વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. (1) દરરોજ 70-80 ગ્રામ સારાં પાકાં જાંબુ લઇ ચારગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી ઢાંકમ ઢાંકી રાઈ, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે ઢે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે. (2) સારાં પાકાં જાંબુ સકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20-20 ગ્રામ 15 દિવસ સુધી લેવાથી મધુપ્રમેહમાંફાયદો થાય છે. (3) જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે. (4) જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ધૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે. (5) કુમળાં કારેલાનાં કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે. (6) કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે. (7) રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર છી થાય છે. (8) હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે. (9) ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું. (10) મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. (11) ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્ર્વાસોચ્છશ્ર્વાસ મધુપ્રમેહની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્ર્વાસોચ્છવાસથઈ લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નકળી જાય છે. (12) હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. (13) વડની છાલનું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કૂંપળો અને વડવાઇનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે. (14) આમલીના કચકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે. (15) વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇન્સ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબીટીસને કાબુમાં રાખે છે. (16) આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબીટીસ મટે છે. (17) આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડરસવાર-સ જ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે. (18) સ્વાદહીન સફેદ રંગનું ગળોસત્વ 1-1 ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે. (19) આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. (20) સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે. (21) ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબીટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે. (22) ટાઇપ-2 ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-3 મકરેલ અને ટ્યુના માછલીમાં પણ હોય છે. પરંતુ શાકાહીરી માટે અખરોટ આશીર્વાદરૂપ છે. (23) શુદ્ધ કેસરના ચાંર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘીમાં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. ડાયાબીટીસમાં બહુમૂત્ર મધુપ્રમેહમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી બહુમત્રતાની ફરિયાદ કદાપી રહેવા પામતી નથી.
🌼मेथी में galactomannan होता है जो कि एक बहुत जरुरी फाइबर कम्पाउंड है। इससे रक्त में शक्कर बड़ी ही धीमी गति से घुलती है। इस कारण से मधुमेह नहीं होता।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો