31 ઑગસ્ટ, 2020

કળિયુગમાં ત્યાજ્ય ને ગ્રાહ્ય ધર્મો અને કર્મ


કળિયુગમાં ત્યાજ્ય ને ગ્રાહ્ય ધર્મો અને કર્મ

*ગોમેધ, નરમધ ને અશ્વમેધ યજ્ઞો તેમજ મદ્યપાન અને સુરાપાન
* શ્રાદ્ધમાં પિતૃઓને માંસનું પિંડ દાન ન દેવું.

* વડીલ ભાઈની પત્ની એ વિધવા થતા દિયરવટુ ન કરવું.

* યથાશાસ્ત્ર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવા અસમર્થ હોય તેને આજીવન બ્રહ્મચર્ય આશ્રમ ન સ્વીકારવો. ઉત્કટ વૈરાગ્યનું બળ હોય અથવા ગુરુ આજ્ઞા હોય તો જ ત્યાગાશ્રમ સ્વીકારવો.
*જે પ્રાયશ્ચિત થી દેહ પડી જાય એવું પ્રાયશ્ચિત કળિયુગમાં વર્જ્ય છે.
* કળિયુગમાં વાનપ્રસ્થાશ્રમ ન ધારવા, પરંતુ વ્યવહાર થી નિવૃત મંદિરમાં જઈ ધર્મ-કર્મની પ્રવૃત્તિ કરવી.
*સ્વર્ગ પ્રાપ્તિ ના વહેમમાં પુરુષ કે સ્ત્રી ભૈરવજપ, અગ્નિ પ્રવેશ, હિમાલય પ્રસ્થાન, કમળપૂજા, ગંગામાં ડૂબવું વગેરે આત્મઘાત ના ઉપાયો ન કરવા.
* એકાંતમાં થયેલા મહાપાપના પ્રાયશ્ચિત્તમાં પણ કદી આત્મવિલોપન ન કરવું.પ્રાયશ્ચિત જાપ-ઉપવાસ વગેરેથી કરવું.
* પ્રતિષ્ઠિત પુરુષે અસહ્ય લોકાપવાદ આવે તો ગુપ્તપણે રહેવું કે સ્થળાંતર કરી જવું પણ પોતાના શરીરનો ત્યાગ કદી ન કરવો.
*ભૂખ્યા ત્રણ ત્રણ દિવસો વીતે તો પણ ધાન્ય કે ફ્લ ની ચોરી ન કરવી. યાચના કે એવો કોઈ બીજો ઉપાય કરી દેહ ટકાવવો.
* મામા-ફોઈ ના દીકરા-દીકરી વચ્ચે વિવાહ વ્યવહાર ન કરવો. 
*ચાર વર્ગના મનુષ્યોએ પોત-પોતાના વર્ણ માં જ વિવાહ વ્યવહાર રાખવો.

* શિષ્યે ગુરુપત્નીમાં ગુરુભાવ ન રાખવો.

* સંન્યાસીઓએ ચાર વર્ણ માં ભિક્ષા ન કરવી.
 * બ્રહ્મજ્ઞાનના છકમાં ગ્રહણ, સૂતક-મૃતક વગેરે આશૌચનો  ત્યાગ ન કરવો.

30 ઑગસ્ટ, 2020

મૂકસેવક રવિશંકર મહારાજ

 શબ્દાર્થ:

 મૂકસેવક – મૂંગા મોઢે સેવા કરનાર 
બિરુદ - ખિતાબ
 નાનપ – હલકાપણું 
મહિમાવંતું - ગૌરવવાળું 
ઝળકવું- ઝળહળી ઊઠવું
 વિલાયતી - પરદેશી બનાવટનું
જીવનમંત્ર - જીવનનો સિદ્ધાંત
 નર્યું - કેવળ
 દૂષણ- ખરાબ તત્વ 
મનસૂબો - ( અહીં ) વિચાર 
કાચુંપોચું – ( અહીં ) ડરપોક 
નિર્ભય – નીડર 
કોતરો - નદીકિનારા પાસેની બખોલો ગરનાળું- પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ 
કરો- ઘરની બાજુની દીવાલ, ભીંત 
વહારે – મદદે
 સ્વયંસેવક- કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર
 બોરિંગ – પાણી માટે ફરતીમાં શાર પાડનારું યંત્ર ,
 હેવાન- રાક્ષસી , જંગલી 
જીવનધર્મ - જીવનનું મુખ્ય કર્તવ્ય . 
              ************
શબ્દસમૂહો માટે એક શબ્દ આપો : 

(1) નદી કિનારા પાસેની બખોલ- કોતરો

(2) પાણી આવવા-જવા માટે બાંધેલો સાંકડો માર્ગ - ગરનાળું
 (૩) ઘરની બાજુની દીવાલ-કરો

(4) કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર- સ્વયંસેવક 
(5) જીવનનું મુખ્ય કર્તવ્ય-જીવનધર્મ 

રૂઢિપ્રયોગો
૧.જોતરાઈ જવું- કામચોરી વિના કામે લાગવું
૨. દિલ દઈને- ખુબ ઉત્સાહ અને ધગશથી (કામમાં )
 3. આત્મા રેડી દેવો-પૂરે પૂરી લગનથી કામ કરવું.
૪.પગરણ માંડવા -શરૂઆત કરવી
 ૫.માથે ઉપાડી લેવું -જવાબદારી લેવી
૬. દિલ દ્રવી ઊઠવું -ખૂબ દુઃખ થવું 
૭.માંડી વાળવું -કામ બંધ કરવું
૮. પાછી પાની કરવી - પાછા હઠવું




23 ઑગસ્ટ, 2020

संवैधानिक उपचारों का अधिकार (अनुच्छेद 32)



संवैधानिक उपचारों का अधिकार (अनुच्छेद 32) 
अनुच्छेद 32 के अंतर्गत उपरोक्त अधिकारों को लागू करने के लिए न्यायिक रिटों का प्रावधान है,जो निम्न हैं। 

*बन्दी प्रत्यक्षीकरण- (Habeas Corpus) जब किसी व्यक्ति को अवैध रूप से बन्दी बनाया जाता है, तो सर्वोच्च न्यायालय उस बन्दी बनाने वाले अधिकारी को आदेश देता है कि वह बन्दी बनाए गए व्यक्ति को 24 घण्टे के भीतर न्यायालय के समक्ष पेश करे। यह आपराधिक जुर्म के मामलों में जारी नहीं किया जा सकता। 
*परमादेश- (Mandamus) यह उस समय जारी किया जाता है, जब कोई पदाधिकारी अपने सार्वजनिक कर्तव्य का निर्वाह नहीं करता है। 
*प्रतिषेध- (Prohibition) यह निचली अदालत को ऐसा कार्य करने से रोकता है, जो उसके अधिकार क्षेत्र से बाहर है।
*अधिकार-पृच्छा -(Qui-warranto) यह एक व्यक्ति को एक जन कार्यालय में काम करने से मना करता है, जिसका उसे अधिकार नहीं है। 
*उत्प्रेषण -(Certiorari) यह भी जारी किया जाता है जब एक अदालत या न्यायालय अपने न्याय क्षेत्र से बाहर कार्य करता है। यह निषेध' से अलग है और यह कार्य सम्पादित होने के बाद ही जारी किया जाता है।

डॉ. भीमराव अम्बेडकर ने अनुच्छेद 32 (संवैधानिक उपचारों का अधिकार) को संविधान की आत्मा एवं हृदय बताया।

भारत की विभिन्न कृषि क्रान्तियाँ

भारत की विभिन्न कृषि क्रान्तियाँ
 
* कृष्ण कान्ति -बायोडीजल उत्पादन 

*लाल क्रान्ति-टमाटर / मांस उत्पादन

* गुलाबी क्रान्ति-झींगा मछली उत्पादन
 

 *हरित कान्ति- खाद्यान्न उत्पादन 
*स्वेत क्रान्ति-दुग्ध उत्पादन
 *नीली क्रान्ति -मत्स्य उत्पादन 
*भूरी क्रान्ति -उर्वरक उत्पादन 
*रजत क्रान्ति -अण्डा उत्पादन 
*पीली क्रान्ति -तिलहन उत्पादन 

  
*बादामी क्रान्ति -मासाला उत्पादन
* सुनहरी क्रान्ति -फल उत्पादन 
*अमृत क्रांति-नदी जोड़ो परियोजनाएँ 
*इंद्र धनुष क्रांति-समन्वित कृषि क्रान्ति
 

5 ઑગસ્ટ, 2020

👉સમય કાઢીને વાંચજો( મજા ન આવે તો પૈસા પાછા)



એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.

ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. *હું સુખ શોધી રહ્યો છું.*

મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ 

મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.

આવું શા માટે?

એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે- 

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)

02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી. 

*ઔર જીને કો ક્યા ચાહિયે ?* 

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે