હૃદય રોગમાં પાણી એક અકસીર ઉપાય છે
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શરીરમાંથી કચરો દૂર કરવા માટે આપણે ઓછાં ઓછું અમુક પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ પણ જો તે પાણીને યોગ્ય સમયે પીવામાં આવે તો આપણે ગંભીર રોગોને આપણાથી દૂર ભગાવી શકીએ છીએ.
– કોઈ એક ચોક્કસ સમયે પાણી પીવાથી પાણીની સૌથી વધારે હકારાત્મક અસર તમારા શરીર થાય છે.
– સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવાથી તમારા આંતરિક અંગો સ્ફુર્તિલા બને છે એટલે કે એક્ટીવેટ થાય છે.
– જમ્યા પહેલાં જો એક ગ્લાસ પાણી પીવામા આવે તો તે તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે.
– નાહવા જતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તે તમારા બ્લડ પ્રેશરને નીચુ લાવવામાં મદદ કરે છે.
સુતા પહેલાં એક ગ્લાસ પાણીપીવાથી તમે હૃદય રોગના હૂમલાને ટાળી શકો છો. આ ઉપરાંત જો રાત્રી દરમિયાન તમારી ઉંઘ ઉડી જાય તો તે વખતે પણ એક ગ્લાસ પાણી પી લેવું. આમ કરવાથી રાત્રી દરમિયાન હૃદય રોગનો હૂમલો થવાનું જોખમ ઘટી જાય છે.
– ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રી દરમિયાન જ વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી ઉંઘમાં જ મૃત્યુ થઈ જાય છે. અને છેક સવારે ઘરના લોકોને તેની જાણ થાય છે.
– એક ડેટા પ્રમાણે જો તમને રાત્રે સુતી વખતે પગમાં દુખાવાની કે પછી પગની નસ ચડી જવાની ફરિયાદ હોય તો તેના માટે પણ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમને મદદ મળી રહે છે. અને તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે એકદમ સ્ફુર્તિલા ઉઠો છો.
એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટા ભાગના હાર્ટ એટેક સવારના છ વાગ્યાથી બપોર એટલે કે બપોરના બાર વાગ્યા સુધી જ આવતા હોય છે.
પણ રાત્રી દરમિયાન બહુ ઓછા હાર્ટ એટેક આવતા હોય છે તેની પાછળ મુખ્ય કારણ છે રાત્રે હૃદયને સૌથી વધારે આરામ મળે છે પણ જો તેવા સમયે હાર્ટ એટેક આવે તો તે ગંભીર બાબત કહેવાય.
હાર્ટ એટેકના નિષ્ણાત જણાવે છે કે જો તમે દિવસ દરમિયાન એક એસ્પિરિનની ગોળી લેતા હોવ તો તેને તમારે દિવસે નહીં પણ રાત્રે લેવી જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો