હોતું નથી અમુક સમયે સામાન્ય અને કોઈવાર વધારે કે ઓછું રહેતું હોય છે. સામાન્ય બ્લડપ્રેશર ૧૨૦/૮૦ મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધે છે. એટલા માટે ત્રણથી ચાર અઠવાડીયામાં એક વખત બ્લડપ્રેશર અવશ્ય માપવું જોઈએ.
લોહીના ઉંચા દબાણમાં ઘણું ખરું ખાસ લક્ષણો જોવામાં આવતાં નથી. એટલે કે એ એક છુપો દુશ્મન છે. અને અચાનક મૃત્યુ પણ લાવી દે એવું બની શકે. મોટે ભાગે સ્ક્રનીંગ વેળા કે કોઈ અન્ય ફરીયાદ માટે ડૉક્ટરને મળવા ગયા હોઈએ ત્યારે ખબર પડે. પણ ઘણા બધા લોકોને હાઈબ્લડપ્રેશરમાં માથાનો દુખાવો થાય છે. આ દુખાવો ખાસ કરીને સવારે માથાના પાછળના ભાગમાં બોચીમાં થતો હોય છે. આ ઉપરાંત નાકમાંથી લોહી પડવું, દૃષ્ટીમાં ધુંધળાપણું, ચક્કર આવવાં વગેરે લક્ષણો કેટલીકવાર જોવા મળે છે. આ લક્ષણો કેટલા પ્રમાણમાં પ્રેશર વધુ પડતું છે તેના પર પણ આધાર રાખે છે, અને બધાંને આ બધાં ચીહ્નો જોવા મળે એવું નથી હોતું.
નીચેના આયુર્વેદીક ઉપાયો કારગત ન નીવડે તો એલોપથીની સારવારનો આશરો લેવો જોઈએ.
જો કે એલોપથીની સારવારમાં આડઅસરની શક્યતા છે, પણ જીવનું જોખમ તો કદાચ ટાળી શકાય. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વીશ્વાસુ ચીકીત્સકની સલાહ લેવી.
(૧) ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.
(૨) ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી લેવાનું બંધ કરવું.
(૩) દરરોજ સવારે અનુકુળ અંતરે ફરવા જવું અને માફકસર કસરત કરવી. જો યોગાસનોની કસરત ફાવતી હોય તો તે કરવી. એમાં હાઈબ્લડપ્રેશરને પ્રતીકુળ આસનો ન કરવાં. એ માટે યોગ્ય જાણકારની મદદ લેવી.
(૪) ફક્ત કેળાં દીવસમાં ત્રણ વખત ખાઈ માથે ઠંડું પાણી રેડવાથી બ્લડપ્રેશર મટે છે. કેળાં પચવામાં ભારે હોવાથી પાચનશક્તી મુજબ પચાવી શકો તેટલા પ્રમાણમાં જ લેવાં, નહીંતર લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.
(૫) પાલખમાં રહેલ પોટેશીય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો