કળિયુગમાં ત્યાજ્ય ને ગ્રાહ્ય ધર્મો અને કર્મ
*ગોમેધ, નરમધ ને અશ્વમેધ યજ્ઞો તેમજ મદ્યપાન અને સુરાપાન
* શ્રાદ્ધમાં પિતૃઓને માંસનું પિંડ દાન ન દેવું.
* વડીલ ભાઈની પત્ની એ વિધવા થતા દિયરવટુ ન કરવું.
* યથાશાસ્ત્ર નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવા અસમર્થ હોય તેને આજીવન બ્રહ્મચર્ય આશ્રમ ન સ્વીકારવો. ઉત્કટ વૈરાગ્યનું બળ હોય અથવા ગુરુ આજ્ઞા હોય તો જ ત્યાગાશ્રમ સ્વીકારવો.
*જે પ્રાયશ્ચિત થી દેહ પડી જાય એવું પ્રાયશ્ચિત કળિયુગમાં વર્જ્ય છે.
* કળિયુગમાં વાનપ્રસ્થાશ્રમ ન ધારવા, પરંતુ વ્યવહાર થી નિવૃત મંદિરમાં જઈ ધર્મ-કર્મની પ્રવૃત્તિ કરવી.
*સ્વર્ગ પ્રાપ્તિ ના વહેમમાં પુરુષ કે સ્ત્રી ભૈરવજપ, અગ્નિ પ્રવેશ, હિમાલય પ્રસ્થાન, કમળપૂજા, ગંગામાં ડૂબવું વગેરે આત્મઘાત ના ઉપાયો ન કરવા.
* એકાંતમાં થયેલા મહાપાપના પ્રાયશ્ચિત્તમાં પણ કદી આત્મવિલોપન ન કરવું.પ્રાયશ્ચિત જાપ-ઉપવાસ વગેરેથી કરવું.
* પ્રતિષ્ઠિત પુરુષે અસહ્ય લોકાપવાદ આવે તો ગુપ્તપણે રહેવું કે સ્થળાંતર કરી જવું પણ પોતાના શરીરનો ત્યાગ કદી ન કરવો.
*ભૂખ્યા ત્રણ ત્રણ દિવસો વીતે તો પણ ધાન્ય કે ફ્લ ની ચોરી ન કરવી. યાચના કે એવો કોઈ બીજો ઉપાય કરી દેહ ટકાવવો.
* મામા-ફોઈ ના દીકરા-દીકરી વચ્ચે વિવાહ વ્યવહાર ન કરવો.
*ચાર વર્ગના મનુષ્યોએ પોત-પોતાના વર્ણ માં જ વિવાહ વ્યવહાર રાખવો.
* શિષ્યે ગુરુપત્નીમાં ગુરુભાવ ન રાખવો.
* સંન્યાસીઓએ ચાર વર્ણ માં ભિક્ષા ન કરવી.
* બ્રહ્મજ્ઞાનના છકમાં ગ્રહણ, સૂતક-મૃતક વગેરે આશૌચનો ત્યાગ ન કરવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો