*અભ્યાસના પ્રશ્નો
( 1 ) વાંસળિયા શા માટે વઢાવવાના છે ? ઉત્તર ઃ વાંસળિયા પ્રભુજીની વાંસળી બનાવવા માટે વઢાવવાના છે .
( 2 ) વાંસલડી કોણ વગાડે છે ?
ઉત્તર ઃ વાંસલડી શ્રીકૃષ્ણ વગાડે છે .
( ૩ ) વાંસળીએ શું લટકે છે ?
ઉત્તર : વાંસળીએ ચાર ફૂમતાં લટકે છે .
( 4 ) મેહ કઈ દિશાએથી આવે છે ?
ઉત્તર : મેહ ઉત્તર દિશાએથી આવે છે .
( 5 ) ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
ઉત્તર : ખેતરમાં પાક ખૂલી રહ્યો છે
*સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
( 1 ) વાંસળી શેમાંથી બનાવવાનું કહ્યું છે ? ઉત્તર : વાંસળી વાંસમાંથી બનાવવાનું કહ્યું છે . •
( 2 ) ગીતમાં ક્યાં ક્યાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
ઉત્તર ઃ ગીતમાં હંસ , પોપટ ને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .
( ૩ ) ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. ઉત્તર ઃ વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે . વાંસળી ઉપર હંસ , પોપટ ને મોર મૂકવામાં આવ્યાં છે . વાંસળીની શોભા માટે ચાર ફૂમતાં લગાડેલાં છે . આમ , વાંસળી સુંદર રીતે શણગારેલી છે .
( 4 ) ગીતમાં મોતીડાં ’ શબ્દ કોના માટે વપરાયો છે ? શા માટે ?
ઉત્તર : ગીતમાં મોતીડાં ” શબ્દ ખેતરમાં ઝૂલતા પાકના દાણા માટે વપરાયો છે . મોતી જેમ કિંમતી છે , એમ અનાજના “ દાણા ” પણ કિંમતી છે .
( 5 ) ગીતમાં શ્રીકૃષ્ણ માટે કયા ક્યા શબ્દો વપરાયા છે ?
ઉત્તર ઃ ગીતમાં શ્રીકૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે : પ્રભુજી , નંદજીનો લાડકો , હરિ અને પરભુજી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો :
( 1 ) વાંસળીવાદકોનાં નામ શોધીને લખો . ઉત્તર : વાંસળીવાદકોનાં નામઃ હરિપ્રસાદ ચોરસિયા , રોનું મજુમદાર , પંડિત અમરનાથ , શશાંક સુબ્રમણ્યમ , પ્રવીણ ગોદખિન્દી , પ્રેમ જોશવા , કે . એસ . રાજેરી , કેશવ એલ . ગિન્ટ વગેરે .
• ( 2 ) વાંસળી કેવી રીતે વાગતી હશે ?
ઉત્તર : વાંસળી સુષિર વાદ્ય છે . સુષિર અથવા ફૂંક મારીને કંઠની મદદથી વાંસળી વગાડવામાં આવે છે . વાંસળી પર સાત સ્વરો માટે સાત છિદ્ર ( કાણાં ) પાડેલાં હોય છે . છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સૂરો કાઢવામાં આવે છે .
( 3 ) વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાદ્યોનાં નામ લખો .
ઉત્તર ઃ વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાઘોઃ શૃંગવાધ ( રણશિંગુ ) , શંખ , ભૂંગળ , શરણાઈ વગેરે .
****************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો