26 ડિસે, 2020
નીચ ને મદદ કરવી એ વૃથા છે
મહર્ષિ ગૌતમના તપેવનમાં મહાતપ નામનો એક મુનિ હતા . તે મુનિએ એ વનમાં પોતાના આશ્રમની પાસે કાગડાના મુખમાંથી પડેલું એક ઉદરનું બચ્ચું જોયું . પછી સ્વાભાવિક દયાથી તે મુનિએ તેને અનાજના દાણા ખવરાવીને પાળ્યું અને પોપ્યું પછી એક બિલાડે તે ઉંદરને ખાવાને દોડી આવ્યો તેને જોઈને તે ઉંદર મુનિના ખોળામાં પેસી ગયો . ત્યારે મુનિ બાલ્યાઃ “ હે ઉંદર ! તું બિલાડો થા. તેમ થયા છતાં , તે બિલાડે કુતરાને જોઈને નાસવા લાગ્યા . ત્યારે મુનિ બેલ્યોઃ — જે તું કૂતરાથી બીહે છે , તો તું કુતરો જ થા ’ પછી તે કૂતરા થયો. તે છતાં તે વાઘથી બીવા લાગ્યો. પછી તે મુનિએ તે કૂતરાને વાધ કર્યો . પછી તે વાધને આ ઉંદર છે એમ તે મુનિ સમજતા હતા . પછી તે મુનિને અને વાધને જોઈને સર્વ બેલતાં કે “ આ મુનિએ ઉંદરને જ વાધ કર્યો છે એ સાંવાળીને પેલે વાધ મનમાં વિચાર કરવા લાગ્યાઃ “ આ મારા સ્વરૂપના કથનથી મારી અપકીર્તિ થાય છે માટે જ્યાં સુધી આ મુનિ જીવે છે ત્યાં સુધી એ અપકીતિ ટળે તેમ નથી ’ એમ વિચારી તે ઉંદર તે મુનિને મારવા લાગ્યા . ત્યારે મુનિએ તે જાણી ‘ પાછો ઉંદર થા ’ એમ કહી ઉંદર કર્યો .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો