નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) રાજ્ય પર ક્યા રાજાએ ચડાઈ કરી ?
જ.રાજ્ય પર બુંદેલખંડના રાજાએ ચડાઈ કરી.
(2) બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો ?
જ.બાદશાહ જાતે જ લશ્કર ને લઈ રણમેદાન તરફ આવે છે, એવા સમાચાર મળતાં બુંદેલખંડનો રાજા અધે રસ્તેથી જ પરત ફર્યો.
(3) બેગમ બાદશાહને શુ સમાચાર આપ્યા ?
જ.બાદશાહ ભૂખ લાગી હતી. બાદશાહ પાટલા પર જમવા બેઠા ત્યાં બેગમાં પોતાના ભાઈ ને સાપ કરડી ગયો છે તે સમાચાર આપ્યાં.
( 4 ) ઝાડુવાળાએ પોતાને થયેલી સજા બાબતે રાજાને શું કહ્યું ?
જ. પોતાને થયેલી સજા બાબતે રાજાને કહ્યું કે , “ આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી . પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું . તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું . તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે ? ”
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( 1 ) બાદશાહને પોતાનો દહાડો બગડશે એવું કેમ લાગ્યું ?
જ. એક દિવસ બાદશાહે સવારમાં ઊઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. નોકરે પોતાનું મોં છુપાવવાની કોશિશ કરી એમ છતાં બાદશાહની નજર એના પર પડી ગઈ . તેથી બાદશાહને થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી અપશુકન થયા , આજનો દિવસ ચોક્કસ બગડવાનો .
( 2 ) શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા ?
જ.દાતણપાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા , પાસેના બુંદેલખંડનો રાજ લશ્કર લઈ ચડી આવ્યો છે .
( ૩ ) સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા ?
જ. સાંજે જમતી વખતે , બાદશાહ જેવો કોળિયો ભરવા જાય છે , તેવામાં જ એક ગરોળી ટપ કરતી એમની થાળીમાં પડી . આજે સવારથી જમતી વખતે આવું જ કંઈ ને કંઈ બન્યા કર્યું હોવાથી બાદશાહ ગુસ્સે થયા .
( 4 ) રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું ?
જ. રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ કહ્યું : “ આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી . પણ ગઈ કાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું . તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું . તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે ?
( 5 ) અંતે રાજાએ પોતાનો ખોટો વહેમ શું કહી ને દૂર ક્યો ?
જ.અંતે રાજાએ કહ્યું : “ એની વાત સાચી છે . શુકન - અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત . જે થયું તે સારું થયું . એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો . ” આમ કહી રાજાએ પોતાનો ખોટો વહેમ દૂર કર્યો .
***********************
નીચેના શબ્દસમૂહો માટે એ એક શબ્દ આપોઃ
( 1 ) નાતનો માણસ- નાતીલો
( 2 ) રાતનું ભોજન-વાળું
( 3 ) જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું -અપશુકનિયાળ
( 4 ) બારી બહાર કાઢેલ ઝૂકતું બાંધકામ – ઝરૂખો , છજું
( 5 ) સવારનો નાસ્તો - શિરામણ
( 6) ઝટપટ ન ઊકલી શકે તેવો પ્રશ્ન -કોયડો
( 7) કાળના જેવા મોં વાળું - કાળમુખું
( 8 ) મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે -મૈયત
( 9) શાબાશી બદલ અપાતો પોશાક -
સરપાવ
***************
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
*ચતુરાઈ - ચાલાકી
*હાંફળેફાંફળું - બેબાકળું , ગભરાયેલું
*ઇચ્છા - મરજી
*રણમેદાન- રણભૂમિ , યુદ્ધભૂમિ
*દિવસ- દિન , દહાડો
*ઝરૂખો - છજું
*કમનસીબ – કમભાગ્ય
*કેદખાનું - જેલ
*છેલ્લી -અંતિમ
*સરપાવે -ઈનામ
*વાળુ -રાત્રિભોજન
*ઓસડ -ઔષધ
************
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
*જવાબ X સવાલ
*ન્યાય Xઅન્યાય
*હલકો X ભારે
*શુકન X અપશુકન
*કમનસીબ X સદનશીબ
*રાજા X રંક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો