એક દિવસ નદીમાંએક સફરજન તણાઈને આવી રહ્યું હતું. જાકીરે તેને લઇ લીધું. તે એને ખાવા જતો હતો એટલામાં જ તેના અંતઃકરણમાંથી અવાજ આવ્યો કે ફકીર, શું આ સફરજન તારી માલિકીનું છે ? શું તે મહેનત કરીને તેને પકવ્યું છે? જો મહેનત કરી હોય તો એ ખાવાનો તને અધિકાર નથી. તેણે સફરજનતેની ઝોળીમાં નાંખી દીધું અને તેના માલિકની શોધમાં નદીની ઉપરવાસ તરફ ચાલી નીકળ્યો. તે થોડા આગળ ગયો ત્યાં સફરજનનો એક બગીચો હતો. સફરજનનાં કેટલાંક વૃક્ષોની ડાળીઓ નદીના પાણી પર ઝૂકી ગઇ હતી. ફકીરને લાગ્યું કે આ સફરજન અહીંથ
જ તૂટીને પડ્યું હશે.
તેણે બાગના માળીને કહ્યું કે લો, આ તમારું સફરજન. તે નદીના પાણીમાં વહી ગયું હતું. તે માળીએ કહ્યું કે હું તો આ બગીચાનો માત્ર રખેવાળ છું. તેનો માલિક તો બુખારાની રાજકુમારી છે. ફકીર ત્યાંથી બુખારા જવા રવાના થયો. કેટલાય દિવસનો પગપાળા પ્રવાસ કર્યા પછી તે બુખારા પહોંચ્યો અને રાજકુમારીને તે સફરજન આપવા લાગ્યો. રાજકુમારી એ હસીને કહ્યું કે અરે! તમારે ત્યાંજ ખાઈ જવું હતું કે, અહીં સુધી લાવવા શી જરૂર ? ફકીરે કહ્યું કે રાજકુમારીજી ! તમારા માટે એક સફરજનની કોઈ કિંમત નથી, પરંતુ જો મે તે તેના માલિકને પાછું ન આપ્યું હોત અને હું ખાઈ ગયો હોત તો માત્ર સંયમ નષ્ટ થઈ ગયો હોત.
****************
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો